Congress નેતા Indranil Rajguruએ રાહુલ ગાંધીની તુલના મહાત્મા ગાંધી સાથે કરતા કર્યો બફાટ! વીડિયો થયો વાયરલ, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-05-03 18:15:09

ચૂંટણીઓ હોય ત્યારે નિવેદનબાજી પર કોઈ લગામ હોતી નથી.. પૂરી તાકાતથી પ્રચાર-પ્રસાર કરવામાં નેતાઓ શું બોલી જાય છે તેમને પણ અંદાજ રહેતો નથી.. પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદન બાદ ગુજરાતની રાજનીતિ ગરમાઈ હતી. તે બાદ અનેક રાજનેતાઓના નિવેદનો આવ્યા હતા જે વિવાદાસ્પદ હોય છે.. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુનું નિવેદન ચર્ચામાં છે... એક વીડિયો વાયરલ થયો છે તેમનો અને એમાં એ રાહુલ ગાંધીના ભરપેટ વખાણ કરી રહ્યાં છે એટલે સુધી તો વાંધો નથી. પણ મહાત્મા ગાંધીજીને લુચ્ચા કહીને સંબોધન કર્યું...

રાહુલ ગાંધી અને મહાત્મા ગાંધીની કરી તુલના!

રાજકોટમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીનાં આ વખાણ કરવામાં ભાન ભૂલી ઈન્દ્રનીલ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને 'લુચ્ચા' કહીને સંબોધી રહ્યા છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ભારે વાઇરલ થયો છે... ચૂંટણીપ્રચારમાં ઈન્દ્રનીલ રાજ્યગુરુએ રાહુલ ગાંધીને મહાત્મા ગાંધી સાથે સરખાવ્યા. મહાત્મા ગાંધીને લુચ્ચા તો રાહુલ ગાંધીને નિખાલસ ગણાવ્યા હતા.. અને સાથે એવું પણ કહ્યું કે દેશમાં બીજો કોઈ ગાંધી પાકશે તો એ રાહુલ ગાંધી જ હશે... રાહુલ ગાંધીને પપ્પુ સાબિત કરવા કરોડો રુપિયા ખર્ચ્યા છે તેવું પણ સામે આવ્યું છે... 


વીડિયો વાયરલ થયા બાદ તેમણે આપી પ્રતિક્રિયા

જ્યારે ગાંધીજી માટે અપમાનજનક શબ્દો પ્રયોગ કરવાના મામલે ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, પહેલા તો આનંદનો વિષય છે કે, ગાંધીજીનો વિરોધ કરનારા લોકો ગાંધીજી માટે વાત કરી રહ્યા છે. ઇતિહાસમાં જે લખાયેલી છે, પુસ્તકોમાં જે લખાયું છે તે વાત મેં કરી હતી. તે બાદ તેમણે વીડિયોને લઈ સ્પષ્ટતા આપી હતી અને તેમણે ભાજપ વિશે પણ વાત કરી હતી.  


રાજનેતાઓની ભાષામાં વધ્યું હીનતાનું પ્રમાણ

ભાન ભૂલીને પ્રચાર કરવો નેતાઓ માટે કેટલું યોગ્ય કહી શકાય.. અગાઉ પણ અમે કહ્યું હતું કે, રાજકારણમાં ભાષા એક મહત્ત્વપૂર્ણ અંગ છે. લોકશાહીમાં જેની ભાષા પરની પકડ મજબૂત હોય છે એ જ નેતા ચાલે છે.પણ  આઝાદી બાદ દેશમાં રાજકારણમાં ભાષામાં અઢળક પરિવર્તન આવ્યું અને ભાષામાં હીનતાનું પ્રમાણ પણ વધતુ જોવા મળ્યું... 



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે