કોંગ્રેસના MLA Kirit Patelએ લખ્યો મુખ્યમંત્રીને પત્ર, TET-TAT ઉમેદવારો પર અત્યાચાર કરનાર પોલીસ કર્મીઓ પર કાર્યવાહી કરવા કરી માગ!


  • Published By :
  • Published Date : 2024-06-24 13:40:07

થોડા દિવસ પહેલા ગાંધીનગરથી એવા દ્રશ્યો સામે આવ્યા જે ગુજરાતની અસ્મિતાને શોભે એવા ના હતા.. કાયમી શિક્ષકોની ભરતીની માગ સાથે પ્રદર્શન કરી રહેલા ટેટ ટાટ પાસ ઉમેદવારો સાથે જે રીતે પોલીસ દ્વારા વર્તન કરવામાં આવ્યું તે કદાચ કોઈને સ્વીકાર્ય નહીં હોય.. અનેક દ્રશ્યો ગાંધીનગરથી સામે આવ્યા જેમાં ગર્ભવતી મહિલાને ખેચવામાં આવી, દીકરીઓને ઢસેડવામાં આવી, પ્રદર્શન કરી રહેલા યુવાનોને પણ જબરદસ્તી જે રીતે ગાડીમાં બેસાડવામાં આવ્યા તે દ્રશ્યો પણ આપણે જોયા છે. 

કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે કરી મુખ્યમંત્રીને રજૂઆત 

પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ હવે આ ઉમેદવારોની ખાસ તો દિકરીઓની વહારે આવ્યા છે... મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે... ઉમેદવારો સાથે આવી રીતે વર્તન કરનારા પોલીસ કર્મીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત તેમના દ્વારા કરવામાં આવી.. પત્રમાં કિરીટ પટેલે લખ્યું છે કે, બે દિવસ પહેલા એટલે કે નિર્જળા એકાદશી અને ભીમ અગિયારસના દિવસે મહામહેનતે ટેટ અને ટાટની પરીક્ષા પાસ કરનાર ગુજરાતના ભાવિ શિક્ષકોએ ગાંધીનગરમાં આંદોલન કર્યું હતું. જેમની ટીંગાટોળી કરી અટકાયત કરાઇ હતી. જે મામલે પોલીસકર્મીઓ સામે પગલાં ભરવા પાટણના ધારાસભ્યે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.




શું લખ્યું પત્રમાં? 

પાટણના ધારાસભ્યે રજૂઆતમાં જણાવ્યું છે કે, ગુજરાતના ભાવિને શિસ્ત, સંયમ અને બંધારણીય અધિકારોના પાઠ શીખવવાના છે તેઓ ઉપર પોલીસ દ્વારા દમન ગુજારવામાં આવ્યુ અને ખાસ કરીને પુરષ પોલીસ કર્મીઓ દ્વારા શિક્ષીત મહિલા ઉમેદવારોને ટીંગાટોળી કરી રોડ પર ઘસેડવામાં આવ્યા અને તેના વીડિઓ વિવિધ મીડીયા દ્વારા જાહેર પણ કરવામાં આવ્યા જે બાબત સરકાર માટે શરમજનક કહી શકાય, ભારતીય ફોજદારી ધારો અને પોલીસ મેન્યુઅલની જોગવાઈ મુજબ કોઈ પુરુષ પોલિસકર્મી દ્વારા બળજબરીથી મહિલાને પકડી શકાય નહીં. મહિલા પોલિસ કર્મી દ્વારા જ મહિલાને પકડી શકાય કે અડી શકાય પરંતુ પુરુષ પોલીસ કર્મીઓ દ્વારા આવી શિક્ષીત મહિલાઓ ઉપર જે કાર્યવાહી કરવામાં આવી તે નૈતિકતા અને કાયદાકીય રીતે પણ તદ્દન ખોટી અને શરમજનક હોઈ કોના આદેશથી આવી કાર્યવાહી કરવામાં ​​​​​​​આવી તેની તપાસ કરી જવાબદાર કર્મીઓ વિરદ્ધ તાત્કાલીક કાર્યવાહી કરવા અને ભવિષ્યમાં પણ આવો બનાવ ના બને તે માટે તાકીદ કરવા વિનંતી છે.



ટેટ ટાટ પાસ ઉમેદવારોની ભરતીને લઈ કરી રજૂઆત.... 

પાટણના ધારાસભ્યે ​​​​​​​રજૂઆતમાં વધુ જણાવ્યું છે કે,​​​​​​​ રાજ્યના ટેટ અને ટાટ ઉમેદવારોની ભરતી કરવા માટે વારંવાર લેખીત રજુઆતો પણ કરેલ છે અને વિધાનસભામાં પણ રજુઆતો કરેલ છે જે બાબતે સરકારે વારંવાર ભરતીની કાર્યવાહી ચાલુ છે તેવા જવાબો પણ આપેલ છે. ગતિશીલ અને સંવેદનશીલ સરકારની ગતિશીલતા અને સંવેદનશીલતા કયાંય દેખાતી હોય તેવુ લાગતુ નથી. પોતાના ન્યાય માટે રજુઆત કરવી અને ન્યાય માટેલડત લડવી એ બંધારણીય અધિકારો હોવા છતા આવા ઉમેદવારોને મળવા છે સંભાળવાને બદલે તેઓને ભેગા થવા રોકવા અને રજુઆત ન કરવા દેવી એ યોગ્ય નથી.


ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારોએ કરી હતી રજૂઆત 

મહત્વનું છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે માટે ટેટ ટાટ પાસ ઉમેદવારે અનેક વખત સરકારને રજૂઆત કરી.. અનેક આંદોલન કર્યા, દાંડી યાત્રા પણ કાઢી હતી... ગાંધીનગરમાં જ્યારે ઉમેદવારો આંદોલન કરવા માટે પહોંચ્યા હતા ત્યારે તેમની અટકાયત કરી દેવામાં આવી હતી. બીજા દિવસે પણ ગાંધીનગર ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. આંદોલનને પગલે સરકાર દ્વારા શિક્ષકોની ભરતી કરવા અંગેની જાહેરાત કરવામાં આવી.. 



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.