Electionને લઈ Congressના રાષ્ટ્રીય અધ્યક્ષ Mallikarjun Khargeએ આપ્યું નિવેદન, કહ્યું નરેન્દ્ર મોદી ફરી PM બન્યા તો દેશમાં હવે....


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-30 10:16:55

આ વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. દરેક રાજકીય પાર્ટી ચૂંટણીને લઈ તૈયારીઓમાં લાગી ગઈ છે. કોંગ્રેસ દ્વારા પણ રાહુલ ગાંધીની આગેવાની હેઠળ ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત થઈ છે. અનેક રાજ્યોમાંથી આ યાત્રા પસાર થઈ રહી છે. સરકાર પર પ્રહાર કરવાનો મોકો નથી છોડવામાં આવતો. રાહુલ ગાંધીએ પણ પીએમ મોદી પર તેમજ ભાજપની સરકાર પર આકરા પ્રહાર અનેક વખત કર્યા છે. આ બધા વચ્ચે મલ્લિકાર્જુન ખડગેએ એક નિવેદન આપ્યું છે. મલ્લિકાર્જુન ખડગેએ રેલીને સંબોધતા આશંકા વ્યક્ત કરી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી જીતે છે તો આ દેશની અંતિમ ચૂંટણી હશે. 2024ની લોકસભા ચૂંટણી લોકો માટે લોકતંત્ર બચાવવાની અંતિમ તક છે.

 



મણિપુર મુદ્દે રાહુલ ગાંધીએ પીએમ મોદીને કર્યા છે સવાલ!

લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણ ગરમાય છે. ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ થઈ જશે આવનાર સમયમાં. એક તરફ રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત કરી છે તો બીજી તરફ આગામી સમયમાં ભાજપ પણ ચૂંટણી પ્રચાર શરૂ કરશે. મણિપુરમાં ભડકેલી હિંસાને લઈ રાહુલ ગાંધીએ અનેક વખત ભાજપ સરકાર પર પ્રહાર કર્યા છે. પીએમ મોદી મણિપુર કેમ નથી ગયા તેવા પ્રશ્ન અનેક વખત રાહુલ ગાંધી દ્વારા પૂછવામાં આવ્યા છે. 

નરેન્દ્ર મોદી અને ચૂંટણીને લઈ મલ્લિકાર્જુન ખડગેએ કહી આ વાત!

અલગ અલગ મુદ્દાઓને લઈ ભાજપ સરકાર પર પ્રહારો કર્યા છે. ત્યારે એક રેલીને સંબોધતી વખતે મલ્લિકાર્જુન ખડગે એક નિવેદન આપ્યું છે. જેમાં તે કહી રહ્યા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી જીતે છે તો આ દેશની અંતિમ ચૂંટણી હશે. નરેન્દ્ર મોદી લોકોને ડરાવી ધમકાવીને પોતાની તરફ કરી રહ્યા છે. તે ઉપરાંત મલ્લિકાર્જુન ખડગેએ બેરોજગારીને લઈને પણ રેલીમાં વાત કરી હતી. 



લોકસભાની ચૂંટણીમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનારા સૌરાષ્ટના ત્રણ નેતાઓને પક્ષમાંથી હાંકી કાઢવા માટે રજૂઆત કરવામાં આવી છે. ચૂંટણીના ઉમેદવારોની પ્રદેશ નેતાગીરીને આ મામલે રજૂઆત કરાઈ છે. ત્યારે ભાજપ ગમે ત્યારે આ મામલે એક્શન લઈ શકે છે....

આવનાર દિવસોમાં આ તાપમાનનો પારો વધી શકે છે તેવી આગાહી હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી રહી છે... ફરી એક વખત ગરમીનો અહેસાસ કરવા તૈયાર રહેવું પડશે તેવી આગાહી પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે..

થોડા સમય પહેલા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પ્રાંગણમાં ડો. વૈશાલી જોશીએ આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ કેસમાં એક મોટી અપડેટ સામે આવી છે જે મુજબ પીઆઈ ખાચરે આગોતરા જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી અને કોર્ટે તે અરજીને ફગાવી દીધી છે

ગુજરાતીમાં આપણે ત્યાં અલગ અલગ સંબોધો માટે અલગ અલગ ઉપમા હોય છે પરંતુ ઈન્ગલિશમાં દરેક માટે એક જ શબ્દ વપરાય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - બધુ તણાઈ ગયું.