Congress નેતા Indranil Rajguruએ રાહુલ ગાંધીની તુલના મહાત્મા ગાંધી સાથે કરતા કર્યો બફાટ! વીડિયો થયો વાયરલ, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-05-03 18:15:09

ચૂંટણીઓ હોય ત્યારે નિવેદનબાજી પર કોઈ લગામ હોતી નથી.. પૂરી તાકાતથી પ્રચાર-પ્રસાર કરવામાં નેતાઓ શું બોલી જાય છે તેમને પણ અંદાજ રહેતો નથી.. પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદન બાદ ગુજરાતની રાજનીતિ ગરમાઈ હતી. તે બાદ અનેક રાજનેતાઓના નિવેદનો આવ્યા હતા જે વિવાદાસ્પદ હોય છે.. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુનું નિવેદન ચર્ચામાં છે... એક વીડિયો વાયરલ થયો છે તેમનો અને એમાં એ રાહુલ ગાંધીના ભરપેટ વખાણ કરી રહ્યાં છે એટલે સુધી તો વાંધો નથી. પણ મહાત્મા ગાંધીજીને લુચ્ચા કહીને સંબોધન કર્યું...

રાહુલ ગાંધી અને મહાત્મા ગાંધીની કરી તુલના!

રાજકોટમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીનાં આ વખાણ કરવામાં ભાન ભૂલી ઈન્દ્રનીલ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને 'લુચ્ચા' કહીને સંબોધી રહ્યા છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ભારે વાઇરલ થયો છે... ચૂંટણીપ્રચારમાં ઈન્દ્રનીલ રાજ્યગુરુએ રાહુલ ગાંધીને મહાત્મા ગાંધી સાથે સરખાવ્યા. મહાત્મા ગાંધીને લુચ્ચા તો રાહુલ ગાંધીને નિખાલસ ગણાવ્યા હતા.. અને સાથે એવું પણ કહ્યું કે દેશમાં બીજો કોઈ ગાંધી પાકશે તો એ રાહુલ ગાંધી જ હશે... રાહુલ ગાંધીને પપ્પુ સાબિત કરવા કરોડો રુપિયા ખર્ચ્યા છે તેવું પણ સામે આવ્યું છે... 


વીડિયો વાયરલ થયા બાદ તેમણે આપી પ્રતિક્રિયા

જ્યારે ગાંધીજી માટે અપમાનજનક શબ્દો પ્રયોગ કરવાના મામલે ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, પહેલા તો આનંદનો વિષય છે કે, ગાંધીજીનો વિરોધ કરનારા લોકો ગાંધીજી માટે વાત કરી રહ્યા છે. ઇતિહાસમાં જે લખાયેલી છે, પુસ્તકોમાં જે લખાયું છે તે વાત મેં કરી હતી. તે બાદ તેમણે વીડિયોને લઈ સ્પષ્ટતા આપી હતી અને તેમણે ભાજપ વિશે પણ વાત કરી હતી.  


રાજનેતાઓની ભાષામાં વધ્યું હીનતાનું પ્રમાણ

ભાન ભૂલીને પ્રચાર કરવો નેતાઓ માટે કેટલું યોગ્ય કહી શકાય.. અગાઉ પણ અમે કહ્યું હતું કે, રાજકારણમાં ભાષા એક મહત્ત્વપૂર્ણ અંગ છે. લોકશાહીમાં જેની ભાષા પરની પકડ મજબૂત હોય છે એ જ નેતા ચાલે છે.પણ  આઝાદી બાદ દેશમાં રાજકારણમાં ભાષામાં અઢળક પરિવર્તન આવ્યું અને ભાષામાં હીનતાનું પ્રમાણ પણ વધતુ જોવા મળ્યું... 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે