ગુજરાતમાં પણ કોંગ્રેસના ધારાસભ્યોએ કર્યો કાળા કપડાં પહેરી વિરોધ, અદાણી-મોદી વિરૂદ્ધ કર્યા સૂત્રોચ્ચાર, કોંગ્રેસના ધારાસભ્યોને કરાયા સસ્પેન્ડ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-27 12:40:38

રાહુલ ગાંધીની સદસ્યતા રદ્દ થતાં આખા દેશમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. સુરત કોર્ટે સજા ફટકાર્યા બાદ રાહુલ ગાંધીનું સાંસદ પદ રદ્દ થઈ ગયું હતું. આખા દેશમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. કાળા કપડાં પહેરી ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યો પહોંચ્યા હતા. ધારાસભ્યોએ કાળા કપડાં પહેરી અને પ્લેકાર્ડ લઈ વિરોધ દર્શાવ્યો હતો. ગુજરાત સિવાય અનેક જગ્યાઓ પર કોંગ્રેસ દ્વારા આ પ્રકારનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. 


કોંગ્રેસના ધારાસભ્યોને કરાયા સસ્પેન્ડ

હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે. પરંતુ અનેક મુદ્દાઓેને લઈ સંસદની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે. ત્યારે રાહુલ ગાંધીની સદસ્યતા રદ્દ થઈ તે મુદ્દો આજે સંસદમાં ઉઠ્યો હતો. કોંગ્રેસના સાંસદો કાળા કપડાં પહેરી સંસદ પહોંચ્યા છે અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યારે ગુજરાતમાં પણ કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. કાળા કપડાં પહેરી કોંગ્રેસના ધારાસભ્યો વિધાનસભા પહોંચ્યા હતા. જે બાદ કોંગ્રેસના ધારાસભ્યોએ હોબાળો કર્યો હતો. ઉપરાંત મોદી-અદાણીને લઈ નારા પણ લગાવવામાં આવ્યા હતા. વધતા વિરોધને લઈ કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.       




સ્વાતી માલીવાલના અનેક વીડિયો સામે આવ્યા છે.. ત્યારે વધુ એક વીડિયો સામે આવ્યો છે જેની પુષ્ટિ જમાવટ કરતું નથી.. આ બધા વચ્ચે આતિશીએ બીજેપી પર આરોપ લગાવ્યો હતો. સ્વાતી માલીવાલે એફઆઈઆર પણ દર્જ કરી. અને એવી માહિતી સામે આવી છે કે બિભવ કુમારની પોલીસે અટકાયત કરી લીધી છે..

એક મોટી દુર્ઘટના હરિયાણાના નૂંહમાં બની છે.. નૂંહ જિલ્લાના તાવડુની સરહદ નજીક કુંડલી માનેસર પલવલ એક્સપ્રેસ વે પર દુર્ઘટના બની હતી જેમાં અનેક લોકોના મોત બળી જવાને કારણે થયા છે... મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 9 જેટલા લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે દાઝ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે.

ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે જાહેરમાં તૂ તૂ મેં મેં થઈ હતી. મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી જે બાદ રાજનીતિ ગરમાઈ. ચૈતર વસાવા ત્યાં આવી ગયા અને બંને નેતાઓ બાજી પડ્યા..

લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન અનેક વખત એવા નિવેદનો સામે આવતા હોય છે જેની ચર્ચા થતી હોય છે. ત્યારે પીએમ મોદીએ એક સબામાં રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.