કોંગ્રેસે સૌરાષ્ટ્રમાં નવા જાતિગત સમીકરણો બનાવવાની કરી પહેલ!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-10-05 18:20:03

સૌરાષ્ટ્રમાં મંત્રીમંડળના વિસ્તરણ પહેલા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા નવા જાતિગત સમીકરણોનું નિર્માણ થવાની સંભાવના દેખાઈ રહી છે.આજે રાજકોટમાં ચુંવાળિયા કોળી સમાજનું શક્તિપ્રદર્શન યોજાયું છે.  આ સમીકરણો બનાવવા માટે કોંગ્રેસ ફરીથી સક્રિય થઇ છે. કોંગ્રેસ નેતા ભરત સિંહ સોલંકીએ થોડાક સમય અગાઉ D P મકવાણા જોડે બેઠક યોજી હતી. હવે આજે રાજકોટના મોરબી રોડ પર વેલનાથ બરામાં ચુંવાળિયા કોળી સમાજની બેઠક મળવા જઈ રહી છે. 

આવનારા સમયમાં મંત્રીમંડળના વિસ્તરણ પહેલા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા સૌરાષ્ટ્રમાં ચુંવાળિયા કોળી સમાજ શક્તિ પ્રદર્શનમાં મૂડમાં આવી ગયો છે. આજે રાજકોટના મોરબી રોડ પર વેલનાથ બરામાં ચુંવાળિયા કોળી સમાજની એક બંધ બારણે બેઠક યોજવા જઈ રહી છે. આ તમામ ગતિવિધિઓ પાછળ કોંગ્રેસનો દોરીસંચાર લાગી રહ્યો છે. કેમ કે, કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ એક બેઠક યોજી હતી. જેમાં ચુંવાળિયા કોળી સમાજના આગેવાનો પહોંચ્યા હતા. જેમાં ભવિષ્યમાં કોંગ્રેસ અને ભાજપ પાસેથી કેવું નેતૃત્વ મળી શકે તે માટે ચર્ચાઓ થઇ હતી. હવે આજે રાજકોટના મોરબી રોડ પર આવેલા વેલનાથ બરામાં ચુંવાળિયા કોળી સમાજની બેઠક બંધબારણે મળવાની છે. જેમાં ચુંવાળિયા કોળી સમાજના અલગ અલગ જિલ્લાના આગેવાનો હાજર રહેવાના છે. જેમાં કોંગ્રેસ અને ભાજપના આગેવાનો પણ  હાજર રહેવાના છે. આવનારા સમયમાં ગુજરાતમાં મંત્રીમંડળનું વિસ્તરણ છે ત્યારે , ચુંવાળિયા કોળી તેમાં પ્રતિનિધિત્વ મેળવવા માટે પ્રયાસ કરી રહ્યું છે. ચુંવાળિયા કોળી સમાજ હાલમાં ગુજરાત સરકારના મંત્રી કુંવરજી બાવળીયાથી નારાજ ચાલી રહ્યો છે. જેનો ફાયદો હવે કોંગ્રેસ ઉઠાવી શકે તે માટે ભરતસિંહ સોલંકી સક્રિય થઇ ગયા છે. 

ચુંવાળિયા કોળી સમાજનો એક બીજો પ્રયાસ એ પણ છે કે , આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં તેમને વધારે પ્રતિનિધિત્વ મળે. વાત કોળી સમાજની તો આ સમાજ , ગુજરાત વિધાનસભાની કુલ ૧૮૨ બેઠકોમાંથી , ૨૬ બેઠકો પર નિર્ણાયક બને છે . કોળી સમાજમાં તળપદા , ચુંવાળિયા કોળી તેની પેટાજ્ઞાતિઓ છે. લોકસભા ૨૦૨૪ની ચૂંટણીઓ વચ્ચે , તળપદા કોળી અને ચુંવાળિયા કોળી સામસામે આવી ગયા હતા.




મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.