કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીનું સસ્પેન્શન રદ્દ, વિશેષાધિકાર સમિતિએ આપી મંજુરી


  • Published By :
  • Published Date : 2023-08-30 16:35:06

લોકસભાની પ્રિવલેજ કમિટીએ બુધવાર (30 ઓગસ્ટ)ના રોજ કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીનું સસ્પેન્શન રદ્દ કરવાના પ્રસ્તાવને મંજુરી આપી છે. તેમને ચોમાસુ સત્ર દરમિયાન સસ્પેન્ડ કરવામાં આવી આવી હતી. અધીર રંજન ચૌધરીએ આજે સંસદની પ્રવલેજ કમિટીની બેઠકમાં પોતાનો પક્ષ રજુ કર્યો હતો. કોંગ્રેસના સાંસદે ભારતીય જનતા પાર્ટીના સાંસદ સુનિલ સિંહની અધ્યક્ષતાવાળી સમિતીને જણાવ્યું કે તેમનો હેતું કોઈની ભાવનાને ઠેસ પહોંચાડવાનો નહોંતો. મીડિયા રિપોર્ટ મુજબ કમિટીએ અધીર રંજન ચૌધરી સસ્પેન્શન ખતમ કરવા માટે પ્રસ્તાવ પસાર કર્યો છે. આ પ્રસ્તાવને તાજેતરમાં જ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા પાસે વિચાર કરવા માટે મોકલવામાં આવશે.


કેમ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા?


વિશેષાધિકાર સમિતિ સમક્ષ હાજર થઈને ભાજપના સાંસદ જનાર્દન સિગ્રીવાલે પણ પોતાનું નિવેદન નોંધ્યું હતું. નોંધનીય છે કે કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ સંસદના તાજેતરમાં પૂરા થયેલા ચોમાસુ સત્રમાં લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન કેટલીક ટિપ્પણીઓને કારણે 10 ઓગસ્ટે ગૃહની કાર્યવાહી સ્થગિત કરી દીધી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના આચરણ અંગે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ લોકસભામાં આ સંબંધિત પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેને ગૃહે ધ્વનિ મતથી મંજૂર કર્યો હતો. આ પહેલા કોંગ્રેસ અને તેના સાથી પક્ષોના સભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યો હતો.


વિશેષાધિકાર સમિતિએ પોતાનો પક્ષ રજૂ કરવા બોલાવ્યા


 કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીની સામેનો મામલો વિશેષાધિકાર સમિતિને તપાસ માટે મોકલવામાં આવ્યો હતો. 18 ઓગસ્ટના રોજ વિશેષાધિકાર સમિતિ દ્વારા આ બાબત પર વિચાર કરવામાં આવ્યો હતો. સમિતિએ 30 ઓગસ્ટ 2023ના રોજ સાંસદ અધીર રંજન ચૌધરીને મૌખિક પુરાવા માટે બોલાવવાનો નિર્ણય લીધો હતો.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.