કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મળ્યા પહલગામના ઘાયલોને!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-04-25 17:01:58

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે . 

Image

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુકાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌપ્રથમ તેમણે શ્રીનગરના બદામીબાગ કેન્ટોન્મેન્ટમાં આવેલી આર્મી બેઝ હોસ્પિટલની મુલાકાત લીધી છે. જેમાં પહલગામના આતંકી હુમલાના ઘાયલો સારવાર હેઠળ રખાયા છે. લોકસભાના વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધીની સાથે  જમ્મુ કાશ્મીરના પ્રદેશ કોન્ગ્રેસ્સ અધ્યક્ષ તારિક હામિદ કરા અને કોંગ્રેસના જનરલ સેક્રેટરી કે સી વેણુગોપાલ છે. આ પછી રાહુલ ગાંધીએ જમ્મુકાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની મુલાકાતે પહોંચ્યા છે સાથે જ તેમણે એલજી મનોજ સિન્હાની પણ મુલાકાત લીધી છે. આ પછી રાહુલ ગાંધી અન્ય ડેલિગેશન અને અધિકારીઓ સાથે પણ બેઠક યોજવાના છે. જયારે પહલગામમાં આતંકી હુમલો થયો એ પછી રાહુલ ગાંધી તેમની અમેરિકાની યાત્રા ટૂંકાવીને પરત ફર્યા છે. રાહુલ ગાંધીએ કેદ્રમાં સત્તાધારી પક્ષ NDA દ્વારા જે સર્વદળીય બેઠક બોલાવવામાં આવી હતી તેમાં હાજરી આપી હતી. આ બેઠકમાં કેન્દ્ર સરકારે સુરક્ષામાં રહેલી ચૂકનો સ્વીકાર કર્યો છે. સાથે જ આ બેઠક પત્યા પછી રાહુલ ગાંધીએ કહ્યું છે કે સરકાર જે પણ પગલા લેશે અમે તેનું સમર્થન કરીશું. 

Image

પહલગામમાં જે આતંકી હુમલો થયો છે તેના પછી ભારતીય સેના જોરદાર રીતે એક્શનમાં છે. સાથે જ ભારતની એક વાત ખુબ જ સ્પષ્ટ છે કે , "પાણી અને લોહી એક સાથે વહી નઈ શકે. " તો આ બાજુ યુએસના સ્ટેટ ડિપાર્ટમેન્ટએ જાહેરાત કરી છે કે , અમેરિકા ભારત સાથે ખુબ જ મજબુતીથી ઉભું છે. અમે ઘાયલોના સાજા થવા માટે પ્રાર્થના કરીએ છીએ. પહલગામના આતંકી હુમલાના ગુનેગારોને સજા મળવી જોઇએ .  આજે પહલગામમાં બાઇસારન ઘાટીમાં ભૂમિ સેનાના વડા ઉપેન્દ્ર ત્રિવેદી પણ પહોંચ્યા છે. 

Upendra Dwivedi - Wikipedia

પાકિસ્તાને પોતાના ત્યાં સુરક્ષામાં વધારો કર્યો છે , પાકિસ્તાનને ચિંતા છે કે , ભારતીય સેના કોઈ પણ સમયે જવાબી કાર્યવાહી કરી શકે છે. જોકે આ સમગ્ર મામલે પાકિસ્તાનના રક્ષામંત્રી ખવાજા આસિફ ની પ્રતિક્રિયા સામે આવી છે , તેમણે કહ્યું છે કે ભારતે પહલગામના આતંકવાદી હુમલા પછી જે પણ પગલા લીધા છે તેનાથી બેઉ દેશો વચ્ચે "ઓલ આઉટ વોરની " સંભાવના છે. સાથેજ વિશ્વએ હવે ચિંતિત થવું પડશે કેમ કે , બેઉ દેશો ભારત પાકિસ્તાનની જોડે પરમાણુ હથિયારો છે. આ ઉપરાંત પાકિસ્તાની મિલિટરી કોઈ પણ પ્રકારની લશ્કરી ગતિવિધિનો જવાબ આપવા માટે તૈયાર છે. " 

J&K attack: Pak top leaders meet today after India downgrades diplomatic  ties



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.