ટૂંક સમયમાં Gujaratની બાકી રહેલી 7 લોકસભા બેઠકો માટે Congress કરી શકે છે ઉમેદવારોના નામની ઘોષણા, આ ત્રણ બેઠકો પર ઉમેદવાર ફાઈનલ જેવા!


  • Published By :
  • Published Date : 2024-04-02 13:07:39

ગુજરાતની 26 બેઠકો માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી ગઈ છે પરંતુ અનેક બેઠકો એવી છે જ્યાં કોંગ્રેસ દ્વારા ઉમેદવાર જાહેર નથી કરવામાં આવ્યા. ઉમેદવારોને લઈ મનોમંથન ચાલી રહ્યું છે તેવું લાગે છે. મીડિયા રિપોર્ટ અનુસાર ત્રણ બેઠકો પર ઉમેદવારોના નામ ફાઈનલ જેવા છે.. મીડિયા રિપોર્ટ અનુસાર સુરેન્દ્રનગર બેઠક પર ઋત્વિક મકવાણા, અમદાવાદ પૂર્વમાં દલસુખ પટેલ તેમજ જૂનાગઢમાં હીરા જોટવાના નામની ચર્ચા  ચાલી રહી છે.. એવું માનવામાં આવી રહ્યું છે કે આ નામ ફાઈનલ જેવા જ છે અને ગમે ત્યારે આ નામોની જાહેરાત થઈ શકે છે...


પાર્ટીમાં ચાલતો આંતરિક વિખવાદ ખુલ્લીને બહાર આવ્યો!

લોકસભા ચૂંટણી પહેલા રાજકારણ ગરમાઈ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની ઘોષણા કરી દેવામાં આવી છે. 26 ઉમેદવારોના નામ ભાજપે જાહેર કર્યા છે પરંતુ નામ જાહેર થયા બાદ ભાજપમાં વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. અનેક બેઠકો પર જાહેર કરવામાં આવેલા ઉમેદવારોનો વિરોધ થઈ રહ્યો છે.. પાર્ટીમાં ચાલતો આંતરિક વિવાદ ખુલ્લીને બહાર આવી રહ્યો છે. જે પરિસ્થિતિ હાલ ભાજપમાં જોવા મળી રહી છે તેવી પરિસ્થિતિ અંગે ભાજપના નેતાઓએ કદાચ કલ્પના પણ નહીં કરી હોય અનેક જગ્યાઓ પર ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારનો વિરોધ થઈ રહ્યો છે.

 


આ બેઠકો પર કોંગ્રેસ આમને ઉતારી શકે છે ચૂંટણી મેદાનમાં  

આ બધા વચ્ચે કોંગ્રેસ દ્વારા અનેક બેઠકો એવી છે જ્યાં ઉમેદવારોના નામની જાહેરાત નથી કરવામાં આવી. ભાજપ દ્વારા 26 બેઠકો પર ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવી ગઈ છે ત્યારે કોંગ્રેસ આગામી દિવસોમાં બાકી રહેલા ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે. અનેક નામોની ચર્ચાઓ થઈ રહી છે જેમને કોંગ્રેસ ઉમેદવાર તરીકે ઘોષિત કરી શકે છે. ગુજરાતમાં બાકી રહેલી બેઠકોમાંથી ત્રણ બેઠકો એવી છે જ્યાં ઉમેદવાર નક્કી જેવા જ છે. મીડિયા રિપોર્ટ અનુસાર સુરેન્દ્રનગર બેઠક પર ઋત્વિક મકવાણા, અમદાવાદ પૂર્વમાં દલસુખ પટેલ તેમજ જૂનાગઢમાં હીરા જોટવાના નામની ચર્ચા  ચાલી રહી છે.. આ બેઠકો પર અનેક નામોની ચર્ચાઓ થઈ રહી હતી પરંતુ આ ત્રણ ઉમેદવારોના નામ ફાઈનલ જેવા માનવામાં આવી રહ્યા છે. આ લોકોના નામ રેસમાં આગળ ચાલી રહ્યા છે.


આ બેઠકો પર ઉમેદવાર જાહેર કરવા કોંગ્રેસમાં ચાલી રહ્યું છે મનોમંથન!

મહત્વનું છે કે સાત બેઠકો એવી છે જ્યાં કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત નથી કરવામાં આવી. તેમાં અમદાવાદ પૂર્વ, મહેસાણા, નવસારી, જૂનાગઢ, સુરેન્દ્રનગર, રાજકોટ તેમજ વડોદરા બેઠકનો સમાવેશ થાય છે. ત્રણ બેઠકો પર ઉમેદવારોના નામ ફાઈલન જેવા છે પરંતુ બાકી રહેલી બેઠકો માટે કોંગ્રેસ પાર્ટી અસમંજસમાં હોય તેવું લાગી રહ્યું છે. મહત્વનું છે કે ગુજરાતની 26 બેઠકો માટે આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ વચ્ચે ગઠબંધન કરવામાં આવ્યું છે.. ભરૂચ તેમજ ભાવનગર સીટ પર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી અને બાકીની રહેલી બેઠકો પર કોંગ્રેસ તબક્કાવાર ઉમેદવારોના નામ જાહેર કરી રહી છે. ટૂંક સમયમાં કોંગ્રેસ બાકી રહેલા ઉમેદવારોના નામની ઘોષણા કરી શકે છે... ત્યારે જોવું રહ્યું કોંગ્રેસ પાર્ટી કોને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કરે છે...?     



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે