કોંગ્રેસને લાગ્યો વધુ એક ઝટકો, દિગ્ગજ નેતાએ આપ્યું કોંગ્રેસમાંથી રાજીનામું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-20 18:08:31

વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ચૂંટણી પ્રચારનો દોર વધી રહ્યો છે. ભાજપ અને આમ આદમી પાર્ટી જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ પૂરજોશમાં ચૂંટણી પ્રચાર માટે મેદાનમાં નથી દેખાતા. આ બધા વચ્ચે કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. અમદાવાદ કોંગ્રેસના આગેવાન નીતિન પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે.


કોંગ્રેસને નીતિન પટેલે કહ્યું અલવિદા  

કોંગ્રેસમાં એક બાદ એક નેતાઓ નારાજ થઈ રહ્યા છે. ચૂંટણી સમયે સંગઠિત થવાની જગ્યા કોંગ્રેસ માટે એક સાંધે અને તેર ટૂટે એવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. કોંગ્રેસે ચૂંટણીને લઈ ઉમેદવારોની યાદી જાહેર નથી કરી. ત્યારે ઉમેદવારોના નામ જાહેર થાય તે પહેલા કોંગ્રેસના આગેવાન નેતા ગણાતા નીતિન પટેલે જગદીશ ઠાકોરને રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસના ડેલીગેટ પ્રદેશના પૂર્વ મંત્રીએ રાજીનામું આપી દેતા ખળભળાટ મચી ગયો હતો. 





પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.