Congressના ઉમેદવારે મતદાતાઓ પાસે ચૂંટણી લડવા માગ્યાં પૈસા? પોરબંદરના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ મતદાતાઓને શું અપીલ કરી સાંભળો..


  • Published By :
  • Published Date : 2024-04-19 16:47:33

ગુજરાતમાં ઉમેદવારોએ નામાંકન દાખલ કરી લીધું છે. પ્રચારનો ધમધમાટ પણ ગુજરાતની અનેક બેઠકો પર શરૂ થઈ ગયો છે. થોડા સમય પહેલા બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર દ્વારા મતદાતાઓને અપીલ કરવામાં આવી હતી કે તેમને ચૂંટણી લડવા માટે ફાળો આપે.. આ બાદ કોંગ્રેસના વધુ એક ઉમેદવારે મતની સાથે ચૂંટણી લડવા માટે પૈસા માગ્યા છે. પોરબંદરના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તેઓ કહી રહ્યા છે કે મારી પાસે પૂરતું ફંડ નથી...

ઉમેદવારોએ કરી પ્રચારની શરૂઆત 

ત્રીજા તબક્કા અંતર્ગત ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે..અનેક બેઠકો એવી છે જ્યાં ઉમેદવારો દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. બનાસકાંઠા,ભરૂચ લોકસભા સહિતની અનેક બેઠકો એવી છે જેમાં ઉમેદવારને લઈ ચર્ચાઓ થતી હોય છે. ત્યારે પોરબંદર બેઠકની ચર્ચા આજે કરવી છે. કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ મતદાતાઓને અપીલ કરી છે. 



વીડિયો મૂકી લલિત વસોયાએ અપીલ કરી કે.... 

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે કોંગ્રેસના ખાતા સીઝ કર્યા છે ત્યારે ફંડ નથી. હું પોરબંદર લોકસભાનો કોંગ્રેસનો ઉમેદવાર છું મારી પાસે પુરતું ફંડ નથી એટલે મતદારો પાસેથી  દસ દસ રૂપિયા માંગુ છું. હું 26 બેઠકમાંથી 52 ઉમેદવારમાંથી સૌથી ઓછી મિલકત ધરાવતો ઉમેદવાર છું. વીડિયોમાં તેમણે બેન્ક અકાઉન્ટ ડિટેલ, QR કોડ પણ આપ્યું છે. મહત્વનું છે કે ગેનીબેન ઠાકોર દ્વારા પણ આવી ડિટેલ શેર કરવામાં આવી છે.. 



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે