વિધાનસભા ચૂંટણીમાં માંછીમારોને આકર્ષવા માટે કોંગ્રેસે કરી જાહેરાતોની લ્હાણી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-16 15:20:08

રાજ્ય વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે તમામ રાજકીય પક્ષો સમાજના વિવિધ વર્ગોને આકર્ષવા માટે લલચામણી જાહેરાતો કરવા લાગ્યા છે. માંછીમારો માટે કોંગ્રેસે મોટી જાહેરાત કરી છે. જગદીશ ઠાકોર અને અર્જુન મોઢવાડિયાએ મહત્વની જાહેરાત કરતા જણાવ્યું છે કે, 'માછીમાર વસાહતો માટે માછીમાર આવાસ યોજના શરૂ કરાશે. જેમાં માંછીમારોની વસ્તી ધરાવતા દરેક ગામ અને શહેરમાં દરેક માછીમારને ઘરનું ઘર મળી રહે તે માટે માંછીમારો માટેની અલગ વસાહતો ઊભી કરાશે. એ સિવાય માંછીમારોના બાળકો માટે શિષ્યવૃત્તિની યોજના પણ શરૂ કરાશે. જામનગર, પોરબંદર, સલાયા, વેરાવળ, માંગરોળ અને માંડવી વગેરે બંદરો ઉપર દેશી વહાણ બાંધવાના યાર્ડોને આધુનિક બનાવાશે. દેશી વહાણો મારફતે આંતરદેશીય હેર-ફેરની ખાસ પ્રોત્સાહન યોજના જાહેર કરાશે. તેમજ માછીમારી ક્ષમતાનો પૂરો વિકાસ અને સંકલન માટે ગુજરાત મેરીટાઈન બોર્ડની તર્જ ઉપર માંછીમારો અને નિષ્ણાંતોનું પ્રતિનિધિત્વ ધરાવતા 'માછીમાર વિકાસ બોર્ડ'ની પણ રચના કરાશે.'


માંછીમારો માટે કોંગ્રેસે કરી આ મહત્વની જાહેરાત


કોંગ્રેસના સંકલ્પપત્રમાં માંછીમાર બોટ માટે વાર્ષિક 30  હજાર લિટર સેલ્સ ટેક્સ મુક્ત ડીઝલ, પીલાણા-ફાઈબર બોટ માટે 4000 હજાર લિટર સેલ્સ ટેક્સ મુક્ત પેટ્રોલ, પીલાણામાં નવા પેટ્રોલ એન્જીન માટે રૂપિયા એક લાખની સબસિડી, પાકિસ્તાનની જેલમાં રહેલ માછીમાર માટે દૈનિક 400 રૂપિયાનું ભથ્થું તથા પાકિસ્તાનના કબ્જામાં રહેલ બોટના માલિકને રૂપિયા 50 લાખનું પેકેજ, માંછીમારો માટે નવી આવાસ યોજના, બાળકો માટે શિષ્યવૃત્તિ, દરેક મત્સ્ય બંદરો પર ''મત્સ્ય વ્યાપાર ઝોન'', પ્રોસેસિંગ પ્લાન્ટો અને કોલ્ડ સ્ટોરેજ મારે આર્થિક સહાય કરાશે. દેશી વહાણવટા માટે પ્રોત્સાહન સહિતના 14 મુદ્દાના સંકલ્પની જાહેરાત કરી હતી.



પરંપરાગત માંછીમારીને અપાશે પ્રોત્સાહન


ઈનલેન્ડ ફીશરીઝ-તળાવો-ડેમમાં માછીમારી માટે પરંપરાગત માંછીમારોની સહકારી મંડળીઓને અગ્રતા પરંપરાગત માછીમારી કરતા સમયુદાયોની રોજી રોટી જળવાઈ રહે તથા તેમની ક્ષમતાનો વિકાસ થાય તે માટે તળાવો-ડેમોમાં માછીમારી માટેના ઈજારામાં માછીમાર સમુદાયોની સહકારી મંડળીઓને અગ્રતા આપવાની નીતિ 2022માં બનનારી કોંગ્રેસ સરકાર અપનાવશે.



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .