Gandhinagar લઠ્ઠાકાંડ પર Congress નેતા Amit Chavdaના ચાબખાં, ભાજપ સરકાર પર કર્યા પ્રહાર,સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-01-15 13:38:09

આપણા રાજ્ય ગુજરાતને ડ્રાય સ્ટેટ કહેવામાં આવે છે એટલે એ રાજ્ય જ્યાં દારૂ પીવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોય તે. ગુજરાતમાં છેલ્લા કેટલાય વર્ષોથી દારૂબંધીનો કાયદો છે પરંતુ તેનો અમલ કેટલો થાય છે તે આપણે જાણીએ છીએ. લોકો દેશી દારૂ પીને મોતને ભેટી રહ્યા છે. લઠ્ઠાકાંડની ઘટનાઓ ગુજરાતમાં અવારનવાર બની રહી છે. ગાંધીનગરના દહેગામના લિહોડામાં દેશી દારૂ પીધા બાદ બે લોકોના મોત શંકાસ્પદ રીતે થયા છે જ્યારે અનેક લોકો સારવાર હેઠળ છે. લઠ્ઠાકાંડ થયા હોવાની આશંકા સેવાઈ રહી છે. બે લોકોના મોત થયા છે જ્યારે હજી બીજા લોકોના મોત પણ થઈ શકે છે તેવી આશંકા છે. આ બધા વચ્ચે ભાજપ સરકાર પર કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ શાબ્દિક પ્રહાર કર્યા છે. લઠ્ઠાકાંડને લઈ સરકારને ઘેરી છે.   

લઠ્ઠાકાંડને અમિત ચાવડાએ ગણાવી....   

લઠ્ઠાકાંડ વિશે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં હપ્તાખોરીના કારણે એક પછી એક લઠ્ઠાકાંડ થઈ રહ્યા છે, લોકોના જીવ જઈ રહ્યા છે. અને આ કોઈ ગુનાહિત બેદરકારી નથી પણ એક હપ્તાખોરીને કારણે થયેલી હત્યાઓ સમાન આ બનાવો છે. પહેલા બોટાદમાં લઠ્ઠાકાંડ થયો જેમાં 45થી વધારે લોકોના મોત થયા, નડિયાદમાં સીરપ રૂપે લઠ્ઠાકાંડ થયો પાંચ લોકોના મૃત્યુ થયા. અને આજે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના   લિહોડા પંથકમાં લઠ્ઠાકાંડ થયો બે લોકોના મૃત્યુ થયાના અને અનેક લોકો ગંભીર રીતે સારવાર લઈ રહ્યા છે. તે ઉપરાંત દારૂબંધી કાયદા અંગે પણ તેમણે વાત કરી હતી. જો ઈચ્છાશક્તિ હોય તો એક જ મહિનાની અંદર ગુજરાતના કોઈ પણ ખુણે એક ટીપુ પણ દારૂ ન મળે જેવી વાતો કરી ભાજપની સરકાર પર પ્રહાર કર્યા હતા. અમિત ચાવડા ઉપરાંત કોંગ્રેસના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પણ પ્રતિક્રિયા આપી છે.   



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.