Congressએ વલસાડ Loksabha Seat માટે Anant Patelને બનાવ્યા ઉમેદવાર, સાંભળો MLA Anant Patel કઈ રીતે Valsad Loksabha જીતશે?


  • Published By :
  • Published Date : 2024-03-13 16:31:04

કોંગ્રેસ દ્વારા લોકસભા ચૂંટણીના ઉમેદવાર માટે બીજી યાદી જાહેર કરવામાં આવી. પહેલી યાદીમાં ગુજરાતની એક બેઠક માટે પણ ઉમેદવારના નામની જાહેરાત નથી કરવામાં આવી. પરંતુ ગઈકાલે જાહેર કરવામાં આવેલી યાદીમાં ગુજરાતની અનેક બેઠકોના નામની જાહેરાત કરવામાં આવી છે.  કોંગ્રેસે બીજી યાદી જાહેર કરી દીધી છે જેમાં ગુજરાતની 24માંથી 7 બેઠકોનું ચિત્ર ક્લિયર છે. પરંતુ અનેક બેઠક એવી છે જેની ચર્ચા થઈ રહી છે. વલસાડ બેઠક અત્યારે ચર્ચામાં છે કારણ કે ત્યાંથી કોંગ્રેસે આંદોલનકારી નેતા અને હાલના વાંસદાના ધારાસભ્ય અંનત પટેલને મેદાને ઉતાર્યા છે.

ધારાસભ્યોને લોકસભા ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે!

વલસાડ બેઠકનું સમીકરણ સમજીએ તો ત્યાં આદિવાસી , ઢોડીયા પટેલ, કોળી પટેલ, દેસાઈ અને હળપતિ સમાજનું પ્રભુત્વ વધારે છે જેના કારણે  કોંગ્રેસ હાઇ કમાન્ડે અનંત પટેલને પસંદ કર્યા છે સાથે જ એક વાત ખૂબ ચર્ચામાં છે. આ બેઠક માટે કે વલસાડ જે જીત્યું એ ગુજરાત જીત્યું પરંતુ આ વખતે આ વાત સાચી પડશે કે કેમ એ જોવાનું છે. દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસે બે ધારાસભ્યોને લોકસભાના ઉમેદવાર જાહેર કર્યા છે. અનંત પટેલ અને સિદ્ધાર્થ ચૌધરી બંને કોંગ્રેસના સીટિંગ ધારાસભ્યો તરીકે ગૃહમાં બેસે છે.અને કોંગ્રેસનો આંતરિક વિખવાદ જે હમેશા ચાલતો રહતો હોય છે એને થાળે પાડવા કોંગ્રેસે ચાલુ ધારાસભ્યોને લોકસભાના ઉમેદવાર જાહેર કર્યા છે.


શહેરી વિસ્તારમાં અનંત પટેલનું પ્રભુત્વ કેટલું? 

અંનત પટેલની વાત કરીએ તો તે કોંગ્રેસના વાંસદાના પ્રમુખથી લઈને સરપંચ રહ્યા છે એટલે એની આસપાસના વિસ્તારથી એ વાકીફ છે પણ વલસાડ લોકસભા ખૂબ મોટો વિસ્તાર છે શહેરી વિસ્તારમાં અનંત પટેલનું પ્રભુત્વ કેટલું એ સવાલ છે અમે જ્યારે ન્યાય યાત્રામાં ગયા હતા ત્યારે અમે અનંત પટેલ સાથે વાત કરી હતી કે તમે લોકસભા લડવા તૈયાર છો કે નહીં અને લડશો તો જીતશો. 



અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.