Congressને આત્મમંથન કરવાની જરૂર! કોંગ્રેસના 17 ધારાસભ્યોમાંથી 4 ધારાસભ્યો તો ગયા, Loksabha Election પહેલા કોઈ બચશે?


  • Published By :
  • Published Date : 2024-03-07 10:41:03

કોંગ્રેસની હાલની પરિસ્થિતિ એવી છે કે એક સાંધે ત્યાં તેર તૂટે.. એક બાદ એક કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસનો સાથ છોડી ભાજપમાં જોડાઈ રહ્યા છે. પરમ દિવસે કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાએ. રાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરે કોંગ્રેસનો સાથ છોડી કેસરિયો ધારણ કર્યો છે. તે ઉપરાંત ગઈકાલે માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપી રહ્યા છે. ગઈકાલે અરવિંદ લાડાણી ઉપરાંત કનુભાઈ કલસરિયાએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી દીધું અને તેમણે કહ્યું કે મારે પણ અંતરાત્માનો અવાજ સાંભળવો પડ્યો. તેમનું કહેવું હતું કે તે ત્રણ મહિનાથી કોંગ્રેસમાં નિષ્ક્રીય છે. 

કોંગ્રેસના ધારાસભ્યો એક બાદ આપી રહ્યા છે રાજીનામું

કોંગ્રેસમાંથી જે નેતા જાય છે તે તો પક્ષ માટે ખરાબ વિચારી શકે છે, બોલી પણ શકે છે પરંતુ જ્યારે કોંગ્રેસમાંથી કોઈ દિગ્ગજ નેતા જાય છે અને કોંગ્રેસના દિગ્ગજ નેતા એ પૂછવાનું જરૂરી નથી સમજતા કે કેમ આટલા દિગ્ગજ નેતાઓ કોંગ્રેસને છોડી રહ્યા છે? જે નેતાઓએ ગુજરાતમાં કોંગ્રેસને ઉભી કરવામાં, કોંગ્રેસને એક લેવલ સુધી પહોંચાડવામાં મદદ કરી છે પરંતુ તે જ નેતા જ્યારે પક્ષને છોડે તો કારણ પૂછવા માટે પણ તે નથી જતા. જ્યારે કોઈ નેતા કોંગ્રેસને છોડે તો તેમના માટે કોંગ્રેસ પક્ષ દ્વારા કહેવામાં આવે છે કે તે તો ભાજપના એજન્ટ છે, આરએસએસના એજન્ટ છે પરંતુ કોંગ્રેસને પણ એ વિચારવું પડશે કે શું વિપક્ષના નેતાઓ પણ પોતાની ફરજને નિષ્ઠતાથી નિભાવી રહ્યા છે?

લોકસભા ચૂંટણી સુધી કોઈ બચશે એ એક પ્રશ્ન? 

ગુજરાતમાં મજબૂત વિપક્ષ રહ્યો જ નથી જે સત્તાને પ્રશ્ન કરી શકે. એક સમયે જે નેતા ભાજપની નીતિઓ વિરૂદ્ધ બોલતા હતા તે જ  આજે ભાજપના , ભાજપની નીતિના ગુણગાન ગાય છે. કોંગ્રેસે એ વિચારવું પડશે કે શું કામ કોંગ્રેસમાંથી દિગ્ગજ નેતાઓ જઈ રહ્યા છે. કોઈ ત્રુટી તો રહી હશે સંગઠનમાં જેને કારણે નેતાઓ ચૂંટણીના સમયમાં પક્ષને અલવિદા કહી રહ્યા છે. જે પ્રમાણે એક બાદ એક ધારાસભ્યો પોતાના પદ ઉપરથી રાજીનામું આપી રહ્યા છે તે જોતા એક પ્રશ્ન છે કે લોકસભા ચૂંટણી સુધી કોઈ બચશે? 



કોંગ્રેસના 17 ધારાસભ્યોમાંથી ચાર ધારાસભ્યો તો ગયા!

કોંગ્રેસના 17 ઘારાસભ્યોમાંથી 4 ધારાસભ્યો તો ગયા પરંતુ હજી પણ ધારાસભ્યો જઈ શકે છે તેવી સંભાવનાઓ છે. જ્યારે કોઈ ધારાસભ્યના નામ અંગેની ચર્ચા થતી હોય અને તેના જવાબ માટે જ્યારે તેમને ફોન કરવામાં આવે તો તે ના પાડતા હોય છે પરંતુ બીજા જ દિવસે એવા સમાચાર આવે કે તે ધારાસભ્ય તો, તે નેતા તો ભાજપમાં જોડાવાના છે. શું નેતાઓના ના ને હા માનવી?  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.