Loksabha Election માટે Congressએ મેનિફેસ્ટો કર્યો જાહેર, જાણો ઘોષણ પત્રમાં શેની આપવામાં આવી ગેરેંટી?


  • Published By :
  • Published Date : 2024-04-05 15:36:08

લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ રાજકીય પાર્ટી એક્ટિવ મોડમાં આવી ગઈ છે. રાજકીય પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવમાં રહી છે ત્યારે કોંગ્રેસે ચૂંટણીને લઈ ઘોષણા પત્રની જાહેરાત કરી છે. ઘોષણ પત્રમાં અનેક ગેરેંટી આપવામાં આવી છે. જે મેનિફેસ્ટો કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે તેમાં 25 ગેરેંટી આપવામાં આવી છે.. પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી તેમજ રાહુલ ગાંધીએ આ મેનિફેસ્ટો જાહેર કર્યો છે. પાંચ ન્યાય પર આધારીત છે કોંગ્રેસનો ઘોષણા પત્ર જેમાં શ્રમિક ન્યાય, યુવા ન્યાય, નારી ન્યાય, ખેડૂત ન્યાય, હિસ્સેદારી ન્યાયનો સમાવેશ થાય છે. કોંગ્રેસે પોતાના ઘોષણા પત્રમાં સરકારી નોકરી આપવાની જાહેરાત કરી છે.

..  

કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ હતા હાજર 

કોંગ્રેસ પાર્ટી દ્વારા આજે ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે. ચૂંટણી જાહેર થયા બાદ ઉમેદવાર કોણ હશે તેના પર મતદાતાઓની નજર રહેલી હોય છે અને તે બાદ પાર્ટી કયા વાયદા કરે છે તેની પર નજર હોય છે... ત્યારે આજે મેનિફેસ્ટો કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ હાજર હતા. 25 ગેરેંટીની વાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે જેમાં ગરીબ પરિવારની મહિલાઓને વર્ષમાં એક લાખ આપવામાં આવશે, જાતિ જનગણના કરવામાં આવશે તેવો વાયદો કરવામાં આવ્યો છે. તે ઉપરાંત એમએસપી અંગેની વાત પણ કરવામાં આવી. મનરેગા મજૂરી 400 કરવામાં આવશે તેવી વાત કોંગ્રેસ દ્વારા ચૂંટણી ઢંઢેરામાં કરવામાં આવી.. તે ઉપરાંત લાખો સરકારી નોકરીઓ આપવાની વાતનો પણ ઉલ્લેખ મેનિફેસ્ટોમાં કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે.   


કોંગ્રેસ પાર્ટી દ્વારા આપવામાં આવી આ ગેરેંટી

પાંચ ન્યાયની વાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે જે મુજબ અનેક ગેરેંટી આપવામાં આવી છે. શ્રમિક ન્યાય, યુવા ન્યાય, નારી ન્યાય, ખેડૂત ન્યાય, હિસ્સેદારી ન્યાયનો ઉલ્લેખ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. હિસ્સેદારી ન્યાય અંતર્ગત જાતિ જનગણના કરાવવામાં આવશે ઉપરાંત આરક્ષણને લઈને પણ કોંગ્રેસ દ્વારા વાયદો કરવામાં આવ્યો છે. તે ઉપરાંત ખેડૂત ન્યાય અંતર્ગત એમએસપીની વાત કોંગ્રેસ પાર્ટી દ્વારા ચૂંટણી ઢંઢેરામાં કરવામાં આવી. તે ઉપરાંત શ્રમિક ન્યાય અંતર્ગત મજદૂરોને આરોગ્યની સેવા આપવાની વાત કરવામાં આવી છે, ઉપરાંત મજૂરોને મળતા વેતન અંગે પણ જાહેરાત કરવામાં આવી છે. તે ઉપરાંત ગરીબ મહિલાઓને પણ પૈસા આપવાની વાત કરવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા તો મેનિફેસ્ટો જાહેર કરવામાં આવી ગયો છે ત્યારે સૌ કોઈની નજર ભાજપના મેનિફેસ્ટો પર રહેલી છે...   



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.