રાજ્યભરમાં કોંગ્રેસના ધરણા- પ્રદર્શનો, જગદીશ ઠાકોર સહિતના નેતાઓની અટકાયત


  • Published By :
  • Published Date : 2023-03-26 16:36:02

રાહુલ ગાંધીનું સાંસદ પદ ગત 24મી માર્ચે રદ્દ થતા કોંગ્રેસનાં નેતાઓ અને કાર્યકરો દેશભરમાં દેખાવો કરી રહ્યા છે. આજે આજે 26મી માર્ચે સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસના વિરોધ-પ્રદર્શનો થઈ રહ્યા છે. જેમાં વડોદરા અને ભાવનગરમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસના કાર્યકરો-નેતાઓની પોલીસે અટકાયત કરી હતી. જ્યારે રાજ્યના અન્ય શહેરોમાં પણ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.


જગદીશ ઠાકોરની અમદાવાદમાં અટકાયત


'મોદી સરનેમ' કેસમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનું સંસદ સભ્ય પદ રદ્દ કરવાના વિરોધમાં કોંગ્રેસે આજે અમદાવાદમાં ધરણા-પ્રદર્શનો કર્યા હતા. આજે પ્રદેશ કોંગ્રેસ દ્વારા અમદાવાદના લાલ દરવાજા રૂપાલી સિનેમા સામે ધરણાંનું આયોજન કર્યું હતું. જો કે કોંગ્રેસના ધરણાં શરૂ થતાં જ પ્રદેશ પ્રમુખ, વિપક્ષના નેતાઓ સહિતના કોંગ્રેસના 150 જેટલા નેતાઓ અને કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ રાહુલજી તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ- જેવા નારા લગાવ્યા હતા. તમામ નેતાઓ અને કાર્યકર્તાઓની અટકાયત કરી અને પોલીસ હેડક્વાર્ટર લઈ જવાયા હતા.


વિવિધ શહેરોમાં વિરોધ-પ્રદર્શનો


રાહુલ ગાંધીનું સંસદ સભ્ય પદ રદ્દ થવાને મુદ્દે રાજ્યના અમદાવાદ, વડોદરા,ભુજ,જૂનાગઢ, ભાવનગર,પાટણ,જામનગર અને ભરૂચમાં કોંગ્રેસના કાર્યકરોએ ધરણા કર્યા હતા. આ શહેરોમાં પણ પોલીસે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરી હતી. જામનગરમાં કોંગ્રી કાર્યકરોએ નાકે આંગળી રાખી ચૂપ મુદ્રામાં વિરોધ કર્યો હતો. વડોદરામાં તો પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા.




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.