Navsari Lok sabha Seat પર C.R.Patilની સામે Congress ઉતારી શકે છે Mumtaz Patelને.. ! જાણો શા માટે થઈ રહી છે આવી ચર્ચા?


  • Published By :
  • Published Date : 2024-03-19 18:38:22

કોંગ્રેસ પાર્ટીની ભારત જોડો ન્યાય યાત્રા પુરી થઈ ચૂકી છે અને કોંગ્રેસ પાર્ટીએ લોકસભાની બાકીની બેઠકો માટે મનોમંથન હાથ ધર્યું છે. આપને જણાવી દઈએ કે કોંગ્રેસ પાર્ટીએ અત્યાર સુધી ગુજરાત માટે માત્ર ૭ લોકસભા સીટો પર નામની ઘોષણા કરી છે ત્યારે હવે સમાચાર આવી રહ્યા છે કે, નવસારી લોકસભા પરથી ભાજપ પ્રદેશ પ્રમુખ C.R પાટીલની સામે મુમતાઝ પટેલને કોંગ્રેસ ટિકીટ આપી શકે છે.

નવસારી બેઠક પરથી કોંગ્રેસ ઉતારી શકે છે મુમતાઝ પટેલને

લોકસભા ચૂંટણીને લઈ ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ગઠબંધન કર્યું હતું. ગઠબંધન થતાં કોંગ્રેસના નેતાઓમાં નારાજગી જોવા મળી હતી. અહેમદ શાહના પુત્ર તેમજ પુત્રીએ ગઠબંધનને લઈ નારાજગી દર્શાવી હતી. મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલે જે નિવેદન આપ્યા હતા તેની પરથી લાગતું હતું કે તે અપક્ષ તરીકે ચૂંટણી લડી શકે છે! ત્યારે હવે સમાચાર સામે આવી રહ્યા છે કે નવસારી બેઠક પરથી કોંગ્રેસ મુમતાઝ પટેલને ઉમેદરવાર તરીકે ઘોષિત કરી શકે છે.    

7 बार जीतने वाली सीट AAP को मिली 'गिफ्ट', दिग्‍गज कांग्रेस नेता की बेटी हुई  नाराज, जमकर निकाली भड़ास - ahmed patel daughter mumtaz patel annoyed with  congress as party gift 7


ભરૂચ લોકસભા બેઠક માટે મુમતાઝ પટેલે માગી હતી ટિકીટ!

નવસારી લોકસભા પર 2009થી BJPના હાલના ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ જીતતા આવ્યા છે. 2019માં તેમણે સૌથી વધારે માર્જિન એટલે કે ૬, ૮૯, ૬૬૮ વોટોની સરસાઈ પ્રાપ્ત કરી હતી . અને હવે ખબર આવી રહી છે કે , કોંગ્રેસ પાર્ટી અહીંથી અહેમદ પટેલના દીકરી મુમતાઝને ઉતારી શકે છે. આ અગાઉ મુમતાઝ પટેલે ભરૂચ લોકસભા પરથી ટિકીટ માંગી હતી પણ આ બેઠક ઇન્ડિયા ગઠબંધન હેઠળ આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાને અપાઈ ગઈ છે . જેથી નસીબ અજમાવવા માંગતા મુમતાઝ પટેલને કોંગ્રેસ નવસારી બેઠક પરથી ટિકીટ આપી શકે છે . 


નવસારીના જાતિગત સમીકરણોની વાત કરીએ તો..

હવે જોઈએ નવસારી બેઠકના સમીકરણને. નવસારી લોકસભા બેઠકમાં ૭ વિધાનસભાઓ આવે છે અને તે છે લીંબાયત, ઉધના , મજુરા, ચોર્યાસી, જલાલપોર, નવસારી અને ગણદેવી. 2022ની વિધાનસભાની ચૂંટણીઓમાં આ તમામ બેઠકો BJPએ જીતી લીધી હતી. આ લોકસભા બેઠક પર પાટીદાર સમાજ,અનુસૂચિત જનજાતિ , મુસ્લિમ મતો નિર્ણાયક બને છે . આ સોમવારે કોંગ્રેસ અગ્રણી નૈષધ દેસાઈના સુરત ખાતેના ઈશ્વર ફાર્મ ખાતે કોંગ્રેસી અગ્રણીઓ દ્વારા મેરેથોન બેઠક યોજાઈ હતી. જાતિગત સમીકરણોની દ્રષ્ટિએ આ બેઠક ભલે મુમતાઝ માટે અનુકૂળ નથી, સી.આર.પાટીલની સામે આ ચેહરો મજબૂત તેમજ લોકપ્રીય સાબિત થશે તેવી કોંગ્રેસ પાર્ટીની ગણતરી છે.


કોંગ્રેસમાં પણ થઈ શકે છે આંતરિક ડખા!

આ વસ્તુની સામે મુમતાઝ માટે ચેલેન્જ એ છે કે તેઓ નવસારી લોકસભાના સ્થાનિક ઉમેદવાર નથી ઉપરાંત સ્થાનિક રાજકારણ , મુદ્દાઓ , કાર્યકરો , સંગઠન જેવા મુદ્દાઓથી અજાણ છે . અને કોંગ્રેસના કાર્યકરો આ skyleb ઉમેદવારથી નારાજ પણ થઈ શકે છે . તો હવે જોઈએ કે નવસારીની આ હાઈ પ્રોફાઈલ બેઠક પર કોંગ્રેસ પાર્ટી કોને ટિકિટ આપે છે ?



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે