Flying Kissને લઈ Congress નેતા Neetu Singhએ વિવાદિત નિવેદન આપ્યું! ભલે કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધીને યુવાન માનતા હોય પરંતુ...


  • Published By :
  • Published Date : 2023-08-12 17:20:08

સંસદમાં એક તરફ મણિપુર જેવા ગંભીર મુદ્દાઓ પર ચર્ચા થવી જોઈતી, ત્યાં રાહુલ ગાંધીના ફ્લાઈંગ કિસ પર ચર્ચા થઈ. રાહુલ ગાંધી વિરૂદ્ધ મહિલા સાંસદોએ લેખિતમાં ફરિયાદ કરી હતી. સ્મૃતિ ઈરાનીએ પોતાના ભાષણમાં પણ તે વાતનો ઉલ્લેખ કર્યો હતો. ફ્લાઈંગિ કિસ મુદ્દે અલગ અલગ નેતાઓની પ્રતિક્રિયા સામે આવી. આ બધા વચ્ચે કોંગ્રેસના એક નેતાએ જબરો તર્ક આપ્યો. બિહારના કોંગ્રેસ ધારાસભ્ય નીતુ સિંહે આ મામલે સ્મૃતિ ઈરાનીને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે જો રાહુલ ગાંધીને ફ્લાઈંગ કિસ આપવી હોય તો તેઓ 50 વર્ષની વૃદ્ધ મહિલાને શા માટે આપશે?

ફ્લાઈંગ કિસને લઈ નીતુસિંહે આપી પ્રતિક્રિયા

નીતુ સિંહ નવાદા જિલ્લાની હિસુઆ સીટથી કોંગ્રેસના ધારાસભ્ય છે.એક મીડિયા સાથેની વાતચિતમાં તેમણે કહ્યું “રાહુલ ગાંધીજી સ્પીકર તરફ ઈશારો કરી રહ્યા હતા, તેઓ (સ્મૃતિ ઈરાની) કેવી રીતે સમજી ગયા કે તેઓ તેમને ફ્લાઈંગ કિસ આપી રહ્યા છે… આપણા રાહુલ જીને છોકરીઓની કોઈ કમી નથી. જો તેને ફ્લાઈંગ કિસ આપવી હોય તો તે છોકરીને આપશે, તે 50 વર્ષની મહિલાને કઈ ફ્લાઈંગ કિસ આપશે? આ તમામ આક્ષેપો પાયાવિહોણા છે. નીતુ સિંહના નિવેદનને લઈને ભાજપે કોંગ્રેસ પર પ્રહારો કર્યા છે. નીતુ સિંહના નિવેદનની ટીકા કરતા ભાજપના પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ કહ્યું કે મહિલા વિરોધી કોંગ્રેસ સંસદની અંદર રાહુલ ગાંધીના દુષ્કર્મનો પણ બચાવ કરી શકે છે.


જો સ્મૃતિ ઈરાનીને બુઢ્ઢી ગણવામાં આવે તો રાહુલ ગાંધીને શું કહેશો!

કોઈ પણ સ્થિતિમાં નીતુ સિંહનું આવું નિવેદન ટીકાને પાત્ર છે. સ્મૃતિ ઈરાની કેટલા સાચા કેટલા ખોટાએ આગળ જતાં ખબર પડશે, પરંતુ એક મહિલા જ મહિલા વિષે આવું બોલે એ કઈ રીતે ચાલે? ત્યારે પ્રશ્ન એ થાય કે શું નીતુ સિંહને રાહુલ ગાંધીની ઉંમર ખબર છે? રાહુલ ગાંધીને ભલે યુવાન બતાવવાનો પ્રયાસ કરવામાં આવતા હોય, અને યુવાનીને મગજ સાથે સંબંધ છે તો રાહુલ ગાંધીને યુવાન કહી શકાય. તેમને ભલે યુવાન બતાવવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા હોય પરંતુ તે 53 વર્ષના છે, અને માત્ર 7 વર્ષ બાદ તે સિનિયર સિટિઝનમાં આવી જશે. અને એટલા માટે જો સ્મૃતિ ઈરાની બુઢ્ઢી છે તો રાહુલ ગાંધીને શું કહીશું?  




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.