Congress આવતી કાલે Gujaratની બાકી રહેલી બેઠકો માટે ઉમેદવારોના નામની કરી શકે છે જાહેરાત, જાણો બાકીની 7 બેઠકો પર કયા ચેહરાઓને મળી શકે છે તક?


  • Published By :
  • Published Date : 2024-03-29 17:41:07

લોકસભા 2024ની ચૂંટણીઓ માટે ભારતીય જનતા પાર્ટીએ તમામ ૨૬ બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે , તો આ તરફ કોંગ્રેસ પાર્ટીના 7 બેઠકો પરના ઉમેદવારો માટે મનોમંથન કોંગ્રેસની સેન્ટ્રલ ઇલેકશન કમિટીમાં ચાલી રહ્યું છે. બાકી રહેલી ૭ બેઠકોની વાત કરીએ તો તે છે અમદાવાદ પૂર્વ, મહેસાણા, રાજકોટ, જૂનાગઢ, નવસારી , સુરેન્દ્રનગર અને વડોદરા. આ બેઠકો પર ૩૦ તારીખ સુધીમાં એટલે કે આવતી કાલ સુધીમાં નામોની જાહેરાત કરવામાં આવી શકે છે તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે. પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવે તે પહેલા અનેક સંભવિત નામોની ચર્ચા થઈ રહી છે કે તેઓ ઉમેદવાર હોઈ શકે છે... 


 

અમદાવાદ પૂર્વમાં આમને મળી શકે ઉમેદવાર તરીકે તર્ક  

સૌ પ્રથમ વાત કરીએ જૂનાગઢ બેઠકની સંભવિત ઉમેદવાર તરીકે જલ્પા ચુડાસમા કે જેઓ કોળી સમાજના છે તેમનું નામ પણ આગળ ચાલી રહ્યું છે. તેઓ હાલના સોમનાથના વર્તમાન MLA વિમલ ચુડાસમાના પત્ની છે. ચોરવાડ નગરપાલિકાના બે ટર્મથી પ્રમુખ છે તેમને ટિકિટ આપવા કોંગ્રેસના કાર્યકરોએ માંગ કરી છે. અમદાવાદ પૂર્વ બેઠક પરથી અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિમ્મત સિંહ પટેલને કોંગ્રેસ પાર્ટી ટિકીટ આપી શકે છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. તેઓ બાપુનગરના MLA રહી ચુક્યા છે અને અમદાવાદના મેયર પણ રહી ચુક્યા છે  , તમને કહી દઈએ કે અગાઉ કોંગ્રેસે રોહન ગુપ્તાને અમદાવાદ પૂર્વથી  ટિકિટ આપી હતી પણ હવે તેમણે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે . 


આ પૂર્વ ધારાસભ્ય હોઈ શકે છે લોકસભા બેઠક માટે ઉમેદવાર    

વાત કરીએ  મહેસાણા લોકસભા પરથી BJPના હરિભાઈ પટેલની સામે બળદેવજી ઠાકોરને કોંગ્રેસ ટિકીટ આપી શકે છે. તેઓ કલોલ વિધાનસભા બેઠકના MLA પણ રહી ચુક્યા છે. તેમની લડાયક નેતા તરીકેની આખા મહેસાણામાં છાપ છે. અહીં કોંગ્રેસ પાર્ટી ઠાકોર કાર્ડ રમી શકે છે. તે ઉપરાંત વાત કરીએ સુરેન્દ્રનગર લોકસભા બેઠકની તો કોંગ્રેસ ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાને ટિકીટ મળી શકે છે. તેઓ તળપદા કોળી સમાજના છે. BJPએ ચંદુભાઈ શિહોરા કે જે ચુવાળિયા કોળી સમાજના આગેવાન છે તેમને ટિકિટ આપી છે. 



કોણ હોઈ શકે છે કોંગ્રેસના સંભવિત ઉમેદવાર? 

નવસારી લોકસભા પરથી કોંગ્રેસ ગુજરાત BJPના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની સામે કોળી સમાજના શૈલેષ પટેલને ઉતારી શકે છે. તેઓ વી.એસ.કોલેજના જનરલ સેક્રેટરી રહી ચુક્યા છે અને ડેપ્યુટી સરપંચ પણ રહી ચુક્યા છે. અને ચીખલી તાલુકાના કોંગ્રેસના વર્કિંગ પ્રેસિડેન્ટ છે. આ શૈલષ પટેલની કોળી સમાજમાં તો પકડ છે જ પણ આદિવાસી સમાજમાં પણ સારી એવી પકડ છે. વાત કરીએ રાજકોટ બેઠકની તો ત્યાંથી કોંગ્રેસમાંથી પરેશ ધાનાણીનું નામ ચાલી રહ્યું હતું પરંતુ તેમણે ચૂંટણી લડવાની ના પાડી દીધી છે જેને કારણે કોંગ્રેસને બીજો ચહેરો શોધવો પડશે..રાજકોટ પરથી BJPના પરષોત્તમ રૂપાલાની સામે કોંગ્રેસ હિતેશ વોરાને ટિકિટ આપી શકે છે. ત્યારે જોવું રહ્યું કે કોંગ્રેસ કોને ટિકીટ આપે છે? 



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.