કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મળ્યા પહલગામના ઘાયલોને!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-04-25 17:01:58

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે . 

Image

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુકાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌપ્રથમ તેમણે શ્રીનગરના બદામીબાગ કેન્ટોન્મેન્ટમાં આવેલી આર્મી બેઝ હોસ્પિટલની મુલાકાત લીધી છે. જેમાં પહલગામના આતંકી હુમલાના ઘાયલો સારવાર હેઠળ રખાયા છે. લોકસભાના વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધીની સાથે  જમ્મુ કાશ્મીરના પ્રદેશ કોન્ગ્રેસ્સ અધ્યક્ષ તારિક હામિદ કરા અને કોંગ્રેસના જનરલ સેક્રેટરી કે સી વેણુગોપાલ છે. આ પછી રાહુલ ગાંધીએ જમ્મુકાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની મુલાકાતે પહોંચ્યા છે સાથે જ તેમણે એલજી મનોજ સિન્હાની પણ મુલાકાત લીધી છે. આ પછી રાહુલ ગાંધી અન્ય ડેલિગેશન અને અધિકારીઓ સાથે પણ બેઠક યોજવાના છે. જયારે પહલગામમાં આતંકી હુમલો થયો એ પછી રાહુલ ગાંધી તેમની અમેરિકાની યાત્રા ટૂંકાવીને પરત ફર્યા છે. રાહુલ ગાંધીએ કેદ્રમાં સત્તાધારી પક્ષ NDA દ્વારા જે સર્વદળીય બેઠક બોલાવવામાં આવી હતી તેમાં હાજરી આપી હતી. આ બેઠકમાં કેન્દ્ર સરકારે સુરક્ષામાં રહેલી ચૂકનો સ્વીકાર કર્યો છે. સાથે જ આ બેઠક પત્યા પછી રાહુલ ગાંધીએ કહ્યું છે કે સરકાર જે પણ પગલા લેશે અમે તેનું સમર્થન કરીશું. 

Image

પહલગામમાં જે આતંકી હુમલો થયો છે તેના પછી ભારતીય સેના જોરદાર રીતે એક્શનમાં છે. સાથે જ ભારતની એક વાત ખુબ જ સ્પષ્ટ છે કે , "પાણી અને લોહી એક સાથે વહી નઈ શકે. " તો આ બાજુ યુએસના સ્ટેટ ડિપાર્ટમેન્ટએ જાહેરાત કરી છે કે , અમેરિકા ભારત સાથે ખુબ જ મજબુતીથી ઉભું છે. અમે ઘાયલોના સાજા થવા માટે પ્રાર્થના કરીએ છીએ. પહલગામના આતંકી હુમલાના ગુનેગારોને સજા મળવી જોઇએ .  આજે પહલગામમાં બાઇસારન ઘાટીમાં ભૂમિ સેનાના વડા ઉપેન્દ્ર ત્રિવેદી પણ પહોંચ્યા છે. 

Upendra Dwivedi - Wikipedia

પાકિસ્તાને પોતાના ત્યાં સુરક્ષામાં વધારો કર્યો છે , પાકિસ્તાનને ચિંતા છે કે , ભારતીય સેના કોઈ પણ સમયે જવાબી કાર્યવાહી કરી શકે છે. જોકે આ સમગ્ર મામલે પાકિસ્તાનના રક્ષામંત્રી ખવાજા આસિફ ની પ્રતિક્રિયા સામે આવી છે , તેમણે કહ્યું છે કે ભારતે પહલગામના આતંકવાદી હુમલા પછી જે પણ પગલા લીધા છે તેનાથી બેઉ દેશો વચ્ચે "ઓલ આઉટ વોરની " સંભાવના છે. સાથેજ વિશ્વએ હવે ચિંતિત થવું પડશે કેમ કે , બેઉ દેશો ભારત પાકિસ્તાનની જોડે પરમાણુ હથિયારો છે. આ ઉપરાંત પાકિસ્તાની મિલિટરી કોઈ પણ પ્રકારની લશ્કરી ગતિવિધિનો જવાબ આપવા માટે તૈયાર છે. " 

J&K attack: Pak top leaders meet today after India downgrades diplomatic  ties



અમદાવાદમાં ઇતિહાસના સૌથી મોટા ડિમોલિશનના ભાગ રૂપે ચંડોળામાં આજે પણ ફેઝ 2ની કામગીરી ચાલુ જ છે . ચંડોળા તળાવમાં આવેલી તમામ મસ્જિદ સહિતના ધાર્મિક સ્થાનોને તોડવાની શરૂઆત કરવામાં આવી છે. આ કામગીરી દરમ્યાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ક્રાઇમ બ્રાન્ચ સહીત પોલીસનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો આવો જાણીએ ચંડોળામાં ચાલી રહેલા ફેઝ ૨ના મેગા ડિમોલિશન વિશે.

પાછલા ઘણા સમયથી પાકિસ્તાનમાં એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે . ભારતની વિરુદ્ધમાં જે આતંકીઓએ ભૂતકાળમાં આતંકવાદી હુમલાઓની સાજીશ કરી હતી તે આંતકીઓની હવે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હત્યા થઇ રહી છે. આ ક્રમમાં હવે લશ્કરના આતંકી સૈફુલ્લા ખાલિદનો નંબર આવ્યો છે . જેની હત્યા અજાણ્યા હુમલાવરો દ્વારા કરી દેવાઈ છે. તેની પર આરોપ હતો કે ૨૦૦૬માં RSSના નાગપુર સ્થિત મુખ્યાલય પરના અટેકનો તે માસ્ટરમાઈન્ડ હતો . પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ત્રણ ગનમેન દ્વારા સૈફુલ્લા ખાલિદની હત્યા કર દેવાઈ છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ લઇને આજે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે , ભારતીય સેનાએ સ્પષ્ટ કરી દીધું છે કે , પાકિસ્તાન સાથે DGMO સ્તરની કોઈ પણ વાતચીત આજે નઈ થાય . સીઝફાયર ચાલુ જ રહેશે. બેઉ દેશોના DGMO એટલેકે , ડિરેક્ટોરેટ જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ વચ્ચે આજે કોઈ જ સંવાદ નથી થવા જઈ રહ્યો .

રક્ષામંત્રી રાજનાથ સિંહે ઓપરેશન સિંદૂર પછી પ્રથમ વખત ગુજરાત પ્રવાસે છે. આજે રક્ષામંત્રી રાજનાથસિંહ ભુજ એરબેઝની મુલાકાતે પહોંચ્યા છે. જ્યાં તેઓ એરફોર્સે , BSF અને આર્મીના અધિકારીઓ - જવાનોને મળીને ચર્ચા કરીને સરહદ પરની સુરક્ષા અંગે સમીક્ષા કરી છે. આ સાથેજ રક્ષામંત્રી રાજનાથ સિંહ ગુજરાતમાં ભારત - પાકિસ્તાન સરહદના વિવિધ વિસ્તારોની મુલાકાત પણ કરી છે. તો આવો જાણીએ રક્ષામંત્રી રાજનાથ સિંહના પ્રવાસ વિશે.