Loksabha Election માટે Congressએ મેનિફેસ્ટો કર્યો જાહેર, જાણો ઘોષણ પત્રમાં શેની આપવામાં આવી ગેરેંટી?


  • Published By :
  • Published Date : 2024-04-05 15:36:08

લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ રાજકીય પાર્ટી એક્ટિવ મોડમાં આવી ગઈ છે. રાજકીય પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવમાં રહી છે ત્યારે કોંગ્રેસે ચૂંટણીને લઈ ઘોષણા પત્રની જાહેરાત કરી છે. ઘોષણ પત્રમાં અનેક ગેરેંટી આપવામાં આવી છે. જે મેનિફેસ્ટો કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે તેમાં 25 ગેરેંટી આપવામાં આવી છે.. પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી તેમજ રાહુલ ગાંધીએ આ મેનિફેસ્ટો જાહેર કર્યો છે. પાંચ ન્યાય પર આધારીત છે કોંગ્રેસનો ઘોષણા પત્ર જેમાં શ્રમિક ન્યાય, યુવા ન્યાય, નારી ન્યાય, ખેડૂત ન્યાય, હિસ્સેદારી ન્યાયનો સમાવેશ થાય છે. કોંગ્રેસે પોતાના ઘોષણા પત્રમાં સરકારી નોકરી આપવાની જાહેરાત કરી છે.

..  

કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ હતા હાજર 

કોંગ્રેસ પાર્ટી દ્વારા આજે ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે. ચૂંટણી જાહેર થયા બાદ ઉમેદવાર કોણ હશે તેના પર મતદાતાઓની નજર રહેલી હોય છે અને તે બાદ પાર્ટી કયા વાયદા કરે છે તેની પર નજર હોય છે... ત્યારે આજે મેનિફેસ્ટો કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ હાજર હતા. 25 ગેરેંટીની વાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે જેમાં ગરીબ પરિવારની મહિલાઓને વર્ષમાં એક લાખ આપવામાં આવશે, જાતિ જનગણના કરવામાં આવશે તેવો વાયદો કરવામાં આવ્યો છે. તે ઉપરાંત એમએસપી અંગેની વાત પણ કરવામાં આવી. મનરેગા મજૂરી 400 કરવામાં આવશે તેવી વાત કોંગ્રેસ દ્વારા ચૂંટણી ઢંઢેરામાં કરવામાં આવી.. તે ઉપરાંત લાખો સરકારી નોકરીઓ આપવાની વાતનો પણ ઉલ્લેખ મેનિફેસ્ટોમાં કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે.   


કોંગ્રેસ પાર્ટી દ્વારા આપવામાં આવી આ ગેરેંટી

પાંચ ન્યાયની વાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે જે મુજબ અનેક ગેરેંટી આપવામાં આવી છે. શ્રમિક ન્યાય, યુવા ન્યાય, નારી ન્યાય, ખેડૂત ન્યાય, હિસ્સેદારી ન્યાયનો ઉલ્લેખ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. હિસ્સેદારી ન્યાય અંતર્ગત જાતિ જનગણના કરાવવામાં આવશે ઉપરાંત આરક્ષણને લઈને પણ કોંગ્રેસ દ્વારા વાયદો કરવામાં આવ્યો છે. તે ઉપરાંત ખેડૂત ન્યાય અંતર્ગત એમએસપીની વાત કોંગ્રેસ પાર્ટી દ્વારા ચૂંટણી ઢંઢેરામાં કરવામાં આવી. તે ઉપરાંત શ્રમિક ન્યાય અંતર્ગત મજદૂરોને આરોગ્યની સેવા આપવાની વાત કરવામાં આવી છે, ઉપરાંત મજૂરોને મળતા વેતન અંગે પણ જાહેરાત કરવામાં આવી છે. તે ઉપરાંત ગરીબ મહિલાઓને પણ પૈસા આપવાની વાત કરવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા તો મેનિફેસ્ટો જાહેર કરવામાં આવી ગયો છે ત્યારે સૌ કોઈની નજર ભાજપના મેનિફેસ્ટો પર રહેલી છે...   



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."