કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીનું સસ્પેન્શન રદ્દ, વિશેષાધિકાર સમિતિએ આપી મંજુરી


  • Published By :
  • Published Date : 2023-08-30 16:35:06

લોકસભાની પ્રિવલેજ કમિટીએ બુધવાર (30 ઓગસ્ટ)ના રોજ કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીનું સસ્પેન્શન રદ્દ કરવાના પ્રસ્તાવને મંજુરી આપી છે. તેમને ચોમાસુ સત્ર દરમિયાન સસ્પેન્ડ કરવામાં આવી આવી હતી. અધીર રંજન ચૌધરીએ આજે સંસદની પ્રવલેજ કમિટીની બેઠકમાં પોતાનો પક્ષ રજુ કર્યો હતો. કોંગ્રેસના સાંસદે ભારતીય જનતા પાર્ટીના સાંસદ સુનિલ સિંહની અધ્યક્ષતાવાળી સમિતીને જણાવ્યું કે તેમનો હેતું કોઈની ભાવનાને ઠેસ પહોંચાડવાનો નહોંતો. મીડિયા રિપોર્ટ મુજબ કમિટીએ અધીર રંજન ચૌધરી સસ્પેન્શન ખતમ કરવા માટે પ્રસ્તાવ પસાર કર્યો છે. આ પ્રસ્તાવને તાજેતરમાં જ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા પાસે વિચાર કરવા માટે મોકલવામાં આવશે.


કેમ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા?


વિશેષાધિકાર સમિતિ સમક્ષ હાજર થઈને ભાજપના સાંસદ જનાર્દન સિગ્રીવાલે પણ પોતાનું નિવેદન નોંધ્યું હતું. નોંધનીય છે કે કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ સંસદના તાજેતરમાં પૂરા થયેલા ચોમાસુ સત્રમાં લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન કેટલીક ટિપ્પણીઓને કારણે 10 ઓગસ્ટે ગૃહની કાર્યવાહી સ્થગિત કરી દીધી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના આચરણ અંગે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ લોકસભામાં આ સંબંધિત પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેને ગૃહે ધ્વનિ મતથી મંજૂર કર્યો હતો. આ પહેલા કોંગ્રેસ અને તેના સાથી પક્ષોના સભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યો હતો.


વિશેષાધિકાર સમિતિએ પોતાનો પક્ષ રજૂ કરવા બોલાવ્યા


 કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીની સામેનો મામલો વિશેષાધિકાર સમિતિને તપાસ માટે મોકલવામાં આવ્યો હતો. 18 ઓગસ્ટના રોજ વિશેષાધિકાર સમિતિ દ્વારા આ બાબત પર વિચાર કરવામાં આવ્યો હતો. સમિતિએ 30 ઓગસ્ટ 2023ના રોજ સાંસદ અધીર રંજન ચૌધરીને મૌખિક પુરાવા માટે બોલાવવાનો નિર્ણય લીધો હતો.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે