Surat Railway Station પર બનેલી ઘટનાને લઈ Congressએ કર્યા સરકાર પર પ્રહાર, Shaktisinh Gohilએ લખ્યું...


  • Published By :
  • Published Date : 2023-11-11 19:34:29

સુરત રેલવે સ્ટેશનમાં એક દુર્ઘટના સર્જાઈ છે. તહેવાર દરમિયાન વતન જવાની ઈચ્છા દરેક લોકોને હોય છે. દિવાળીના સમયે સ્ટેશનો પર મુસાફરોનો ભારે ઘસારો જોવા મળતો હોય છે. એસટી બસ સ્ટેશન હોય  કે પછી રેલવે સ્ટેશન હોય દરેક જગ્યાઓ પર વેઈટિંગ જોવા મળતું હોય છે. ત્યારે આજે સુરત રેલવે સ્ટેશનથી એક દુખદ સમાચાર સામે આવ્યા હતા જેમાં ધક્કામુકીને કારણે એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે અનેક લોકો બેભાન થઈ ગયા છે. ઘટનાની જાણ થતાં જ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી ત્યાંની મુલાકાત લેવાના છે.

શક્તિસિંહ ગોહિલે સરકાર પર કર્યા પ્રહાર 

દિવાળી દરમિયાન સુરત રેલવે સ્ટેશન પર ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી જેમાં ધક્કામુકીને કારણે એક વ્યક્તિનું મોત થઈ ગયું છે જ્યારે ચાર જેટલા લોકો બેભાન થઈ ગયા હતા. આ ઘટનાની ચર્ચા ચારેય તરફ થઈ રહી છે. કોંગ્રેસ આ મામલે આક્રામક દેખાઈ રહી છે. શક્તિસિંહ ગોહિલે આ ઘટનાનો એક ફોટો શેર કર્યો છે અને લખ્યું છે કે સુરતથી બિહાર અને યુપી જવા માટે વધારે ટ્રેન ફાળવવામાં આવે તેવી માગ ઘણા સમયથી કરાઈ રહી છે. જન આંદોલન પણ થયું હતું પરંતુ સરકારે તેમની માગની અવગણના કરી. સરકારની અનદેખીનું આ પરિણામ છે તેવી ટ્વિટ શક્તિસિંહ ગોહિલે કરી છે. 




ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.