Congressને આત્મમંથન કરવાની જરૂર! કોંગ્રેસના 17 ધારાસભ્યોમાંથી 4 ધારાસભ્યો તો ગયા, Loksabha Election પહેલા કોઈ બચશે?


  • Published By :
  • Published Date : 2024-03-07 10:41:03

કોંગ્રેસની હાલની પરિસ્થિતિ એવી છે કે એક સાંધે ત્યાં તેર તૂટે.. એક બાદ એક કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસનો સાથ છોડી ભાજપમાં જોડાઈ રહ્યા છે. પરમ દિવસે કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાએ. રાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરે કોંગ્રેસનો સાથ છોડી કેસરિયો ધારણ કર્યો છે. તે ઉપરાંત ગઈકાલે માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપી રહ્યા છે. ગઈકાલે અરવિંદ લાડાણી ઉપરાંત કનુભાઈ કલસરિયાએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી દીધું અને તેમણે કહ્યું કે મારે પણ અંતરાત્માનો અવાજ સાંભળવો પડ્યો. તેમનું કહેવું હતું કે તે ત્રણ મહિનાથી કોંગ્રેસમાં નિષ્ક્રીય છે. 

કોંગ્રેસના ધારાસભ્યો એક બાદ આપી રહ્યા છે રાજીનામું

કોંગ્રેસમાંથી જે નેતા જાય છે તે તો પક્ષ માટે ખરાબ વિચારી શકે છે, બોલી પણ શકે છે પરંતુ જ્યારે કોંગ્રેસમાંથી કોઈ દિગ્ગજ નેતા જાય છે અને કોંગ્રેસના દિગ્ગજ નેતા એ પૂછવાનું જરૂરી નથી સમજતા કે કેમ આટલા દિગ્ગજ નેતાઓ કોંગ્રેસને છોડી રહ્યા છે? જે નેતાઓએ ગુજરાતમાં કોંગ્રેસને ઉભી કરવામાં, કોંગ્રેસને એક લેવલ સુધી પહોંચાડવામાં મદદ કરી છે પરંતુ તે જ નેતા જ્યારે પક્ષને છોડે તો કારણ પૂછવા માટે પણ તે નથી જતા. જ્યારે કોઈ નેતા કોંગ્રેસને છોડે તો તેમના માટે કોંગ્રેસ પક્ષ દ્વારા કહેવામાં આવે છે કે તે તો ભાજપના એજન્ટ છે, આરએસએસના એજન્ટ છે પરંતુ કોંગ્રેસને પણ એ વિચારવું પડશે કે શું વિપક્ષના નેતાઓ પણ પોતાની ફરજને નિષ્ઠતાથી નિભાવી રહ્યા છે?

લોકસભા ચૂંટણી સુધી કોઈ બચશે એ એક પ્રશ્ન? 

ગુજરાતમાં મજબૂત વિપક્ષ રહ્યો જ નથી જે સત્તાને પ્રશ્ન કરી શકે. એક સમયે જે નેતા ભાજપની નીતિઓ વિરૂદ્ધ બોલતા હતા તે જ  આજે ભાજપના , ભાજપની નીતિના ગુણગાન ગાય છે. કોંગ્રેસે એ વિચારવું પડશે કે શું કામ કોંગ્રેસમાંથી દિગ્ગજ નેતાઓ જઈ રહ્યા છે. કોઈ ત્રુટી તો રહી હશે સંગઠનમાં જેને કારણે નેતાઓ ચૂંટણીના સમયમાં પક્ષને અલવિદા કહી રહ્યા છે. જે પ્રમાણે એક બાદ એક ધારાસભ્યો પોતાના પદ ઉપરથી રાજીનામું આપી રહ્યા છે તે જોતા એક પ્રશ્ન છે કે લોકસભા ચૂંટણી સુધી કોઈ બચશે? 



કોંગ્રેસના 17 ધારાસભ્યોમાંથી ચાર ધારાસભ્યો તો ગયા!

કોંગ્રેસના 17 ઘારાસભ્યોમાંથી 4 ધારાસભ્યો તો ગયા પરંતુ હજી પણ ધારાસભ્યો જઈ શકે છે તેવી સંભાવનાઓ છે. જ્યારે કોઈ ધારાસભ્યના નામ અંગેની ચર્ચા થતી હોય અને તેના જવાબ માટે જ્યારે તેમને ફોન કરવામાં આવે તો તે ના પાડતા હોય છે પરંતુ બીજા જ દિવસે એવા સમાચાર આવે કે તે ધારાસભ્ય તો, તે નેતા તો ભાજપમાં જોડાવાના છે. શું નેતાઓના ના ને હા માનવી?  



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે