વિધાનસભા અધ્યક્ષ Shankar Chaudhary સામે કોંગ્રેસે કરી આચારસંહિતા ભંગની ફરિયાદ, જાણો શું છે સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2024-04-12 17:32:39

લોકસભા ચૂંટણીનો જંગ ગુજરાતમાં ધીરે ધીરે શરૂ થઈ જશે.. રાજકીય પાર્ટી દ્વારા પ્રચારનો ધમધમાટ પણ શરૂ કરવામાં આવી ગયો છે. અનેક ઉમેદવારો પ્રચાર કરતા હોય તેવા દ્રશ્યો આપણી સામે આવ્યા છે. ભાજપના અનેક નેતાઓ ચૂંટણી પ્રચારમાં દેખાય છે. સી.આર.પાટીલ અલગ અલગ બેઠકો પર જઈ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. આ બધા વચ્ચે કોંગ્રેસે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી વિરૂદ્ ફરિયાદ કરી છે. આદર્શ આચારસંહિતાના ભંગ બદલ શંકર ચૌધરી વિરૂદ્ધ પગલા લેવામાં આવે તેવી માગ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી દ્વારા કરવામાં આવી છે.. 



વિધાનસભા અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીની કરાઈ પસંદગી  

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 156 બેઠકો સાથે મોટી જીત હાંસલ થઈ હતી.... એ વખતે એક ભાષણમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, તમે શંકર ચૌધરીને ભારે મતોથી જિતાડો હું તેમને મોટું પદ અપાવડાવીશ.. ચર્ચા એવી હતી કે સરકારમાં મોટુ પદ મળી શકે... પણ મંત્રીમંડળે શપથ લીધા ત્યારે શંકર ચૌધરીનું નામ ન આવ્યું.....અને બાદમાં સહકારી ક્ષેત્ર અને ઓબીસી સમાજના મોટા નેતા તરીકેની છબિ ધરાવતા શંકર ચૌધરીને વિધાનસભાના નવા અધ્યક્ષ તરીકે પસંદ કરાયા હતા... બંધારણીય પદે નિયુક્ત થયા પછી એ જ દિવસથી તેઓ કોઈ પક્ષના સભ્ય રહેતા નથી... આ બધી વાતો હું એટલે કહી રહી છું કે, તેમનો એક વીડિયો સામે આવ્યો જેના કારણે તેઓ વિવાદમાં આવ્યા છે...


આચારસંહિતા ભંગ બદલ કરવામાં આવી શંકર ચૌધરી વિરૂદ્ધ ફરિયાદ 

ગુજરાતમાં અત્યારે ભાજપ પક્ષ સત્તામાં છે, અને સત્તામાં લાવવા માટે કેટલાય નેતાઓએ અથાક અને સખત પરિક્ષમ કર્યો છે. આમાં એક નામ ભાજપના દિગ્ગજ નેતા ગણાતા શંકર ચૌધરીનું પણ છે. શંકર ચૌધરી છેલ્લા કેટલાય વર્ષોથી ગુજરાતમાં ભારતીય જનતા પક્ષ માટે ખુબ જ મહેતન કરી રહ્યાં છે. શંકર ચૌધરી હાલમાં ગુજરાત વિધાનસભામાં સ્પીકર તરીકે કામગીરી સંભાળી રહ્યાં છે. અને આ પદ પર તેઓ અમુક કામગીરી ખાસ પક્ષ માટે નથી કરી શક્તા જેના કારણે તેમની સામે આચરસંહિતા ભંગની ફરિયાદ કરવામાં આવી છે.... કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનિષ દોશીએ શંકર ચૌધરી સામે ફરિયાદ કરી છે...વીડિયો પૂરાવા સાથે ચૂંટણી પંચને તેમણે પત્ર લખ્યો છે... 



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે