ચૂંટણી નજીક આવતા સક્રિય થઈ કોંગ્રેસ, ભાવનગર કોંગ્રેસે ઘડ્યો એક્શન પ્લાન


  • Published By :
  • Published Date : 2022-10-22 16:29:51

આમ આદમી પાર્ટી અને ભાજપ મોટા પાયે ગુજરાતમાં પ્રચાર કરી રહી છે. ત્યારે આ વખતે કોંગ્રેસે ડોર ટુ ડોર પ્રચારની શરૂઆત કરી છે. કોંગ્રેસ પાર્ટી થોડા સમયમાં પ્રચાર કરી ઘણા વોટ હાંસલ કરી લેતી હોય છે. ત્યારે રાષ્ટ્રીય સ્તરે રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે ત્યારે રાજ્ય સ્તરે ગુજરાત કોંગ્રેસ પદયાત્રા કરી મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. ચૂંટણી નજીક આવતા શક્તિસિંહ ગોહિલની આગેવાનીમાં ભાવનગર જિલ્લા કોંગ્રેસ ભાવનગર જસોદા ચોકથી ખોડિયાર મંદિર સુધી કોંગ્રેસે પદયાત્રાનું આયોજન કર્યું છે. આ પદયાત્રા 30 ઓક્ટોબરના રોજ નીકળવાની છે. 

Bharat Jodo Yatra: Congress supporters hopeful but it may not be the  solution | India News - Times of India

રાહુલ ગાંધીના પગ ચિન્હો પર ચાલતું ગુજરાત કોંગ્રેસ  

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી કન્યાકુમારીથી કાશ્મીર સુધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈ હમણાંથી સક્રિય થયા છે. કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવતી કામગીરીનો વિરોધ તેઓ કરી રહ્યા છે. વધતી મોંધવારી, વધતી બેરોજગારી જેવા અનેક મુદ્દાઓને લઈ તેઓ ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઈ ગુજરાત કોંગ્રેસ પણ તેમના પદચિહ્નો પર ચાલી રહી છે. રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે તો ભાવનગરમાં કોંગ્રેસે રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં આ યાત્રા નીકળવાની છે.

      

ગ્રાઉન્ડ લેવલે કોંગ્રેસ કરી રહી છે પ્રચાર

કોંગ્રેસ આ વખતની ચૂંટણીને લઈ હજી સુધી એકમ એક્ટિવ મોડમાં નથી જોવા મળી રહી. પરંતુ જેમ જેમ ચૂંટણી આવી રહી છે તેમ તેમ કોંગ્રેસ ધીરે ધીરે સક્રિય થઈ રહ્યું છે. મોટા મોટા આયોજન કરી કોંગ્રેસ પ્રચાર નથી કરી રહી  પરંતુ ગ્રાઉન્ડ પર જઈ તે પ્રચાર કરી રહી છે. કોંગ્રેસ જન જન સુધી પહોંચવા યાત્રાનો સહારો લઈ રહી છે.      



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.