Flying Kissને લઈ Congress નેતા Neetu Singhએ વિવાદિત નિવેદન આપ્યું! ભલે કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધીને યુવાન માનતા હોય પરંતુ...


  • Published By :
  • Published Date : 2023-08-12 17:20:08

સંસદમાં એક તરફ મણિપુર જેવા ગંભીર મુદ્દાઓ પર ચર્ચા થવી જોઈતી, ત્યાં રાહુલ ગાંધીના ફ્લાઈંગ કિસ પર ચર્ચા થઈ. રાહુલ ગાંધી વિરૂદ્ધ મહિલા સાંસદોએ લેખિતમાં ફરિયાદ કરી હતી. સ્મૃતિ ઈરાનીએ પોતાના ભાષણમાં પણ તે વાતનો ઉલ્લેખ કર્યો હતો. ફ્લાઈંગિ કિસ મુદ્દે અલગ અલગ નેતાઓની પ્રતિક્રિયા સામે આવી. આ બધા વચ્ચે કોંગ્રેસના એક નેતાએ જબરો તર્ક આપ્યો. બિહારના કોંગ્રેસ ધારાસભ્ય નીતુ સિંહે આ મામલે સ્મૃતિ ઈરાનીને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે જો રાહુલ ગાંધીને ફ્લાઈંગ કિસ આપવી હોય તો તેઓ 50 વર્ષની વૃદ્ધ મહિલાને શા માટે આપશે?

ફ્લાઈંગ કિસને લઈ નીતુસિંહે આપી પ્રતિક્રિયા

નીતુ સિંહ નવાદા જિલ્લાની હિસુઆ સીટથી કોંગ્રેસના ધારાસભ્ય છે.એક મીડિયા સાથેની વાતચિતમાં તેમણે કહ્યું “રાહુલ ગાંધીજી સ્પીકર તરફ ઈશારો કરી રહ્યા હતા, તેઓ (સ્મૃતિ ઈરાની) કેવી રીતે સમજી ગયા કે તેઓ તેમને ફ્લાઈંગ કિસ આપી રહ્યા છે… આપણા રાહુલ જીને છોકરીઓની કોઈ કમી નથી. જો તેને ફ્લાઈંગ કિસ આપવી હોય તો તે છોકરીને આપશે, તે 50 વર્ષની મહિલાને કઈ ફ્લાઈંગ કિસ આપશે? આ તમામ આક્ષેપો પાયાવિહોણા છે. નીતુ સિંહના નિવેદનને લઈને ભાજપે કોંગ્રેસ પર પ્રહારો કર્યા છે. નીતુ સિંહના નિવેદનની ટીકા કરતા ભાજપના પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ કહ્યું કે મહિલા વિરોધી કોંગ્રેસ સંસદની અંદર રાહુલ ગાંધીના દુષ્કર્મનો પણ બચાવ કરી શકે છે.


જો સ્મૃતિ ઈરાનીને બુઢ્ઢી ગણવામાં આવે તો રાહુલ ગાંધીને શું કહેશો!

કોઈ પણ સ્થિતિમાં નીતુ સિંહનું આવું નિવેદન ટીકાને પાત્ર છે. સ્મૃતિ ઈરાની કેટલા સાચા કેટલા ખોટાએ આગળ જતાં ખબર પડશે, પરંતુ એક મહિલા જ મહિલા વિષે આવું બોલે એ કઈ રીતે ચાલે? ત્યારે પ્રશ્ન એ થાય કે શું નીતુ સિંહને રાહુલ ગાંધીની ઉંમર ખબર છે? રાહુલ ગાંધીને ભલે યુવાન બતાવવાનો પ્રયાસ કરવામાં આવતા હોય, અને યુવાનીને મગજ સાથે સંબંધ છે તો રાહુલ ગાંધીને યુવાન કહી શકાય. તેમને ભલે યુવાન બતાવવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા હોય પરંતુ તે 53 વર્ષના છે, અને માત્ર 7 વર્ષ બાદ તે સિનિયર સિટિઝનમાં આવી જશે. અને એટલા માટે જો સ્મૃતિ ઈરાની બુઢ્ઢી છે તો રાહુલ ગાંધીને શું કહીશું?  




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.