Gandhinagar લઠ્ઠાકાંડ પર Congress નેતા Amit Chavdaના ચાબખાં, ભાજપ સરકાર પર કર્યા પ્રહાર,સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-01-15 13:38:09

આપણા રાજ્ય ગુજરાતને ડ્રાય સ્ટેટ કહેવામાં આવે છે એટલે એ રાજ્ય જ્યાં દારૂ પીવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોય તે. ગુજરાતમાં છેલ્લા કેટલાય વર્ષોથી દારૂબંધીનો કાયદો છે પરંતુ તેનો અમલ કેટલો થાય છે તે આપણે જાણીએ છીએ. લોકો દેશી દારૂ પીને મોતને ભેટી રહ્યા છે. લઠ્ઠાકાંડની ઘટનાઓ ગુજરાતમાં અવારનવાર બની રહી છે. ગાંધીનગરના દહેગામના લિહોડામાં દેશી દારૂ પીધા બાદ બે લોકોના મોત શંકાસ્પદ રીતે થયા છે જ્યારે અનેક લોકો સારવાર હેઠળ છે. લઠ્ઠાકાંડ થયા હોવાની આશંકા સેવાઈ રહી છે. બે લોકોના મોત થયા છે જ્યારે હજી બીજા લોકોના મોત પણ થઈ શકે છે તેવી આશંકા છે. આ બધા વચ્ચે ભાજપ સરકાર પર કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ શાબ્દિક પ્રહાર કર્યા છે. લઠ્ઠાકાંડને લઈ સરકારને ઘેરી છે.   

લઠ્ઠાકાંડને અમિત ચાવડાએ ગણાવી....   

લઠ્ઠાકાંડ વિશે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં હપ્તાખોરીના કારણે એક પછી એક લઠ્ઠાકાંડ થઈ રહ્યા છે, લોકોના જીવ જઈ રહ્યા છે. અને આ કોઈ ગુનાહિત બેદરકારી નથી પણ એક હપ્તાખોરીને કારણે થયેલી હત્યાઓ સમાન આ બનાવો છે. પહેલા બોટાદમાં લઠ્ઠાકાંડ થયો જેમાં 45થી વધારે લોકોના મોત થયા, નડિયાદમાં સીરપ રૂપે લઠ્ઠાકાંડ થયો પાંચ લોકોના મૃત્યુ થયા. અને આજે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના   લિહોડા પંથકમાં લઠ્ઠાકાંડ થયો બે લોકોના મૃત્યુ થયાના અને અનેક લોકો ગંભીર રીતે સારવાર લઈ રહ્યા છે. તે ઉપરાંત દારૂબંધી કાયદા અંગે પણ તેમણે વાત કરી હતી. જો ઈચ્છાશક્તિ હોય તો એક જ મહિનાની અંદર ગુજરાતના કોઈ પણ ખુણે એક ટીપુ પણ દારૂ ન મળે જેવી વાતો કરી ભાજપની સરકાર પર પ્રહાર કર્યા હતા. અમિત ચાવડા ઉપરાંત કોંગ્રેસના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પણ પ્રતિક્રિયા આપી છે.   



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી