Congress આવતી કાલે Gujaratની બાકી રહેલી બેઠકો માટે ઉમેદવારોના નામની કરી શકે છે જાહેરાત, જાણો બાકીની 7 બેઠકો પર કયા ચેહરાઓને મળી શકે છે તક?


  • Published By :
  • Published Date : 2024-03-29 17:41:07

લોકસભા 2024ની ચૂંટણીઓ માટે ભારતીય જનતા પાર્ટીએ તમામ ૨૬ બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે , તો આ તરફ કોંગ્રેસ પાર્ટીના 7 બેઠકો પરના ઉમેદવારો માટે મનોમંથન કોંગ્રેસની સેન્ટ્રલ ઇલેકશન કમિટીમાં ચાલી રહ્યું છે. બાકી રહેલી ૭ બેઠકોની વાત કરીએ તો તે છે અમદાવાદ પૂર્વ, મહેસાણા, રાજકોટ, જૂનાગઢ, નવસારી , સુરેન્દ્રનગર અને વડોદરા. આ બેઠકો પર ૩૦ તારીખ સુધીમાં એટલે કે આવતી કાલ સુધીમાં નામોની જાહેરાત કરવામાં આવી શકે છે તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે. પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવે તે પહેલા અનેક સંભવિત નામોની ચર્ચા થઈ રહી છે કે તેઓ ઉમેદવાર હોઈ શકે છે... 


 

અમદાવાદ પૂર્વમાં આમને મળી શકે ઉમેદવાર તરીકે તર્ક  

સૌ પ્રથમ વાત કરીએ જૂનાગઢ બેઠકની સંભવિત ઉમેદવાર તરીકે જલ્પા ચુડાસમા કે જેઓ કોળી સમાજના છે તેમનું નામ પણ આગળ ચાલી રહ્યું છે. તેઓ હાલના સોમનાથના વર્તમાન MLA વિમલ ચુડાસમાના પત્ની છે. ચોરવાડ નગરપાલિકાના બે ટર્મથી પ્રમુખ છે તેમને ટિકિટ આપવા કોંગ્રેસના કાર્યકરોએ માંગ કરી છે. અમદાવાદ પૂર્વ બેઠક પરથી અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિમ્મત સિંહ પટેલને કોંગ્રેસ પાર્ટી ટિકીટ આપી શકે છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. તેઓ બાપુનગરના MLA રહી ચુક્યા છે અને અમદાવાદના મેયર પણ રહી ચુક્યા છે  , તમને કહી દઈએ કે અગાઉ કોંગ્રેસે રોહન ગુપ્તાને અમદાવાદ પૂર્વથી  ટિકિટ આપી હતી પણ હવે તેમણે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે . 


આ પૂર્વ ધારાસભ્ય હોઈ શકે છે લોકસભા બેઠક માટે ઉમેદવાર    

વાત કરીએ  મહેસાણા લોકસભા પરથી BJPના હરિભાઈ પટેલની સામે બળદેવજી ઠાકોરને કોંગ્રેસ ટિકીટ આપી શકે છે. તેઓ કલોલ વિધાનસભા બેઠકના MLA પણ રહી ચુક્યા છે. તેમની લડાયક નેતા તરીકેની આખા મહેસાણામાં છાપ છે. અહીં કોંગ્રેસ પાર્ટી ઠાકોર કાર્ડ રમી શકે છે. તે ઉપરાંત વાત કરીએ સુરેન્દ્રનગર લોકસભા બેઠકની તો કોંગ્રેસ ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાને ટિકીટ મળી શકે છે. તેઓ તળપદા કોળી સમાજના છે. BJPએ ચંદુભાઈ શિહોરા કે જે ચુવાળિયા કોળી સમાજના આગેવાન છે તેમને ટિકિટ આપી છે. 



કોણ હોઈ શકે છે કોંગ્રેસના સંભવિત ઉમેદવાર? 

નવસારી લોકસભા પરથી કોંગ્રેસ ગુજરાત BJPના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની સામે કોળી સમાજના શૈલેષ પટેલને ઉતારી શકે છે. તેઓ વી.એસ.કોલેજના જનરલ સેક્રેટરી રહી ચુક્યા છે અને ડેપ્યુટી સરપંચ પણ રહી ચુક્યા છે. અને ચીખલી તાલુકાના કોંગ્રેસના વર્કિંગ પ્રેસિડેન્ટ છે. આ શૈલષ પટેલની કોળી સમાજમાં તો પકડ છે જ પણ આદિવાસી સમાજમાં પણ સારી એવી પકડ છે. વાત કરીએ રાજકોટ બેઠકની તો ત્યાંથી કોંગ્રેસમાંથી પરેશ ધાનાણીનું નામ ચાલી રહ્યું હતું પરંતુ તેમણે ચૂંટણી લડવાની ના પાડી દીધી છે જેને કારણે કોંગ્રેસને બીજો ચહેરો શોધવો પડશે..રાજકોટ પરથી BJPના પરષોત્તમ રૂપાલાની સામે કોંગ્રેસ હિતેશ વોરાને ટિકિટ આપી શકે છે. ત્યારે જોવું રહ્યું કે કોંગ્રેસ કોને ટિકીટ આપે છે? 



૧૮મી જૂન આજના દિવસે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળવાના છે. આ માટે વ્હાઇટહાઉસ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પનો એક કાર્યક્રમ બહાર પાડવામાં આવ્યો છે. પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર હાલમાં અમેરિકાની મુલાકાતે છે. વ્હાઇટ હાઉસે આ માટે ૧૮મી જૂનના દિવસે આખો કાર્ય્રક્રમ જાહેર કર્યો છે .

ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ તણાવની મધ્યમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડામાં G 7 ની બેઠકને વચ્ચે છોડીને , અમેરિકા પરત ફર્યા છે. આ માટે ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે , તેહરાનને ખાલી કરો . સાથે જ ભારતે પોતાના વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોસર તેહરાનમાંથી ખાલી કરાવડાવ્યા છે.

મધ્ય એશિયામાં પરિસ્થિતિઓ સતત વણસી રહી છે. કેમ કે , ઈરાન અને ઇઝરાયેલના એક બીજા પર જોરદાર હુમલાઓ ચાલુ છે. બેઉ તરફ મૃત્યુનો આંક વધી રહ્યો છે. રવિવારે મોડી રાતથી આજે સવારે , ઈરાન દ્વારા ઇઝરાયેલ પર મિસાઈલ હુમલા સતત ચાલુ છે જે અંતર્ગત હવે ઇસરાએલની રાજધાની તેલઅવીવમાં આવેલી યુએસ એમ્બેસીને નુકશાન થયું છે. યુએસ એમ્બેસેડર માઈક હકાબીએ આ સમાચાર કન્ફર્મ કર્યા છે. તો બીજી તરફ ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સીસએ ઇરાનમાં છેક અંદર સુધી સ્ટ્રાઇક કરી છે. યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ પર એક પોસ્ટ કરીને ભારત પાકિસ્તાનનો સંદર્ભ આપીને ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સમાધાન કરાવવાની વાત કરી છે.

ઇઝરાયેલએ હવે ફરી એકવાર ઈરાન પર હુમલો કર્યો છે . જેમાં ઈઝરાઈલે ઈરાનની ઓઇલ અને પરમાણુ સાઇટ્સને નિશાન બનાવી છે. બેઉ દેશો વચ્ચે પરિસ્થિતિ જબરદસ્ત રીતે એસ્કેલેટ થઇ રહી છે . અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ અમેરિકાની કોઈ પણ પ્રકારની ભૂમિકા નકારી દીધી છે. સાથે જ ઈરાનને ધમકી આપી છે કે , અમેરિકાની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો , અમેરિકા નઈ છોડે. સાથે જ એ પણ ચર્ચા કરીશું કે , કેવી રીતે ઈરાન , ઇઝરાયેલ યુદ્ધ ભારત અને વિશ્વના અર્થતંત્રને અસર કરી શકે છે.