Banaskanthaમાં Congress ઉમેદવાર Geniben Thakorનો પ્રચાર, મતદાતાઓને કરી આ અપીલ, સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-04-02 16:59:50

ગુજરાતની અનેક બેઠકો રસપ્રદ રહેવાની છે કારણ કે અનેક બેઠકો પર ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ રહેવાનો છે. એમાંની એક બેઠક છે બનાસકાંઠા બેઠક જ્યાં ભાજપે રેખાબેન ચૌધરીને તો કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. બનાસકાંઠા લોકસભા બેઠક પર કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારથી ગેનીબેનનું નામ જાહેર થયું છે, ત્યારથી ગેનીબેન સતત સભાઓ ગજવી રહ્યા છે. તેઓ એકબાદ એક રેલીનું આયોજન કરી રહ્યા છે. તેઓ બનાસકાંઠાના ગામડાઓ ખૂદી રહ્યા છે અને પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે... 

મતાદાતાઓને રિઝવવા ગેનીબેન કરી રહ્યા છે પ્રયાસ 

જ્યારથી કોંગ્રેસ દ્વારા ઉમેદવાર તરીકે ગેનીબેન ઠાકોરના નામની જાહેરાત કરવામાં આવી ત્યારથી ગેનીબેન ઠાકોર પ્રચાર કરી રહ્યા છે. લોકોની વચ્ચે રહેવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સભાઓ ગજવી રહ્યા છે. અનેક જગ્યાઓ પર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર પ્રચાર કરી રહ્યા છે. પોતાના સંબોધનમાં અનેક વખત તે વિરોધીઓ પર આકરા પ્રહાર કરતા જોવા મળે છે ત્યારે પાલનપુરના કુંભલમેર, ચંડીસર, વેંડંચા અને મોટાગામમાં પ્રચાર કરી મતદાતાઓને રિઝાવાનો પ્રયાસ કર્યો હતો અને વિરોધીઓ ઉપર આકરા પ્રહારો કર્યા હતા..... 


ભાજપના ઉમેદવાર પર કર્યો ટાર્ગેટ? 

બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન લોકસભાની ચૂંટણીને લઈને આક્રમક પ્રચાર કરી રહ્યા છે ત્યારે ગેનીબેને પાલનપુરના ગામડાઓમાં પહોંચીને ગામના મંદિરોમાં દર્શન કરી લોકોને કોંગ્રેસ તરફી મતદાન કરવા અનુરોધ કર્યો હતો...ઉલ્લેખનિય છે કે કોંગ્રેસ માટે ગેનીબેન પ્રચાર કરતા હોય અને ભાજપના ઉમેદવારોને ટાર્ગેટ ન કરે એવું કેમ બને? એટલે ગેનીબેને ભાજપના ઉમેદવારને ટાર્ગેટ કરતા કહ્યું હતું કે 'એકબાજુ જનશક્તિ છે અને એક બાજુ ધન શક્તિ છે, ધન શક્તિ ક્યારેય સફળ થઈ શકે નહીં. ધન શક્તિ ક્યારેય સફળ થઈ શકે નહીં તે 2017માં હું ચૂંટણી લડી એમાં મને અનુભવ છે, તમે ઠાકોર સમાજ સહિત સર્વ સમાજ અમારા માટે વેંત નમશો તો અમે તમારા માટે હાથ જેટલું નમીશું. મારા માટે આ વિસ્તાર કદાચ નવો હશે પણ અનુભવ ખૂબ બહોળો છે'.... 


હું મતનું મામેરૂં માંગવા આવી છું - ગેનીબેન ઠાકોર 

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, 'મેં 10 વર્ષમાં વાવ વિધાનસભામાં ધારાસભ્ય તરીકે ખૂબ કામ કર્યા છે મને ખુબ અનુભવ છે. ગાયનું રક્ષણ હોય અને દીકરીઓની પડતી મુશ્કેલીઓ હોય તેમના માટે હું લડતી રહીશ, હું મતનું મામેરું માંગવા આવી છું. મારે હીરા, મોતી, પૈસા નથી જોઈતા પણ તમે 7 તારીખે વોટ આપી મતનું મામેરું ભરજો'.આ સાથે તેઓ સભા સંબોધનમાં કહે છે કે હું ગરીબ પરિવારની દિકરી છું... 



આ વર્ષે બનાસકાંઠામાં થઈ હતી પ્રથમ ચૂંટણી!

ગેનીબેન ઠાકોરના ચૂંટણી પ્રચાર દરમિયાન લોકો તેમનું સ્વાગત કરીને આવકારી રહ્યા છે તો ગેનીબેન સહિત કોંગ્રેસના અનેક નેતાઓ મતદારો કોંગ્રેસ ઉપર ભરોસો મૂકી કોંગ્રેસ તરફી મતદાન કરે તે માટેના પ્રયાસો કરી રહ્યા છે.... બનાસકાંઠા લોકસભા સીટ ગુજરાતની બીજા નંબરની લોકસભા સીટ છે. બનાસકાંઠા લોકસભા સીટ પર પ્રથમ ચૂંટણી વર્ષ 1951માં થઇ હતી.... બનાસકાંઠા સીટ પર દસ વાર કોંગ્રેસ તો પાંચ વખત ભાજપનો વિજય થયો છે. આ ઉપરાંત બનાસકાંઠા સીટ પર મહિલા ઉમેદવાર એક વાર જીત થઇ છે.... એવામાં આ વખતે બંને પક્ષે મહિલા ઉમેદવારને ટિકિટ આપી છે... ત્યારે કોણ બાજી મારે છે તે જોવુ રસપ્રદ રહેશે....  




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.