આજે ગુજરાત બંધ: મોંઘવારી અને બેરોજગારીના મુદ્દે કોંગ્રેસ આક્રમક


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-10 15:59:19

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસ લોકોની સમસ્યાઓને લઈ આક્રમક બની છે. રાજ્યમાં મોંઘવારી અને બેરોજગારી સહિતના મુદ્દે કોંગ્રેસ દ્વારા ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું હતું, કોંગ્રેસના આજે સવારના 8થી 12 વાગ્યા સુધીનાં રાજ્યવ્યાપી બંધનાં એલાનને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. ક્યાંક બંધની અસર જોવા મળી તો ક્યાંક-ક્યાંક બંધની નહિવત અસર પણ જોવા મળી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે ગઇકાલે લોકોને સ્વૈચ્છિક બંધમાં જોડાવા લોકોને અપીલ કરી હતી. આ તરફ આજે મોંઘવારી, બેરોજગારી સામે વિરોધ કરતા નેતાઓને નજરકેદ કરાયા છે. વિગતો મુજબ શાહીબાગ પોલીસ હેડ કવાર્ટરમાં તમામ નેતાઓને  નજર કેદ હેઠળ રખાયા છે. 


બંધની અસર  કેવી રહી


રાજ્યભરમાં કોંગેસના પ્રતિક બંધને ક્યા મજબુત તો ક્યાક નબળો પ્રતિસાદ જોવા મળ્યો હતો. અમદાવાદમાં સવારથી જ કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI દ્વારા અમદાવાદની તમામ કોલેજો બંધ કરાવવાની શરૂઆત કરાઈ હતી. અમદાવાદમાં સેન્ટ ઝેવિયર્સ, સી.યુ. શાહ, સોમલલિત, એલ.ડી આર્ટ્સ અને GLS કોલેજ બંધ કરાવી હતી. NSUIના કાર્યકરોએ શૈક્ષણિક કાર્ય બંધ કરાવીને વિદ્યાર્થીઓને બંધને સમર્થન આપવા જણાવ્યું હતું અને તેમને ઘરે મોકલી દીધા હતા. આ સાથે જ ગુજરાત યુનિવર્સિટી પણ બંધ કરાવાઈ હતી. બીજી તરફ કોંગ્રેસના જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાની પોલીસે અટકાયત કરી હતી. કોંગ્રેસના સાંકેતિક બંધને પાટણ અને રાધનપુરમાં બંધની અસર જોવા મળી હતી. પાટણ અને રાધનપુરમાં મોટા ભાગના બજાર બંધ જોવા મળ્યા. તે ઉપરાંત આંકલાવ ખાતે પણ બંધના એલાનને સમર્થન મળ્યું હતું. આંકલાવનું બજાર અને દુકાનો સજ્જડ બંધ જોવા મળી હતી. રાજકોટમાં કોંગી નેતા હેમાંગ વસાવડાની અટકાયત કરાઇ હતી. 


કોંગ્રેસના કયા નેતાઓની કરાઈ અટકાયત?


બંધનું એલાન આપ્યા બાદ કોંગ્રેસના અગ્રણી નેતાઓએ સવારથી જ વિરોધ-પ્રદર્શનો શરૂ કર્યા હતા. રાજ્ય પોલીસ વિભાગે પણ તાત્કાલિક પગલા લઈ કોંગ્રેસના ટોચના નેતાઓની અટકાયત કરી હતી. પોલીસે પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, અમીબેન યાજ્ઞિક, જિજ્ઞેશ મેવાણી, હિંમતસિંહ પટેલ,ઈમરાન ખેડાવાલા અને ગ્યાસુદ્દીન શેખને પણ નજરકેદ કર્યા છે.




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.