ગુજરાત વિધાનસભામાં આક્રામકરૂપમાં દેખાયા કોંગ્રેસના ધારાસભ્યો, વિવિધ મુદ્દાઓને લઈ સરકારને ઘેરવાનો કર્યો પ્રયાસ


  • Published By :
  • Published Date : 2023-03-10 17:27:00

ગુજરાત વિધાનસભામાં હાલ સત્ર ચાલી રહ્યું છે. સત્ર દરમિયાન અનેક પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે. વિપક્ષ દ્વારા સત્તાધારી પાર્ટીને અનેક પ્રશ્નો પૂછાતા હોય છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય સી.જે ચાવડાએ ભાજપને ઓપન ચેલેન્જ આપી છે. તેમણે કહ્યું કે નવો ડેમ બન્યો હોય તો મને બતાવો હું કોંગ્રેસ છોડીને ભાજપમાં બેસી જઈશ. ભાજપ સરકારે ચેકડેમ અને બોરિબંધ જ બનાવ્યા છે, ગુજરાતની એક પણ નદી પર નવો ડેમ બનાવ્યો નથી.


ડેમને લઈ કોંગ્રેસે ભાજપને કરી ઓપન ચેલેન્જ

આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરી છે. કોંગ્રેસને માત્ર 17 સીટો જ હાંસલ થઈ છે. બજેટ સત્રમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યો દ્વારા વિવિધ મુદ્દાઓને લઈ સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વિવિધ મુદ્દાઓને લઈ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. મોંઘવારીને લઈને પણ કોંગ્રેસ આક્રામક મૂડમાં દેખાઈ હતી. બજેટ સત્ર દરમિયાન સરકારને અનેક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જેના જવાબમાં સરકાર તરફથી ચોંકાવનારા જવાબ આપવામાં આવે છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય સી.જે ચાવડાએ સરકારને ઓપન ચેલેન્જ આપી છે જેમાં તેમણે કહ્યું કે જો સરકારે નવો ડેમ બનાવ્યો હોય તો મને બતાવો. જો નવો ડેમ બન્યો હશે તો હું કોંગ્રેસ છોડીને ભાજપમાં બેસી જઈશ. ગુજરાતની એક પણ નદી ઉપર નવો ડેમ બન્યો નથી.


બટાકા-ડુંગળીનો મુદ્દો ગેનીબેન ઠાકોરે ઉઠાવ્યો 

તે ઉપરાંત કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર દ્વારા પણ ખેડૂતોને લઈ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો. ગેનીબેને કહ્યું કે બટાકા, ડુંગળી, લસણનો સંગ્રહ ખેડૂત નથી કરી શકતા. છૂટક બજારમાં બટાકા 20 રુપિયે કિલો મળી રહ્યા છે, સામે પક્ષે ખેડૂતોને માત્ર 2-3 રુપિયા મળી રહ્યા છે. બજાર ભાવ અને ખેડૂતોને મળતા ભાવ વચ્ચેનો તફાવત ઓછો કરવો જોઈએ. સરકારે ખેડૂતો માટે કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા કરવી જોઈએ.         



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.