રાહુલ ગાંધીએ મોદી સરકારને ઘેરી, 'ચીને આપણી જમીન પર કબજો કર્યો છે, PM સાચું બોલતા નથી'


  • Published By :
  • Published Date : 2023-08-20 19:40:11

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લદ્દાખમાં મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, 'લદ્દાખના લોકોએ મને કહ્યું છે કે ચીનની સેના અહીં ઘૂસી ગઈ છે. જ્યાં તેમની ચરાણ જમીન હવે તેઓ ત્યાં જવા માટે સક્ષમ નથી. આ વાત લદ્દાખમાં બધા કહી રહ્યા છે. વડાપ્રધાને કહ્યું છે કે એક ઇંચ પણ જમીન ગઇ નથી, પરંતુ તે સાચું નથી. તમે અહીં કોઈને પણ પૂછો, તે તમને કહેશે. રાહુલ ગાંધીએ કહ્યું કે લદ્દાખના લોકોને ઘણી ફરિયાદો છે, તેઓને જે દરજ્જો આપવામાં આવ્યો છે તેનાથી તેઓ ખુશ નથી. તેમને પ્રતિનિધિત્વ જોઈએ છે અને બેરોજગારીની સમસ્યા છે. લોકો કહી રહ્યા છે કે રાજ્ય નોકરશાહી દ્વારા નહીં પરંતુ જનતાના અવાજથી ચાલવું જોઈએ.


રાહુલ ગાંધી હાલ લદ્દાખની મુલાકાતે


વાસ્તવમાં, રાહુલ ગાંધી તેમના પિતા અને પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની 77મી જન્મજયંતિ પર લદ્દાખ પહોંચ્યા છે. તેમણે અહીં પેંગોંગ ત્સો લેક ખાતે તેમના પિતાને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે તે ભારત જોડો યાત્રાના સમયે લદ્દાખ જવા માંગતો હતો, પરંતુ લોજિસ્ટિકલ કારણોસર ત્યાં જઈ શક્યો ન હતો. પછી તેમણે વિચાર્યું કે લદ્દાખની ટુર વિસ્તારથી કરીશું. રાહુલે કહ્યું કે તે લેહ ગયા હતા અને પેંગોંગ પછી હવે નુબ્રા જઈ રહ્યા છે. આ પછી તે કારગીલ પણ જશે. લોકોના દિલમાં શું છે તે સાંભળવા તેઓ અહીં આવ્યા છે.


પેંગોંગ સૌથી સુંદર સ્થળોમાંનું એક 


શનિવારે એક દિવસ પહેલા રાહુલ લદ્દાખથી પેંગોંગ જવા રવાના થયા હતા. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, 'મારા પિતા પેંગોંગ વિશે કહેતા હતા કે તે દુનિયાની સૌથી સુંદર જગ્યાઓમાંથી એક છે.' શનિવારે સવારે રાહુલ રાઇડર લુકમાં પેંગોંગ ત્સો લેક માટે રવાના થયા હતા. રાહુલના આ એડવેન્ચરના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આ દરમિયાન રાહુલ KTM બાઇક અને સ્પોર્ટ્સ હેલ્મેટમાં લદ્દાખના રસ્તાઓ પર બાઇક ચલાવતા જોવા મળ્યા હતા. રાહુલ ગાંધીએ પણ પોતાની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.



ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .

પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?