કોંગ્રેસને લાગ્યો વધુ એક ઝટકો, દિગ્ગજ નેતાએ આપ્યું કોંગ્રેસમાંથી રાજીનામું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-20 18:08:31

વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ચૂંટણી પ્રચારનો દોર વધી રહ્યો છે. ભાજપ અને આમ આદમી પાર્ટી જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ પૂરજોશમાં ચૂંટણી પ્રચાર માટે મેદાનમાં નથી દેખાતા. આ બધા વચ્ચે કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. અમદાવાદ કોંગ્રેસના આગેવાન નીતિન પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે.


કોંગ્રેસને નીતિન પટેલે કહ્યું અલવિદા  

કોંગ્રેસમાં એક બાદ એક નેતાઓ નારાજ થઈ રહ્યા છે. ચૂંટણી સમયે સંગઠિત થવાની જગ્યા કોંગ્રેસ માટે એક સાંધે અને તેર ટૂટે એવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. કોંગ્રેસે ચૂંટણીને લઈ ઉમેદવારોની યાદી જાહેર નથી કરી. ત્યારે ઉમેદવારોના નામ જાહેર થાય તે પહેલા કોંગ્રેસના આગેવાન નેતા ગણાતા નીતિન પટેલે જગદીશ ઠાકોરને રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસના ડેલીગેટ પ્રદેશના પૂર્વ મંત્રીએ રાજીનામું આપી દેતા ખળભળાટ મચી ગયો હતો. 





ચૂંટણી પ્રચાર માટે કચ્છ લોકસભાના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા અને ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા પહોંચ્યા હતા મોરબીમાં ચાલતા શક્તિધામ મંદિરમાં... સ્ટેજ પર પહોંચીને ભાજપના કાર્યકર્તાઓએ નેતાઓને ભાજપના બંને નેતાઓને જાહેરમંચ પરથી ખખડાવી નાંખ્યા...!

રાજકોટમાં રાજવી પરિવાર દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી જેમાં અનેક રાજવી પરિવારના સદસ્યો હાજર હતા. ગુજરાત 45 રાજવીઓએ પીએમ મોદીને સમર્થન આપ્યું છે.

લોકસભા બેઠકના ઉમેદવારોને જમાવટની ટીમ દ્વારા ફોન કરવામાં આવી રહ્યા છે. તેમના વિઝનને જાણવાની કોશિશ કરી રહ્યા છીએ. ત્યારે મહેસાણાના ઉમેદવારોને ફોન કર્યો હતો.

મતદાતાઓને મિજાજ જાણવા જમાવટની ટીમ ઈલેક્શન યાત્રા કરી રહી છે.. અલગ અલગ લોકસભા બેઠકોના મતદાતાઓ શું વિચારે છે તે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ત્યારે જમાવટ પહોંચ્યું સુરેન્દ્રનગર જ્યાં આજે પીએમ મોદીની સભા છે..