Flying Kissને લઈ Congress નેતા Neetu Singhએ વિવાદિત નિવેદન આપ્યું! ભલે કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધીને યુવાન માનતા હોય પરંતુ...


  • Published By :
  • Published Date : 2023-08-12 17:20:08

સંસદમાં એક તરફ મણિપુર જેવા ગંભીર મુદ્દાઓ પર ચર્ચા થવી જોઈતી, ત્યાં રાહુલ ગાંધીના ફ્લાઈંગ કિસ પર ચર્ચા થઈ. રાહુલ ગાંધી વિરૂદ્ધ મહિલા સાંસદોએ લેખિતમાં ફરિયાદ કરી હતી. સ્મૃતિ ઈરાનીએ પોતાના ભાષણમાં પણ તે વાતનો ઉલ્લેખ કર્યો હતો. ફ્લાઈંગિ કિસ મુદ્દે અલગ અલગ નેતાઓની પ્રતિક્રિયા સામે આવી. આ બધા વચ્ચે કોંગ્રેસના એક નેતાએ જબરો તર્ક આપ્યો. બિહારના કોંગ્રેસ ધારાસભ્ય નીતુ સિંહે આ મામલે સ્મૃતિ ઈરાનીને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે જો રાહુલ ગાંધીને ફ્લાઈંગ કિસ આપવી હોય તો તેઓ 50 વર્ષની વૃદ્ધ મહિલાને શા માટે આપશે?

ફ્લાઈંગ કિસને લઈ નીતુસિંહે આપી પ્રતિક્રિયા

નીતુ સિંહ નવાદા જિલ્લાની હિસુઆ સીટથી કોંગ્રેસના ધારાસભ્ય છે.એક મીડિયા સાથેની વાતચિતમાં તેમણે કહ્યું “રાહુલ ગાંધીજી સ્પીકર તરફ ઈશારો કરી રહ્યા હતા, તેઓ (સ્મૃતિ ઈરાની) કેવી રીતે સમજી ગયા કે તેઓ તેમને ફ્લાઈંગ કિસ આપી રહ્યા છે… આપણા રાહુલ જીને છોકરીઓની કોઈ કમી નથી. જો તેને ફ્લાઈંગ કિસ આપવી હોય તો તે છોકરીને આપશે, તે 50 વર્ષની મહિલાને કઈ ફ્લાઈંગ કિસ આપશે? આ તમામ આક્ષેપો પાયાવિહોણા છે. નીતુ સિંહના નિવેદનને લઈને ભાજપે કોંગ્રેસ પર પ્રહારો કર્યા છે. નીતુ સિંહના નિવેદનની ટીકા કરતા ભાજપના પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ કહ્યું કે મહિલા વિરોધી કોંગ્રેસ સંસદની અંદર રાહુલ ગાંધીના દુષ્કર્મનો પણ બચાવ કરી શકે છે.


જો સ્મૃતિ ઈરાનીને બુઢ્ઢી ગણવામાં આવે તો રાહુલ ગાંધીને શું કહેશો!

કોઈ પણ સ્થિતિમાં નીતુ સિંહનું આવું નિવેદન ટીકાને પાત્ર છે. સ્મૃતિ ઈરાની કેટલા સાચા કેટલા ખોટાએ આગળ જતાં ખબર પડશે, પરંતુ એક મહિલા જ મહિલા વિષે આવું બોલે એ કઈ રીતે ચાલે? ત્યારે પ્રશ્ન એ થાય કે શું નીતુ સિંહને રાહુલ ગાંધીની ઉંમર ખબર છે? રાહુલ ગાંધીને ભલે યુવાન બતાવવાનો પ્રયાસ કરવામાં આવતા હોય, અને યુવાનીને મગજ સાથે સંબંધ છે તો રાહુલ ગાંધીને યુવાન કહી શકાય. તેમને ભલે યુવાન બતાવવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા હોય પરંતુ તે 53 વર્ષના છે, અને માત્ર 7 વર્ષ બાદ તે સિનિયર સિટિઝનમાં આવી જશે. અને એટલા માટે જો સ્મૃતિ ઈરાની બુઢ્ઢી છે તો રાહુલ ગાંધીને શું કહીશું?  




સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.