કોંગ્રેસ પ્રમુખ ખડગેએ નવી ટીમની કરી જાહેરાત, CWCના 39 સભ્યોમાં ગુજરાત આ નેતાઓને મળ્યું સ્થાન


  • Published By :
  • Published Date : 2023-08-20 17:43:55

દેશના તમામ રાજકીય પક્ષો આગામી લોકસભા ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા છે. કોંગ્રેસ પાર્ટીએ પણ ચૂંટણી માટે કમર કસી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે મહત્વનું પગલું ભરતા પોતાની 39 સભ્યોની નવી ટીમની જાહેરાત કરી છે. કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)તરીકે ઓળખાતી આ કમિટી કોંગ્રેસમાં નિર્ણયો લેતી મહત્વની સમિતી છે જેમાં ગુજરાતના બે નેતાઓને પણ સ્થાન મળ્યું છે. કોંગ્રેસ પ્રમુખ ખડગેની 39 સભ્યોની નવી ટીમમાં ગુજરાત તરફથી જગદીશ ઠાકોર અને દિપક બાબરીયાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. 


CWCમાં આ અગ્રણી નેતાઓને સ્થાન


કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)માં મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, મનમોહન સિંહ, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, એકે એન્ટની, અંબિકા સોની, અધીર રંજન ચૌધરી, દિગ્વિજય સિંહ, ચરણજીત સિંહ ચન્ની અને આનંદ શર્મા સહિત 39 નેતા સામેલ છે. આ ઉપરાંત 32 કાયમી આમંત્રિતો, 9 ખાસ આમંત્રિતો, યુથ કોંગ્રેસ, એનએસયુઆઈ, મહિલા કોંગ્રેસ અને સેવાદળના પ્રમુખોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં સચિન પાયલટ, શશિ થરૂર, અશોક ચવ્હાણ, દીપક બાવરિયાના રૂપમાં નવા નામ સામે આવ્યા છે. CWCમાં ગૌરવ ગોગોઈ, નાસિર હુસૈન, દીપા દાસ મુનશીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ખાસ આમંત્રિતોમાં પવન ખેરા, સુપ્રિયા શ્રીનાતે અને અલકા લાંબાનો સમાવેશ થયો છે. નોંધવા જેવી બાબત એ છે કે ખડગેએ તેમની વિરુદ્ધ ચૂંટણી લડનારા શશિ થરૂરને પણ આ સમિતિમાં સ્થાન આપ્યું છે. 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .