Gandhinagar લઠ્ઠાકાંડ પર Congress નેતા Amit Chavdaના ચાબખાં, ભાજપ સરકાર પર કર્યા પ્રહાર,સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-01-15 13:38:09

આપણા રાજ્ય ગુજરાતને ડ્રાય સ્ટેટ કહેવામાં આવે છે એટલે એ રાજ્ય જ્યાં દારૂ પીવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોય તે. ગુજરાતમાં છેલ્લા કેટલાય વર્ષોથી દારૂબંધીનો કાયદો છે પરંતુ તેનો અમલ કેટલો થાય છે તે આપણે જાણીએ છીએ. લોકો દેશી દારૂ પીને મોતને ભેટી રહ્યા છે. લઠ્ઠાકાંડની ઘટનાઓ ગુજરાતમાં અવારનવાર બની રહી છે. ગાંધીનગરના દહેગામના લિહોડામાં દેશી દારૂ પીધા બાદ બે લોકોના મોત શંકાસ્પદ રીતે થયા છે જ્યારે અનેક લોકો સારવાર હેઠળ છે. લઠ્ઠાકાંડ થયા હોવાની આશંકા સેવાઈ રહી છે. બે લોકોના મોત થયા છે જ્યારે હજી બીજા લોકોના મોત પણ થઈ શકે છે તેવી આશંકા છે. આ બધા વચ્ચે ભાજપ સરકાર પર કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ શાબ્દિક પ્રહાર કર્યા છે. લઠ્ઠાકાંડને લઈ સરકારને ઘેરી છે.   

લઠ્ઠાકાંડને અમિત ચાવડાએ ગણાવી....   

લઠ્ઠાકાંડ વિશે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં હપ્તાખોરીના કારણે એક પછી એક લઠ્ઠાકાંડ થઈ રહ્યા છે, લોકોના જીવ જઈ રહ્યા છે. અને આ કોઈ ગુનાહિત બેદરકારી નથી પણ એક હપ્તાખોરીને કારણે થયેલી હત્યાઓ સમાન આ બનાવો છે. પહેલા બોટાદમાં લઠ્ઠાકાંડ થયો જેમાં 45થી વધારે લોકોના મોત થયા, નડિયાદમાં સીરપ રૂપે લઠ્ઠાકાંડ થયો પાંચ લોકોના મૃત્યુ થયા. અને આજે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના   લિહોડા પંથકમાં લઠ્ઠાકાંડ થયો બે લોકોના મૃત્યુ થયાના અને અનેક લોકો ગંભીર રીતે સારવાર લઈ રહ્યા છે. તે ઉપરાંત દારૂબંધી કાયદા અંગે પણ તેમણે વાત કરી હતી. જો ઈચ્છાશક્તિ હોય તો એક જ મહિનાની અંદર ગુજરાતના કોઈ પણ ખુણે એક ટીપુ પણ દારૂ ન મળે જેવી વાતો કરી ભાજપની સરકાર પર પ્રહાર કર્યા હતા. અમિત ચાવડા ઉપરાંત કોંગ્રેસના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પણ પ્રતિક્રિયા આપી છે.   



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.