ધારાસભ્ય ગેની બેન ઠાકોરનો પોલીસને પડકાર, એક પણ મહિલાને જો આંગળી પણ અડાડી છે તો ...


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-16 13:01:27

સમગ્ર રાજ્યમાં આંગણવાડી કાર્યકરો અને હેલ્પર બહેનોની હડતાળ ચાલી રહી છે. રાજ્યના અન્ય જિલ્લાઓની સાથે બનાસકાંઠા જિલ્લાની આંગણવાડી કાર્યકરો અને હેલ્પર બહેનો પણ મોટી સંખ્યામાં હડતાળના સમર્થનમાં જોડાઈ છે  આંગણવાડી કાર્યકરો અને હેલ્પર બહેનોને વિપક્ષના નેતાઓનું પણ સમર્થન મળી રહ્યું છે. હડતાળને વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ટેકો આપ્યો છે.


ગેનીબેન ઠાકોરની પોલીસને ચિમકી


આજે થરાદ અને વાવ તાલુકાના આંગણવાડી કેન્દ્રોની બહેનો મોટી સંખ્યામાં થરાદ ખાતે ઉમટી હતી. આંગણવાડી બહેનોએ નાયબ કલેકટર કચેરી ખાતે ધરણાં કાર્યક્રમ યોજ્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પણ હાજર રહ્યા હતા. આંગણવાડી  આંગણવાડી બહેનોના ધરણા દરમિયાન વાવના ધારાસભ્ય ગેની બેન ઠાકોરે ઉગ્ર નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે 'આ એક મહિનો આરપારની લડાઈ, હું પોલીસવાળાને ચેલેન્જ કરું છું કે વાવ-થરાદની એક પણ મહિલાને જો આંગળી  પણ અડાડી છે તો આંગળી કાપી નાખીશું, તમે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે બંધાયેલા છો.' જો પોલીસ કોઈ પણ મહિલાને પકડે તો હું તેમને પડકારી રહી છું. વાવ-થરાદની એક કોઈને મુશ્કેલીમાં મુકવા માટે નહીં.



આંગણવાડી બહેનોની માંગણી શું છે?


આંગણવાડી કાર્યકર બહેનો પોતાના પડતર પ્રશ્નોની માગણીઓ સાથે હડતાળ પર ઉતરી ગઈ છે. તેવામાં ગુરૂવારે તેમનું આંદોલન વધુ ઉગ્ર બન્યું હતું. તેઓ પોતાના માગને સ્વીકૃતી મળે એની માટે આંદોલન કરી રહ્યા છે. આંગણવાડી બહેનોને  ત્રીજા-ચોથા વર્ગના કર્મચારી જાહેર કરવા,  રજા અને માનદ વેતનના બદલે સરકારી કર્મચારીનો દરજ્જો આપવો ઉપરાંત ખાનગીકરણ બંધ  કરવા સહિત 14 જેટલી માંગને લઇને ગુજરાતભરમાં આંગણવાડી કર્મીઓ હડતાળ પર ઉતરી ગયા છે. 




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.