ટૂંક સમયમાં Gujaratની બાકી રહેલી 7 લોકસભા બેઠકો માટે Congress કરી શકે છે ઉમેદવારોના નામની ઘોષણા, આ ત્રણ બેઠકો પર ઉમેદવાર ફાઈનલ જેવા!


  • Published By :
  • Published Date : 2024-04-02 13:07:39

ગુજરાતની 26 બેઠકો માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી ગઈ છે પરંતુ અનેક બેઠકો એવી છે જ્યાં કોંગ્રેસ દ્વારા ઉમેદવાર જાહેર નથી કરવામાં આવ્યા. ઉમેદવારોને લઈ મનોમંથન ચાલી રહ્યું છે તેવું લાગે છે. મીડિયા રિપોર્ટ અનુસાર ત્રણ બેઠકો પર ઉમેદવારોના નામ ફાઈનલ જેવા છે.. મીડિયા રિપોર્ટ અનુસાર સુરેન્દ્રનગર બેઠક પર ઋત્વિક મકવાણા, અમદાવાદ પૂર્વમાં દલસુખ પટેલ તેમજ જૂનાગઢમાં હીરા જોટવાના નામની ચર્ચા  ચાલી રહી છે.. એવું માનવામાં આવી રહ્યું છે કે આ નામ ફાઈનલ જેવા જ છે અને ગમે ત્યારે આ નામોની જાહેરાત થઈ શકે છે...


પાર્ટીમાં ચાલતો આંતરિક વિખવાદ ખુલ્લીને બહાર આવ્યો!

લોકસભા ચૂંટણી પહેલા રાજકારણ ગરમાઈ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની ઘોષણા કરી દેવામાં આવી છે. 26 ઉમેદવારોના નામ ભાજપે જાહેર કર્યા છે પરંતુ નામ જાહેર થયા બાદ ભાજપમાં વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. અનેક બેઠકો પર જાહેર કરવામાં આવેલા ઉમેદવારોનો વિરોધ થઈ રહ્યો છે.. પાર્ટીમાં ચાલતો આંતરિક વિવાદ ખુલ્લીને બહાર આવી રહ્યો છે. જે પરિસ્થિતિ હાલ ભાજપમાં જોવા મળી રહી છે તેવી પરિસ્થિતિ અંગે ભાજપના નેતાઓએ કદાચ કલ્પના પણ નહીં કરી હોય અનેક જગ્યાઓ પર ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારનો વિરોધ થઈ રહ્યો છે.

 


આ બેઠકો પર કોંગ્રેસ આમને ઉતારી શકે છે ચૂંટણી મેદાનમાં  

આ બધા વચ્ચે કોંગ્રેસ દ્વારા અનેક બેઠકો એવી છે જ્યાં ઉમેદવારોના નામની જાહેરાત નથી કરવામાં આવી. ભાજપ દ્વારા 26 બેઠકો પર ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવી ગઈ છે ત્યારે કોંગ્રેસ આગામી દિવસોમાં બાકી રહેલા ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે. અનેક નામોની ચર્ચાઓ થઈ રહી છે જેમને કોંગ્રેસ ઉમેદવાર તરીકે ઘોષિત કરી શકે છે. ગુજરાતમાં બાકી રહેલી બેઠકોમાંથી ત્રણ બેઠકો એવી છે જ્યાં ઉમેદવાર નક્કી જેવા જ છે. મીડિયા રિપોર્ટ અનુસાર સુરેન્દ્રનગર બેઠક પર ઋત્વિક મકવાણા, અમદાવાદ પૂર્વમાં દલસુખ પટેલ તેમજ જૂનાગઢમાં હીરા જોટવાના નામની ચર્ચા  ચાલી રહી છે.. આ બેઠકો પર અનેક નામોની ચર્ચાઓ થઈ રહી હતી પરંતુ આ ત્રણ ઉમેદવારોના નામ ફાઈનલ જેવા માનવામાં આવી રહ્યા છે. આ લોકોના નામ રેસમાં આગળ ચાલી રહ્યા છે.


આ બેઠકો પર ઉમેદવાર જાહેર કરવા કોંગ્રેસમાં ચાલી રહ્યું છે મનોમંથન!

મહત્વનું છે કે સાત બેઠકો એવી છે જ્યાં કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત નથી કરવામાં આવી. તેમાં અમદાવાદ પૂર્વ, મહેસાણા, નવસારી, જૂનાગઢ, સુરેન્દ્રનગર, રાજકોટ તેમજ વડોદરા બેઠકનો સમાવેશ થાય છે. ત્રણ બેઠકો પર ઉમેદવારોના નામ ફાઈલન જેવા છે પરંતુ બાકી રહેલી બેઠકો માટે કોંગ્રેસ પાર્ટી અસમંજસમાં હોય તેવું લાગી રહ્યું છે. મહત્વનું છે કે ગુજરાતની 26 બેઠકો માટે આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ વચ્ચે ગઠબંધન કરવામાં આવ્યું છે.. ભરૂચ તેમજ ભાવનગર સીટ પર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી અને બાકીની રહેલી બેઠકો પર કોંગ્રેસ તબક્કાવાર ઉમેદવારોના નામ જાહેર કરી રહી છે. ટૂંક સમયમાં કોંગ્રેસ બાકી રહેલા ઉમેદવારોના નામની ઘોષણા કરી શકે છે... ત્યારે જોવું રહ્યું કોંગ્રેસ પાર્ટી કોને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કરે છે...?     



જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"

સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબો હડતાલ પર ઉતરી ગયા છે. તબીબોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો કેમ કે , ન્યુરો વિભાગના તબીબ પર જે હુમલો થયો તે હજુ પકડાયો નથી. તો હવે જુનિયર તબીબો ચાર મુખ્ય માંગણીઓ સાથે હડતાલ પર ઉતરી ચુક્યા છે. જેના કારણે , રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઇમર્જન્સી સિવાય તમામ સેવાઓ ઠપ થઇ ગઈ છે. આમ , ફરી એકવાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓ પર સંકટના વાદળો છવાયા છે.