કોંગ્રેસે જમ્મુકશ્મીર વિધાનસભાની ચૂંટણીમાં Geniben Thakor અને Jignesh Mevaniને સોંપી મોટી જવાબદારી!


  • Published By :
  • Published Date : 2024-09-14 11:59:27

જમ્મુ કાશ્મીરમાં 10 વર્ષ પછી વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.. આર્ટિકલ 370 હટ્યા બાદ જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી થવાની છે જેને લઈ રાજકીય પાર્ટીઓએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે.. હરિયાણામાં પણ આ વખતે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ઉમેદવારોની સાથે સાથે રાજકીય પાર્ટી દ્વારા સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવતી હોય છે. ત્યારે જમ્મુ કાશ્મીરને લઈ કોંગ્રેસ પાર્ટીએ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે જેમાં ગુજરાતના બે નેતાના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે.. એક છે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અને બીજા છે જિગ્નેશ મેવાણી.. ગુજરાતના આ બંને નેતાઓને મોટી જવાબદારી સોંપવામાં આવી છે.

કોંગ્રેસે ગેનીબેન ઠાકોર અને જિગ્નેશ મેવાણીને સોંપી મોટી જવાબદારી 

આ વખતની લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને 26માંથી 25 બેઠકો મળી.. એક બેઠક જે ભાજપના હાથમાંથી ગઈ તે બેઠક છે બનાસકાંઠાની.. આ બેઠક પર બંને રાજકીય પાર્ટીએ મહિલા ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા હતા. કોંગ્રેસે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને ટિકીટ આપી હતી જ્યારે ભાજપે રેખાબેન ચૌધરીને ઉમેદવાર બનાવ્યા હતા. આ બેઠક પરથી ગેનીબેન ઠાકોર ચૂંટણી જીતી ગયા અને દિલ્હીના દરબારમાં એટલે કે લોકસભા પહોંચી ગયા.



દિગ્ગજ નેતાઓને બનાવ્યા છે સ્ટાર પ્રચારક 

ગેનીબેન ઠાકોર પોતાના નિવેદનોને કારણે ખૂબ ચર્ચામાં રહેતા હોય છે. ગેનીબેન ઠાકોરમાં કોંગ્રેસને પણ આશા દેખાતી હોય તેવું લાગે છે.. ગેનીબેન ઠાકોરને તેમજ જિગ્નેશ મેવાણીને કોંગ્રેસે મોટી જવાબદારી સોંપી છે. જમ્મુ કાશ્મીર માટે તેમને સ્ટાર પ્રચારક બનાવ્યા છે. આ યાદીમાં 40 નામોનો સમાવેશ થાય છે. જેમાં મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતના દિગ્ગજ નેતાઓનો સમાવેશ થાય છે. ત્ંયારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો...     



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.