Chaitar Vasavaના સમર્થનમાં આવ્યા Congressના ધારાસભ્ય Anant Patel, કેસ માટે કહી આ વાત, સાંભળો


  • Published By :
  • Published Date : 2023-11-07 17:25:13

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. ફોરેસ્ટ વિભાગના કર્મચારી પર હુમલો કર્યો તેને લઈ ધારાસભ્ય વિરૂદ્ધ  ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જ્યારથી પોલીસ ફરિયાદ થયા હોવાની માહિતી સામે આવી છે ત્યારથી ધારાસભ્ય ફરાર છે. આમ આદમી પાર્ટી આ મુદ્દે આક્રામક દેખાઈ રહી છે. સોશિયલ મીડિયામાં આઈ સપોર્ટ ચૈતર વસાવા મુહીમ ચાલી રહી છે. આ બધા વચ્ચે વાંસદના ધારાસભ્ય  અને આદિવાસી નેતા અનંત પટેલ ચૈતર વસાવાના સમર્થનમાં આવ્યા છે. એક વીડિયો શેર કરી તેમણે આ વાતની જાહેરાત કરી છે.

યુવરાજસિંહ સહિતના લોકોને પોલીસે કર્યા હતા ડિટેન

ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓ ઘટવાનું નામ નથી લઈ રહી. ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં તેમના વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ તેમની ધરપકડ કરે તે પહેલા જ ધારાસભ્ય ફરાર થઈ ગયા છે, પોલીસની પકડથી હજી પણ દૂર છે. પોલીસે તેમના પત્નીની ધરપકડ કરી લીધી છે. આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજા કાફલા સાથે ડેડિયાપાડા જઈ રહ્યા હતા ત્યારે તેમને રોકી દેવામાં આવ્યા હતા. અનેક લોકોને ડિટેન કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ પણ ચૈતર વસાવાના સમર્થનમાં આવી છે. ધારાસભ્ય અનંત પટેલે એક વીડિયો શેર કરી આ વાતની જાણકારી આપી છે. 

અનંત પટેલ આવ્યા ચૈતર વસાવાના સમર્થનમાં  

ધારાસભ્ય અનંત પટેલે કહ્યું કે  સરકાર આદિવાસી સમાજના જનપ્રતિનિધિ ચૈતરભાઈને ખોટી FIR દાખલ કરી ઘેરવાનો પ્રયાસ કરી રહી છે અને કહ્યું કે ચૈતરભાઈ કે જેઓ આદિવાસી સમાજની કાયમથી ચિંતા કરે છે અને સમાજના નાના મોટા તમામ પ્રશ્નોને વાચા આપે છે . ચૈતરભાઈ પર આ રીતે ખોટી FIR કરવા બદલ સમગ્ર આદિવાસી સમાજમાં આક્રોશ છે અને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.