રાહુલ ગાંધીએ મોદી સરકારને ઘેરી, 'ચીને આપણી જમીન પર કબજો કર્યો છે, PM સાચું બોલતા નથી'


  • Published By :
  • Published Date : 2023-08-20 19:40:11

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લદ્દાખમાં મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, 'લદ્દાખના લોકોએ મને કહ્યું છે કે ચીનની સેના અહીં ઘૂસી ગઈ છે. જ્યાં તેમની ચરાણ જમીન હવે તેઓ ત્યાં જવા માટે સક્ષમ નથી. આ વાત લદ્દાખમાં બધા કહી રહ્યા છે. વડાપ્રધાને કહ્યું છે કે એક ઇંચ પણ જમીન ગઇ નથી, પરંતુ તે સાચું નથી. તમે અહીં કોઈને પણ પૂછો, તે તમને કહેશે. રાહુલ ગાંધીએ કહ્યું કે લદ્દાખના લોકોને ઘણી ફરિયાદો છે, તેઓને જે દરજ્જો આપવામાં આવ્યો છે તેનાથી તેઓ ખુશ નથી. તેમને પ્રતિનિધિત્વ જોઈએ છે અને બેરોજગારીની સમસ્યા છે. લોકો કહી રહ્યા છે કે રાજ્ય નોકરશાહી દ્વારા નહીં પરંતુ જનતાના અવાજથી ચાલવું જોઈએ.


રાહુલ ગાંધી હાલ લદ્દાખની મુલાકાતે


વાસ્તવમાં, રાહુલ ગાંધી તેમના પિતા અને પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની 77મી જન્મજયંતિ પર લદ્દાખ પહોંચ્યા છે. તેમણે અહીં પેંગોંગ ત્સો લેક ખાતે તેમના પિતાને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે તે ભારત જોડો યાત્રાના સમયે લદ્દાખ જવા માંગતો હતો, પરંતુ લોજિસ્ટિકલ કારણોસર ત્યાં જઈ શક્યો ન હતો. પછી તેમણે વિચાર્યું કે લદ્દાખની ટુર વિસ્તારથી કરીશું. રાહુલે કહ્યું કે તે લેહ ગયા હતા અને પેંગોંગ પછી હવે નુબ્રા જઈ રહ્યા છે. આ પછી તે કારગીલ પણ જશે. લોકોના દિલમાં શું છે તે સાંભળવા તેઓ અહીં આવ્યા છે.


પેંગોંગ સૌથી સુંદર સ્થળોમાંનું એક 


શનિવારે એક દિવસ પહેલા રાહુલ લદ્દાખથી પેંગોંગ જવા રવાના થયા હતા. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, 'મારા પિતા પેંગોંગ વિશે કહેતા હતા કે તે દુનિયાની સૌથી સુંદર જગ્યાઓમાંથી એક છે.' શનિવારે સવારે રાહુલ રાઇડર લુકમાં પેંગોંગ ત્સો લેક માટે રવાના થયા હતા. રાહુલના આ એડવેન્ચરના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આ દરમિયાન રાહુલ KTM બાઇક અને સ્પોર્ટ્સ હેલ્મેટમાં લદ્દાખના રસ્તાઓ પર બાઇક ચલાવતા જોવા મળ્યા હતા. રાહુલ ગાંધીએ પણ પોતાની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .