કોંગ્રેસે જમ્મુકશ્મીર વિધાનસભાની ચૂંટણીમાં Geniben Thakor અને Jignesh Mevaniને સોંપી મોટી જવાબદારી!


  • Published By :
  • Published Date : 2024-09-14 11:59:27

જમ્મુ કાશ્મીરમાં 10 વર્ષ પછી વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.. આર્ટિકલ 370 હટ્યા બાદ જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી થવાની છે જેને લઈ રાજકીય પાર્ટીઓએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે.. હરિયાણામાં પણ આ વખતે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ઉમેદવારોની સાથે સાથે રાજકીય પાર્ટી દ્વારા સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવતી હોય છે. ત્યારે જમ્મુ કાશ્મીરને લઈ કોંગ્રેસ પાર્ટીએ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે જેમાં ગુજરાતના બે નેતાના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે.. એક છે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અને બીજા છે જિગ્નેશ મેવાણી.. ગુજરાતના આ બંને નેતાઓને મોટી જવાબદારી સોંપવામાં આવી છે.

કોંગ્રેસે ગેનીબેન ઠાકોર અને જિગ્નેશ મેવાણીને સોંપી મોટી જવાબદારી 

આ વખતની લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને 26માંથી 25 બેઠકો મળી.. એક બેઠક જે ભાજપના હાથમાંથી ગઈ તે બેઠક છે બનાસકાંઠાની.. આ બેઠક પર બંને રાજકીય પાર્ટીએ મહિલા ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા હતા. કોંગ્રેસે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને ટિકીટ આપી હતી જ્યારે ભાજપે રેખાબેન ચૌધરીને ઉમેદવાર બનાવ્યા હતા. આ બેઠક પરથી ગેનીબેન ઠાકોર ચૂંટણી જીતી ગયા અને દિલ્હીના દરબારમાં એટલે કે લોકસભા પહોંચી ગયા.



દિગ્ગજ નેતાઓને બનાવ્યા છે સ્ટાર પ્રચારક 

ગેનીબેન ઠાકોર પોતાના નિવેદનોને કારણે ખૂબ ચર્ચામાં રહેતા હોય છે. ગેનીબેન ઠાકોરમાં કોંગ્રેસને પણ આશા દેખાતી હોય તેવું લાગે છે.. ગેનીબેન ઠાકોરને તેમજ જિગ્નેશ મેવાણીને કોંગ્રેસે મોટી જવાબદારી સોંપી છે. જમ્મુ કાશ્મીર માટે તેમને સ્ટાર પ્રચારક બનાવ્યા છે. આ યાદીમાં 40 નામોનો સમાવેશ થાય છે. જેમાં મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતના દિગ્ગજ નેતાઓનો સમાવેશ થાય છે. ત્ંયારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો...     



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.