Rajkot અગ્નિકાંડનાં પીડિતોને ન્યાય મળે તે માટે કોંગ્રેસ મેદાને! કોંગ્રેસના નેતાઓ 3 દિવસના ઉપવાસ પર બેઠા, સાંભળો શું કહ્યું Jignesh Mevaniએ?


  • Published By :
  • Published Date : 2024-06-07 16:51:56

થોડા દિવસો પહેલા રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડ સર્જાયો હતો. તે આગમાં અનેક પરિવારના ચિરાગો બૂઝાઈ ગયા. અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા.. 27 લોકોના આ ઘટનામાં મોત થઈ ગયા..આ મામલે તપાસ કરવા માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે.. આ કેસની સુનાવણી હાઈકોર્ટમાં પણ ચાલી રહી છે.. મૃતકના પરિવાર ન્યાયની આશા રાખી રહ્યા છે.. સત્તાને આ ઘટનાને લઈ સવાલો થાય તે વ્યાજબી છે પરંતુ વિપક્ષને પણ સવાલો થવા જોઈએ. કારણ કે જનતાને લાગે છે કે વિપક્ષ તેમનો અવાજ બની શકે છે.. 

રાજકોટમાં કોંગ્રેસના નેતાઓએ રાખ્યો ધરણા કાર્યક્રમ

પરંતુ અનેક મુદ્દાઓ એવા છે જેને જોતા લાગે કે વિપક્ષ મુદ્દાઓને ઉઠાવવામાં નિષ્ફળ સાબિત થઈ.. વિપક્ષની જે ભૂમિકા હોય છે તેને નિભાવવામાં કાચી સાબિત થઈ.. જે દમથી, જે મજબુતાઈથી વિપક્ષના નેતાઓએ પ્રશ્ન ઉઠાવવો જોઈતો હતો તેવા પ્રશ્નો વિપક્ષ દ્વારા નથી ઉઠાવવામાં આવ્યા.. આ બધા વચ્ચે જીગ્નેશ મેવાણી સહિત કોંગ્રેસના અનેક કાર્યકર્તાઓ ધરણા પર  બેઠા છે. 

મહત્વનું છે કે જો વિપક્ષમાં ભાજપ હોત તો... 

ત્યારે રાજકોટ અગ્નિકાંડને લઈ કોંગ્રેસ મેદાને આવી છે.. કોંગ્રેસ દ્વારા 72 કલાકના ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અલગ અલગ પ્લેકાર્ડ દર્શાવવી વિરોધ કરાઈ રહ્યો છે... રાજકોટમાં થયેલા અગ્નિકાંડ મામલે કાર્યવાહી કરવામાં આવે તેવી માગ સાથે કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. મહત્વનું છે કે જો ભાજપ હમણાં વિપક્ષમાં હોત તો સરકાર પર એટલું પ્રેશર લઈ આવતા કે કાર્યવાહી કરવી પડતી.. ન્યાયની માગ સાથે ભાજપના નેતા રસ્તા પર આવી જતા અને કદાચ મૃતકના પરિવારને ન્યાય અપાવીને રહેતા.. વિપક્ષ હજી ગુજરાતમાં છે તે વાત સારી છે, તે વાત સાબિત થઈ..!



રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.