કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે સરકારને કેમ કહ્યું, "તમારી કેસરી સાયકલથી દિકરીઓની લાગણી દુભાય છે"


  • Published By :
  • Published Date : 2023-03-15 18:57:59

ગુજરાત વિધાનસભામાં સત્ર ચાલી રહ્યું છે ત્યારે રોજ કોંગ્રેસના વિરોધના સમાચાર સામે આવી રહ્યા છે. આ બધાની વચ્ચે આજે ધારાસભ્ય શૈલેષ પરમારે ગુજરાતની એસસી, એસટી અને ઓબીસી દિકરીઓને અપાતી સાયકલનો મામલો ઉઠાવ્યો હતો. શૈલેષ પરમારે માગ કરી હતી કે દિકરીઓને મળતી સાયકલનો કલર બદલવામાં આવે. આ સિવાય તેણે અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાની સરકારી શાળામાં કેટલા શિક્ષકોની ઘટ છે તેના પર પણ સવાલો પૂછ્યા હતા. 

Shailesh Parmar (@ShailesMParmar) / Twitter

"કેસરી રંગની સાયકલથી દિકરીઓને વાંધો કેમ?"

કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે વિધાનસભામાં રજૂઆત કરી હતી કે સાયકલનો કલર બદલી દેવામાં આવે કારણ કે તેનાથી દિકરીઓની ઓળખ થઈ જાય છે. જેના કારણે વિદ્યાર્થિનીઓની લાગણી દુભાય છે. જાહેર છે ગુજરાત સરકાર તરફથી અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગની છોકરીઓને કેસરી રંગની સાયકલ આપે છે. શૈલેષ પરમારનો કહેવાનો અર્થ હતો કે સાયકલના કલરથી દિકરીઓની જાતિ ખબર પડી જાય છે જેના કારણે તેને હિનભાવથી જોવામાં આવે છે. દિકરીઓ સાથે કોઈ પણ પ્રકારનો ભેદભાવ ના થાય તેના માટે સાયકલનો કલર બદલી દેવામાં આવે તેવો તેણે સરકારને ઈશારો કર્યો હતો. શૈલેષ પરમારે માગ કરી હતી કે મંત્રીઓની ગાડીનો કલર પણ બદલી દેવો જોઈએ. જેના પર વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ રાજકીય ટીપ્પણી ના કરવા અપીલ કરી હતી. 

આ સિવાય શૈલેષ પરમારે શિક્ષણ મામલે પણ વિધાનસભામાં સવાલો ઉઠાવ્યા હતા. તેમણે સરકારને પ્રશ્નો કર્યા હતા કે ઘટ ધરાવતી સ્કૂલમાં શિક્ષકોની ભરતી ક્યારે કરવામાં આવશે તેવી માહિતી માગી હતી. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.