કોંગ્રેસ અગ્રણી મગન પટેલ 300 સમર્થકો સાથે સી આર પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાશે


  • Published By :
  • Published Date : 2022-11-15 18:34:55


ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ત્યારથી સૌથી વધુ કોંગ્રેસના નેતાઓએ પક્ષપલટો કર્યો છે. હવે અંકલેશ્વર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મગન પટેલ સહિતના હોદ્દેદારો એ રાજીનામું ધરી કોંગ્રેસ પાર્ટી ને બાય બાય કરી દીધું છે. કોંગ્રેસે વિજયસિંહ પટેલને ટિકિટ આપતા તેમણે પાર્ટી સામે નારાજગી દર્શાવી ટેકેદારો અને હોદ્દેદારો સાથે રાજીનામું આપ્યું હતું. મગન પટેલ તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાઈ રહ્યા છે. કોંગ્રેસને દક્ષિણ ગુજરાતમાં આ સૌથી મોટો ઝટકો કહીં શકાય.


મગન પટેલ 300 સમર્થકો સાથે ભાજપમાં જોડાશે


મગન પટેલ અંકલેશ્વર બેઠક પર ટીકીટ ફાળવણીને લઈ કોંગ્રેસથી નારાજ હતા. મગન પટેલની સાથે તેમની સાથે તાલુકા પ્રમુખ દેવેન્દ્ર પ્રસાદ ઉપાધ્યાય, મોહંમદ કલીમ શાહ, મનસુખ રાખશીયા, વિનય પટેલ, હિરેન ચૌહાણ, વિજયસિંહ ગોહિલ, શૈલેષ ભગત, હેમત પટેલ, ઠાકોર પુના વસાવા, ચંદુ ભિંગરોડીયા, સુરેશ ભરવાડ જયદીપ પટેલ સહીત આગેવાનોએ રાજીનામું ધરી દીધા હતા. હવે તેઓ તેમના 300થી વધુ સમર્થકો સાથે કેસરીયા કરશે. મગન પટેલ તેમના સમર્થકો સાથે ગાંઘીનગર પહોંચશે અને સી આર પાટીલની ઉપસ્થિતીમાં ભાજપમાં જોડાશે.


મગન પટેલે શા માટે કોંગ્રેસ છોડી? 


કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ મગન પટેલે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, "ભાજપની વિકાસની વિચારધારાથી પ્રેરાઇને આ નિર્ણય લીધો છે. તેમણે જણાવ્યું હતું કે, ચૂંટણી સમયે ભાજપમાં જોડાવવા પાછળ ટિકિટની લાલચ નથી, તથા મને ટિકિટ માટે પણ કોઇ પ્રકારની બાંહેધરી નથી અપાઇ'




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.