કોંગ્રેસના MLA Kirit Patelએ લખ્યો મુખ્યમંત્રીને પત્ર, TET-TAT ઉમેદવારો પર અત્યાચાર કરનાર પોલીસ કર્મીઓ પર કાર્યવાહી કરવા કરી માગ!


  • Published By :
  • Published Date : 2024-06-24 13:40:07

થોડા દિવસ પહેલા ગાંધીનગરથી એવા દ્રશ્યો સામે આવ્યા જે ગુજરાતની અસ્મિતાને શોભે એવા ના હતા.. કાયમી શિક્ષકોની ભરતીની માગ સાથે પ્રદર્શન કરી રહેલા ટેટ ટાટ પાસ ઉમેદવારો સાથે જે રીતે પોલીસ દ્વારા વર્તન કરવામાં આવ્યું તે કદાચ કોઈને સ્વીકાર્ય નહીં હોય.. અનેક દ્રશ્યો ગાંધીનગરથી સામે આવ્યા જેમાં ગર્ભવતી મહિલાને ખેચવામાં આવી, દીકરીઓને ઢસેડવામાં આવી, પ્રદર્શન કરી રહેલા યુવાનોને પણ જબરદસ્તી જે રીતે ગાડીમાં બેસાડવામાં આવ્યા તે દ્રશ્યો પણ આપણે જોયા છે. 

કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે કરી મુખ્યમંત્રીને રજૂઆત 

પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ હવે આ ઉમેદવારોની ખાસ તો દિકરીઓની વહારે આવ્યા છે... મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે... ઉમેદવારો સાથે આવી રીતે વર્તન કરનારા પોલીસ કર્મીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત તેમના દ્વારા કરવામાં આવી.. પત્રમાં કિરીટ પટેલે લખ્યું છે કે, બે દિવસ પહેલા એટલે કે નિર્જળા એકાદશી અને ભીમ અગિયારસના દિવસે મહામહેનતે ટેટ અને ટાટની પરીક્ષા પાસ કરનાર ગુજરાતના ભાવિ શિક્ષકોએ ગાંધીનગરમાં આંદોલન કર્યું હતું. જેમની ટીંગાટોળી કરી અટકાયત કરાઇ હતી. જે મામલે પોલીસકર્મીઓ સામે પગલાં ભરવા પાટણના ધારાસભ્યે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.




શું લખ્યું પત્રમાં? 

પાટણના ધારાસભ્યે રજૂઆતમાં જણાવ્યું છે કે, ગુજરાતના ભાવિને શિસ્ત, સંયમ અને બંધારણીય અધિકારોના પાઠ શીખવવાના છે તેઓ ઉપર પોલીસ દ્વારા દમન ગુજારવામાં આવ્યુ અને ખાસ કરીને પુરષ પોલીસ કર્મીઓ દ્વારા શિક્ષીત મહિલા ઉમેદવારોને ટીંગાટોળી કરી રોડ પર ઘસેડવામાં આવ્યા અને તેના વીડિઓ વિવિધ મીડીયા દ્વારા જાહેર પણ કરવામાં આવ્યા જે બાબત સરકાર માટે શરમજનક કહી શકાય, ભારતીય ફોજદારી ધારો અને પોલીસ મેન્યુઅલની જોગવાઈ મુજબ કોઈ પુરુષ પોલિસકર્મી દ્વારા બળજબરીથી મહિલાને પકડી શકાય નહીં. મહિલા પોલિસ કર્મી દ્વારા જ મહિલાને પકડી શકાય કે અડી શકાય પરંતુ પુરુષ પોલીસ કર્મીઓ દ્વારા આવી શિક્ષીત મહિલાઓ ઉપર જે કાર્યવાહી કરવામાં આવી તે નૈતિકતા અને કાયદાકીય રીતે પણ તદ્દન ખોટી અને શરમજનક હોઈ કોના આદેશથી આવી કાર્યવાહી કરવામાં ​​​​​​​આવી તેની તપાસ કરી જવાબદાર કર્મીઓ વિરદ્ધ તાત્કાલીક કાર્યવાહી કરવા અને ભવિષ્યમાં પણ આવો બનાવ ના બને તે માટે તાકીદ કરવા વિનંતી છે.



ટેટ ટાટ પાસ ઉમેદવારોની ભરતીને લઈ કરી રજૂઆત.... 

પાટણના ધારાસભ્યે ​​​​​​​રજૂઆતમાં વધુ જણાવ્યું છે કે,​​​​​​​ રાજ્યના ટેટ અને ટાટ ઉમેદવારોની ભરતી કરવા માટે વારંવાર લેખીત રજુઆતો પણ કરેલ છે અને વિધાનસભામાં પણ રજુઆતો કરેલ છે જે બાબતે સરકારે વારંવાર ભરતીની કાર્યવાહી ચાલુ છે તેવા જવાબો પણ આપેલ છે. ગતિશીલ અને સંવેદનશીલ સરકારની ગતિશીલતા અને સંવેદનશીલતા કયાંય દેખાતી હોય તેવુ લાગતુ નથી. પોતાના ન્યાય માટે રજુઆત કરવી અને ન્યાય માટેલડત લડવી એ બંધારણીય અધિકારો હોવા છતા આવા ઉમેદવારોને મળવા છે સંભાળવાને બદલે તેઓને ભેગા થવા રોકવા અને રજુઆત ન કરવા દેવી એ યોગ્ય નથી.


ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારોએ કરી હતી રજૂઆત 

મહત્વનું છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે માટે ટેટ ટાટ પાસ ઉમેદવારે અનેક વખત સરકારને રજૂઆત કરી.. અનેક આંદોલન કર્યા, દાંડી યાત્રા પણ કાઢી હતી... ગાંધીનગરમાં જ્યારે ઉમેદવારો આંદોલન કરવા માટે પહોંચ્યા હતા ત્યારે તેમની અટકાયત કરી દેવામાં આવી હતી. બીજા દિવસે પણ ગાંધીનગર ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. આંદોલનને પગલે સરકાર દ્વારા શિક્ષકોની ભરતી કરવા અંગેની જાહેરાત કરવામાં આવી.. 



ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .

પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?