Navsari Lok sabha Seat પર C.R.Patilની સામે Congress ઉતારી શકે છે Mumtaz Patelને.. ! જાણો શા માટે થઈ રહી છે આવી ચર્ચા?


  • Published By :
  • Published Date : 2024-03-19 18:38:22

કોંગ્રેસ પાર્ટીની ભારત જોડો ન્યાય યાત્રા પુરી થઈ ચૂકી છે અને કોંગ્રેસ પાર્ટીએ લોકસભાની બાકીની બેઠકો માટે મનોમંથન હાથ ધર્યું છે. આપને જણાવી દઈએ કે કોંગ્રેસ પાર્ટીએ અત્યાર સુધી ગુજરાત માટે માત્ર ૭ લોકસભા સીટો પર નામની ઘોષણા કરી છે ત્યારે હવે સમાચાર આવી રહ્યા છે કે, નવસારી લોકસભા પરથી ભાજપ પ્રદેશ પ્રમુખ C.R પાટીલની સામે મુમતાઝ પટેલને કોંગ્રેસ ટિકીટ આપી શકે છે.

નવસારી બેઠક પરથી કોંગ્રેસ ઉતારી શકે છે મુમતાઝ પટેલને

લોકસભા ચૂંટણીને લઈ ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ગઠબંધન કર્યું હતું. ગઠબંધન થતાં કોંગ્રેસના નેતાઓમાં નારાજગી જોવા મળી હતી. અહેમદ શાહના પુત્ર તેમજ પુત્રીએ ગઠબંધનને લઈ નારાજગી દર્શાવી હતી. મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલે જે નિવેદન આપ્યા હતા તેની પરથી લાગતું હતું કે તે અપક્ષ તરીકે ચૂંટણી લડી શકે છે! ત્યારે હવે સમાચાર સામે આવી રહ્યા છે કે નવસારી બેઠક પરથી કોંગ્રેસ મુમતાઝ પટેલને ઉમેદરવાર તરીકે ઘોષિત કરી શકે છે.    

7 बार जीतने वाली सीट AAP को मिली 'गिफ्ट', दिग्‍गज कांग्रेस नेता की बेटी हुई  नाराज, जमकर निकाली भड़ास - ahmed patel daughter mumtaz patel annoyed with  congress as party gift 7


ભરૂચ લોકસભા બેઠક માટે મુમતાઝ પટેલે માગી હતી ટિકીટ!

નવસારી લોકસભા પર 2009થી BJPના હાલના ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ જીતતા આવ્યા છે. 2019માં તેમણે સૌથી વધારે માર્જિન એટલે કે ૬, ૮૯, ૬૬૮ વોટોની સરસાઈ પ્રાપ્ત કરી હતી . અને હવે ખબર આવી રહી છે કે , કોંગ્રેસ પાર્ટી અહીંથી અહેમદ પટેલના દીકરી મુમતાઝને ઉતારી શકે છે. આ અગાઉ મુમતાઝ પટેલે ભરૂચ લોકસભા પરથી ટિકીટ માંગી હતી પણ આ બેઠક ઇન્ડિયા ગઠબંધન હેઠળ આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાને અપાઈ ગઈ છે . જેથી નસીબ અજમાવવા માંગતા મુમતાઝ પટેલને કોંગ્રેસ નવસારી બેઠક પરથી ટિકીટ આપી શકે છે . 


નવસારીના જાતિગત સમીકરણોની વાત કરીએ તો..

હવે જોઈએ નવસારી બેઠકના સમીકરણને. નવસારી લોકસભા બેઠકમાં ૭ વિધાનસભાઓ આવે છે અને તે છે લીંબાયત, ઉધના , મજુરા, ચોર્યાસી, જલાલપોર, નવસારી અને ગણદેવી. 2022ની વિધાનસભાની ચૂંટણીઓમાં આ તમામ બેઠકો BJPએ જીતી લીધી હતી. આ લોકસભા બેઠક પર પાટીદાર સમાજ,અનુસૂચિત જનજાતિ , મુસ્લિમ મતો નિર્ણાયક બને છે . આ સોમવારે કોંગ્રેસ અગ્રણી નૈષધ દેસાઈના સુરત ખાતેના ઈશ્વર ફાર્મ ખાતે કોંગ્રેસી અગ્રણીઓ દ્વારા મેરેથોન બેઠક યોજાઈ હતી. જાતિગત સમીકરણોની દ્રષ્ટિએ આ બેઠક ભલે મુમતાઝ માટે અનુકૂળ નથી, સી.આર.પાટીલની સામે આ ચેહરો મજબૂત તેમજ લોકપ્રીય સાબિત થશે તેવી કોંગ્રેસ પાર્ટીની ગણતરી છે.


કોંગ્રેસમાં પણ થઈ શકે છે આંતરિક ડખા!

આ વસ્તુની સામે મુમતાઝ માટે ચેલેન્જ એ છે કે તેઓ નવસારી લોકસભાના સ્થાનિક ઉમેદવાર નથી ઉપરાંત સ્થાનિક રાજકારણ , મુદ્દાઓ , કાર્યકરો , સંગઠન જેવા મુદ્દાઓથી અજાણ છે . અને કોંગ્રેસના કાર્યકરો આ skyleb ઉમેદવારથી નારાજ પણ થઈ શકે છે . તો હવે જોઈએ કે નવસારીની આ હાઈ પ્રોફાઈલ બેઠક પર કોંગ્રેસ પાર્ટી કોને ટિકિટ આપે છે ?



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.