કોંગ્રેસ પ્રમુખ ખડગેએ નવી ટીમની કરી જાહેરાત, CWCના 39 સભ્યોમાં ગુજરાત આ નેતાઓને મળ્યું સ્થાન


  • Published By :
  • Published Date : 2023-08-20 17:43:55

દેશના તમામ રાજકીય પક્ષો આગામી લોકસભા ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા છે. કોંગ્રેસ પાર્ટીએ પણ ચૂંટણી માટે કમર કસી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે મહત્વનું પગલું ભરતા પોતાની 39 સભ્યોની નવી ટીમની જાહેરાત કરી છે. કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)તરીકે ઓળખાતી આ કમિટી કોંગ્રેસમાં નિર્ણયો લેતી મહત્વની સમિતી છે જેમાં ગુજરાતના બે નેતાઓને પણ સ્થાન મળ્યું છે. કોંગ્રેસ પ્રમુખ ખડગેની 39 સભ્યોની નવી ટીમમાં ગુજરાત તરફથી જગદીશ ઠાકોર અને દિપક બાબરીયાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. 


CWCમાં આ અગ્રણી નેતાઓને સ્થાન


કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)માં મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, મનમોહન સિંહ, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, એકે એન્ટની, અંબિકા સોની, અધીર રંજન ચૌધરી, દિગ્વિજય સિંહ, ચરણજીત સિંહ ચન્ની અને આનંદ શર્મા સહિત 39 નેતા સામેલ છે. આ ઉપરાંત 32 કાયમી આમંત્રિતો, 9 ખાસ આમંત્રિતો, યુથ કોંગ્રેસ, એનએસયુઆઈ, મહિલા કોંગ્રેસ અને સેવાદળના પ્રમુખોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં સચિન પાયલટ, શશિ થરૂર, અશોક ચવ્હાણ, દીપક બાવરિયાના રૂપમાં નવા નામ સામે આવ્યા છે. CWCમાં ગૌરવ ગોગોઈ, નાસિર હુસૈન, દીપા દાસ મુનશીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ખાસ આમંત્રિતોમાં પવન ખેરા, સુપ્રિયા શ્રીનાતે અને અલકા લાંબાનો સમાવેશ થયો છે. નોંધવા જેવી બાબત એ છે કે ખડગેએ તેમની વિરુદ્ધ ચૂંટણી લડનારા શશિ થરૂરને પણ આ સમિતિમાં સ્થાન આપ્યું છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.