કોંગ્રેસે સૌરાષ્ટ્રમાં નવા જાતિગત સમીકરણો બનાવવાની કરી પહેલ!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-10-05 18:20:03

સૌરાષ્ટ્રમાં મંત્રીમંડળના વિસ્તરણ પહેલા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા નવા જાતિગત સમીકરણોનું નિર્માણ થવાની સંભાવના દેખાઈ રહી છે.આજે રાજકોટમાં ચુંવાળિયા કોળી સમાજનું શક્તિપ્રદર્શન યોજાયું છે.  આ સમીકરણો બનાવવા માટે કોંગ્રેસ ફરીથી સક્રિય થઇ છે. કોંગ્રેસ નેતા ભરત સિંહ સોલંકીએ થોડાક સમય અગાઉ D P મકવાણા જોડે બેઠક યોજી હતી. હવે આજે રાજકોટના મોરબી રોડ પર વેલનાથ બરામાં ચુંવાળિયા કોળી સમાજની બેઠક મળવા જઈ રહી છે. 

આવનારા સમયમાં મંત્રીમંડળના વિસ્તરણ પહેલા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા સૌરાષ્ટ્રમાં ચુંવાળિયા કોળી સમાજ શક્તિ પ્રદર્શનમાં મૂડમાં આવી ગયો છે. આજે રાજકોટના મોરબી રોડ પર વેલનાથ બરામાં ચુંવાળિયા કોળી સમાજની એક બંધ બારણે બેઠક યોજવા જઈ રહી છે. આ તમામ ગતિવિધિઓ પાછળ કોંગ્રેસનો દોરીસંચાર લાગી રહ્યો છે. કેમ કે, કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ એક બેઠક યોજી હતી. જેમાં ચુંવાળિયા કોળી સમાજના આગેવાનો પહોંચ્યા હતા. જેમાં ભવિષ્યમાં કોંગ્રેસ અને ભાજપ પાસેથી કેવું નેતૃત્વ મળી શકે તે માટે ચર્ચાઓ થઇ હતી. હવે આજે રાજકોટના મોરબી રોડ પર આવેલા વેલનાથ બરામાં ચુંવાળિયા કોળી સમાજની બેઠક બંધબારણે મળવાની છે. જેમાં ચુંવાળિયા કોળી સમાજના અલગ અલગ જિલ્લાના આગેવાનો હાજર રહેવાના છે. જેમાં કોંગ્રેસ અને ભાજપના આગેવાનો પણ  હાજર રહેવાના છે. આવનારા સમયમાં ગુજરાતમાં મંત્રીમંડળનું વિસ્તરણ છે ત્યારે , ચુંવાળિયા કોળી તેમાં પ્રતિનિધિત્વ મેળવવા માટે પ્રયાસ કરી રહ્યું છે. ચુંવાળિયા કોળી સમાજ હાલમાં ગુજરાત સરકારના મંત્રી કુંવરજી બાવળીયાથી નારાજ ચાલી રહ્યો છે. જેનો ફાયદો હવે કોંગ્રેસ ઉઠાવી શકે તે માટે ભરતસિંહ સોલંકી સક્રિય થઇ ગયા છે. 

ચુંવાળિયા કોળી સમાજનો એક બીજો પ્રયાસ એ પણ છે કે , આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં તેમને વધારે પ્રતિનિધિત્વ મળે. વાત કોળી સમાજની તો આ સમાજ , ગુજરાત વિધાનસભાની કુલ ૧૮૨ બેઠકોમાંથી , ૨૬ બેઠકો પર નિર્ણાયક બને છે . કોળી સમાજમાં તળપદા , ચુંવાળિયા કોળી તેની પેટાજ્ઞાતિઓ છે. લોકસભા ૨૦૨૪ની ચૂંટણીઓ વચ્ચે , તળપદા કોળી અને ચુંવાળિયા કોળી સામસામે આવી ગયા હતા.




ગુજરાતમાં BJPમાં આતુરતાનો અંત આવ્યો છે. BJPએ નિકોલના MLA અને ગુજરાત સરકારમાં મંત્રી એવા જગદીશ પંચાલને પ્રદેશપ્રમુખના પદે બેસાડ્યા છે. પૂર્વ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને ભાજપમાં પ્રદેશપ્રમુખના પદે પાંચ વર્ષ કરતા વધારેનો સમય થઇ ગયો હતો. આપણે નજર કરીએ જગદીશ પંચાલની રાજકીય કારકિર્દી પર.

ગુજરાત ભાજપ માટે ખુબ મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત ભાજપને ત્રણ દિવસમાં નવા પ્રમુખ મળી શકે છે. આજે અથવા આવતીકાલે પ્રમુખપદની ચૂંટણીઓ માટે નોટિફિકેશન જાહેર થઇ શકે છે. પરમ દિવસથી એટલેકે , એક દિવસની અંદર પ્રમુખ પદ માટે ઉમેદવારી કરી શકાશે. આ ચૂંટણી પ્રક્રિયાની ઔપચારિકતા બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ માટે નામ જાહેર થઇ શકે છે. ગુજરાતમાં ભાજપના નવા પ્રદેશપ્રમુખ OBC હશે તે નિશ્ચિત થઇ ચૂક્યું છે .

પેસિફિક સમુદ્રમાં આવેલા દેશ ફિલિપાઇન્સમાં ભૂકંપે તબાહી મચાવી છે. ફિલિપાઇન્સના મધ્ય ભાગમાં, સીબુ પ્રાંતમાં 30 સપ્ટેમ્બર 2025ની રાત્રે 6.9 મેગ્નિટ્યુડનો મજબૂત ભૂકંપ આવ્યો હતો, જેના કારણે ઓછામાં ઓછા 69 લોકોના મોત થયા અને 150થી વધુ ઘાયલ થયા. આ ભૂકંપ બોગો શહેરની નજીક સમુદ્રમાં આવ્યો હતો, જેની ઊંડાઈ આશરે 10 કિલોમીટર હતી, અને તેના કારણે ઘણી ઇમારતો, જેમાં 100 વર્ષ જૂના એક ચર્ચનો પણ સમાવેશ થાય છે. વીજળી કટોકટી, પાણીની અછત અને આફ્ટરશોક્સના કારણે રેસ્ક્યુ કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે.

ઉત્તરપ્રદેશના રાજ્યપાલ અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ફરી એકવાર સમાચારોમાં આવ્યા છે. ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ દ્વારકાની મુલાકત લઈને તેઓ રાજકોટની મુલાકાતે આવ્યા હતા. તે દરમ્યાન રાજકોટ બાયપાસ હાઇવે પર તેમના સ્વાગતનો કાર્યક્રમ નક્કી થયો હતો. જોકે આ રૂટ બદલાયો હતો જેના કારણે , રાજ્યપાલ આનંદીબેન પટેલ ભારે નારાજ થયા છે. ચર્ચાઓ એવી ચાલી રહી છે કે , રાજકોટના MLA ઉદય કાનગડે પ્રસિદ્ધિ મેળવવા માટે આ રૂટ બદલાયો હતો .