કોંગ્રેસે જેમને માથે ચડાવ્યા આજે તે જ નેતાઓ તેને ખતમ કરવા આતુર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-09 16:12:09


પ્રસ્તુત છે જમાવટ મીડિયા, BY UTPAL DAVE


કોંગ્રેસની ટ્રેજેડી જ કહીં શકાય કે તે પાર્ટી સાથે જોડાયેલા અને નામ કમાયેલા લોકો અંતે પાર્ટીને છોડીને ભાજપ તથા અન્ય પાર્ટીમાં પક્ષપલટો કરી રહ્યા છે. કોંગ્રેસ આ નેતાઓને મોટા બનવા માટે એક પ્લેટફોર્મ બની હતી. આ જ નેતાઓ બાદમાં અંગત સ્વાર્થ, લાલચ કે પછી બીજા કોઈ કારણોથી કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાય ત્યારે તે કોંગ્રસને ભાંડવામાં કાંઈ બાકી રહેવા દેતા નથી. આજની ભાજપ મુળભુત રીતે અડધી કોંગ્રેસ જ છે અને આ બાબત તો  ભાજપના કેટલાક અગ્રણી નેતાઓ પણ અનિચ્છાએ સ્વિકારે જ છે.


કોંગ્રેસી ગોત્ર ધરાવતા ભાજપી નેતાઓ


એક સમયે કોંગ્રેસના અગ્રણી નેતા મનાતા હેમંત બિશ્લા શર્મા, જ્યોતિર્યાદિત્ય સિધિંયા, પુર્વ વિદેશ મંત્રી એસ.એમ.ક્રિષ્ના, રાવ ઈન્દ્રજીત સિંહ, નારાયણ રાણે, સતપાલ મહારાજ, રીટા બહુગુણા જોષી, જગદંબીકા પાલ, ભોજપુરી કલાકાર રવિ કિશન, મણિપુરના પૂર્વ મુખ્યમંત્રી એન, બિરેન સિંહ આર પી એન સિંહ, જતીન પ્રસાદ, અશ્વિની કુમાર, અને સુનિલ જાખડ સહિતના નેતાઓ પાર્ટી છોડીને ભાજપમાં જોડાઈ ગયા છે. આ તો ટોચના અને જાણીતા નેતાઓનું લિસ્ટ છે, આ સિવાયના નાના અને પ્રાદેશિક સ્તરના નેતાઓની યાદી બહું લાંબી છે જે લખવા જઈએ તો લિસ્ટ બહું મોટું થઈ જાય.


ભાજપમાં જોડાયા બાદ નેતાઓ કોંગ્રેસને ભાંડે છે શા માટે?


આસામના મુખ્યમંત્રી અને ભાજપના નેતા હેમંત બિશ્વા શર્માએ રાહુલ ગાંધીની મજાક ઉડાવતો એક વીડિયો સોશિયલ મિડીયા પર લોન્ચ કર્યો છે. આ વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. હવે જોવાની વાત એ છે કે આ જ હેમંત બિશ્વા શર્મા એક સમયે આસામ કોંગ્રેસના અગ્રણી નેતા અને હતા. તેઓ આસામના ઉપ મુખ્યમંત્રી પણ રહી ચુક્યા છે. જો કે  તેમને એ સમયના કોંગ્રેસના મુખ્યમંત્રી તરૂણ ગોગોઈ સાથે વાંધો પડતા બાદમાં તેઓ ભાજપમાં જોડાઈ ગયા અને આજે મુખ્યમંત્રી છે. જો કે સૌથી મહત્વની બાબત એ છે તે આ પ્રકારના વીડિયો એટલા માટે અપલોડ કરતા રહે કે જેથી દિલ્હી સ્થિત ભાજપના ટોચના નેતૃત્વના પ્રિતીપાત્ર બન્યા રહે.


ગુજરાતમાં પણ કોંગ્રેસી નેતાઓની ભાજપ ભક્તી


ગુજરાતમાં તો કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા નેતાઓનું એક લાંબુ લિસ્ટ છે. આ નેતા પણ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા બાદ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી કે ગુજરાત કોંગ્રેસના અગ્રણી નેતાઓ વિશે ખરાબ ભાષા વાપરવામાં કોઈ શરમ અનુભવતા નથી. આ નેતાશ્રીઓ તે બાબત જ ભૂલી જાય છે કે આજે તે સ્થાને છે  તે કોંગ્રેસને આભારી છે. કોંગ્રેસે જ તેમને એક સામાન્ય કાર્યકરમાંથી મોટા નેતા બનાવ્યા છે. કોંગ્રેસી નેતાઓને જ્યારે ભાજપ તરફથી પદ, પૈસા કે અન્ય પ્રકારની કોઈ લાલચ આપવામાં આવે ત્યારે આસાનાથી ફસાઈ જતા આ નેતાઓ ખરેખર તો લોકોના વિશ્વાસનો ભંગ કરે છે. 


સત્તા માટે પક્ષાત્તર કરતા નેતાઓને જો કે ચૂંટણી બાદ જનતા જ ફેંકી દેતી હોય છે. વિરમગામના પૂર્વ MLA તેજશ્રીબેન પટેલે સાથે આવું જ થયું હતું. કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા અને ભાજપની જ ટિકીટ પર  ફરીથી ધારાસભ્ય બનવાનું સપનું જોતા તેજશ્રીબેન પટેલનો વિધાનસભાની ચૂંટણીમાં કારમો પરાજય થયો હતો. તેજશ્રીબેન તો માત્ર એક દ્રષ્ટાંત છે પરંતુ પક્ષાંત્તર કરતા નેતાઓએ એ બાબત ચોક્કસ સમજી લેવી જોઈ કે 'ભાઈ યે પપ્લીક હૈ યે સબ જાનતી હૈ'




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.