કોંગ્રેસે જેમને માથે ચડાવ્યા આજે તે જ નેતાઓ તેને ખતમ કરવા આતુર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-09 16:12:09


પ્રસ્તુત છે જમાવટ મીડિયા, BY UTPAL DAVE


કોંગ્રેસની ટ્રેજેડી જ કહીં શકાય કે તે પાર્ટી સાથે જોડાયેલા અને નામ કમાયેલા લોકો અંતે પાર્ટીને છોડીને ભાજપ તથા અન્ય પાર્ટીમાં પક્ષપલટો કરી રહ્યા છે. કોંગ્રેસ આ નેતાઓને મોટા બનવા માટે એક પ્લેટફોર્મ બની હતી. આ જ નેતાઓ બાદમાં અંગત સ્વાર્થ, લાલચ કે પછી બીજા કોઈ કારણોથી કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાય ત્યારે તે કોંગ્રસને ભાંડવામાં કાંઈ બાકી રહેવા દેતા નથી. આજની ભાજપ મુળભુત રીતે અડધી કોંગ્રેસ જ છે અને આ બાબત તો  ભાજપના કેટલાક અગ્રણી નેતાઓ પણ અનિચ્છાએ સ્વિકારે જ છે.


કોંગ્રેસી ગોત્ર ધરાવતા ભાજપી નેતાઓ


એક સમયે કોંગ્રેસના અગ્રણી નેતા મનાતા હેમંત બિશ્લા શર્મા, જ્યોતિર્યાદિત્ય સિધિંયા, પુર્વ વિદેશ મંત્રી એસ.એમ.ક્રિષ્ના, રાવ ઈન્દ્રજીત સિંહ, નારાયણ રાણે, સતપાલ મહારાજ, રીટા બહુગુણા જોષી, જગદંબીકા પાલ, ભોજપુરી કલાકાર રવિ કિશન, મણિપુરના પૂર્વ મુખ્યમંત્રી એન, બિરેન સિંહ આર પી એન સિંહ, જતીન પ્રસાદ, અશ્વિની કુમાર, અને સુનિલ જાખડ સહિતના નેતાઓ પાર્ટી છોડીને ભાજપમાં જોડાઈ ગયા છે. આ તો ટોચના અને જાણીતા નેતાઓનું લિસ્ટ છે, આ સિવાયના નાના અને પ્રાદેશિક સ્તરના નેતાઓની યાદી બહું લાંબી છે જે લખવા જઈએ તો લિસ્ટ બહું મોટું થઈ જાય.


ભાજપમાં જોડાયા બાદ નેતાઓ કોંગ્રેસને ભાંડે છે શા માટે?


આસામના મુખ્યમંત્રી અને ભાજપના નેતા હેમંત બિશ્વા શર્માએ રાહુલ ગાંધીની મજાક ઉડાવતો એક વીડિયો સોશિયલ મિડીયા પર લોન્ચ કર્યો છે. આ વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. હવે જોવાની વાત એ છે કે આ જ હેમંત બિશ્વા શર્મા એક સમયે આસામ કોંગ્રેસના અગ્રણી નેતા અને હતા. તેઓ આસામના ઉપ મુખ્યમંત્રી પણ રહી ચુક્યા છે. જો કે  તેમને એ સમયના કોંગ્રેસના મુખ્યમંત્રી તરૂણ ગોગોઈ સાથે વાંધો પડતા બાદમાં તેઓ ભાજપમાં જોડાઈ ગયા અને આજે મુખ્યમંત્રી છે. જો કે સૌથી મહત્વની બાબત એ છે તે આ પ્રકારના વીડિયો એટલા માટે અપલોડ કરતા રહે કે જેથી દિલ્હી સ્થિત ભાજપના ટોચના નેતૃત્વના પ્રિતીપાત્ર બન્યા રહે.


ગુજરાતમાં પણ કોંગ્રેસી નેતાઓની ભાજપ ભક્તી


ગુજરાતમાં તો કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા નેતાઓનું એક લાંબુ લિસ્ટ છે. આ નેતા પણ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા બાદ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી કે ગુજરાત કોંગ્રેસના અગ્રણી નેતાઓ વિશે ખરાબ ભાષા વાપરવામાં કોઈ શરમ અનુભવતા નથી. આ નેતાશ્રીઓ તે બાબત જ ભૂલી જાય છે કે આજે તે સ્થાને છે  તે કોંગ્રેસને આભારી છે. કોંગ્રેસે જ તેમને એક સામાન્ય કાર્યકરમાંથી મોટા નેતા બનાવ્યા છે. કોંગ્રેસી નેતાઓને જ્યારે ભાજપ તરફથી પદ, પૈસા કે અન્ય પ્રકારની કોઈ લાલચ આપવામાં આવે ત્યારે આસાનાથી ફસાઈ જતા આ નેતાઓ ખરેખર તો લોકોના વિશ્વાસનો ભંગ કરે છે. 


સત્તા માટે પક્ષાત્તર કરતા નેતાઓને જો કે ચૂંટણી બાદ જનતા જ ફેંકી દેતી હોય છે. વિરમગામના પૂર્વ MLA તેજશ્રીબેન પટેલે સાથે આવું જ થયું હતું. કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા અને ભાજપની જ ટિકીટ પર  ફરીથી ધારાસભ્ય બનવાનું સપનું જોતા તેજશ્રીબેન પટેલનો વિધાનસભાની ચૂંટણીમાં કારમો પરાજય થયો હતો. તેજશ્રીબેન તો માત્ર એક દ્રષ્ટાંત છે પરંતુ પક્ષાંત્તર કરતા નેતાઓએ એ બાબત ચોક્કસ સમજી લેવી જોઈ કે 'ભાઈ યે પપ્લીક હૈ યે સબ જાનતી હૈ'




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.