કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીનું સસ્પેન્શન રદ્દ, વિશેષાધિકાર સમિતિએ આપી મંજુરી


  • Published By :
  • Published Date : 2023-08-30 16:35:06

લોકસભાની પ્રિવલેજ કમિટીએ બુધવાર (30 ઓગસ્ટ)ના રોજ કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીનું સસ્પેન્શન રદ્દ કરવાના પ્રસ્તાવને મંજુરી આપી છે. તેમને ચોમાસુ સત્ર દરમિયાન સસ્પેન્ડ કરવામાં આવી આવી હતી. અધીર રંજન ચૌધરીએ આજે સંસદની પ્રવલેજ કમિટીની બેઠકમાં પોતાનો પક્ષ રજુ કર્યો હતો. કોંગ્રેસના સાંસદે ભારતીય જનતા પાર્ટીના સાંસદ સુનિલ સિંહની અધ્યક્ષતાવાળી સમિતીને જણાવ્યું કે તેમનો હેતું કોઈની ભાવનાને ઠેસ પહોંચાડવાનો નહોંતો. મીડિયા રિપોર્ટ મુજબ કમિટીએ અધીર રંજન ચૌધરી સસ્પેન્શન ખતમ કરવા માટે પ્રસ્તાવ પસાર કર્યો છે. આ પ્રસ્તાવને તાજેતરમાં જ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા પાસે વિચાર કરવા માટે મોકલવામાં આવશે.


કેમ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા?


વિશેષાધિકાર સમિતિ સમક્ષ હાજર થઈને ભાજપના સાંસદ જનાર્દન સિગ્રીવાલે પણ પોતાનું નિવેદન નોંધ્યું હતું. નોંધનીય છે કે કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ સંસદના તાજેતરમાં પૂરા થયેલા ચોમાસુ સત્રમાં લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન કેટલીક ટિપ્પણીઓને કારણે 10 ઓગસ્ટે ગૃહની કાર્યવાહી સ્થગિત કરી દીધી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના આચરણ અંગે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ લોકસભામાં આ સંબંધિત પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેને ગૃહે ધ્વનિ મતથી મંજૂર કર્યો હતો. આ પહેલા કોંગ્રેસ અને તેના સાથી પક્ષોના સભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યો હતો.


વિશેષાધિકાર સમિતિએ પોતાનો પક્ષ રજૂ કરવા બોલાવ્યા


 કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીની સામેનો મામલો વિશેષાધિકાર સમિતિને તપાસ માટે મોકલવામાં આવ્યો હતો. 18 ઓગસ્ટના રોજ વિશેષાધિકાર સમિતિ દ્વારા આ બાબત પર વિચાર કરવામાં આવ્યો હતો. સમિતિએ 30 ઓગસ્ટ 2023ના રોજ સાંસદ અધીર રંજન ચૌધરીને મૌખિક પુરાવા માટે બોલાવવાનો નિર્ણય લીધો હતો.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.