કારમા પરાજય બાદ કોંગ્રેસના જ બે નેતાઓએ પાર્ટી પર આક્રોશ ઠાલવ્યો, જાણો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2022-12-13 13:16:40

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સામે કોંગ્રેસને ઐતિહાસિક હારનો સામનો કરવો પડ્યો છે. કોંગ્રેસના નેતાઓ હજુ પણ પરાજયને પચાવી શક્યા નથી. કોંગ્રેસના કેટલાક  નેતાઓ હવે હિંમત કરીને પાર્ટી સામે જ આંગળી ચિંધીને સવાલો કરી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં એકમાત્ર મુસ્લિમ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને ગીર સોમનાથ સીટ પર જીતી ગયેલા વિમલ ચુડાસમાએ ગુજરાત કોંગ્રેસના પ્રદર્શન પર સવાલ ઉઠાવ્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે કોંગ્રેસને માત્ર 17 સીટ મળી હતી જે અત્યાર સુધીની સૌથી ભયાનક હાર છે. ભાજપે 182માંથી 156 સીટ જીતીને જુના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. 


ઈમરાન ખેડાવાલાએ શું કહ્યું?


ઈમરાન ખેડાવાલાએ કહ્યું કે, "રાહુલ ગાંધી ભારત જોડો યાત્રામાં વ્યસ્ત હતા, જેને એક વર્ષ પહેલા આયોજિત કરવાની હતી. તમારે આ દિલ્હીમાં પૂછવું જોઈએ કે આ યાત્રા ગુજરાત થઈને કેમ ન નીકળી. પાર્ટીએ ગુજરાત પર ધ્યાન આપવું જોઈતું હતું. જે રીતે ભાજપે પોતાના રાષ્ટ્રીય નેતાઓને અહીં ઉતાર્યા હતા, કોંગ્રેસે પણ આમ કરવું જોઈતું હતું. ગુજરાતમાં એકમાત્ર કોંગ્રેસના ધારાસભ્યએ ચૂંટણીમાં મળેલી હાર બાદ ભારત જોડો યાત્રાને જવાબદાર ગણાવી છે." વધુમાં તેમણે કહ્યું કે "મને લાગે છે કે અમે અમારા ઘોષણાપત્રને લોકો સુધી સારી રીતે પહોંચાડી શક્યા હોત. પાર્ટીના મેનેજમેન્ટમાં કોઈ ખામી હતી, જેના કારણે આ લોકો સુધી ન પહોંચી શક્યા. આ વખતે કોંગ્રેસના વોટ વહેંચાઈ ગયા, જ્યારે ભાજપના વોટ સ્થિર રહ્યા. જે લોકો ભાજપથી અસંતુષ્ટ હતા, તેમણે પોતાનો વોટ AAPને આપી દીધો. મારી સીટ પર AIMIMના ઉમેદવારે નુકસાન પહોંચાડ્યું જેના કારણે મારા 15000 વોટ ઓછા થયા. AAPએ પોતાનો ચૂંટણી પ્રચાર બહારના લોકો પાસેથી કરાવ્યો."


વિમલ ચુડાસમાએ ઠાલવી હૈયાવરાળ


ગીર સોમનાથ બેઠક પર કોંગ્રેસના વિજેતા ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પણ હૈયાવરાળ ઠાલવી હતી. વિમલ ચુડાસમાએ વિધાનસભામાં કોંગ્રેસની હારનું કારણ જણાવતા કહ્યું કે, આમ આદમી પાર્ટી અને ભાજપની ડરની રાજનીતિના કારણે કોંગ્રેસના ઉમેદવારો પોતાના ક્ષેત્રમાં કોંગ્રેસની વોટબેંકને ન સાચવી શક્યા તેથી જ ભાજપે બહુમતી મેળવી છે. આમ આદમી પાર્ટીએ તમામ જગ્યાઓ પર કોંગ્રેસના મત કાપ્યાં છે ગીર સોમનાથમાં આમ આદમી પાર્ટીએ લોકોને પીઝાને બર્ગર ખવડાવ્યા હતા અને કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો હતો. AAPની પાસે આટલો રૂપિયો ક્યાંથી આવ્યો તે અંગે પણ સવાલો કર્યા હતા?. કોંગ્રેસના મત તોડવા માટે આ રૂપિયા ભારતીય જનતા પાર્ટીએ આમ આદમી પાર્ટીને આપ્યા હતા. 




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.