કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે સરકારને કેમ કહ્યું, "તમારી કેસરી સાયકલથી દિકરીઓની લાગણી દુભાય છે"


  • Published By :
  • Published Date : 2023-03-15 18:57:59

ગુજરાત વિધાનસભામાં સત્ર ચાલી રહ્યું છે ત્યારે રોજ કોંગ્રેસના વિરોધના સમાચાર સામે આવી રહ્યા છે. આ બધાની વચ્ચે આજે ધારાસભ્ય શૈલેષ પરમારે ગુજરાતની એસસી, એસટી અને ઓબીસી દિકરીઓને અપાતી સાયકલનો મામલો ઉઠાવ્યો હતો. શૈલેષ પરમારે માગ કરી હતી કે દિકરીઓને મળતી સાયકલનો કલર બદલવામાં આવે. આ સિવાય તેણે અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાની સરકારી શાળામાં કેટલા શિક્ષકોની ઘટ છે તેના પર પણ સવાલો પૂછ્યા હતા. 

Shailesh Parmar (@ShailesMParmar) / Twitter

"કેસરી રંગની સાયકલથી દિકરીઓને વાંધો કેમ?"

કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે વિધાનસભામાં રજૂઆત કરી હતી કે સાયકલનો કલર બદલી દેવામાં આવે કારણ કે તેનાથી દિકરીઓની ઓળખ થઈ જાય છે. જેના કારણે વિદ્યાર્થિનીઓની લાગણી દુભાય છે. જાહેર છે ગુજરાત સરકાર તરફથી અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગની છોકરીઓને કેસરી રંગની સાયકલ આપે છે. શૈલેષ પરમારનો કહેવાનો અર્થ હતો કે સાયકલના કલરથી દિકરીઓની જાતિ ખબર પડી જાય છે જેના કારણે તેને હિનભાવથી જોવામાં આવે છે. દિકરીઓ સાથે કોઈ પણ પ્રકારનો ભેદભાવ ના થાય તેના માટે સાયકલનો કલર બદલી દેવામાં આવે તેવો તેણે સરકારને ઈશારો કર્યો હતો. શૈલેષ પરમારે માગ કરી હતી કે મંત્રીઓની ગાડીનો કલર પણ બદલી દેવો જોઈએ. જેના પર વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ રાજકીય ટીપ્પણી ના કરવા અપીલ કરી હતી. 

આ સિવાય શૈલેષ પરમારે શિક્ષણ મામલે પણ વિધાનસભામાં સવાલો ઉઠાવ્યા હતા. તેમણે સરકારને પ્રશ્નો કર્યા હતા કે ઘટ ધરાવતી સ્કૂલમાં શિક્ષકોની ભરતી ક્યારે કરવામાં આવશે તેવી માહિતી માગી હતી. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.