રાહુલ ગાંધીએ મોદી સરકારને ઘેરી, 'ચીને આપણી જમીન પર કબજો કર્યો છે, PM સાચું બોલતા નથી'


  • Published By :
  • Published Date : 2023-08-20 19:40:11

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લદ્દાખમાં મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, 'લદ્દાખના લોકોએ મને કહ્યું છે કે ચીનની સેના અહીં ઘૂસી ગઈ છે. જ્યાં તેમની ચરાણ જમીન હવે તેઓ ત્યાં જવા માટે સક્ષમ નથી. આ વાત લદ્દાખમાં બધા કહી રહ્યા છે. વડાપ્રધાને કહ્યું છે કે એક ઇંચ પણ જમીન ગઇ નથી, પરંતુ તે સાચું નથી. તમે અહીં કોઈને પણ પૂછો, તે તમને કહેશે. રાહુલ ગાંધીએ કહ્યું કે લદ્દાખના લોકોને ઘણી ફરિયાદો છે, તેઓને જે દરજ્જો આપવામાં આવ્યો છે તેનાથી તેઓ ખુશ નથી. તેમને પ્રતિનિધિત્વ જોઈએ છે અને બેરોજગારીની સમસ્યા છે. લોકો કહી રહ્યા છે કે રાજ્ય નોકરશાહી દ્વારા નહીં પરંતુ જનતાના અવાજથી ચાલવું જોઈએ.


રાહુલ ગાંધી હાલ લદ્દાખની મુલાકાતે


વાસ્તવમાં, રાહુલ ગાંધી તેમના પિતા અને પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની 77મી જન્મજયંતિ પર લદ્દાખ પહોંચ્યા છે. તેમણે અહીં પેંગોંગ ત્સો લેક ખાતે તેમના પિતાને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે તે ભારત જોડો યાત્રાના સમયે લદ્દાખ જવા માંગતો હતો, પરંતુ લોજિસ્ટિકલ કારણોસર ત્યાં જઈ શક્યો ન હતો. પછી તેમણે વિચાર્યું કે લદ્દાખની ટુર વિસ્તારથી કરીશું. રાહુલે કહ્યું કે તે લેહ ગયા હતા અને પેંગોંગ પછી હવે નુબ્રા જઈ રહ્યા છે. આ પછી તે કારગીલ પણ જશે. લોકોના દિલમાં શું છે તે સાંભળવા તેઓ અહીં આવ્યા છે.


પેંગોંગ સૌથી સુંદર સ્થળોમાંનું એક 


શનિવારે એક દિવસ પહેલા રાહુલ લદ્દાખથી પેંગોંગ જવા રવાના થયા હતા. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, 'મારા પિતા પેંગોંગ વિશે કહેતા હતા કે તે દુનિયાની સૌથી સુંદર જગ્યાઓમાંથી એક છે.' શનિવારે સવારે રાહુલ રાઇડર લુકમાં પેંગોંગ ત્સો લેક માટે રવાના થયા હતા. રાહુલના આ એડવેન્ચરના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આ દરમિયાન રાહુલ KTM બાઇક અને સ્પોર્ટ્સ હેલ્મેટમાં લદ્દાખના રસ્તાઓ પર બાઇક ચલાવતા જોવા મળ્યા હતા. રાહુલ ગાંધીએ પણ પોતાની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.