કારમા પરાજય બાદ કોંગ્રેસના જ બે નેતાઓએ પાર્ટી પર આક્રોશ ઠાલવ્યો, જાણો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2022-12-13 13:16:40

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સામે કોંગ્રેસને ઐતિહાસિક હારનો સામનો કરવો પડ્યો છે. કોંગ્રેસના નેતાઓ હજુ પણ પરાજયને પચાવી શક્યા નથી. કોંગ્રેસના કેટલાક  નેતાઓ હવે હિંમત કરીને પાર્ટી સામે જ આંગળી ચિંધીને સવાલો કરી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં એકમાત્ર મુસ્લિમ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને ગીર સોમનાથ સીટ પર જીતી ગયેલા વિમલ ચુડાસમાએ ગુજરાત કોંગ્રેસના પ્રદર્શન પર સવાલ ઉઠાવ્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે કોંગ્રેસને માત્ર 17 સીટ મળી હતી જે અત્યાર સુધીની સૌથી ભયાનક હાર છે. ભાજપે 182માંથી 156 સીટ જીતીને જુના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. 


ઈમરાન ખેડાવાલાએ શું કહ્યું?


ઈમરાન ખેડાવાલાએ કહ્યું કે, "રાહુલ ગાંધી ભારત જોડો યાત્રામાં વ્યસ્ત હતા, જેને એક વર્ષ પહેલા આયોજિત કરવાની હતી. તમારે આ દિલ્હીમાં પૂછવું જોઈએ કે આ યાત્રા ગુજરાત થઈને કેમ ન નીકળી. પાર્ટીએ ગુજરાત પર ધ્યાન આપવું જોઈતું હતું. જે રીતે ભાજપે પોતાના રાષ્ટ્રીય નેતાઓને અહીં ઉતાર્યા હતા, કોંગ્રેસે પણ આમ કરવું જોઈતું હતું. ગુજરાતમાં એકમાત્ર કોંગ્રેસના ધારાસભ્યએ ચૂંટણીમાં મળેલી હાર બાદ ભારત જોડો યાત્રાને જવાબદાર ગણાવી છે." વધુમાં તેમણે કહ્યું કે "મને લાગે છે કે અમે અમારા ઘોષણાપત્રને લોકો સુધી સારી રીતે પહોંચાડી શક્યા હોત. પાર્ટીના મેનેજમેન્ટમાં કોઈ ખામી હતી, જેના કારણે આ લોકો સુધી ન પહોંચી શક્યા. આ વખતે કોંગ્રેસના વોટ વહેંચાઈ ગયા, જ્યારે ભાજપના વોટ સ્થિર રહ્યા. જે લોકો ભાજપથી અસંતુષ્ટ હતા, તેમણે પોતાનો વોટ AAPને આપી દીધો. મારી સીટ પર AIMIMના ઉમેદવારે નુકસાન પહોંચાડ્યું જેના કારણે મારા 15000 વોટ ઓછા થયા. AAPએ પોતાનો ચૂંટણી પ્રચાર બહારના લોકો પાસેથી કરાવ્યો."


વિમલ ચુડાસમાએ ઠાલવી હૈયાવરાળ


ગીર સોમનાથ બેઠક પર કોંગ્રેસના વિજેતા ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પણ હૈયાવરાળ ઠાલવી હતી. વિમલ ચુડાસમાએ વિધાનસભામાં કોંગ્રેસની હારનું કારણ જણાવતા કહ્યું કે, આમ આદમી પાર્ટી અને ભાજપની ડરની રાજનીતિના કારણે કોંગ્રેસના ઉમેદવારો પોતાના ક્ષેત્રમાં કોંગ્રેસની વોટબેંકને ન સાચવી શક્યા તેથી જ ભાજપે બહુમતી મેળવી છે. આમ આદમી પાર્ટીએ તમામ જગ્યાઓ પર કોંગ્રેસના મત કાપ્યાં છે ગીર સોમનાથમાં આમ આદમી પાર્ટીએ લોકોને પીઝાને બર્ગર ખવડાવ્યા હતા અને કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો હતો. AAPની પાસે આટલો રૂપિયો ક્યાંથી આવ્યો તે અંગે પણ સવાલો કર્યા હતા?. કોંગ્રેસના મત તોડવા માટે આ રૂપિયા ભારતીય જનતા પાર્ટીએ આમ આદમી પાર્ટીને આપ્યા હતા. 




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.