કોંગ્રેસ અગ્રણી મગન પટેલ 300 સમર્થકો સાથે સી આર પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાશે


  • Published By :
  • Published Date : 2022-11-15 18:34:55


ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ત્યારથી સૌથી વધુ કોંગ્રેસના નેતાઓએ પક્ષપલટો કર્યો છે. હવે અંકલેશ્વર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મગન પટેલ સહિતના હોદ્દેદારો એ રાજીનામું ધરી કોંગ્રેસ પાર્ટી ને બાય બાય કરી દીધું છે. કોંગ્રેસે વિજયસિંહ પટેલને ટિકિટ આપતા તેમણે પાર્ટી સામે નારાજગી દર્શાવી ટેકેદારો અને હોદ્દેદારો સાથે રાજીનામું આપ્યું હતું. મગન પટેલ તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાઈ રહ્યા છે. કોંગ્રેસને દક્ષિણ ગુજરાતમાં આ સૌથી મોટો ઝટકો કહીં શકાય.


મગન પટેલ 300 સમર્થકો સાથે ભાજપમાં જોડાશે


મગન પટેલ અંકલેશ્વર બેઠક પર ટીકીટ ફાળવણીને લઈ કોંગ્રેસથી નારાજ હતા. મગન પટેલની સાથે તેમની સાથે તાલુકા પ્રમુખ દેવેન્દ્ર પ્રસાદ ઉપાધ્યાય, મોહંમદ કલીમ શાહ, મનસુખ રાખશીયા, વિનય પટેલ, હિરેન ચૌહાણ, વિજયસિંહ ગોહિલ, શૈલેષ ભગત, હેમત પટેલ, ઠાકોર પુના વસાવા, ચંદુ ભિંગરોડીયા, સુરેશ ભરવાડ જયદીપ પટેલ સહીત આગેવાનોએ રાજીનામું ધરી દીધા હતા. હવે તેઓ તેમના 300થી વધુ સમર્થકો સાથે કેસરીયા કરશે. મગન પટેલ તેમના સમર્થકો સાથે ગાંઘીનગર પહોંચશે અને સી આર પાટીલની ઉપસ્થિતીમાં ભાજપમાં જોડાશે.


મગન પટેલે શા માટે કોંગ્રેસ છોડી? 


કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ મગન પટેલે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, "ભાજપની વિકાસની વિચારધારાથી પ્રેરાઇને આ નિર્ણય લીધો છે. તેમણે જણાવ્યું હતું કે, ચૂંટણી સમયે ભાજપમાં જોડાવવા પાછળ ટિકિટની લાલચ નથી, તથા મને ટિકિટ માટે પણ કોઇ પ્રકારની બાંહેધરી નથી અપાઇ'




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.