Jamnagar Loksabha Seat માટે Congressએ ઉમેદવાર ફાઈનલ કરી દીધા! Poonam maadam સામે જે.પી.મારવિયા લડશે ચૂંટણી?


  • Published By :
  • Published Date : 2024-03-21 14:00:28

લોકસભાની ચુંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે કોંગ્રેસ એક બાદ એક યાદી જાહેર કરી રહી છે. ત્રીજી યાદી આજે જાહેર થાય તેવી સાંભવનાઓ છે પણ એ પહેલા જ કોંગ્રેસ હાઈકમાન્ડે ઉમેદવારોને ફોન કરી અને તૈયારીઓ કરવા કહી દીધું છે. અને એમાંથી એક નામ છે  જે.પી.મારવિયા જેમને પૂનમ માડમ સામે મેદાને ઉતારવામાં આવશે તેવી વાતો થઈ રહી છે.  


જામનગર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર હશે જે.પી.મારવિયા! 

ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટી દ્વારા 22 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી ગઈ છે. ત્યારે જામનગર બેઠક માટે ભાજપે વર્તમાન સાંસદ એટલે પૂનમબેન માડમને રિપીટ કર્યા છે. તો આ બેઠક પર કોંગ્રેસે પણ પોતાના ઉમેદવારની પસંદગી કરી નાખી છે તેવી વાત સામે આવી છે. એવી સંભાવનાઓ છે કે અહીંથી કોંગ્રેસ જે.પી.મારવિયાને મેદાનમાં ઉતારશે, મહત્વનું છે કે હજી સુધી સત્તાવાર જાહેરાત નથી થઈ પણ જામનગરના કાર્યકર્તોમાં અત્યારથી આને લઈ ઉત્સાહ દેખાઈ ગયો છે. ઉત્સાહમાં કાર્યકર્તાઓ આવી ગયા છે.


હાઈકમાન્ડ દ્વારા ફોન કરવામાં આવ્યો હોવાની વાત

મળતી માહિતી અનુસાર, કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા જે.પી.મારવિયાને ફોન કરી દેવામાં આવ્યો છે અને જામનગર બેઠક પરથી લોકસભા ચૂંટણી લડવાનો આદેશ આપ્યો છે. મારવિયાને ચૂંટણીની તૈયારીઓમાં લાગી જવાની પણ સૂચના આપી છે. ભાજપે જામનગર બેઠક પરથી સાંસદ પૂનમ માડમને રિપીટ કર્યા છે. ત્યારે આ બેઠક પર આહિર અને પાટીદાર નેતા વચ્ચે જંગ જામશે તેવું લાગી રહ્યું છે. જો જે.પી. મારવિયાની વાત કરીએ તો તે કાલાવડ તાલુકાના નીકાવા ગામના વતની છે. મારવિયા હાલ જિલ્લા પંચાયતનાં વિપક્ષના નેતા છે અને તેઓ કાલાવડ બેઠક પરથી જિલ્લા પંચાયતના સભ્ય પણ છે. આ સાથે તેઓ કાલાવાડ માર્કેટીંગ યાર્ડના ડાયરેક્ટર પણ છે. 



શું છે જામનગર બેઠકનો ઈતિહાસ? 

હવે જામનગર લોકસભા બેઠકની વાત કરી તો જામનગર જિલ્લાની લોકસભા બેઠકનો ઈતિહાસ ઘણો રોમાંચથી ભરેલો છે. આ બેઠક પર વર્ષ 1962થી 2014 સુધીમાં કોંગ્રેસે આઠ વખત, ભાજપે છ વખત અને અન્ય પક્ષોને બે વાર જીત મેળવી છે. આ બેઠક પર આહીર સમાજનું  પ્રભુત્વ વધારે છે છેલ્લા કેટલાક દાયકાઓથી આ લોકસભા બેઠક પર માડમ પરિવારનો દબદબો રહ્યો છે. ત્યારે આહિર સમાજ સામે કોંગ્રેસે પાટીદાર ચહેરાની પસંદગી કરી છેતે કંઈક નવું છે. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર પૂનમ માડમે કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઈ કંડોરિયાને હરાવ્યા હતા.જોકે થોડા સમય પહેલાજ એજ મુળુ કંડોરિયા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે. એટલે કોંગ્રેસ પાસે હાલ નવો દાવ રમવા સિવાય ઓપ્શન નથી.


જાતિગત સમીકરણોની વાત કરીએ તો... 

આ બેઠકના જાતિગત સમીકરણો સમજીએ તો જામનગર બેઠક પર આહીર, મુસ્લિમ, પાટીદાર સાથે SC અને ST મતદારો, બ્રાહ્મણ  મતદારોનું પ્રભુત્વ પણ જોવા મળે છે. મુસ્લિમ મતદારોની 13.86 ટકા,આહિર સમાજની 5.69 ટકા, SC અને ST મતદારોની 14.92 ટકા સંખ્યા છે. ત્યારે કોંગ્રેસનો આ નવો દાવ કેટલો કામ લાગે છે? જામનગરની જનતા કોને પસંદ કરે છે અને અંતે કોંગ્રેસ કયા નામની જાહેરાત કરે છે તે જોવું રહ્યું. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.