ચૂંટણી નજીક આવતા સક્રિય થઈ ગુજરાત કોંગ્રેસ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 16:24:38

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. ગમે ત્યારે ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે. આ વખતે ગુજરાતમાં ત્રણ પક્ષો વચ્ચે ખરાખરીનો જંગ જામવાનો છે. ભાજપ અને આમ આદમી પાર્ટી ચૂંટણીને લઈ એકદમ એક્ટિવ થઈ ગઈ છે. બન્ને પાર્ટી પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. કોંગ્રેસ ચૂંટણીને લઈ એટલી સક્રિય નથી થઈ. પરંતુ મળતી માહિતી મુજબ થોડા સમયમાં કોંગ્રેસ પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે. 


દિવાળી પહેલા કોંગ્રેસ જાહેર કરી શકે છે ઉમેદવારોના નામ  

ગુજરાતમાં પ્રથમ વખત ચૂંટણી લડનાર આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવોરાનું લીસ્ટ જાહેર કરી દીધું છે. ભાજપ અને કોંગ્રેસે હજી સુધી ઉમેદવારોના નામ જાહેર નથી કર્યા. પ્રચાર માટે જ્યારે ભાજપ અને આપના દિગ્ગજ નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે કોંગ્રેસમાંથી કોઈ નેતાઓ ગુજરાતના પ્રવાસે નથી આવ્યા. ત્યારે ઉમેદવારોનું લિસ્ટ કોંગ્રેસ દિવાળી પહેલા અથવા તો તે બાદ જાહેર થઈ શકે છે તેવી શક્યતા દેખાઈ રહી છે. 

BJP government misusing Central agencies to intimidate Opposition: Gujarat  Congress | The Financial Express

50 ઉમેદવારોના નામ થઈ શકે છે પ્રથમ લિસ્ટમાં જાહેર

ઉમેદવારોની પસંદગી માટે કોંગ્રેસે સ્ક્રીનિંગ કમિટીની રચના કરી હતી. આ કમિટીનો પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ગયો છે જે બાદ એક બે દિવસમાં આ લિસ્ટ જાહેર કરી દેવામાં આવશે. એવું પણ માનવામાં આવે છે કે આ લિસ્ટમાં 50 જેટલા ઉમેદવારોનું નામ જાહેર થઈ શકે છે. અત્રે ઉલ્લેખનિય છે કે ભાજપે અને કોંગ્રેસે હજી સુધી ઉમેદવારોની યાદી જાહેર નથી કરી જ્યારે આમ આદમી પાર્ટીએ 4 લિસ્ટ જાહેર કરી પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે.         



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"