કારમા પરાજય બાદ કોંગ્રેસના જ બે નેતાઓએ પાર્ટી પર આક્રોશ ઠાલવ્યો, જાણો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2022-12-13 13:16:40

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સામે કોંગ્રેસને ઐતિહાસિક હારનો સામનો કરવો પડ્યો છે. કોંગ્રેસના નેતાઓ હજુ પણ પરાજયને પચાવી શક્યા નથી. કોંગ્રેસના કેટલાક  નેતાઓ હવે હિંમત કરીને પાર્ટી સામે જ આંગળી ચિંધીને સવાલો કરી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં એકમાત્ર મુસ્લિમ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને ગીર સોમનાથ સીટ પર જીતી ગયેલા વિમલ ચુડાસમાએ ગુજરાત કોંગ્રેસના પ્રદર્શન પર સવાલ ઉઠાવ્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે કોંગ્રેસને માત્ર 17 સીટ મળી હતી જે અત્યાર સુધીની સૌથી ભયાનક હાર છે. ભાજપે 182માંથી 156 સીટ જીતીને જુના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. 


ઈમરાન ખેડાવાલાએ શું કહ્યું?


ઈમરાન ખેડાવાલાએ કહ્યું કે, "રાહુલ ગાંધી ભારત જોડો યાત્રામાં વ્યસ્ત હતા, જેને એક વર્ષ પહેલા આયોજિત કરવાની હતી. તમારે આ દિલ્હીમાં પૂછવું જોઈએ કે આ યાત્રા ગુજરાત થઈને કેમ ન નીકળી. પાર્ટીએ ગુજરાત પર ધ્યાન આપવું જોઈતું હતું. જે રીતે ભાજપે પોતાના રાષ્ટ્રીય નેતાઓને અહીં ઉતાર્યા હતા, કોંગ્રેસે પણ આમ કરવું જોઈતું હતું. ગુજરાતમાં એકમાત્ર કોંગ્રેસના ધારાસભ્યએ ચૂંટણીમાં મળેલી હાર બાદ ભારત જોડો યાત્રાને જવાબદાર ગણાવી છે." વધુમાં તેમણે કહ્યું કે "મને લાગે છે કે અમે અમારા ઘોષણાપત્રને લોકો સુધી સારી રીતે પહોંચાડી શક્યા હોત. પાર્ટીના મેનેજમેન્ટમાં કોઈ ખામી હતી, જેના કારણે આ લોકો સુધી ન પહોંચી શક્યા. આ વખતે કોંગ્રેસના વોટ વહેંચાઈ ગયા, જ્યારે ભાજપના વોટ સ્થિર રહ્યા. જે લોકો ભાજપથી અસંતુષ્ટ હતા, તેમણે પોતાનો વોટ AAPને આપી દીધો. મારી સીટ પર AIMIMના ઉમેદવારે નુકસાન પહોંચાડ્યું જેના કારણે મારા 15000 વોટ ઓછા થયા. AAPએ પોતાનો ચૂંટણી પ્રચાર બહારના લોકો પાસેથી કરાવ્યો."


વિમલ ચુડાસમાએ ઠાલવી હૈયાવરાળ


ગીર સોમનાથ બેઠક પર કોંગ્રેસના વિજેતા ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પણ હૈયાવરાળ ઠાલવી હતી. વિમલ ચુડાસમાએ વિધાનસભામાં કોંગ્રેસની હારનું કારણ જણાવતા કહ્યું કે, આમ આદમી પાર્ટી અને ભાજપની ડરની રાજનીતિના કારણે કોંગ્રેસના ઉમેદવારો પોતાના ક્ષેત્રમાં કોંગ્રેસની વોટબેંકને ન સાચવી શક્યા તેથી જ ભાજપે બહુમતી મેળવી છે. આમ આદમી પાર્ટીએ તમામ જગ્યાઓ પર કોંગ્રેસના મત કાપ્યાં છે ગીર સોમનાથમાં આમ આદમી પાર્ટીએ લોકોને પીઝાને બર્ગર ખવડાવ્યા હતા અને કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો હતો. AAPની પાસે આટલો રૂપિયો ક્યાંથી આવ્યો તે અંગે પણ સવાલો કર્યા હતા?. કોંગ્રેસના મત તોડવા માટે આ રૂપિયા ભારતીય જનતા પાર્ટીએ આમ આદમી પાર્ટીને આપ્યા હતા. 




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.