ધારાસભ્ય ગેની બેન ઠાકોરનો પોલીસને પડકાર, એક પણ મહિલાને જો આંગળી પણ અડાડી છે તો ...


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-16 13:01:27

સમગ્ર રાજ્યમાં આંગણવાડી કાર્યકરો અને હેલ્પર બહેનોની હડતાળ ચાલી રહી છે. રાજ્યના અન્ય જિલ્લાઓની સાથે બનાસકાંઠા જિલ્લાની આંગણવાડી કાર્યકરો અને હેલ્પર બહેનો પણ મોટી સંખ્યામાં હડતાળના સમર્થનમાં જોડાઈ છે  આંગણવાડી કાર્યકરો અને હેલ્પર બહેનોને વિપક્ષના નેતાઓનું પણ સમર્થન મળી રહ્યું છે. હડતાળને વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ટેકો આપ્યો છે.


ગેનીબેન ઠાકોરની પોલીસને ચિમકી


આજે થરાદ અને વાવ તાલુકાના આંગણવાડી કેન્દ્રોની બહેનો મોટી સંખ્યામાં થરાદ ખાતે ઉમટી હતી. આંગણવાડી બહેનોએ નાયબ કલેકટર કચેરી ખાતે ધરણાં કાર્યક્રમ યોજ્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પણ હાજર રહ્યા હતા. આંગણવાડી  આંગણવાડી બહેનોના ધરણા દરમિયાન વાવના ધારાસભ્ય ગેની બેન ઠાકોરે ઉગ્ર નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે 'આ એક મહિનો આરપારની લડાઈ, હું પોલીસવાળાને ચેલેન્જ કરું છું કે વાવ-થરાદની એક પણ મહિલાને જો આંગળી  પણ અડાડી છે તો આંગળી કાપી નાખીશું, તમે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે બંધાયેલા છો.' જો પોલીસ કોઈ પણ મહિલાને પકડે તો હું તેમને પડકારી રહી છું. વાવ-થરાદની એક કોઈને મુશ્કેલીમાં મુકવા માટે નહીં.



આંગણવાડી બહેનોની માંગણી શું છે?


આંગણવાડી કાર્યકર બહેનો પોતાના પડતર પ્રશ્નોની માગણીઓ સાથે હડતાળ પર ઉતરી ગઈ છે. તેવામાં ગુરૂવારે તેમનું આંદોલન વધુ ઉગ્ર બન્યું હતું. તેઓ પોતાના માગને સ્વીકૃતી મળે એની માટે આંદોલન કરી રહ્યા છે. આંગણવાડી બહેનોને  ત્રીજા-ચોથા વર્ગના કર્મચારી જાહેર કરવા,  રજા અને માનદ વેતનના બદલે સરકારી કર્મચારીનો દરજ્જો આપવો ઉપરાંત ખાનગીકરણ બંધ  કરવા સહિત 14 જેટલી માંગને લઇને ગુજરાતભરમાં આંગણવાડી કર્મીઓ હડતાળ પર ઉતરી ગયા છે. 




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.