કોંગ્રેસના ધારાસભ્ય સી.જે. ચાવડાના સવાલના જવાબમાં સરકારે સ્વિકાર્યું, ખેડૂતોની આવકની ગણતરી કરવા કોઈ વ્યવસ્થા જ નથી


  • Published By :
  • Published Date : 2023-09-18 15:13:24

રાજ્યની ભાજપ સરકાર અને પાર્ટીના નેતાઓએ અનેક વખત જાહેરમાં દાવો કર્યો છે કે તેમની સરકારે ખેડૂતોની આવક બમણી કરી છે. ત્યારે સવાલ થાય કે સરકાર કયા માપદંડોના આધારે આ પ્રકારના દાવા કરે છે. સરકાર પાસે આ ગણતરી કરવા માટે શું સિસ્ટમ છે? જો કે આજે રાજ્ય સરકારે આ અંગે મહત્વનો ખુલાસો કર્યો છે. કોંગ્રેસના વિજાપુરના ધારાસભ્ય સી. જે. ચાવડાએ વિધાનસભામાં ખેડૂતોની આવક વધી તે મુદ્દે રાજ્ય સરકારને સવાલ કર્યો હતો ત્યારે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે જાહેરમાં સ્વીકાર્યું હતું કે સરકાર પાસે આવી કોઈ વ્યવસ્થા તંત્ર જ નથી. 


સી.જે. ચાવડાએ શું પ્રશ્ન પૂછ્યો હતો 


(1)31 માર્ચ 2023ની સ્થિતિએ વર્ષ 2022માં ખેડૂતોની આવક બમણી કરવા માટે રાજ્ય સરકારે કેવા પગલાં લીધા? (2)વર્ષ 2022 અંતે ખેડૂતોની આવક બમણી કરવા લક્ષ્યાંક સિદ્ધ થયો કે કેમ? (3)જો લક્ષ્યાંક સિદ્ધ થયો ન હોય તો તેના કારણો શા છે?


કૃષિ મંત્રી રાઘવજી પટેલે આપ્યો આ જવાબ?


કોંગ્રેસના ધારાસભ્ય સી. જે. ચાવડાના સવાલનો જવાબ આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે વિધાનસભામાં જણાવ્યું હતું કે, 31 માર્ચ 2023ની સ્થિતિએ વર્ષ 2022માં ખેડૂતોની આવક બમણી કરવા માટે રાજ્ય સરકારે ખેડૂતલક્ષી વિવિધ સહાયકારી તેમજ કલ્યાણકારી યોજનાઓનો લાભ ખેડૂતો સુધી પહોંચાડી અને સઘન વિસ્તરણ પ્રવૃત્તિઓ દ્વારા વિવિધ પગલા લીધા છે. સરકાર ખેત ઉત્પાદનમાં વધારો કરવાની સાથેસાથે અન્ય કૃષિલક્ષી બાબતોમાં ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. રાઘવજી પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ખેતી હેઠળનો વિસ્તાર વધારવો, ખેત ઉત્પાદકતા વધારવી, ખેતી ખર્ચ ઘટાડવો, સંશાધન ક્ષમતા ઊભી કરવી, ખેડૂતોની ખેત પેદાશોના પૂરતા ભાવ મળવા હાઈટેક બાગાયતને પ્રોત્સાહન, ડેરી પશુપાલનનો વિકાસ, જોખમ વ્યવસ્થાપન, સ્કિસ અપગ્રેડેશન, એગ્રો પ્રોસેસિંગ માટે સુવિધા ઊભી કરવી, સ્ટોરેજ વેરહાઉસ સુવિધા ઊભી કરવી, નવીન ટેક્નોલોજી અપનાવવા માટે પ્રોત્સાહન, પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન, કૃષિ સંલગ્ન પૂરક વ્યવસાયને પ્રોત્સાહન અને પૂરક રોજગારીની તક ઊભી કરવી, મૂલ્ય વૃદ્ધિ વગેરે જેવી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરી, સઘન સરકાર ખેડૂતોને પ્રોત્સાહિત કરી રહી છે. આમ, ખેડૂતોની આવક બમણી કરવા માટે રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે અને જે લક્ષ્યાંક સિદ્ધ કરવા સતત પ્રયત્નશીલ છે.


ગણતરી માટે કોઈ વ્યવસ્થા તંત્ર નથી


જો કે કૃષિ મંત્રી રાઘવજી પટેલે ખેડૂતોની આવક ગણતરી કરવા માટે કોઈ વ્યવસ્થા તંત્ર નથી તથા નાણાકીય વર્ષ 2022-23 પૂર્ણ થયેલ ન હોય રાજ્યની કોઈ આંકડાકીય માહિતી પ્રસિદ્ધ થઈ નથી, તેવું પણ કહ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા પ્રકાશિત થતા સામાજિક, આર્થિક સમીક્ષા પ્રકાશન મુજબ ગુજરાત રાજ્યની વર્ષ 2011-12ના ચાલુ ભાવે, વર્ષ 2011-12થી વર્ષ 2021-22 (ઝડપી અંદાજો)ના સમયગાળાનું રાજ્યનું કૃષિ ક્ષેત્ર (પશુપાલન ક્ષેત્ર સહિત)નું એકંદર ઘરઘથ્થું ઉત્પાદન 98015 કરોડથી વધીને 2,34,316 કરોડ થયેલ છે. જે દર્શાવે છે કે, વર્ષો વર્ષ ઘરગથ્થુ ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો છે અને સરકારના સંકલ્પની સિદ્ધિ થઈ છે. આમ, એકંદરે ખેડૂતોની આવકમાં વધારો થયો છે તેવું સરકારનું માનવું છે. જો કે વાસ્તવિકતા જોઈએ રાજ્યમાં ખેડૂતોની હાલત દયનિય છે અને તેમને બિયારણ કે ખાતર માટે પણ લાઈનોમાં ઉભું રહેવું પડે છે તેમ છતાં તેમને ખાતર મળતું નથી.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી