ગુજરાતમાં પણ કોંગ્રેસના ધારાસભ્યોએ કર્યો કાળા કપડાં પહેરી વિરોધ, અદાણી-મોદી વિરૂદ્ધ કર્યા સૂત્રોચ્ચાર, કોંગ્રેસના ધારાસભ્યોને કરાયા સસ્પેન્ડ


  • Published By :
  • Published Date : 2023-03-27 12:40:38

રાહુલ ગાંધીની સદસ્યતા રદ્દ થતાં આખા દેશમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. સુરત કોર્ટે સજા ફટકાર્યા બાદ રાહુલ ગાંધીનું સાંસદ પદ રદ્દ થઈ ગયું હતું. આખા દેશમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. કાળા કપડાં પહેરી ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યો પહોંચ્યા હતા. ધારાસભ્યોએ કાળા કપડાં પહેરી અને પ્લેકાર્ડ લઈ વિરોધ દર્શાવ્યો હતો. ગુજરાત સિવાય અનેક જગ્યાઓ પર કોંગ્રેસ દ્વારા આ પ્રકારનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. 


કોંગ્રેસના ધારાસભ્યોને કરાયા સસ્પેન્ડ

હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે. પરંતુ અનેક મુદ્દાઓેને લઈ સંસદની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે. ત્યારે રાહુલ ગાંધીની સદસ્યતા રદ્દ થઈ તે મુદ્દો આજે સંસદમાં ઉઠ્યો હતો. કોંગ્રેસના સાંસદો કાળા કપડાં પહેરી સંસદ પહોંચ્યા છે અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યારે ગુજરાતમાં પણ કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. કાળા કપડાં પહેરી કોંગ્રેસના ધારાસભ્યો વિધાનસભા પહોંચ્યા હતા. જે બાદ કોંગ્રેસના ધારાસભ્યોએ હોબાળો કર્યો હતો. ઉપરાંત મોદી-અદાણીને લઈ નારા પણ લગાવવામાં આવ્યા હતા. વધતા વિરોધને લઈ કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.       




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.