અનંત પટેલ ઉપર થયેલા હુમલાના વિરોધમાં ધરણા કરી રહેલા કોંગ્રેસ નેતાઓને ડિટેઇન કરાયા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-11 15:31:00

આદિવાસી નેતા અનંત પટેલ ઉપર હુમલા થયા બાદ ગુજરાતની રાજનીતિ ગરમાઈ છે. તેમના પર હુમલા થયા બાદ કોંગ્રેસ અલગ અલગ કાર્યક્રમો કરી પોતાનો વિરોધ દર્શાવી રહી છે. ભાજપના ઈશારે અનંત પટેલ પર હુમલો થયો હતો તેવી વાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે કોંગ્રેસ દ્વારા ચોક વિસ્તારમાં ગાંધીજીની પ્રતિમા નીચે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું.   

ગાંધી પ્રતિમા ખાતે ધરણા કરાયા.

શાંતિપૂર્ણ રીતે કોંગ્રેસ નોંધાવી રહી હતી વિરોધ

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. પ્રચાર કરવા તમામ રાજકીય પક્ષો એડીચોટીનું જોલ લગાવી રહી છે. ભાજપ અને આપ તમામ પ્રકારે પ્રચાર કરવામાં લાગી ગયો છે. આ બધા વચ્ચે વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર હુમલો થયો હતો. જેને લઈ ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ દ્વારા આ હુમલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. પોતાનો વિરોધ દર્શાવવા કોંગ્રેસ દ્વારા અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે સુરત ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

 


પોલીસે કોંગ્રેસના કાર્યકરોની કરી અટકાયત

સત્તા પક્ષને સદબુદ્ધિ આવે તે હેતુથી સુરત ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સત્તાનો દુરુપયોગ ન કરીને કાયદો વ્યવસ્થા જળવાય તેના માટે પ્રયાસ કરવામાં આવ્યો છે. પરંતુ ધરણા કરી રહેલા તમામ કોંગ્રી કાર્યકરોની અટકાયત કરી દેવામાં આવી હતી. શાંતિનો ભંગ ન થાય અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. જેને કારણે 9 દિવસ દરમિયાન રેલી તેમજ સરઘસનું આયોજન નહીં થઈ શકે.    

Anant Patel Archives - Lokpatrika



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .