Electionને લઈ Congressના રાષ્ટ્રીય અધ્યક્ષ Mallikarjun Khargeએ આપ્યું નિવેદન, કહ્યું નરેન્દ્ર મોદી ફરી PM બન્યા તો દેશમાં હવે....


  • Published By :
  • Published Date : 2024-01-30 10:16:55

આ વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. દરેક રાજકીય પાર્ટી ચૂંટણીને લઈ તૈયારીઓમાં લાગી ગઈ છે. કોંગ્રેસ દ્વારા પણ રાહુલ ગાંધીની આગેવાની હેઠળ ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત થઈ છે. અનેક રાજ્યોમાંથી આ યાત્રા પસાર થઈ રહી છે. સરકાર પર પ્રહાર કરવાનો મોકો નથી છોડવામાં આવતો. રાહુલ ગાંધીએ પણ પીએમ મોદી પર તેમજ ભાજપની સરકાર પર આકરા પ્રહાર અનેક વખત કર્યા છે. આ બધા વચ્ચે મલ્લિકાર્જુન ખડગેએ એક નિવેદન આપ્યું છે. મલ્લિકાર્જુન ખડગેએ રેલીને સંબોધતા આશંકા વ્યક્ત કરી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી જીતે છે તો આ દેશની અંતિમ ચૂંટણી હશે. 2024ની લોકસભા ચૂંટણી લોકો માટે લોકતંત્ર બચાવવાની અંતિમ તક છે.

 



મણિપુર મુદ્દે રાહુલ ગાંધીએ પીએમ મોદીને કર્યા છે સવાલ!

લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણ ગરમાય છે. ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ થઈ જશે આવનાર સમયમાં. એક તરફ રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત કરી છે તો બીજી તરફ આગામી સમયમાં ભાજપ પણ ચૂંટણી પ્રચાર શરૂ કરશે. મણિપુરમાં ભડકેલી હિંસાને લઈ રાહુલ ગાંધીએ અનેક વખત ભાજપ સરકાર પર પ્રહાર કર્યા છે. પીએમ મોદી મણિપુર કેમ નથી ગયા તેવા પ્રશ્ન અનેક વખત રાહુલ ગાંધી દ્વારા પૂછવામાં આવ્યા છે. 

નરેન્દ્ર મોદી અને ચૂંટણીને લઈ મલ્લિકાર્જુન ખડગેએ કહી આ વાત!

અલગ અલગ મુદ્દાઓને લઈ ભાજપ સરકાર પર પ્રહારો કર્યા છે. ત્યારે એક રેલીને સંબોધતી વખતે મલ્લિકાર્જુન ખડગે એક નિવેદન આપ્યું છે. જેમાં તે કહી રહ્યા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી જીતે છે તો આ દેશની અંતિમ ચૂંટણી હશે. નરેન્દ્ર મોદી લોકોને ડરાવી ધમકાવીને પોતાની તરફ કરી રહ્યા છે. તે ઉપરાંત મલ્લિકાર્જુન ખડગેએ બેરોજગારીને લઈને પણ રેલીમાં વાત કરી હતી. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે