કોંગ્રેસે સૌરાષ્ટ્રમાં નવા જાતિગત સમીકરણો બનાવવાની કરી પહેલ!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-10-05 18:20:03

સૌરાષ્ટ્રમાં મંત્રીમંડળના વિસ્તરણ પહેલા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા નવા જાતિગત સમીકરણોનું નિર્માણ થવાની સંભાવના દેખાઈ રહી છે.આજે રાજકોટમાં ચુંવાળિયા કોળી સમાજનું શક્તિપ્રદર્શન યોજાયું છે.  આ સમીકરણો બનાવવા માટે કોંગ્રેસ ફરીથી સક્રિય થઇ છે. કોંગ્રેસ નેતા ભરત સિંહ સોલંકીએ થોડાક સમય અગાઉ D P મકવાણા જોડે બેઠક યોજી હતી. હવે આજે રાજકોટના મોરબી રોડ પર વેલનાથ બરામાં ચુંવાળિયા કોળી સમાજની બેઠક મળવા જઈ રહી છે. 

આવનારા સમયમાં મંત્રીમંડળના વિસ્તરણ પહેલા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા સૌરાષ્ટ્રમાં ચુંવાળિયા કોળી સમાજ શક્તિ પ્રદર્શનમાં મૂડમાં આવી ગયો છે. આજે રાજકોટના મોરબી રોડ પર વેલનાથ બરામાં ચુંવાળિયા કોળી સમાજની એક બંધ બારણે બેઠક યોજવા જઈ રહી છે. આ તમામ ગતિવિધિઓ પાછળ કોંગ્રેસનો દોરીસંચાર લાગી રહ્યો છે. કેમ કે, કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ એક બેઠક યોજી હતી. જેમાં ચુંવાળિયા કોળી સમાજના આગેવાનો પહોંચ્યા હતા. જેમાં ભવિષ્યમાં કોંગ્રેસ અને ભાજપ પાસેથી કેવું નેતૃત્વ મળી શકે તે માટે ચર્ચાઓ થઇ હતી. હવે આજે રાજકોટના મોરબી રોડ પર આવેલા વેલનાથ બરામાં ચુંવાળિયા કોળી સમાજની બેઠક બંધબારણે મળવાની છે. જેમાં ચુંવાળિયા કોળી સમાજના અલગ અલગ જિલ્લાના આગેવાનો હાજર રહેવાના છે. જેમાં કોંગ્રેસ અને ભાજપના આગેવાનો પણ  હાજર રહેવાના છે. આવનારા સમયમાં ગુજરાતમાં મંત્રીમંડળનું વિસ્તરણ છે ત્યારે , ચુંવાળિયા કોળી તેમાં પ્રતિનિધિત્વ મેળવવા માટે પ્રયાસ કરી રહ્યું છે. ચુંવાળિયા કોળી સમાજ હાલમાં ગુજરાત સરકારના મંત્રી કુંવરજી બાવળીયાથી નારાજ ચાલી રહ્યો છે. જેનો ફાયદો હવે કોંગ્રેસ ઉઠાવી શકે તે માટે ભરતસિંહ સોલંકી સક્રિય થઇ ગયા છે. 

ચુંવાળિયા કોળી સમાજનો એક બીજો પ્રયાસ એ પણ છે કે , આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં તેમને વધારે પ્રતિનિધિત્વ મળે. વાત કોળી સમાજની તો આ સમાજ , ગુજરાત વિધાનસભાની કુલ ૧૮૨ બેઠકોમાંથી , ૨૬ બેઠકો પર નિર્ણાયક બને છે . કોળી સમાજમાં તળપદા , ચુંવાળિયા કોળી તેની પેટાજ્ઞાતિઓ છે. લોકસભા ૨૦૨૪ની ચૂંટણીઓ વચ્ચે , તળપદા કોળી અને ચુંવાળિયા કોળી સામસામે આવી ગયા હતા.




એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.