વિધાનસભા અધ્યક્ષ Shankar Chaudhary સામે કોંગ્રેસે કરી આચારસંહિતા ભંગની ફરિયાદ, જાણો શું છે સમગ્ર મામલો?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-12 17:32:39

લોકસભા ચૂંટણીનો જંગ ગુજરાતમાં ધીરે ધીરે શરૂ થઈ જશે.. રાજકીય પાર્ટી દ્વારા પ્રચારનો ધમધમાટ પણ શરૂ કરવામાં આવી ગયો છે. અનેક ઉમેદવારો પ્રચાર કરતા હોય તેવા દ્રશ્યો આપણી સામે આવ્યા છે. ભાજપના અનેક નેતાઓ ચૂંટણી પ્રચારમાં દેખાય છે. સી.આર.પાટીલ અલગ અલગ બેઠકો પર જઈ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. આ બધા વચ્ચે કોંગ્રેસે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી વિરૂદ્ ફરિયાદ કરી છે. આદર્શ આચારસંહિતાના ભંગ બદલ શંકર ચૌધરી વિરૂદ્ધ પગલા લેવામાં આવે તેવી માગ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી દ્વારા કરવામાં આવી છે.. 



વિધાનસભા અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીની કરાઈ પસંદગી  

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 156 બેઠકો સાથે મોટી જીત હાંસલ થઈ હતી.... એ વખતે એક ભાષણમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, તમે શંકર ચૌધરીને ભારે મતોથી જિતાડો હું તેમને મોટું પદ અપાવડાવીશ.. ચર્ચા એવી હતી કે સરકારમાં મોટુ પદ મળી શકે... પણ મંત્રીમંડળે શપથ લીધા ત્યારે શંકર ચૌધરીનું નામ ન આવ્યું.....અને બાદમાં સહકારી ક્ષેત્ર અને ઓબીસી સમાજના મોટા નેતા તરીકેની છબિ ધરાવતા શંકર ચૌધરીને વિધાનસભાના નવા અધ્યક્ષ તરીકે પસંદ કરાયા હતા... બંધારણીય પદે નિયુક્ત થયા પછી એ જ દિવસથી તેઓ કોઈ પક્ષના સભ્ય રહેતા નથી... આ બધી વાતો હું એટલે કહી રહી છું કે, તેમનો એક વીડિયો સામે આવ્યો જેના કારણે તેઓ વિવાદમાં આવ્યા છે...


આચારસંહિતા ભંગ બદલ કરવામાં આવી શંકર ચૌધરી વિરૂદ્ધ ફરિયાદ 

ગુજરાતમાં અત્યારે ભાજપ પક્ષ સત્તામાં છે, અને સત્તામાં લાવવા માટે કેટલાય નેતાઓએ અથાક અને સખત પરિક્ષમ કર્યો છે. આમાં એક નામ ભાજપના દિગ્ગજ નેતા ગણાતા શંકર ચૌધરીનું પણ છે. શંકર ચૌધરી છેલ્લા કેટલાય વર્ષોથી ગુજરાતમાં ભારતીય જનતા પક્ષ માટે ખુબ જ મહેતન કરી રહ્યાં છે. શંકર ચૌધરી હાલમાં ગુજરાત વિધાનસભામાં સ્પીકર તરીકે કામગીરી સંભાળી રહ્યાં છે. અને આ પદ પર તેઓ અમુક કામગીરી ખાસ પક્ષ માટે નથી કરી શક્તા જેના કારણે તેમની સામે આચરસંહિતા ભંગની ફરિયાદ કરવામાં આવી છે.... કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનિષ દોશીએ શંકર ચૌધરી સામે ફરિયાદ કરી છે...વીડિયો પૂરાવા સાથે ચૂંટણી પંચને તેમણે પત્ર લખ્યો છે... 



ગુજરાતમાં આજે લોકસભા બેઠક ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે.. સાથે સાથે પાંચ વિધાનસભા બેઠકો માટે પણ મતદાન યોજાઈ રહ્યું છે... ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું જેને કારણે પાંચ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે...

ત્રીજા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે.. મતદાનને માત્ર હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. એક વાગ્યા સુધી મતદાતાઓમાં નિરસતા દેખાઈ રહી હતી.. પરંતુ ધીરે ધીરે મતદાનનો આંકડો વધી રહ્યો છે. રાજ્યમાં સરેરાશ મતદાન 47.03 થયું છે.. સૌથી વધારે મતદાન બનાસકાંઠામાં થયું છે..

લોકશાહીના પર્વની ઉજવણી આપણે કરી રહ્યા છીએ.. ગુજરાતમાં મતદાનમાં નિરસતા દેખાઈ રહી છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મતદાનને સમર્પિત રચના..

ઈન્ડિયા ગઠબંધન અને ભાજપના ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળવાનો છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર પ્રહાર કર્યા છે.. શક્તિસિંહ ગોહિલે આરોપ લગાવ્યો છે કે ગાંધીનગરના વાસણ ગામમાં ભાજપના નેતા દ્વારા મતદાન બંધ કરાવામાં આવ્યું છે.