કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મળ્યા પહલગામના ઘાયલોને!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-04-25 17:01:58

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે . 

Image

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુકાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌપ્રથમ તેમણે શ્રીનગરના બદામીબાગ કેન્ટોન્મેન્ટમાં આવેલી આર્મી બેઝ હોસ્પિટલની મુલાકાત લીધી છે. જેમાં પહલગામના આતંકી હુમલાના ઘાયલો સારવાર હેઠળ રખાયા છે. લોકસભાના વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધીની સાથે  જમ્મુ કાશ્મીરના પ્રદેશ કોન્ગ્રેસ્સ અધ્યક્ષ તારિક હામિદ કરા અને કોંગ્રેસના જનરલ સેક્રેટરી કે સી વેણુગોપાલ છે. આ પછી રાહુલ ગાંધીએ જમ્મુકાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની મુલાકાતે પહોંચ્યા છે સાથે જ તેમણે એલજી મનોજ સિન્હાની પણ મુલાકાત લીધી છે. આ પછી રાહુલ ગાંધી અન્ય ડેલિગેશન અને અધિકારીઓ સાથે પણ બેઠક યોજવાના છે. જયારે પહલગામમાં આતંકી હુમલો થયો એ પછી રાહુલ ગાંધી તેમની અમેરિકાની યાત્રા ટૂંકાવીને પરત ફર્યા છે. રાહુલ ગાંધીએ કેદ્રમાં સત્તાધારી પક્ષ NDA દ્વારા જે સર્વદળીય બેઠક બોલાવવામાં આવી હતી તેમાં હાજરી આપી હતી. આ બેઠકમાં કેન્દ્ર સરકારે સુરક્ષામાં રહેલી ચૂકનો સ્વીકાર કર્યો છે. સાથે જ આ બેઠક પત્યા પછી રાહુલ ગાંધીએ કહ્યું છે કે સરકાર જે પણ પગલા લેશે અમે તેનું સમર્થન કરીશું. 

Image

પહલગામમાં જે આતંકી હુમલો થયો છે તેના પછી ભારતીય સેના જોરદાર રીતે એક્શનમાં છે. સાથે જ ભારતની એક વાત ખુબ જ સ્પષ્ટ છે કે , "પાણી અને લોહી એક સાથે વહી નઈ શકે. " તો આ બાજુ યુએસના સ્ટેટ ડિપાર્ટમેન્ટએ જાહેરાત કરી છે કે , અમેરિકા ભારત સાથે ખુબ જ મજબુતીથી ઉભું છે. અમે ઘાયલોના સાજા થવા માટે પ્રાર્થના કરીએ છીએ. પહલગામના આતંકી હુમલાના ગુનેગારોને સજા મળવી જોઇએ .  આજે પહલગામમાં બાઇસારન ઘાટીમાં ભૂમિ સેનાના વડા ઉપેન્દ્ર ત્રિવેદી પણ પહોંચ્યા છે. 

Upendra Dwivedi - Wikipedia

પાકિસ્તાને પોતાના ત્યાં સુરક્ષામાં વધારો કર્યો છે , પાકિસ્તાનને ચિંતા છે કે , ભારતીય સેના કોઈ પણ સમયે જવાબી કાર્યવાહી કરી શકે છે. જોકે આ સમગ્ર મામલે પાકિસ્તાનના રક્ષામંત્રી ખવાજા આસિફ ની પ્રતિક્રિયા સામે આવી છે , તેમણે કહ્યું છે કે ભારતે પહલગામના આતંકવાદી હુમલા પછી જે પણ પગલા લીધા છે તેનાથી બેઉ દેશો વચ્ચે "ઓલ આઉટ વોરની " સંભાવના છે. સાથેજ વિશ્વએ હવે ચિંતિત થવું પડશે કેમ કે , બેઉ દેશો ભારત પાકિસ્તાનની જોડે પરમાણુ હથિયારો છે. આ ઉપરાંત પાકિસ્તાની મિલિટરી કોઈ પણ પ્રકારની લશ્કરી ગતિવિધિનો જવાબ આપવા માટે તૈયાર છે. " 

J&K attack: Pak top leaders meet today after India downgrades diplomatic  ties



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."