Flying Kissને લઈ Congress નેતા Neetu Singhએ વિવાદિત નિવેદન આપ્યું! ભલે કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધીને યુવાન માનતા હોય પરંતુ...


  • Published By :
  • Published Date : 2023-08-12 17:20:08

સંસદમાં એક તરફ મણિપુર જેવા ગંભીર મુદ્દાઓ પર ચર્ચા થવી જોઈતી, ત્યાં રાહુલ ગાંધીના ફ્લાઈંગ કિસ પર ચર્ચા થઈ. રાહુલ ગાંધી વિરૂદ્ધ મહિલા સાંસદોએ લેખિતમાં ફરિયાદ કરી હતી. સ્મૃતિ ઈરાનીએ પોતાના ભાષણમાં પણ તે વાતનો ઉલ્લેખ કર્યો હતો. ફ્લાઈંગિ કિસ મુદ્દે અલગ અલગ નેતાઓની પ્રતિક્રિયા સામે આવી. આ બધા વચ્ચે કોંગ્રેસના એક નેતાએ જબરો તર્ક આપ્યો. બિહારના કોંગ્રેસ ધારાસભ્ય નીતુ સિંહે આ મામલે સ્મૃતિ ઈરાનીને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે જો રાહુલ ગાંધીને ફ્લાઈંગ કિસ આપવી હોય તો તેઓ 50 વર્ષની વૃદ્ધ મહિલાને શા માટે આપશે?

ફ્લાઈંગ કિસને લઈ નીતુસિંહે આપી પ્રતિક્રિયા

નીતુ સિંહ નવાદા જિલ્લાની હિસુઆ સીટથી કોંગ્રેસના ધારાસભ્ય છે.એક મીડિયા સાથેની વાતચિતમાં તેમણે કહ્યું “રાહુલ ગાંધીજી સ્પીકર તરફ ઈશારો કરી રહ્યા હતા, તેઓ (સ્મૃતિ ઈરાની) કેવી રીતે સમજી ગયા કે તેઓ તેમને ફ્લાઈંગ કિસ આપી રહ્યા છે… આપણા રાહુલ જીને છોકરીઓની કોઈ કમી નથી. જો તેને ફ્લાઈંગ કિસ આપવી હોય તો તે છોકરીને આપશે, તે 50 વર્ષની મહિલાને કઈ ફ્લાઈંગ કિસ આપશે? આ તમામ આક્ષેપો પાયાવિહોણા છે. નીતુ સિંહના નિવેદનને લઈને ભાજપે કોંગ્રેસ પર પ્રહારો કર્યા છે. નીતુ સિંહના નિવેદનની ટીકા કરતા ભાજપના પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ કહ્યું કે મહિલા વિરોધી કોંગ્રેસ સંસદની અંદર રાહુલ ગાંધીના દુષ્કર્મનો પણ બચાવ કરી શકે છે.


જો સ્મૃતિ ઈરાનીને બુઢ્ઢી ગણવામાં આવે તો રાહુલ ગાંધીને શું કહેશો!

કોઈ પણ સ્થિતિમાં નીતુ સિંહનું આવું નિવેદન ટીકાને પાત્ર છે. સ્મૃતિ ઈરાની કેટલા સાચા કેટલા ખોટાએ આગળ જતાં ખબર પડશે, પરંતુ એક મહિલા જ મહિલા વિષે આવું બોલે એ કઈ રીતે ચાલે? ત્યારે પ્રશ્ન એ થાય કે શું નીતુ સિંહને રાહુલ ગાંધીની ઉંમર ખબર છે? રાહુલ ગાંધીને ભલે યુવાન બતાવવાનો પ્રયાસ કરવામાં આવતા હોય, અને યુવાનીને મગજ સાથે સંબંધ છે તો રાહુલ ગાંધીને યુવાન કહી શકાય. તેમને ભલે યુવાન બતાવવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા હોય પરંતુ તે 53 વર્ષના છે, અને માત્ર 7 વર્ષ બાદ તે સિનિયર સિટિઝનમાં આવી જશે. અને એટલા માટે જો સ્મૃતિ ઈરાની બુઢ્ઢી છે તો રાહુલ ગાંધીને શું કહીશું?  




રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .