Chaitar Vasavaના સમર્થનમાં આવ્યા Congressના ધારાસભ્ય Anant Patel, કેસ માટે કહી આ વાત, સાંભળો


  • Published By :
  • Published Date : 2023-11-07 17:25:13

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. ફોરેસ્ટ વિભાગના કર્મચારી પર હુમલો કર્યો તેને લઈ ધારાસભ્ય વિરૂદ્ધ  ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જ્યારથી પોલીસ ફરિયાદ થયા હોવાની માહિતી સામે આવી છે ત્યારથી ધારાસભ્ય ફરાર છે. આમ આદમી પાર્ટી આ મુદ્દે આક્રામક દેખાઈ રહી છે. સોશિયલ મીડિયામાં આઈ સપોર્ટ ચૈતર વસાવા મુહીમ ચાલી રહી છે. આ બધા વચ્ચે વાંસદના ધારાસભ્ય  અને આદિવાસી નેતા અનંત પટેલ ચૈતર વસાવાના સમર્થનમાં આવ્યા છે. એક વીડિયો શેર કરી તેમણે આ વાતની જાહેરાત કરી છે.

યુવરાજસિંહ સહિતના લોકોને પોલીસે કર્યા હતા ડિટેન

ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓ ઘટવાનું નામ નથી લઈ રહી. ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં તેમના વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ તેમની ધરપકડ કરે તે પહેલા જ ધારાસભ્ય ફરાર થઈ ગયા છે, પોલીસની પકડથી હજી પણ દૂર છે. પોલીસે તેમના પત્નીની ધરપકડ કરી લીધી છે. આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજા કાફલા સાથે ડેડિયાપાડા જઈ રહ્યા હતા ત્યારે તેમને રોકી દેવામાં આવ્યા હતા. અનેક લોકોને ડિટેન કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ પણ ચૈતર વસાવાના સમર્થનમાં આવી છે. ધારાસભ્ય અનંત પટેલે એક વીડિયો શેર કરી આ વાતની જાણકારી આપી છે. 

અનંત પટેલ આવ્યા ચૈતર વસાવાના સમર્થનમાં  

ધારાસભ્ય અનંત પટેલે કહ્યું કે  સરકાર આદિવાસી સમાજના જનપ્રતિનિધિ ચૈતરભાઈને ખોટી FIR દાખલ કરી ઘેરવાનો પ્રયાસ કરી રહી છે અને કહ્યું કે ચૈતરભાઈ કે જેઓ આદિવાસી સમાજની કાયમથી ચિંતા કરે છે અને સમાજના નાના મોટા તમામ પ્રશ્નોને વાચા આપે છે . ચૈતરભાઈ પર આ રીતે ખોટી FIR કરવા બદલ સમગ્ર આદિવાસી સમાજમાં આક્રોશ છે અને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. 



અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.