Congressએ વલસાડ Loksabha Seat માટે Anant Patelને બનાવ્યા ઉમેદવાર, સાંભળો MLA Anant Patel કઈ રીતે Valsad Loksabha જીતશે?


  • Published By :
  • Published Date : 2024-03-13 16:31:04

કોંગ્રેસ દ્વારા લોકસભા ચૂંટણીના ઉમેદવાર માટે બીજી યાદી જાહેર કરવામાં આવી. પહેલી યાદીમાં ગુજરાતની એક બેઠક માટે પણ ઉમેદવારના નામની જાહેરાત નથી કરવામાં આવી. પરંતુ ગઈકાલે જાહેર કરવામાં આવેલી યાદીમાં ગુજરાતની અનેક બેઠકોના નામની જાહેરાત કરવામાં આવી છે.  કોંગ્રેસે બીજી યાદી જાહેર કરી દીધી છે જેમાં ગુજરાતની 24માંથી 7 બેઠકોનું ચિત્ર ક્લિયર છે. પરંતુ અનેક બેઠક એવી છે જેની ચર્ચા થઈ રહી છે. વલસાડ બેઠક અત્યારે ચર્ચામાં છે કારણ કે ત્યાંથી કોંગ્રેસે આંદોલનકારી નેતા અને હાલના વાંસદાના ધારાસભ્ય અંનત પટેલને મેદાને ઉતાર્યા છે.

ધારાસભ્યોને લોકસભા ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે!

વલસાડ બેઠકનું સમીકરણ સમજીએ તો ત્યાં આદિવાસી , ઢોડીયા પટેલ, કોળી પટેલ, દેસાઈ અને હળપતિ સમાજનું પ્રભુત્વ વધારે છે જેના કારણે  કોંગ્રેસ હાઇ કમાન્ડે અનંત પટેલને પસંદ કર્યા છે સાથે જ એક વાત ખૂબ ચર્ચામાં છે. આ બેઠક માટે કે વલસાડ જે જીત્યું એ ગુજરાત જીત્યું પરંતુ આ વખતે આ વાત સાચી પડશે કે કેમ એ જોવાનું છે. દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસે બે ધારાસભ્યોને લોકસભાના ઉમેદવાર જાહેર કર્યા છે. અનંત પટેલ અને સિદ્ધાર્થ ચૌધરી બંને કોંગ્રેસના સીટિંગ ધારાસભ્યો તરીકે ગૃહમાં બેસે છે.અને કોંગ્રેસનો આંતરિક વિખવાદ જે હમેશા ચાલતો રહતો હોય છે એને થાળે પાડવા કોંગ્રેસે ચાલુ ધારાસભ્યોને લોકસભાના ઉમેદવાર જાહેર કર્યા છે.


શહેરી વિસ્તારમાં અનંત પટેલનું પ્રભુત્વ કેટલું? 

અંનત પટેલની વાત કરીએ તો તે કોંગ્રેસના વાંસદાના પ્રમુખથી લઈને સરપંચ રહ્યા છે એટલે એની આસપાસના વિસ્તારથી એ વાકીફ છે પણ વલસાડ લોકસભા ખૂબ મોટો વિસ્તાર છે શહેરી વિસ્તારમાં અનંત પટેલનું પ્રભુત્વ કેટલું એ સવાલ છે અમે જ્યારે ન્યાય યાત્રામાં ગયા હતા ત્યારે અમે અનંત પટેલ સાથે વાત કરી હતી કે તમે લોકસભા લડવા તૈયાર છો કે નહીં અને લડશો તો જીતશો. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.