કોંગ્રેસને લાગ્યો વધુ એક ઝટકો, દિગ્ગજ નેતાએ આપ્યું કોંગ્રેસમાંથી રાજીનામું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-20 18:08:31

વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ચૂંટણી પ્રચારનો દોર વધી રહ્યો છે. ભાજપ અને આમ આદમી પાર્ટી જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ પૂરજોશમાં ચૂંટણી પ્રચાર માટે મેદાનમાં નથી દેખાતા. આ બધા વચ્ચે કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. અમદાવાદ કોંગ્રેસના આગેવાન નીતિન પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે.


કોંગ્રેસને નીતિન પટેલે કહ્યું અલવિદા  

કોંગ્રેસમાં એક બાદ એક નેતાઓ નારાજ થઈ રહ્યા છે. ચૂંટણી સમયે સંગઠિત થવાની જગ્યા કોંગ્રેસ માટે એક સાંધે અને તેર ટૂટે એવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. કોંગ્રેસે ચૂંટણીને લઈ ઉમેદવારોની યાદી જાહેર નથી કરી. ત્યારે ઉમેદવારોના નામ જાહેર થાય તે પહેલા કોંગ્રેસના આગેવાન નેતા ગણાતા નીતિન પટેલે જગદીશ ઠાકોરને રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસના ડેલીગેટ પ્રદેશના પૂર્વ મંત્રીએ રાજીનામું આપી દેતા ખળભળાટ મચી ગયો હતો. 





ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.