Congress આવતી કાલે Gujaratની બાકી રહેલી બેઠકો માટે ઉમેદવારોના નામની કરી શકે છે જાહેરાત, જાણો બાકીની 7 બેઠકો પર કયા ચેહરાઓને મળી શકે છે તક?


  • Published By :
  • Published Date : 2024-03-29 17:41:07

લોકસભા 2024ની ચૂંટણીઓ માટે ભારતીય જનતા પાર્ટીએ તમામ ૨૬ બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે , તો આ તરફ કોંગ્રેસ પાર્ટીના 7 બેઠકો પરના ઉમેદવારો માટે મનોમંથન કોંગ્રેસની સેન્ટ્રલ ઇલેકશન કમિટીમાં ચાલી રહ્યું છે. બાકી રહેલી ૭ બેઠકોની વાત કરીએ તો તે છે અમદાવાદ પૂર્વ, મહેસાણા, રાજકોટ, જૂનાગઢ, નવસારી , સુરેન્દ્રનગર અને વડોદરા. આ બેઠકો પર ૩૦ તારીખ સુધીમાં એટલે કે આવતી કાલ સુધીમાં નામોની જાહેરાત કરવામાં આવી શકે છે તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે. પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવે તે પહેલા અનેક સંભવિત નામોની ચર્ચા થઈ રહી છે કે તેઓ ઉમેદવાર હોઈ શકે છે... 


 

અમદાવાદ પૂર્વમાં આમને મળી શકે ઉમેદવાર તરીકે તર્ક  

સૌ પ્રથમ વાત કરીએ જૂનાગઢ બેઠકની સંભવિત ઉમેદવાર તરીકે જલ્પા ચુડાસમા કે જેઓ કોળી સમાજના છે તેમનું નામ પણ આગળ ચાલી રહ્યું છે. તેઓ હાલના સોમનાથના વર્તમાન MLA વિમલ ચુડાસમાના પત્ની છે. ચોરવાડ નગરપાલિકાના બે ટર્મથી પ્રમુખ છે તેમને ટિકિટ આપવા કોંગ્રેસના કાર્યકરોએ માંગ કરી છે. અમદાવાદ પૂર્વ બેઠક પરથી અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિમ્મત સિંહ પટેલને કોંગ્રેસ પાર્ટી ટિકીટ આપી શકે છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. તેઓ બાપુનગરના MLA રહી ચુક્યા છે અને અમદાવાદના મેયર પણ રહી ચુક્યા છે  , તમને કહી દઈએ કે અગાઉ કોંગ્રેસે રોહન ગુપ્તાને અમદાવાદ પૂર્વથી  ટિકિટ આપી હતી પણ હવે તેમણે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે . 


આ પૂર્વ ધારાસભ્ય હોઈ શકે છે લોકસભા બેઠક માટે ઉમેદવાર    

વાત કરીએ  મહેસાણા લોકસભા પરથી BJPના હરિભાઈ પટેલની સામે બળદેવજી ઠાકોરને કોંગ્રેસ ટિકીટ આપી શકે છે. તેઓ કલોલ વિધાનસભા બેઠકના MLA પણ રહી ચુક્યા છે. તેમની લડાયક નેતા તરીકેની આખા મહેસાણામાં છાપ છે. અહીં કોંગ્રેસ પાર્ટી ઠાકોર કાર્ડ રમી શકે છે. તે ઉપરાંત વાત કરીએ સુરેન્દ્રનગર લોકસભા બેઠકની તો કોંગ્રેસ ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાને ટિકીટ મળી શકે છે. તેઓ તળપદા કોળી સમાજના છે. BJPએ ચંદુભાઈ શિહોરા કે જે ચુવાળિયા કોળી સમાજના આગેવાન છે તેમને ટિકિટ આપી છે. 



કોણ હોઈ શકે છે કોંગ્રેસના સંભવિત ઉમેદવાર? 

નવસારી લોકસભા પરથી કોંગ્રેસ ગુજરાત BJPના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની સામે કોળી સમાજના શૈલેષ પટેલને ઉતારી શકે છે. તેઓ વી.એસ.કોલેજના જનરલ સેક્રેટરી રહી ચુક્યા છે અને ડેપ્યુટી સરપંચ પણ રહી ચુક્યા છે. અને ચીખલી તાલુકાના કોંગ્રેસના વર્કિંગ પ્રેસિડેન્ટ છે. આ શૈલષ પટેલની કોળી સમાજમાં તો પકડ છે જ પણ આદિવાસી સમાજમાં પણ સારી એવી પકડ છે. વાત કરીએ રાજકોટ બેઠકની તો ત્યાંથી કોંગ્રેસમાંથી પરેશ ધાનાણીનું નામ ચાલી રહ્યું હતું પરંતુ તેમણે ચૂંટણી લડવાની ના પાડી દીધી છે જેને કારણે કોંગ્રેસને બીજો ચહેરો શોધવો પડશે..રાજકોટ પરથી BJPના પરષોત્તમ રૂપાલાની સામે કોંગ્રેસ હિતેશ વોરાને ટિકિટ આપી શકે છે. ત્યારે જોવું રહ્યું કે કોંગ્રેસ કોને ટિકીટ આપે છે? 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે