નેશનલ હાઇવે 56 માટે જમીન સંપાદનના વિરોધમાં કોંગ્રેસના MLA અનંત પટેલ લાલઘૂમ, ધરમપુરમાં વિશાળ રેલી કાઢી વિરોધ દર્શાવ્યો


  • Published By :
  • Published Date : 2023-06-21 17:13:52

કોંગ્રેસના જાણીતા આદીવાસી નેતા અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે સરકારના જમીન સંપાદનના પગલા સામે બાંયો ચઢાવી છે. તાપી જિલ્લામાંથી પસાર થનાર નેશનલ હાઇવે નંબર 56ના વિસ્તરણ માટે થતા જમીન સંપાદનના વિરોધમાં અનંત પટેલે વલસાડના ધરમપુરમાં રેલી યોજી હતી. આ રેલીમાં લોકોને સંબોધતા તેમણે કહ્યું હતું કે જીવ આપી દઈશું પણ જમીન નહીં આપીએ.


જમીન સંપાદનનો ખેડૂતો કરી રહ્યા છે વિરોધ


તાપી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 56 માં જમીન સંપાદનને પગલે છેલ્લા થોડા સમયથી આદિવાસીઓમાં વિરોધ જોવા મળી રહ્યો છે. આ હાઇ વે રોડ પણ તાપી જિલ્લાના ડોલવણ અને વ્યારા તાલુકાના 28 જેટલા ગામોમાંથી આશરે 51 કિલોમીટર જેટલો પસાર થનાર હોય જેના પગલે સેંકડો ખેડૂતોની જમીન આ હાઇવે રોડમાં સંપાદિત થનાર છે. જેમાં તાપી સહિત અન્ય જિલ્લાઓના ઘણા આદિવાસી અસરગ્રસ્ત થનાર હોવાને લઈને તેમને નુકશાન જવાની દહેશતના પગલે આજે કૉંગ્રેસના વાંસદા બેઠકના ધારાસભ્ય અનંત પટેલ વિરોધ નોંધાવી રહ્યાં છે. સેંકડો ખેડૂતોની જમીન બચાાવવા માટે આ આંદોલન કરવામાં આવી રહ્યું છે અને અનંત પટેલ જોરદાર વિરોધ કરી રહ્યાં છે.


અનંત પટેલની આગેવાનીમાં યોજાઈ રેલી


વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં વલસાડ જિલ્લાના ધરમપુરમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજ એકત્ર થયો હતો અને જમીન સંપાદનને લઈને થતી લોક સુનાવણીનો વિરોધ કર્યો હતો. નેશનલ હાઈવે 56માં ખેડૂતોની જતી જમીનને લઈને ધરમપુરમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. અસરગ્રસ્ત ખેડૂતોની સાથે આદિવાસીઓ મોટી સંખ્યામાં ધરમપુર પ્રાંત અધિકારી કચેરીએ ભેગા થયા હતા. જમીન સંપાદનને લઈને થતી લોક સુનાવણીનો વિરોઘ કરવા માટે આદિવાસી સમાજે વિશાળ રેલી પણ યોજી હતી. તેમણે સૂત્રોચ્ચાર કર્યા હતા કે, જંગલ, જમીન પર અમારો હક છે. જીવ આપીશું પણ જમીન નહીં આપીએ. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.