ચૂંટણી નજીક આવતા સક્રિય થઈ કોંગ્રેસ, ભાવનગર કોંગ્રેસે ઘડ્યો એક્શન પ્લાન


  • Published By :
  • Published Date : 2022-10-22 16:29:51

આમ આદમી પાર્ટી અને ભાજપ મોટા પાયે ગુજરાતમાં પ્રચાર કરી રહી છે. ત્યારે આ વખતે કોંગ્રેસે ડોર ટુ ડોર પ્રચારની શરૂઆત કરી છે. કોંગ્રેસ પાર્ટી થોડા સમયમાં પ્રચાર કરી ઘણા વોટ હાંસલ કરી લેતી હોય છે. ત્યારે રાષ્ટ્રીય સ્તરે રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે ત્યારે રાજ્ય સ્તરે ગુજરાત કોંગ્રેસ પદયાત્રા કરી મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. ચૂંટણી નજીક આવતા શક્તિસિંહ ગોહિલની આગેવાનીમાં ભાવનગર જિલ્લા કોંગ્રેસ ભાવનગર જસોદા ચોકથી ખોડિયાર મંદિર સુધી કોંગ્રેસે પદયાત્રાનું આયોજન કર્યું છે. આ પદયાત્રા 30 ઓક્ટોબરના રોજ નીકળવાની છે. 

Bharat Jodo Yatra: Congress supporters hopeful but it may not be the  solution | India News - Times of India

રાહુલ ગાંધીના પગ ચિન્હો પર ચાલતું ગુજરાત કોંગ્રેસ  

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી કન્યાકુમારીથી કાશ્મીર સુધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈ હમણાંથી સક્રિય થયા છે. કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવતી કામગીરીનો વિરોધ તેઓ કરી રહ્યા છે. વધતી મોંધવારી, વધતી બેરોજગારી જેવા અનેક મુદ્દાઓને લઈ તેઓ ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઈ ગુજરાત કોંગ્રેસ પણ તેમના પદચિહ્નો પર ચાલી રહી છે. રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે તો ભાવનગરમાં કોંગ્રેસે રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં આ યાત્રા નીકળવાની છે.

      

ગ્રાઉન્ડ લેવલે કોંગ્રેસ કરી રહી છે પ્રચાર

કોંગ્રેસ આ વખતની ચૂંટણીને લઈ હજી સુધી એકમ એક્ટિવ મોડમાં નથી જોવા મળી રહી. પરંતુ જેમ જેમ ચૂંટણી આવી રહી છે તેમ તેમ કોંગ્રેસ ધીરે ધીરે સક્રિય થઈ રહ્યું છે. મોટા મોટા આયોજન કરી કોંગ્રેસ પ્રચાર નથી કરી રહી  પરંતુ ગ્રાઉન્ડ પર જઈ તે પ્રચાર કરી રહી છે. કોંગ્રેસ જન જન સુધી પહોંચવા યાત્રાનો સહારો લઈ રહી છે.      



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.