અનંત પટેલ ઉપર થયેલા હુમલાના વિરોધમાં ધરણા કરી રહેલા કોંગ્રેસ નેતાઓને ડિટેઇન કરાયા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-11 15:31:00

આદિવાસી નેતા અનંત પટેલ ઉપર હુમલા થયા બાદ ગુજરાતની રાજનીતિ ગરમાઈ છે. તેમના પર હુમલા થયા બાદ કોંગ્રેસ અલગ અલગ કાર્યક્રમો કરી પોતાનો વિરોધ દર્શાવી રહી છે. ભાજપના ઈશારે અનંત પટેલ પર હુમલો થયો હતો તેવી વાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે કોંગ્રેસ દ્વારા ચોક વિસ્તારમાં ગાંધીજીની પ્રતિમા નીચે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું.   

ગાંધી પ્રતિમા ખાતે ધરણા કરાયા.

શાંતિપૂર્ણ રીતે કોંગ્રેસ નોંધાવી રહી હતી વિરોધ

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. પ્રચાર કરવા તમામ રાજકીય પક્ષો એડીચોટીનું જોલ લગાવી રહી છે. ભાજપ અને આપ તમામ પ્રકારે પ્રચાર કરવામાં લાગી ગયો છે. આ બધા વચ્ચે વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર હુમલો થયો હતો. જેને લઈ ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ દ્વારા આ હુમલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. પોતાનો વિરોધ દર્શાવવા કોંગ્રેસ દ્વારા અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે સુરત ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

 


પોલીસે કોંગ્રેસના કાર્યકરોની કરી અટકાયત

સત્તા પક્ષને સદબુદ્ધિ આવે તે હેતુથી સુરત ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સત્તાનો દુરુપયોગ ન કરીને કાયદો વ્યવસ્થા જળવાય તેના માટે પ્રયાસ કરવામાં આવ્યો છે. પરંતુ ધરણા કરી રહેલા તમામ કોંગ્રી કાર્યકરોની અટકાયત કરી દેવામાં આવી હતી. શાંતિનો ભંગ ન થાય અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. જેને કારણે 9 દિવસ દરમિયાન રેલી તેમજ સરઘસનું આયોજન નહીં થઈ શકે.    

Anant Patel Archives - Lokpatrika



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે