Congressના ધારાસભ્યોએ કર્યું મુખ્યમંત્રીનું સમર્થન, સાંભળો શું કહ્યું લવ મેરેજ પર ગેનીબેન ઠાકોરે...


  • Published By :
  • Published Date : 2023-08-01 13:20:44

ગઈકાલથી દરેક જગ્યાઓ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પ્રેમલગ્નને લઈ આપેલા નિવેદનને લઈ ચર્ચાઓ થઈ રહી છે. એક કાર્યક્રમમાં તેમણે હાજરી આપી હતી અને તેમાં કહ્યું હતું કે માતા પિતાની સહમતિથી પ્રેમ લગ્ન થવા જોઈએ. તેમણે કહ્યું કે બંધારણ ન નડે એવી રીતે વ્યવસ્થા કરીશું. સીએમના એક નિવેદનથી એવી ચર્ચાઓ થવા લાગી કે આગામી સમયમાં આ મામલે કોઈ કાયદો આવી શકે છે. આ ચર્ચાઓ દરમિયાન કોઈ સીએમના સમર્થનમાં હોવાની વાત કરી રહ્યું છે તો કોઈ તેમના નિવેદનથી નાખુશ હોય તેવું લાગી રહ્યું છે.        

વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર આવ્યા સમર્થનમાં 

મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવેલા નિવેદનના સમર્થનમાં કોંગ્રેસના જમાલપુર ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા આવ્યા હતા. આ મામલે તેમણે ટ્વિટ કર્યું કે પ્રેમ લગ્નમાં માતાપિતાની અવગણના કરવામાં આવે છે ત્યારે બંધારણ ના નડે એ રીતે પ્રેમ લગ્ન બાબતે ચોક્કસ વ્યવસ્થા ઉભી કરવા સરકાર વિચાર કરી રહી છે. લવ મેરેજમાં વાલીની મંજૂરી ફરજિયાત કરવા અંગે અભ્યાસ કરવાની સીએમએ ખાતરી આપી છે. તે ઉપરાંત વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પણ આ વાતને સમર્થન આપ્યું છે.   



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.