ચૂંટણી નજીક આવતા સક્રિય થઈ ગુજરાત કોંગ્રેસ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 16:24:38

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. ગમે ત્યારે ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે. આ વખતે ગુજરાતમાં ત્રણ પક્ષો વચ્ચે ખરાખરીનો જંગ જામવાનો છે. ભાજપ અને આમ આદમી પાર્ટી ચૂંટણીને લઈ એકદમ એક્ટિવ થઈ ગઈ છે. બન્ને પાર્ટી પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. કોંગ્રેસ ચૂંટણીને લઈ એટલી સક્રિય નથી થઈ. પરંતુ મળતી માહિતી મુજબ થોડા સમયમાં કોંગ્રેસ પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે. 


દિવાળી પહેલા કોંગ્રેસ જાહેર કરી શકે છે ઉમેદવારોના નામ  

ગુજરાતમાં પ્રથમ વખત ચૂંટણી લડનાર આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવોરાનું લીસ્ટ જાહેર કરી દીધું છે. ભાજપ અને કોંગ્રેસે હજી સુધી ઉમેદવારોના નામ જાહેર નથી કર્યા. પ્રચાર માટે જ્યારે ભાજપ અને આપના દિગ્ગજ નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે કોંગ્રેસમાંથી કોઈ નેતાઓ ગુજરાતના પ્રવાસે નથી આવ્યા. ત્યારે ઉમેદવારોનું લિસ્ટ કોંગ્રેસ દિવાળી પહેલા અથવા તો તે બાદ જાહેર થઈ શકે છે તેવી શક્યતા દેખાઈ રહી છે. 

BJP government misusing Central agencies to intimidate Opposition: Gujarat  Congress | The Financial Express

50 ઉમેદવારોના નામ થઈ શકે છે પ્રથમ લિસ્ટમાં જાહેર

ઉમેદવારોની પસંદગી માટે કોંગ્રેસે સ્ક્રીનિંગ કમિટીની રચના કરી હતી. આ કમિટીનો પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ગયો છે જે બાદ એક બે દિવસમાં આ લિસ્ટ જાહેર કરી દેવામાં આવશે. એવું પણ માનવામાં આવે છે કે આ લિસ્ટમાં 50 જેટલા ઉમેદવારોનું નામ જાહેર થઈ શકે છે. અત્રે ઉલ્લેખનિય છે કે ભાજપે અને કોંગ્રેસે હજી સુધી ઉમેદવારોની યાદી જાહેર નથી કરી જ્યારે આમ આદમી પાર્ટીએ 4 લિસ્ટ જાહેર કરી પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે.         



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.