Congressના ધારાસભ્યોએ કર્યું મુખ્યમંત્રીનું સમર્થન, સાંભળો શું કહ્યું લવ મેરેજ પર ગેનીબેન ઠાકોરે...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-01 13:20:44

ગઈકાલથી દરેક જગ્યાઓ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પ્રેમલગ્નને લઈ આપેલા નિવેદનને લઈ ચર્ચાઓ થઈ રહી છે. એક કાર્યક્રમમાં તેમણે હાજરી આપી હતી અને તેમાં કહ્યું હતું કે માતા પિતાની સહમતિથી પ્રેમ લગ્ન થવા જોઈએ. તેમણે કહ્યું કે બંધારણ ન નડે એવી રીતે વ્યવસ્થા કરીશું. સીએમના એક નિવેદનથી એવી ચર્ચાઓ થવા લાગી કે આગામી સમયમાં આ મામલે કોઈ કાયદો આવી શકે છે. આ ચર્ચાઓ દરમિયાન કોઈ સીએમના સમર્થનમાં હોવાની વાત કરી રહ્યું છે તો કોઈ તેમના નિવેદનથી નાખુશ હોય તેવું લાગી રહ્યું છે.        

વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર આવ્યા સમર્થનમાં 

મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવેલા નિવેદનના સમર્થનમાં કોંગ્રેસના જમાલપુર ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા આવ્યા હતા. આ મામલે તેમણે ટ્વિટ કર્યું કે પ્રેમ લગ્નમાં માતાપિતાની અવગણના કરવામાં આવે છે ત્યારે બંધારણ ના નડે એ રીતે પ્રેમ લગ્ન બાબતે ચોક્કસ વ્યવસ્થા ઉભી કરવા સરકાર વિચાર કરી રહી છે. લવ મેરેજમાં વાલીની મંજૂરી ફરજિયાત કરવા અંગે અભ્યાસ કરવાની સીએમએ ખાતરી આપી છે. તે ઉપરાંત વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પણ આ વાતને સમર્થન આપ્યું છે.   



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે