વિધાનસભા ચૂંટણીમાં માંછીમારોને આકર્ષવા માટે કોંગ્રેસે કરી જાહેરાતોની લ્હાણી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-16 15:20:08

રાજ્ય વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે તમામ રાજકીય પક્ષો સમાજના વિવિધ વર્ગોને આકર્ષવા માટે લલચામણી જાહેરાતો કરવા લાગ્યા છે. માંછીમારો માટે કોંગ્રેસે મોટી જાહેરાત કરી છે. જગદીશ ઠાકોર અને અર્જુન મોઢવાડિયાએ મહત્વની જાહેરાત કરતા જણાવ્યું છે કે, 'માછીમાર વસાહતો માટે માછીમાર આવાસ યોજના શરૂ કરાશે. જેમાં માંછીમારોની વસ્તી ધરાવતા દરેક ગામ અને શહેરમાં દરેક માછીમારને ઘરનું ઘર મળી રહે તે માટે માંછીમારો માટેની અલગ વસાહતો ઊભી કરાશે. એ સિવાય માંછીમારોના બાળકો માટે શિષ્યવૃત્તિની યોજના પણ શરૂ કરાશે. જામનગર, પોરબંદર, સલાયા, વેરાવળ, માંગરોળ અને માંડવી વગેરે બંદરો ઉપર દેશી વહાણ બાંધવાના યાર્ડોને આધુનિક બનાવાશે. દેશી વહાણો મારફતે આંતરદેશીય હેર-ફેરની ખાસ પ્રોત્સાહન યોજના જાહેર કરાશે. તેમજ માછીમારી ક્ષમતાનો પૂરો વિકાસ અને સંકલન માટે ગુજરાત મેરીટાઈન બોર્ડની તર્જ ઉપર માંછીમારો અને નિષ્ણાંતોનું પ્રતિનિધિત્વ ધરાવતા 'માછીમાર વિકાસ બોર્ડ'ની પણ રચના કરાશે.'


માંછીમારો માટે કોંગ્રેસે કરી આ મહત્વની જાહેરાત


કોંગ્રેસના સંકલ્પપત્રમાં માંછીમાર બોટ માટે વાર્ષિક 30  હજાર લિટર સેલ્સ ટેક્સ મુક્ત ડીઝલ, પીલાણા-ફાઈબર બોટ માટે 4000 હજાર લિટર સેલ્સ ટેક્સ મુક્ત પેટ્રોલ, પીલાણામાં નવા પેટ્રોલ એન્જીન માટે રૂપિયા એક લાખની સબસિડી, પાકિસ્તાનની જેલમાં રહેલ માછીમાર માટે દૈનિક 400 રૂપિયાનું ભથ્થું તથા પાકિસ્તાનના કબ્જામાં રહેલ બોટના માલિકને રૂપિયા 50 લાખનું પેકેજ, માંછીમારો માટે નવી આવાસ યોજના, બાળકો માટે શિષ્યવૃત્તિ, દરેક મત્સ્ય બંદરો પર ''મત્સ્ય વ્યાપાર ઝોન'', પ્રોસેસિંગ પ્લાન્ટો અને કોલ્ડ સ્ટોરેજ મારે આર્થિક સહાય કરાશે. દેશી વહાણવટા માટે પ્રોત્સાહન સહિતના 14 મુદ્દાના સંકલ્પની જાહેરાત કરી હતી.



પરંપરાગત માંછીમારીને અપાશે પ્રોત્સાહન


ઈનલેન્ડ ફીશરીઝ-તળાવો-ડેમમાં માછીમારી માટે પરંપરાગત માંછીમારોની સહકારી મંડળીઓને અગ્રતા પરંપરાગત માછીમારી કરતા સમયુદાયોની રોજી રોટી જળવાઈ રહે તથા તેમની ક્ષમતાનો વિકાસ થાય તે માટે તળાવો-ડેમોમાં માછીમારી માટેના ઈજારામાં માછીમાર સમુદાયોની સહકારી મંડળીઓને અગ્રતા આપવાની નીતિ 2022માં બનનારી કોંગ્રેસ સરકાર અપનાવશે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.