Chaitar Vasavaના સમર્થનમાં આવ્યા Congressના ધારાસભ્ય Anant Patel, કેસ માટે કહી આ વાત, સાંભળો


  • Published By :
  • Published Date : 2023-11-07 17:25:13

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. ફોરેસ્ટ વિભાગના કર્મચારી પર હુમલો કર્યો તેને લઈ ધારાસભ્ય વિરૂદ્ધ  ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જ્યારથી પોલીસ ફરિયાદ થયા હોવાની માહિતી સામે આવી છે ત્યારથી ધારાસભ્ય ફરાર છે. આમ આદમી પાર્ટી આ મુદ્દે આક્રામક દેખાઈ રહી છે. સોશિયલ મીડિયામાં આઈ સપોર્ટ ચૈતર વસાવા મુહીમ ચાલી રહી છે. આ બધા વચ્ચે વાંસદના ધારાસભ્ય  અને આદિવાસી નેતા અનંત પટેલ ચૈતર વસાવાના સમર્થનમાં આવ્યા છે. એક વીડિયો શેર કરી તેમણે આ વાતની જાહેરાત કરી છે.

યુવરાજસિંહ સહિતના લોકોને પોલીસે કર્યા હતા ડિટેન

ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓ ઘટવાનું નામ નથી લઈ રહી. ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં તેમના વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ તેમની ધરપકડ કરે તે પહેલા જ ધારાસભ્ય ફરાર થઈ ગયા છે, પોલીસની પકડથી હજી પણ દૂર છે. પોલીસે તેમના પત્નીની ધરપકડ કરી લીધી છે. આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજા કાફલા સાથે ડેડિયાપાડા જઈ રહ્યા હતા ત્યારે તેમને રોકી દેવામાં આવ્યા હતા. અનેક લોકોને ડિટેન કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ પણ ચૈતર વસાવાના સમર્થનમાં આવી છે. ધારાસભ્ય અનંત પટેલે એક વીડિયો શેર કરી આ વાતની જાણકારી આપી છે. 

અનંત પટેલ આવ્યા ચૈતર વસાવાના સમર્થનમાં  

ધારાસભ્ય અનંત પટેલે કહ્યું કે  સરકાર આદિવાસી સમાજના જનપ્રતિનિધિ ચૈતરભાઈને ખોટી FIR દાખલ કરી ઘેરવાનો પ્રયાસ કરી રહી છે અને કહ્યું કે ચૈતરભાઈ કે જેઓ આદિવાસી સમાજની કાયમથી ચિંતા કરે છે અને સમાજના નાના મોટા તમામ પ્રશ્નોને વાચા આપે છે . ચૈતરભાઈ પર આ રીતે ખોટી FIR કરવા બદલ સમગ્ર આદિવાસી સમાજમાં આક્રોશ છે અને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.