Electionને લઈ Congressના રાષ્ટ્રીય અધ્યક્ષ Mallikarjun Khargeએ આપ્યું નિવેદન, કહ્યું નરેન્દ્ર મોદી ફરી PM બન્યા તો દેશમાં હવે....


  • Published By :
  • Published Date : 2024-01-30 10:16:55

આ વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. દરેક રાજકીય પાર્ટી ચૂંટણીને લઈ તૈયારીઓમાં લાગી ગઈ છે. કોંગ્રેસ દ્વારા પણ રાહુલ ગાંધીની આગેવાની હેઠળ ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત થઈ છે. અનેક રાજ્યોમાંથી આ યાત્રા પસાર થઈ રહી છે. સરકાર પર પ્રહાર કરવાનો મોકો નથી છોડવામાં આવતો. રાહુલ ગાંધીએ પણ પીએમ મોદી પર તેમજ ભાજપની સરકાર પર આકરા પ્રહાર અનેક વખત કર્યા છે. આ બધા વચ્ચે મલ્લિકાર્જુન ખડગેએ એક નિવેદન આપ્યું છે. મલ્લિકાર્જુન ખડગેએ રેલીને સંબોધતા આશંકા વ્યક્ત કરી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી જીતે છે તો આ દેશની અંતિમ ચૂંટણી હશે. 2024ની લોકસભા ચૂંટણી લોકો માટે લોકતંત્ર બચાવવાની અંતિમ તક છે.

 



મણિપુર મુદ્દે રાહુલ ગાંધીએ પીએમ મોદીને કર્યા છે સવાલ!

લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણ ગરમાય છે. ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ થઈ જશે આવનાર સમયમાં. એક તરફ રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત કરી છે તો બીજી તરફ આગામી સમયમાં ભાજપ પણ ચૂંટણી પ્રચાર શરૂ કરશે. મણિપુરમાં ભડકેલી હિંસાને લઈ રાહુલ ગાંધીએ અનેક વખત ભાજપ સરકાર પર પ્રહાર કર્યા છે. પીએમ મોદી મણિપુર કેમ નથી ગયા તેવા પ્રશ્ન અનેક વખત રાહુલ ગાંધી દ્વારા પૂછવામાં આવ્યા છે. 

નરેન્દ્ર મોદી અને ચૂંટણીને લઈ મલ્લિકાર્જુન ખડગેએ કહી આ વાત!

અલગ અલગ મુદ્દાઓને લઈ ભાજપ સરકાર પર પ્રહારો કર્યા છે. ત્યારે એક રેલીને સંબોધતી વખતે મલ્લિકાર્જુન ખડગે એક નિવેદન આપ્યું છે. જેમાં તે કહી રહ્યા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી જીતે છે તો આ દેશની અંતિમ ચૂંટણી હશે. નરેન્દ્ર મોદી લોકોને ડરાવી ધમકાવીને પોતાની તરફ કરી રહ્યા છે. તે ઉપરાંત મલ્લિકાર્જુન ખડગેએ બેરોજગારીને લઈને પણ રેલીમાં વાત કરી હતી. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.