Congressના ઉમેદવારે મતદાતાઓ પાસે ચૂંટણી લડવા માગ્યાં પૈસા? પોરબંદરના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ મતદાતાઓને શું અપીલ કરી સાંભળો..


  • Published By :
  • Published Date : 2024-04-19 16:47:33

ગુજરાતમાં ઉમેદવારોએ નામાંકન દાખલ કરી લીધું છે. પ્રચારનો ધમધમાટ પણ ગુજરાતની અનેક બેઠકો પર શરૂ થઈ ગયો છે. થોડા સમય પહેલા બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર દ્વારા મતદાતાઓને અપીલ કરવામાં આવી હતી કે તેમને ચૂંટણી લડવા માટે ફાળો આપે.. આ બાદ કોંગ્રેસના વધુ એક ઉમેદવારે મતની સાથે ચૂંટણી લડવા માટે પૈસા માગ્યા છે. પોરબંદરના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તેઓ કહી રહ્યા છે કે મારી પાસે પૂરતું ફંડ નથી...

ઉમેદવારોએ કરી પ્રચારની શરૂઆત 

ત્રીજા તબક્કા અંતર્ગત ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે..અનેક બેઠકો એવી છે જ્યાં ઉમેદવારો દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. બનાસકાંઠા,ભરૂચ લોકસભા સહિતની અનેક બેઠકો એવી છે જેમાં ઉમેદવારને લઈ ચર્ચાઓ થતી હોય છે. ત્યારે પોરબંદર બેઠકની ચર્ચા આજે કરવી છે. કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ મતદાતાઓને અપીલ કરી છે. 



વીડિયો મૂકી લલિત વસોયાએ અપીલ કરી કે.... 

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે કોંગ્રેસના ખાતા સીઝ કર્યા છે ત્યારે ફંડ નથી. હું પોરબંદર લોકસભાનો કોંગ્રેસનો ઉમેદવાર છું મારી પાસે પુરતું ફંડ નથી એટલે મતદારો પાસેથી  દસ દસ રૂપિયા માંગુ છું. હું 26 બેઠકમાંથી 52 ઉમેદવારમાંથી સૌથી ઓછી મિલકત ધરાવતો ઉમેદવાર છું. વીડિયોમાં તેમણે બેન્ક અકાઉન્ટ ડિટેલ, QR કોડ પણ આપ્યું છે. મહત્વનું છે કે ગેનીબેન ઠાકોર દ્વારા પણ આવી ડિટેલ શેર કરવામાં આવી છે.. 



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.