રાજ્યભરમાં કોંગ્રેસના ધરણા- પ્રદર્શનો, જગદીશ ઠાકોર સહિતના નેતાઓની અટકાયત


  • Published By :
  • Published Date : 2023-03-26 16:36:02

રાહુલ ગાંધીનું સાંસદ પદ ગત 24મી માર્ચે રદ્દ થતા કોંગ્રેસનાં નેતાઓ અને કાર્યકરો દેશભરમાં દેખાવો કરી રહ્યા છે. આજે આજે 26મી માર્ચે સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસના વિરોધ-પ્રદર્શનો થઈ રહ્યા છે. જેમાં વડોદરા અને ભાવનગરમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસના કાર્યકરો-નેતાઓની પોલીસે અટકાયત કરી હતી. જ્યારે રાજ્યના અન્ય શહેરોમાં પણ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.


જગદીશ ઠાકોરની અમદાવાદમાં અટકાયત


'મોદી સરનેમ' કેસમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનું સંસદ સભ્ય પદ રદ્દ કરવાના વિરોધમાં કોંગ્રેસે આજે અમદાવાદમાં ધરણા-પ્રદર્શનો કર્યા હતા. આજે પ્રદેશ કોંગ્રેસ દ્વારા અમદાવાદના લાલ દરવાજા રૂપાલી સિનેમા સામે ધરણાંનું આયોજન કર્યું હતું. જો કે કોંગ્રેસના ધરણાં શરૂ થતાં જ પ્રદેશ પ્રમુખ, વિપક્ષના નેતાઓ સહિતના કોંગ્રેસના 150 જેટલા નેતાઓ અને કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ રાહુલજી તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ- જેવા નારા લગાવ્યા હતા. તમામ નેતાઓ અને કાર્યકર્તાઓની અટકાયત કરી અને પોલીસ હેડક્વાર્ટર લઈ જવાયા હતા.


વિવિધ શહેરોમાં વિરોધ-પ્રદર્શનો


રાહુલ ગાંધીનું સંસદ સભ્ય પદ રદ્દ થવાને મુદ્દે રાજ્યના અમદાવાદ, વડોદરા,ભુજ,જૂનાગઢ, ભાવનગર,પાટણ,જામનગર અને ભરૂચમાં કોંગ્રેસના કાર્યકરોએ ધરણા કર્યા હતા. આ શહેરોમાં પણ પોલીસે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરી હતી. જામનગરમાં કોંગ્રી કાર્યકરોએ નાકે આંગળી રાખી ચૂપ મુદ્રામાં વિરોધ કર્યો હતો. વડોદરામાં તો પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા.




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.