Gujarat Election : કોંગ્રેશને 'નરેશ'નો મોહ નથી છૂટતો !


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-10 15:15:42

મનહર પટેલનો દાવો, 'નરેશ પટેલ ભલે સક્રિય રાજકારણમાં ન જોડાયા હોય, પરંતુ અમને બહાર રહીને મદદ કરશે'


કોંગ્રેસના નેતા મનહર પટેલે દાવો કર્યો હતો કે નરેશ પટેલ 2022માં ભલે સક્રિય રાજકારણમાં ન જોડાયા હોય પરંતુ 2017ની જેમ બહાર રહીને અમને મદદ કરશે. 

કોંગ્રેસ નેતા મનહર પટેલની ફાઇલ તસ્વીર 

નરેશ પટેલને લઈને કદિર પીરઝાદાનું નિવેદન કોંગ્રેસને નુકસાન કરાવશે: મનહર પટેલ

વિધાનસભાની ચૂંટણી પહેલા ફરી ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ મેદાને આવ્યા છે. આજે કોંગ્રેસના 25 જેટલા પાટીદાર નેતાઓએ નરેશ પટેલ સાથે બંધ બારણે બેઠક કરી હતી. આ બેઠક અંગે કોંગ્રેસના નેતા મનહર પટેલે દાવો કર્યો હતો કે નરેશ પટેલ 2022માં ભલે સક્રિય રાજકારણમાં ન જોડાયા હોય પરંતુ 2017ની જેમ બહાર રહીને અમને મદદ કરશે. 


ખોડલધામ ટ્રસ્ટી નરેશ પટેલની ફાઇલ તસ્વીર 

Gujarat's Patidar leader Naresh Patel likely to join Congress - India News


મનહર પટેલે વધુમાં કહ્યું હતું કે. ભાજપના 27 વર્ષના શાસનથી લોકો થાકી ગયા છે. શિક્ષણ આરોગ્ય અને બેરોજગારી અને મોંધવારી જેવા મુદ્દાઓ રહેલા છે, ત્યારે આ વર્ષે કોંગ્રેસ તરફી વાતાવરણ છે અને તેમાં પાટીદાર નેતા નરેશ પટેલનું સમર્થન મળે અને કોંગ્રેસની સરકાર બને તેવા અમારા પ્રયત્નો છે. આજે નરેશ પટેલને મળીને પાટીદારોની ચિંતન શિબીરનું આયોજન કરાયું છે જે આગામી દિવસોમાં ગુજરાતના દરેક ઝોનમાં કરવામાં આવશે.


મહત્વનું છે કે નરેશ પટેલે સક્રિય રાજકારણમાં જોડાવાની સ્પષ્ટ ના પાડી દીધી છે અને આ વિધાનસભાની ચૂંટણીમાં તેઓ દૂર રહેશે તેવી પણ જાહેરાત કરી હતી. જો કે ત્યારબાદ અચાનક જ નરેશ પટેલની કોંગ્રેસના પાટીદાર નેતાઓ સાથે બેઠક ખૂબ જ સૂચક માનવામાં આવી રહી છે.



ભાજપના કાર્યકરોમાં અસંતોષની લાગણી જાણે બહાર આવી રહી છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા કે ત્રણ નેતા વિરૂદ્ધ પગલા લેવા માટે હાઈકમાન્ડમાં રજૂઆત કરવામાં આવી.. આ બધા વચ્ચે એવું લાગી રહ્યું છે કે જવાહર ચાવડા આવનાર સમયમાં કંઈ નવા જૂની કરી શકે છે...

આજકાલ ગુજરાતમાં અકસ્માતના અનેક ઘટનાઓ બને છે. ફરી એક વાર આણંદના વાસદમાં ઓવર સ્પીડિંગ કાર પરથી કાબૂ ગુમાવતાં ચાર યુવકોના કરૂણ મોત થયા હતા. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના બની ત્યારે યુવાન સોશિયલ મીડિયા પર લાઈવ કરી રહ્યો હતો અને દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જે વીડિયો સામે આવ્યો છે તે હચમચાવી દે તેવો છે..

મહીસાગરમાં એક અકસ્માત સર્જાયો છે જેમાં બે વ્યક્તિના મોત થઈ ગયા છે. ખાનપુરના પાંડરવાડા ગામની આ ઘટના છે જ્યાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે.. આ ઘટનામાં બાળકનો આબાદ બચાવ થયો છે. બાબલિયા ડિટવાસ હાઈવે પર આ અકસ્માત થયો છે.

અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા અનેક કેરીનો રસ બનાવતા એકમો પર દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે અને લેબોરેટરીમાં મોકલી દેવાયા છે તેવી માહિતી સામે આવી છે..