ગુજરાત વિધાનસભામાં આક્રામકરૂપમાં દેખાયા કોંગ્રેસના ધારાસભ્યો, વિવિધ મુદ્દાઓને લઈ સરકારને ઘેરવાનો કર્યો પ્રયાસ


  • Published By :
  • Published Date : 2023-03-10 17:27:00

ગુજરાત વિધાનસભામાં હાલ સત્ર ચાલી રહ્યું છે. સત્ર દરમિયાન અનેક પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે. વિપક્ષ દ્વારા સત્તાધારી પાર્ટીને અનેક પ્રશ્નો પૂછાતા હોય છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય સી.જે ચાવડાએ ભાજપને ઓપન ચેલેન્જ આપી છે. તેમણે કહ્યું કે નવો ડેમ બન્યો હોય તો મને બતાવો હું કોંગ્રેસ છોડીને ભાજપમાં બેસી જઈશ. ભાજપ સરકારે ચેકડેમ અને બોરિબંધ જ બનાવ્યા છે, ગુજરાતની એક પણ નદી પર નવો ડેમ બનાવ્યો નથી.


ડેમને લઈ કોંગ્રેસે ભાજપને કરી ઓપન ચેલેન્જ

આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરી છે. કોંગ્રેસને માત્ર 17 સીટો જ હાંસલ થઈ છે. બજેટ સત્રમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યો દ્વારા વિવિધ મુદ્દાઓને લઈ સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વિવિધ મુદ્દાઓને લઈ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. મોંઘવારીને લઈને પણ કોંગ્રેસ આક્રામક મૂડમાં દેખાઈ હતી. બજેટ સત્ર દરમિયાન સરકારને અનેક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જેના જવાબમાં સરકાર તરફથી ચોંકાવનારા જવાબ આપવામાં આવે છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય સી.જે ચાવડાએ સરકારને ઓપન ચેલેન્જ આપી છે જેમાં તેમણે કહ્યું કે જો સરકારે નવો ડેમ બનાવ્યો હોય તો મને બતાવો. જો નવો ડેમ બન્યો હશે તો હું કોંગ્રેસ છોડીને ભાજપમાં બેસી જઈશ. ગુજરાતની એક પણ નદી ઉપર નવો ડેમ બન્યો નથી.


બટાકા-ડુંગળીનો મુદ્દો ગેનીબેન ઠાકોરે ઉઠાવ્યો 

તે ઉપરાંત કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર દ્વારા પણ ખેડૂતોને લઈ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો. ગેનીબેને કહ્યું કે બટાકા, ડુંગળી, લસણનો સંગ્રહ ખેડૂત નથી કરી શકતા. છૂટક બજારમાં બટાકા 20 રુપિયે કિલો મળી રહ્યા છે, સામે પક્ષે ખેડૂતોને માત્ર 2-3 રુપિયા મળી રહ્યા છે. બજાર ભાવ અને ખેડૂતોને મળતા ભાવ વચ્ચેનો તફાવત ઓછો કરવો જોઈએ. સરકારે ખેડૂતો માટે કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા કરવી જોઈએ.         



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.