Congress નેતા Indranil Rajguruએ રાહુલ ગાંધીની તુલના મહાત્મા ગાંધી સાથે કરતા કર્યો બફાટ! વીડિયો થયો વાયરલ, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-05-03 18:15:09

ચૂંટણીઓ હોય ત્યારે નિવેદનબાજી પર કોઈ લગામ હોતી નથી.. પૂરી તાકાતથી પ્રચાર-પ્રસાર કરવામાં નેતાઓ શું બોલી જાય છે તેમને પણ અંદાજ રહેતો નથી.. પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદન બાદ ગુજરાતની રાજનીતિ ગરમાઈ હતી. તે બાદ અનેક રાજનેતાઓના નિવેદનો આવ્યા હતા જે વિવાદાસ્પદ હોય છે.. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુનું નિવેદન ચર્ચામાં છે... એક વીડિયો વાયરલ થયો છે તેમનો અને એમાં એ રાહુલ ગાંધીના ભરપેટ વખાણ કરી રહ્યાં છે એટલે સુધી તો વાંધો નથી. પણ મહાત્મા ગાંધીજીને લુચ્ચા કહીને સંબોધન કર્યું...

રાહુલ ગાંધી અને મહાત્મા ગાંધીની કરી તુલના!

રાજકોટમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીનાં આ વખાણ કરવામાં ભાન ભૂલી ઈન્દ્રનીલ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને 'લુચ્ચા' કહીને સંબોધી રહ્યા છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ભારે વાઇરલ થયો છે... ચૂંટણીપ્રચારમાં ઈન્દ્રનીલ રાજ્યગુરુએ રાહુલ ગાંધીને મહાત્મા ગાંધી સાથે સરખાવ્યા. મહાત્મા ગાંધીને લુચ્ચા તો રાહુલ ગાંધીને નિખાલસ ગણાવ્યા હતા.. અને સાથે એવું પણ કહ્યું કે દેશમાં બીજો કોઈ ગાંધી પાકશે તો એ રાહુલ ગાંધી જ હશે... રાહુલ ગાંધીને પપ્પુ સાબિત કરવા કરોડો રુપિયા ખર્ચ્યા છે તેવું પણ સામે આવ્યું છે... 


વીડિયો વાયરલ થયા બાદ તેમણે આપી પ્રતિક્રિયા

જ્યારે ગાંધીજી માટે અપમાનજનક શબ્દો પ્રયોગ કરવાના મામલે ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, પહેલા તો આનંદનો વિષય છે કે, ગાંધીજીનો વિરોધ કરનારા લોકો ગાંધીજી માટે વાત કરી રહ્યા છે. ઇતિહાસમાં જે લખાયેલી છે, પુસ્તકોમાં જે લખાયું છે તે વાત મેં કરી હતી. તે બાદ તેમણે વીડિયોને લઈ સ્પષ્ટતા આપી હતી અને તેમણે ભાજપ વિશે પણ વાત કરી હતી.  


રાજનેતાઓની ભાષામાં વધ્યું હીનતાનું પ્રમાણ

ભાન ભૂલીને પ્રચાર કરવો નેતાઓ માટે કેટલું યોગ્ય કહી શકાય.. અગાઉ પણ અમે કહ્યું હતું કે, રાજકારણમાં ભાષા એક મહત્ત્વપૂર્ણ અંગ છે. લોકશાહીમાં જેની ભાષા પરની પકડ મજબૂત હોય છે એ જ નેતા ચાલે છે.પણ  આઝાદી બાદ દેશમાં રાજકારણમાં ભાષામાં અઢળક પરિવર્તન આવ્યું અને ભાષામાં હીનતાનું પ્રમાણ પણ વધતુ જોવા મળ્યું... 



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.