કોંગ્રેસ અગ્રણી મગન પટેલ 300 સમર્થકો સાથે સી આર પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાશે


  • Published By :
  • Published Date : 2022-11-15 18:34:55


ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ત્યારથી સૌથી વધુ કોંગ્રેસના નેતાઓએ પક્ષપલટો કર્યો છે. હવે અંકલેશ્વર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મગન પટેલ સહિતના હોદ્દેદારો એ રાજીનામું ધરી કોંગ્રેસ પાર્ટી ને બાય બાય કરી દીધું છે. કોંગ્રેસે વિજયસિંહ પટેલને ટિકિટ આપતા તેમણે પાર્ટી સામે નારાજગી દર્શાવી ટેકેદારો અને હોદ્દેદારો સાથે રાજીનામું આપ્યું હતું. મગન પટેલ તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાઈ રહ્યા છે. કોંગ્રેસને દક્ષિણ ગુજરાતમાં આ સૌથી મોટો ઝટકો કહીં શકાય.


મગન પટેલ 300 સમર્થકો સાથે ભાજપમાં જોડાશે


મગન પટેલ અંકલેશ્વર બેઠક પર ટીકીટ ફાળવણીને લઈ કોંગ્રેસથી નારાજ હતા. મગન પટેલની સાથે તેમની સાથે તાલુકા પ્રમુખ દેવેન્દ્ર પ્રસાદ ઉપાધ્યાય, મોહંમદ કલીમ શાહ, મનસુખ રાખશીયા, વિનય પટેલ, હિરેન ચૌહાણ, વિજયસિંહ ગોહિલ, શૈલેષ ભગત, હેમત પટેલ, ઠાકોર પુના વસાવા, ચંદુ ભિંગરોડીયા, સુરેશ ભરવાડ જયદીપ પટેલ સહીત આગેવાનોએ રાજીનામું ધરી દીધા હતા. હવે તેઓ તેમના 300થી વધુ સમર્થકો સાથે કેસરીયા કરશે. મગન પટેલ તેમના સમર્થકો સાથે ગાંઘીનગર પહોંચશે અને સી આર પાટીલની ઉપસ્થિતીમાં ભાજપમાં જોડાશે.


મગન પટેલે શા માટે કોંગ્રેસ છોડી? 


કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ મગન પટેલે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, "ભાજપની વિકાસની વિચારધારાથી પ્રેરાઇને આ નિર્ણય લીધો છે. તેમણે જણાવ્યું હતું કે, ચૂંટણી સમયે ભાજપમાં જોડાવવા પાછળ ટિકિટની લાલચ નથી, તથા મને ટિકિટ માટે પણ કોઇ પ્રકારની બાંહેધરી નથી અપાઇ'




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.