કોંગ્રેસે સૌરાષ્ટ્રમાં નવા જાતિગત સમીકરણો બનાવવાની કરી પહેલ!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-10-05 18:20:03

સૌરાષ્ટ્રમાં મંત્રીમંડળના વિસ્તરણ પહેલા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા નવા જાતિગત સમીકરણોનું નિર્માણ થવાની સંભાવના દેખાઈ રહી છે.આજે રાજકોટમાં ચુંવાળિયા કોળી સમાજનું શક્તિપ્રદર્શન યોજાયું છે.  આ સમીકરણો બનાવવા માટે કોંગ્રેસ ફરીથી સક્રિય થઇ છે. કોંગ્રેસ નેતા ભરત સિંહ સોલંકીએ થોડાક સમય અગાઉ D P મકવાણા જોડે બેઠક યોજી હતી. હવે આજે રાજકોટના મોરબી રોડ પર વેલનાથ બરામાં ચુંવાળિયા કોળી સમાજની બેઠક મળવા જઈ રહી છે. 

આવનારા સમયમાં મંત્રીમંડળના વિસ્તરણ પહેલા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા સૌરાષ્ટ્રમાં ચુંવાળિયા કોળી સમાજ શક્તિ પ્રદર્શનમાં મૂડમાં આવી ગયો છે. આજે રાજકોટના મોરબી રોડ પર વેલનાથ બરામાં ચુંવાળિયા કોળી સમાજની એક બંધ બારણે બેઠક યોજવા જઈ રહી છે. આ તમામ ગતિવિધિઓ પાછળ કોંગ્રેસનો દોરીસંચાર લાગી રહ્યો છે. કેમ કે, કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ એક બેઠક યોજી હતી. જેમાં ચુંવાળિયા કોળી સમાજના આગેવાનો પહોંચ્યા હતા. જેમાં ભવિષ્યમાં કોંગ્રેસ અને ભાજપ પાસેથી કેવું નેતૃત્વ મળી શકે તે માટે ચર્ચાઓ થઇ હતી. હવે આજે રાજકોટના મોરબી રોડ પર આવેલા વેલનાથ બરામાં ચુંવાળિયા કોળી સમાજની બેઠક બંધબારણે મળવાની છે. જેમાં ચુંવાળિયા કોળી સમાજના અલગ અલગ જિલ્લાના આગેવાનો હાજર રહેવાના છે. જેમાં કોંગ્રેસ અને ભાજપના આગેવાનો પણ  હાજર રહેવાના છે. આવનારા સમયમાં ગુજરાતમાં મંત્રીમંડળનું વિસ્તરણ છે ત્યારે , ચુંવાળિયા કોળી તેમાં પ્રતિનિધિત્વ મેળવવા માટે પ્રયાસ કરી રહ્યું છે. ચુંવાળિયા કોળી સમાજ હાલમાં ગુજરાત સરકારના મંત્રી કુંવરજી બાવળીયાથી નારાજ ચાલી રહ્યો છે. જેનો ફાયદો હવે કોંગ્રેસ ઉઠાવી શકે તે માટે ભરતસિંહ સોલંકી સક્રિય થઇ ગયા છે. 

ચુંવાળિયા કોળી સમાજનો એક બીજો પ્રયાસ એ પણ છે કે , આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં તેમને વધારે પ્રતિનિધિત્વ મળે. વાત કોળી સમાજની તો આ સમાજ , ગુજરાત વિધાનસભાની કુલ ૧૮૨ બેઠકોમાંથી , ૨૬ બેઠકો પર નિર્ણાયક બને છે . કોળી સમાજમાં તળપદા , ચુંવાળિયા કોળી તેની પેટાજ્ઞાતિઓ છે. લોકસભા ૨૦૨૪ની ચૂંટણીઓ વચ્ચે , તળપદા કોળી અને ચુંવાળિયા કોળી સામસામે આવી ગયા હતા.




બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"

સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબો હડતાલ પર ઉતરી ગયા છે. તબીબોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો કેમ કે , ન્યુરો વિભાગના તબીબ પર જે હુમલો થયો તે હજુ પકડાયો નથી. તો હવે જુનિયર તબીબો ચાર મુખ્ય માંગણીઓ સાથે હડતાલ પર ઉતરી ચુક્યા છે. જેના કારણે , રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઇમર્જન્સી સિવાય તમામ સેવાઓ ઠપ થઇ ગઈ છે. આમ , ફરી એકવાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓ પર સંકટના વાદળો છવાયા છે.

સુપ્રીમ કોર્ટમાં આજે અરવલ્લી પર્વતમાળાને લઇને સુનાવણી હાથ ધરાઈ છે . જેમાં , સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળાની પરિભાષાને લઇને આજે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આજે સુપ્રીમ કોર્ટની વેકેશન બેન્ચ જેમાં , CJI સૂર્યકાન્ત , જસ્ટિસ જે કે મહેશ્વરી અને જસ્ટિસ એજી મસીહ છે તેમના દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે , સુઓમોટો સંજ્ઞાન લીધું હતું.

લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે સમાધાન થઇ ગયું છે. બંનેએ એકબીજાને મીઠાઈ ખવડાવી વિવાદનો અંત લાવવામાં આવ્યો છે. ધ્રુવરાજસિંહ ચૌહાણ પર ૧૨મી ઓગસ્ટના રોજ હુમલો થયો હતો. ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર ન રહેતા બંને વચ્ચે તકરાર થઈ હતી. હવે સોશ્યિલ મીડિયા પર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણની આ તસ્વીર ખુબ જ વાઇરલ થઇ રહી છે.