Congress આવતી કાલે Gujaratની બાકી રહેલી બેઠકો માટે ઉમેદવારોના નામની કરી શકે છે જાહેરાત, જાણો બાકીની 7 બેઠકો પર કયા ચેહરાઓને મળી શકે છે તક?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-29 17:41:07

લોકસભા 2024ની ચૂંટણીઓ માટે ભારતીય જનતા પાર્ટીએ તમામ ૨૬ બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે , તો આ તરફ કોંગ્રેસ પાર્ટીના 7 બેઠકો પરના ઉમેદવારો માટે મનોમંથન કોંગ્રેસની સેન્ટ્રલ ઇલેકશન કમિટીમાં ચાલી રહ્યું છે. બાકી રહેલી ૭ બેઠકોની વાત કરીએ તો તે છે અમદાવાદ પૂર્વ, મહેસાણા, રાજકોટ, જૂનાગઢ, નવસારી , સુરેન્દ્રનગર અને વડોદરા. આ બેઠકો પર ૩૦ તારીખ સુધીમાં એટલે કે આવતી કાલ સુધીમાં નામોની જાહેરાત કરવામાં આવી શકે છે તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે. પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવે તે પહેલા અનેક સંભવિત નામોની ચર્ચા થઈ રહી છે કે તેઓ ઉમેદવાર હોઈ શકે છે... 


 

અમદાવાદ પૂર્વમાં આમને મળી શકે ઉમેદવાર તરીકે તર્ક  

સૌ પ્રથમ વાત કરીએ જૂનાગઢ બેઠકની સંભવિત ઉમેદવાર તરીકે જલ્પા ચુડાસમા કે જેઓ કોળી સમાજના છે તેમનું નામ પણ આગળ ચાલી રહ્યું છે. તેઓ હાલના સોમનાથના વર્તમાન MLA વિમલ ચુડાસમાના પત્ની છે. ચોરવાડ નગરપાલિકાના બે ટર્મથી પ્રમુખ છે તેમને ટિકિટ આપવા કોંગ્રેસના કાર્યકરોએ માંગ કરી છે. અમદાવાદ પૂર્વ બેઠક પરથી અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિમ્મત સિંહ પટેલને કોંગ્રેસ પાર્ટી ટિકીટ આપી શકે છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. તેઓ બાપુનગરના MLA રહી ચુક્યા છે અને અમદાવાદના મેયર પણ રહી ચુક્યા છે  , તમને કહી દઈએ કે અગાઉ કોંગ્રેસે રોહન ગુપ્તાને અમદાવાદ પૂર્વથી  ટિકિટ આપી હતી પણ હવે તેમણે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે . 


આ પૂર્વ ધારાસભ્ય હોઈ શકે છે લોકસભા બેઠક માટે ઉમેદવાર    

વાત કરીએ  મહેસાણા લોકસભા પરથી BJPના હરિભાઈ પટેલની સામે બળદેવજી ઠાકોરને કોંગ્રેસ ટિકીટ આપી શકે છે. તેઓ કલોલ વિધાનસભા બેઠકના MLA પણ રહી ચુક્યા છે. તેમની લડાયક નેતા તરીકેની આખા મહેસાણામાં છાપ છે. અહીં કોંગ્રેસ પાર્ટી ઠાકોર કાર્ડ રમી શકે છે. તે ઉપરાંત વાત કરીએ સુરેન્દ્રનગર લોકસભા બેઠકની તો કોંગ્રેસ ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાને ટિકીટ મળી શકે છે. તેઓ તળપદા કોળી સમાજના છે. BJPએ ચંદુભાઈ શિહોરા કે જે ચુવાળિયા કોળી સમાજના આગેવાન છે તેમને ટિકિટ આપી છે. 



કોણ હોઈ શકે છે કોંગ્રેસના સંભવિત ઉમેદવાર? 

નવસારી લોકસભા પરથી કોંગ્રેસ ગુજરાત BJPના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની સામે કોળી સમાજના શૈલેષ પટેલને ઉતારી શકે છે. તેઓ વી.એસ.કોલેજના જનરલ સેક્રેટરી રહી ચુક્યા છે અને ડેપ્યુટી સરપંચ પણ રહી ચુક્યા છે. અને ચીખલી તાલુકાના કોંગ્રેસના વર્કિંગ પ્રેસિડેન્ટ છે. આ શૈલષ પટેલની કોળી સમાજમાં તો પકડ છે જ પણ આદિવાસી સમાજમાં પણ સારી એવી પકડ છે. વાત કરીએ રાજકોટ બેઠકની તો ત્યાંથી કોંગ્રેસમાંથી પરેશ ધાનાણીનું નામ ચાલી રહ્યું હતું પરંતુ તેમણે ચૂંટણી લડવાની ના પાડી દીધી છે જેને કારણે કોંગ્રેસને બીજો ચહેરો શોધવો પડશે..રાજકોટ પરથી BJPના પરષોત્તમ રૂપાલાની સામે કોંગ્રેસ હિતેશ વોરાને ટિકિટ આપી શકે છે. ત્યારે જોવું રહ્યું કે કોંગ્રેસ કોને ટિકીટ આપે છે? 



આજે ખાડાઓની વાત એટલા માટે કરવી છે કારણ કે સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દારૂ તેમજ ચવાણામાં વેચાઈ જતા મતદારો પર કટાક્ષ કરવામાં આવ્યો છે.

અલગ અલગ રાજ્યોમાંથી મકાનો, બિલ્ડીંગ ધરાશાઈ થવાના સમાચારો સામે આવતા રહે છે.. બિલ્ડીંગ ધરાશાઈ થવાને કારણે અનેક લોકો મોતને ભેટતા હોય છે, ઘાયલ થતા હોય છે. ત્યારે મહારાષ્ટ્રના મુંબઈમાં ત્રણ માળની ઈમારત ધરાશાઈ થઈ ગઈ છે..

દરેકમાં ઈશ્વર રહેલા છે તેવું આપણે સામાન્ય રીતે માનતા હોઈએ છીએ. ઈશ્વરે આપણને બનાવ્યા છે.. ઈશ્વરે માણસને બનાવ્યો પરંતુ તે જ માણસ ઈશ્વરને મંદિરમાં સ્થાન આપે છે. ધર્મની અલગ અલગ વ્યાખ્યા આપણે ત્યાં લોકો કરતા હોય છે.

જ્ઞાન સહાયક જે માટે વિદ્યાર્થીઓ આટલું લડ્યા ગાંધીનગરના રસ્તાઓ પર ઢસડાયા અને અંતે સરકારે ભરતી તો બહાર પડી પણ હવે એ લટકતી તલવાર જેવી સ્થિતી છે કારણ કે હવે સરકારે જ્ઞાન સહાયક ભરતીની જાહેરાત કરી છે એટલે હવે કાયમી શિક્ષકોની ભરતીનું શું? કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે માટે ટેટ ટાટ પાસ ઉમેદવારોએ આંદોલન કર્યું....