ચૂંટણી નજીક આવતા સક્રિય થઈ ગુજરાત કોંગ્રેસ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 16:24:38

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. ગમે ત્યારે ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે. આ વખતે ગુજરાતમાં ત્રણ પક્ષો વચ્ચે ખરાખરીનો જંગ જામવાનો છે. ભાજપ અને આમ આદમી પાર્ટી ચૂંટણીને લઈ એકદમ એક્ટિવ થઈ ગઈ છે. બન્ને પાર્ટી પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. કોંગ્રેસ ચૂંટણીને લઈ એટલી સક્રિય નથી થઈ. પરંતુ મળતી માહિતી મુજબ થોડા સમયમાં કોંગ્રેસ પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે. 


દિવાળી પહેલા કોંગ્રેસ જાહેર કરી શકે છે ઉમેદવારોના નામ  

ગુજરાતમાં પ્રથમ વખત ચૂંટણી લડનાર આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવોરાનું લીસ્ટ જાહેર કરી દીધું છે. ભાજપ અને કોંગ્રેસે હજી સુધી ઉમેદવારોના નામ જાહેર નથી કર્યા. પ્રચાર માટે જ્યારે ભાજપ અને આપના દિગ્ગજ નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે કોંગ્રેસમાંથી કોઈ નેતાઓ ગુજરાતના પ્રવાસે નથી આવ્યા. ત્યારે ઉમેદવારોનું લિસ્ટ કોંગ્રેસ દિવાળી પહેલા અથવા તો તે બાદ જાહેર થઈ શકે છે તેવી શક્યતા દેખાઈ રહી છે. 

BJP government misusing Central agencies to intimidate Opposition: Gujarat  Congress | The Financial Express

50 ઉમેદવારોના નામ થઈ શકે છે પ્રથમ લિસ્ટમાં જાહેર

ઉમેદવારોની પસંદગી માટે કોંગ્રેસે સ્ક્રીનિંગ કમિટીની રચના કરી હતી. આ કમિટીનો પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ગયો છે જે બાદ એક બે દિવસમાં આ લિસ્ટ જાહેર કરી દેવામાં આવશે. એવું પણ માનવામાં આવે છે કે આ લિસ્ટમાં 50 જેટલા ઉમેદવારોનું નામ જાહેર થઈ શકે છે. અત્રે ઉલ્લેખનિય છે કે ભાજપે અને કોંગ્રેસે હજી સુધી ઉમેદવારોની યાદી જાહેર નથી કરી જ્યારે આમ આદમી પાર્ટીએ 4 લિસ્ટ જાહેર કરી પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે.         



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે