Porbandarમાં પૂર પીડિતોની આપવીતી સાંભળવા પહોંચ્યા કોંગ્રેસના નેતાઓ, ઉઠાવ્યા અનેક સવાલો!


  • Published By :
  • Published Date : 2024-07-29 12:46:57

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી.. અનેક વિસ્તારો એવા હતા જ્યાં વરસાદ જલ્દી શાંત થાય તેની પ્રાર્થના લોકો કરી રહ્યા હતા. સુરત, વડોદરા, સૌરાષ્ટ્ર, પોરબંદર સહિતના વિસ્તારોમાં પુર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું.. પાણી ભરાઈ જવાને કારણે અનેક વિસ્તારો જળમગ્ન થઈ ગયા હતા. વરસાદી પાણી ભરાઈ જવાને કારણે મોટા પાયે નુકસાન થયું છે. ત્યારે કોંગ્રેસનું એક ડેલિગેશન ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં જઈ રહ્યું છે. ત્યારે એક ડેલિગેશન પોરબંદર પણ ગયું હતું.  

કોંગ્રેસ ડેલિગેશને કહ્યું કે... 

પોરબંદરની મુલાકાતે ગયેલા કોંગ્રેસના ડેલિગેશને જણાવ્યું હતું કે ભાજપ સરકારના ભ્રષ્ટાચારને કારણે શહેરમાં વરસાદી પાણી ભરાયા છે. તેમજ ગરીબોને પ્લોટની ફાળવણી કરી જેને કારણે જરૂરીયાતમંદ લોકોને પેશકદમી કરવી પડી છે. પોરબંદર શહેર અને જિલ્લામાં ભારે વરસાદને કારણે ભારે નુકશાન થયું છે. તેમજ વરસાદી પાણી લોકોના ઘરમાં ઘુસી જતાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 



આ લોકોએ લીધી પોરબંદરની મુલાકાત

પાણીથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે ગુજરાત પ્રદેશ કોગ્રસનું ડેલીગેશન પોરબંદરની મુલાકાતે આવ્યું હતું. જેમાં રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિના સભ્ય હીરા જોટવા, જસવંતી બાબી, મહિલા કોંગ્રેસ અગ્રણી જશીબેન બારડ, સોમનાથ જિલ્લા સંગઠન પ્રમુખ કરશન બારડ, પોરબંદર પ્રભારી જ્યકર ચોટાઈ સહિતના આગેવાનો જોડાયા હતા.અને પોરબંદર શહેરના છાયા વિસ્તારની મુલાકાત લીધી હતી અને સ્થાનિક લોકોની સમસ્યા સાંભળી હતી. 


વરસાદી પાણીએ સર્જી તારાજી 

મહત્વનું છે કે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદે તારાજી સર્જી છે. અનેક વિસ્તારો એવા છે જ્યાં વરસાદી પાણી ભરાઈ જતા જન જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા તો ઉતરી ગયા પરંતુ તે પછી કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ત્યારે તમારે ત્યાં વરસાદી પાણી ભરાયા હતા કે નહીં તે અમને કમેન્ટમાં જણાવજો.. 



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."