ચૂંટણી નજીક આવતા સક્રિય થઈ ગુજરાત કોંગ્રેસ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 16:24:38

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. ગમે ત્યારે ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે. આ વખતે ગુજરાતમાં ત્રણ પક્ષો વચ્ચે ખરાખરીનો જંગ જામવાનો છે. ભાજપ અને આમ આદમી પાર્ટી ચૂંટણીને લઈ એકદમ એક્ટિવ થઈ ગઈ છે. બન્ને પાર્ટી પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. કોંગ્રેસ ચૂંટણીને લઈ એટલી સક્રિય નથી થઈ. પરંતુ મળતી માહિતી મુજબ થોડા સમયમાં કોંગ્રેસ પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે. 


દિવાળી પહેલા કોંગ્રેસ જાહેર કરી શકે છે ઉમેદવારોના નામ  

ગુજરાતમાં પ્રથમ વખત ચૂંટણી લડનાર આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવોરાનું લીસ્ટ જાહેર કરી દીધું છે. ભાજપ અને કોંગ્રેસે હજી સુધી ઉમેદવારોના નામ જાહેર નથી કર્યા. પ્રચાર માટે જ્યારે ભાજપ અને આપના દિગ્ગજ નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે કોંગ્રેસમાંથી કોઈ નેતાઓ ગુજરાતના પ્રવાસે નથી આવ્યા. ત્યારે ઉમેદવારોનું લિસ્ટ કોંગ્રેસ દિવાળી પહેલા અથવા તો તે બાદ જાહેર થઈ શકે છે તેવી શક્યતા દેખાઈ રહી છે. 

BJP government misusing Central agencies to intimidate Opposition: Gujarat  Congress | The Financial Express

50 ઉમેદવારોના નામ થઈ શકે છે પ્રથમ લિસ્ટમાં જાહેર

ઉમેદવારોની પસંદગી માટે કોંગ્રેસે સ્ક્રીનિંગ કમિટીની રચના કરી હતી. આ કમિટીનો પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ગયો છે જે બાદ એક બે દિવસમાં આ લિસ્ટ જાહેર કરી દેવામાં આવશે. એવું પણ માનવામાં આવે છે કે આ લિસ્ટમાં 50 જેટલા ઉમેદવારોનું નામ જાહેર થઈ શકે છે. અત્રે ઉલ્લેખનિય છે કે ભાજપે અને કોંગ્રેસે હજી સુધી ઉમેદવારોની યાદી જાહેર નથી કરી જ્યારે આમ આદમી પાર્ટીએ 4 લિસ્ટ જાહેર કરી પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે.         



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.