Surat Railway Station પર બનેલી ઘટનાને લઈ Congressએ કર્યા સરકાર પર પ્રહાર, Shaktisinh Gohilએ લખ્યું...


  • Published By :
  • Published Date : 2023-11-11 19:34:29

સુરત રેલવે સ્ટેશનમાં એક દુર્ઘટના સર્જાઈ છે. તહેવાર દરમિયાન વતન જવાની ઈચ્છા દરેક લોકોને હોય છે. દિવાળીના સમયે સ્ટેશનો પર મુસાફરોનો ભારે ઘસારો જોવા મળતો હોય છે. એસટી બસ સ્ટેશન હોય  કે પછી રેલવે સ્ટેશન હોય દરેક જગ્યાઓ પર વેઈટિંગ જોવા મળતું હોય છે. ત્યારે આજે સુરત રેલવે સ્ટેશનથી એક દુખદ સમાચાર સામે આવ્યા હતા જેમાં ધક્કામુકીને કારણે એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે અનેક લોકો બેભાન થઈ ગયા છે. ઘટનાની જાણ થતાં જ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી ત્યાંની મુલાકાત લેવાના છે.

શક્તિસિંહ ગોહિલે સરકાર પર કર્યા પ્રહાર 

દિવાળી દરમિયાન સુરત રેલવે સ્ટેશન પર ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી જેમાં ધક્કામુકીને કારણે એક વ્યક્તિનું મોત થઈ ગયું છે જ્યારે ચાર જેટલા લોકો બેભાન થઈ ગયા હતા. આ ઘટનાની ચર્ચા ચારેય તરફ થઈ રહી છે. કોંગ્રેસ આ મામલે આક્રામક દેખાઈ રહી છે. શક્તિસિંહ ગોહિલે આ ઘટનાનો એક ફોટો શેર કર્યો છે અને લખ્યું છે કે સુરતથી બિહાર અને યુપી જવા માટે વધારે ટ્રેન ફાળવવામાં આવે તેવી માગ ઘણા સમયથી કરાઈ રહી છે. જન આંદોલન પણ થયું હતું પરંતુ સરકારે તેમની માગની અવગણના કરી. સરકારની અનદેખીનું આ પરિણામ છે તેવી ટ્વિટ શક્તિસિંહ ગોહિલે કરી છે. 




આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.