કોંગ્રેસે જેમને માથે ચડાવ્યા આજે તે જ નેતાઓ તેને ખતમ કરવા આતુર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-09 16:12:09


પ્રસ્તુત છે જમાવટ મીડિયા, BY UTPAL DAVE


કોંગ્રેસની ટ્રેજેડી જ કહીં શકાય કે તે પાર્ટી સાથે જોડાયેલા અને નામ કમાયેલા લોકો અંતે પાર્ટીને છોડીને ભાજપ તથા અન્ય પાર્ટીમાં પક્ષપલટો કરી રહ્યા છે. કોંગ્રેસ આ નેતાઓને મોટા બનવા માટે એક પ્લેટફોર્મ બની હતી. આ જ નેતાઓ બાદમાં અંગત સ્વાર્થ, લાલચ કે પછી બીજા કોઈ કારણોથી કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાય ત્યારે તે કોંગ્રસને ભાંડવામાં કાંઈ બાકી રહેવા દેતા નથી. આજની ભાજપ મુળભુત રીતે અડધી કોંગ્રેસ જ છે અને આ બાબત તો  ભાજપના કેટલાક અગ્રણી નેતાઓ પણ અનિચ્છાએ સ્વિકારે જ છે.


કોંગ્રેસી ગોત્ર ધરાવતા ભાજપી નેતાઓ


એક સમયે કોંગ્રેસના અગ્રણી નેતા મનાતા હેમંત બિશ્લા શર્મા, જ્યોતિર્યાદિત્ય સિધિંયા, પુર્વ વિદેશ મંત્રી એસ.એમ.ક્રિષ્ના, રાવ ઈન્દ્રજીત સિંહ, નારાયણ રાણે, સતપાલ મહારાજ, રીટા બહુગુણા જોષી, જગદંબીકા પાલ, ભોજપુરી કલાકાર રવિ કિશન, મણિપુરના પૂર્વ મુખ્યમંત્રી એન, બિરેન સિંહ આર પી એન સિંહ, જતીન પ્રસાદ, અશ્વિની કુમાર, અને સુનિલ જાખડ સહિતના નેતાઓ પાર્ટી છોડીને ભાજપમાં જોડાઈ ગયા છે. આ તો ટોચના અને જાણીતા નેતાઓનું લિસ્ટ છે, આ સિવાયના નાના અને પ્રાદેશિક સ્તરના નેતાઓની યાદી બહું લાંબી છે જે લખવા જઈએ તો લિસ્ટ બહું મોટું થઈ જાય.


ભાજપમાં જોડાયા બાદ નેતાઓ કોંગ્રેસને ભાંડે છે શા માટે?


આસામના મુખ્યમંત્રી અને ભાજપના નેતા હેમંત બિશ્વા શર્માએ રાહુલ ગાંધીની મજાક ઉડાવતો એક વીડિયો સોશિયલ મિડીયા પર લોન્ચ કર્યો છે. આ વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. હવે જોવાની વાત એ છે કે આ જ હેમંત બિશ્વા શર્મા એક સમયે આસામ કોંગ્રેસના અગ્રણી નેતા અને હતા. તેઓ આસામના ઉપ મુખ્યમંત્રી પણ રહી ચુક્યા છે. જો કે  તેમને એ સમયના કોંગ્રેસના મુખ્યમંત્રી તરૂણ ગોગોઈ સાથે વાંધો પડતા બાદમાં તેઓ ભાજપમાં જોડાઈ ગયા અને આજે મુખ્યમંત્રી છે. જો કે સૌથી મહત્વની બાબત એ છે તે આ પ્રકારના વીડિયો એટલા માટે અપલોડ કરતા રહે કે જેથી દિલ્હી સ્થિત ભાજપના ટોચના નેતૃત્વના પ્રિતીપાત્ર બન્યા રહે.


ગુજરાતમાં પણ કોંગ્રેસી નેતાઓની ભાજપ ભક્તી


ગુજરાતમાં તો કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા નેતાઓનું એક લાંબુ લિસ્ટ છે. આ નેતા પણ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા બાદ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી કે ગુજરાત કોંગ્રેસના અગ્રણી નેતાઓ વિશે ખરાબ ભાષા વાપરવામાં કોઈ શરમ અનુભવતા નથી. આ નેતાશ્રીઓ તે બાબત જ ભૂલી જાય છે કે આજે તે સ્થાને છે  તે કોંગ્રેસને આભારી છે. કોંગ્રેસે જ તેમને એક સામાન્ય કાર્યકરમાંથી મોટા નેતા બનાવ્યા છે. કોંગ્રેસી નેતાઓને જ્યારે ભાજપ તરફથી પદ, પૈસા કે અન્ય પ્રકારની કોઈ લાલચ આપવામાં આવે ત્યારે આસાનાથી ફસાઈ જતા આ નેતાઓ ખરેખર તો લોકોના વિશ્વાસનો ભંગ કરે છે. 


સત્તા માટે પક્ષાત્તર કરતા નેતાઓને જો કે ચૂંટણી બાદ જનતા જ ફેંકી દેતી હોય છે. વિરમગામના પૂર્વ MLA તેજશ્રીબેન પટેલે સાથે આવું જ થયું હતું. કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા અને ભાજપની જ ટિકીટ પર  ફરીથી ધારાસભ્ય બનવાનું સપનું જોતા તેજશ્રીબેન પટેલનો વિધાનસભાની ચૂંટણીમાં કારમો પરાજય થયો હતો. તેજશ્રીબેન તો માત્ર એક દ્રષ્ટાંત છે પરંતુ પક્ષાંત્તર કરતા નેતાઓએ એ બાબત ચોક્કસ સમજી લેવી જોઈ કે 'ભાઈ યે પપ્લીક હૈ યે સબ જાનતી હૈ'




જમાવટની ટીમે સુરતમાં બનેલી ઘટનાને લઈ તેમજ નિલેશ કુંભાણીને લઈ આપ નેતા ગોપાલ ઈટાલિયા સાથે ચર્ચા કરી હતી. ચર્ચા દરમિયાન તેમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદને શાંત કરવા માટે હર્ષ સંઘવી પ્રયાસો કરી રહ્યા છે. એક તરફ ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો છે તો બીજી તરફ હર્ષ સંઘવી બેઠકો કરી રહ્યા છે.

લોકસભા ચૂંટણી પહેલા રાજકીય પાર્ટીના અનેક ઉમેદવારો ભુવાજીના શરણે જોવા મળી રહ્યા છે. કોંગ્રેસના અનેક ઉમેદવારો ભુવાજીના શરણે ગયા હતા ત્યારે ભાજપના મહેસાણાના ઉમેદવાર તેમજ કોંગ્રસમાંથી ભાજપમાં જોડાયેલા સી.જે.ચાવડા પણ ભુવાજીના શરણે જોવા મળ્યા હતા.

દેશને આ વખતના પહેલા સાંસદ મળી ગયા છે અને એ પણ બિનહરીફ સાંસદ... સુરતમાં જે આખો ઘટનાક્રમ થયો તે તો આપણે જાણીએ છીએ.. આ વખતની ચૂંટણીમાં જાણે કોંગ્રેસને રસ જ નથી તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી...