નેશનલ હાઇવે 56 માટે જમીન સંપાદનના વિરોધમાં કોંગ્રેસના MLA અનંત પટેલ લાલઘૂમ, ધરમપુરમાં વિશાળ રેલી કાઢી વિરોધ દર્શાવ્યો


  • Published By :
  • Published Date : 2023-06-21 17:13:52

કોંગ્રેસના જાણીતા આદીવાસી નેતા અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે સરકારના જમીન સંપાદનના પગલા સામે બાંયો ચઢાવી છે. તાપી જિલ્લામાંથી પસાર થનાર નેશનલ હાઇવે નંબર 56ના વિસ્તરણ માટે થતા જમીન સંપાદનના વિરોધમાં અનંત પટેલે વલસાડના ધરમપુરમાં રેલી યોજી હતી. આ રેલીમાં લોકોને સંબોધતા તેમણે કહ્યું હતું કે જીવ આપી દઈશું પણ જમીન નહીં આપીએ.


જમીન સંપાદનનો ખેડૂતો કરી રહ્યા છે વિરોધ


તાપી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 56 માં જમીન સંપાદનને પગલે છેલ્લા થોડા સમયથી આદિવાસીઓમાં વિરોધ જોવા મળી રહ્યો છે. આ હાઇ વે રોડ પણ તાપી જિલ્લાના ડોલવણ અને વ્યારા તાલુકાના 28 જેટલા ગામોમાંથી આશરે 51 કિલોમીટર જેટલો પસાર થનાર હોય જેના પગલે સેંકડો ખેડૂતોની જમીન આ હાઇવે રોડમાં સંપાદિત થનાર છે. જેમાં તાપી સહિત અન્ય જિલ્લાઓના ઘણા આદિવાસી અસરગ્રસ્ત થનાર હોવાને લઈને તેમને નુકશાન જવાની દહેશતના પગલે આજે કૉંગ્રેસના વાંસદા બેઠકના ધારાસભ્ય અનંત પટેલ વિરોધ નોંધાવી રહ્યાં છે. સેંકડો ખેડૂતોની જમીન બચાાવવા માટે આ આંદોલન કરવામાં આવી રહ્યું છે અને અનંત પટેલ જોરદાર વિરોધ કરી રહ્યાં છે.


અનંત પટેલની આગેવાનીમાં યોજાઈ રેલી


વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં વલસાડ જિલ્લાના ધરમપુરમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજ એકત્ર થયો હતો અને જમીન સંપાદનને લઈને થતી લોક સુનાવણીનો વિરોધ કર્યો હતો. નેશનલ હાઈવે 56માં ખેડૂતોની જતી જમીનને લઈને ધરમપુરમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. અસરગ્રસ્ત ખેડૂતોની સાથે આદિવાસીઓ મોટી સંખ્યામાં ધરમપુર પ્રાંત અધિકારી કચેરીએ ભેગા થયા હતા. જમીન સંપાદનને લઈને થતી લોક સુનાવણીનો વિરોઘ કરવા માટે આદિવાસી સમાજે વિશાળ રેલી પણ યોજી હતી. તેમણે સૂત્રોચ્ચાર કર્યા હતા કે, જંગલ, જમીન પર અમારો હક છે. જીવ આપીશું પણ જમીન નહીં આપીએ. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.