ગુજરાત વિધાનસભામાં આક્રામકરૂપમાં દેખાયા કોંગ્રેસના ધારાસભ્યો, વિવિધ મુદ્દાઓને લઈ સરકારને ઘેરવાનો કર્યો પ્રયાસ


  • Published By :
  • Published Date : 2023-03-10 17:27:00

ગુજરાત વિધાનસભામાં હાલ સત્ર ચાલી રહ્યું છે. સત્ર દરમિયાન અનેક પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે. વિપક્ષ દ્વારા સત્તાધારી પાર્ટીને અનેક પ્રશ્નો પૂછાતા હોય છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય સી.જે ચાવડાએ ભાજપને ઓપન ચેલેન્જ આપી છે. તેમણે કહ્યું કે નવો ડેમ બન્યો હોય તો મને બતાવો હું કોંગ્રેસ છોડીને ભાજપમાં બેસી જઈશ. ભાજપ સરકારે ચેકડેમ અને બોરિબંધ જ બનાવ્યા છે, ગુજરાતની એક પણ નદી પર નવો ડેમ બનાવ્યો નથી.


ડેમને લઈ કોંગ્રેસે ભાજપને કરી ઓપન ચેલેન્જ

આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરી છે. કોંગ્રેસને માત્ર 17 સીટો જ હાંસલ થઈ છે. બજેટ સત્રમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યો દ્વારા વિવિધ મુદ્દાઓને લઈ સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વિવિધ મુદ્દાઓને લઈ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. મોંઘવારીને લઈને પણ કોંગ્રેસ આક્રામક મૂડમાં દેખાઈ હતી. બજેટ સત્ર દરમિયાન સરકારને અનેક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જેના જવાબમાં સરકાર તરફથી ચોંકાવનારા જવાબ આપવામાં આવે છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય સી.જે ચાવડાએ સરકારને ઓપન ચેલેન્જ આપી છે જેમાં તેમણે કહ્યું કે જો સરકારે નવો ડેમ બનાવ્યો હોય તો મને બતાવો. જો નવો ડેમ બન્યો હશે તો હું કોંગ્રેસ છોડીને ભાજપમાં બેસી જઈશ. ગુજરાતની એક પણ નદી ઉપર નવો ડેમ બન્યો નથી.


બટાકા-ડુંગળીનો મુદ્દો ગેનીબેન ઠાકોરે ઉઠાવ્યો 

તે ઉપરાંત કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર દ્વારા પણ ખેડૂતોને લઈ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો. ગેનીબેને કહ્યું કે બટાકા, ડુંગળી, લસણનો સંગ્રહ ખેડૂત નથી કરી શકતા. છૂટક બજારમાં બટાકા 20 રુપિયે કિલો મળી રહ્યા છે, સામે પક્ષે ખેડૂતોને માત્ર 2-3 રુપિયા મળી રહ્યા છે. બજાર ભાવ અને ખેડૂતોને મળતા ભાવ વચ્ચેનો તફાવત ઓછો કરવો જોઈએ. સરકારે ખેડૂતો માટે કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા કરવી જોઈએ.         



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.