નેશનલ હાઇવે 56 માટે જમીન સંપાદનના વિરોધમાં કોંગ્રેસના MLA અનંત પટેલ લાલઘૂમ, ધરમપુરમાં વિશાળ રેલી કાઢી વિરોધ દર્શાવ્યો


  • Published By :
  • Published Date : 2023-06-21 17:13:52

કોંગ્રેસના જાણીતા આદીવાસી નેતા અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે સરકારના જમીન સંપાદનના પગલા સામે બાંયો ચઢાવી છે. તાપી જિલ્લામાંથી પસાર થનાર નેશનલ હાઇવે નંબર 56ના વિસ્તરણ માટે થતા જમીન સંપાદનના વિરોધમાં અનંત પટેલે વલસાડના ધરમપુરમાં રેલી યોજી હતી. આ રેલીમાં લોકોને સંબોધતા તેમણે કહ્યું હતું કે જીવ આપી દઈશું પણ જમીન નહીં આપીએ.


જમીન સંપાદનનો ખેડૂતો કરી રહ્યા છે વિરોધ


તાપી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 56 માં જમીન સંપાદનને પગલે છેલ્લા થોડા સમયથી આદિવાસીઓમાં વિરોધ જોવા મળી રહ્યો છે. આ હાઇ વે રોડ પણ તાપી જિલ્લાના ડોલવણ અને વ્યારા તાલુકાના 28 જેટલા ગામોમાંથી આશરે 51 કિલોમીટર જેટલો પસાર થનાર હોય જેના પગલે સેંકડો ખેડૂતોની જમીન આ હાઇવે રોડમાં સંપાદિત થનાર છે. જેમાં તાપી સહિત અન્ય જિલ્લાઓના ઘણા આદિવાસી અસરગ્રસ્ત થનાર હોવાને લઈને તેમને નુકશાન જવાની દહેશતના પગલે આજે કૉંગ્રેસના વાંસદા બેઠકના ધારાસભ્ય અનંત પટેલ વિરોધ નોંધાવી રહ્યાં છે. સેંકડો ખેડૂતોની જમીન બચાાવવા માટે આ આંદોલન કરવામાં આવી રહ્યું છે અને અનંત પટેલ જોરદાર વિરોધ કરી રહ્યાં છે.


અનંત પટેલની આગેવાનીમાં યોજાઈ રેલી


વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં વલસાડ જિલ્લાના ધરમપુરમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજ એકત્ર થયો હતો અને જમીન સંપાદનને લઈને થતી લોક સુનાવણીનો વિરોધ કર્યો હતો. નેશનલ હાઈવે 56માં ખેડૂતોની જતી જમીનને લઈને ધરમપુરમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. અસરગ્રસ્ત ખેડૂતોની સાથે આદિવાસીઓ મોટી સંખ્યામાં ધરમપુર પ્રાંત અધિકારી કચેરીએ ભેગા થયા હતા. જમીન સંપાદનને લઈને થતી લોક સુનાવણીનો વિરોઘ કરવા માટે આદિવાસી સમાજે વિશાળ રેલી પણ યોજી હતી. તેમણે સૂત્રોચ્ચાર કર્યા હતા કે, જંગલ, જમીન પર અમારો હક છે. જીવ આપીશું પણ જમીન નહીં આપીએ. 



ગુજરાતમાં સાતમી તારીખે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું.. ક્યાંથી પણ ઘર્ષણના દ્રશ્યો સામે ના આવ્યા... ગુજરાતીઓને છાજે એવી રીતે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ.. પરંતુ ગઈકાલે સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો જેને કારણે અનેક સવાલો ઉભા થયા..

સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે શૂન્ય પાલનપુરીની રચના જેમાં તે નાતની, જાતની વાત કરે છે. અનેક લોકો આજના જમાનામાં એવા હોય છે જે નાત, જાતને કારણે લોકો સાથે ભેદભાવ કરતા હોય છે.

પરષોત્તમ રૂપાલાના નિવેદનને કારણે ગુજરાતની રાજનીતિ ગરમાઈ હતી. ક્ષત્રિય સમાજે ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાની જાહેરાત કરી હતી. ત્યારે આણંદના સમીકરણોની વાત કરીએ તો અહીંયા મોટા પ્રમાણમાં ક્ષત્રિય સમાજના મતદાતાઓ છે.

ભાજપના કેન્ડીડેટ સામે ભાજપના જ ધારાસભ્ય જયેશ રાદડિયાએ દાવેદારી નોંધાવી હતી. 182 મતમાંથી 180 મત પડ્યા હતા જેમાં જયેશ રાદડિયાને 114 મત મળ્યા છે..