Rajkot અગ્નિકાંડનાં પીડિતોને ન્યાય મળે તે માટે કોંગ્રેસ મેદાને! કોંગ્રેસના નેતાઓ 3 દિવસના ઉપવાસ પર બેઠા, સાંભળો શું કહ્યું Jignesh Mevaniએ?


  • Published By :
  • Published Date : 2024-06-07 16:51:56

થોડા દિવસો પહેલા રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડ સર્જાયો હતો. તે આગમાં અનેક પરિવારના ચિરાગો બૂઝાઈ ગયા. અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા.. 27 લોકોના આ ઘટનામાં મોત થઈ ગયા..આ મામલે તપાસ કરવા માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે.. આ કેસની સુનાવણી હાઈકોર્ટમાં પણ ચાલી રહી છે.. મૃતકના પરિવાર ન્યાયની આશા રાખી રહ્યા છે.. સત્તાને આ ઘટનાને લઈ સવાલો થાય તે વ્યાજબી છે પરંતુ વિપક્ષને પણ સવાલો થવા જોઈએ. કારણ કે જનતાને લાગે છે કે વિપક્ષ તેમનો અવાજ બની શકે છે.. 

રાજકોટમાં કોંગ્રેસના નેતાઓએ રાખ્યો ધરણા કાર્યક્રમ

પરંતુ અનેક મુદ્દાઓ એવા છે જેને જોતા લાગે કે વિપક્ષ મુદ્દાઓને ઉઠાવવામાં નિષ્ફળ સાબિત થઈ.. વિપક્ષની જે ભૂમિકા હોય છે તેને નિભાવવામાં કાચી સાબિત થઈ.. જે દમથી, જે મજબુતાઈથી વિપક્ષના નેતાઓએ પ્રશ્ન ઉઠાવવો જોઈતો હતો તેવા પ્રશ્નો વિપક્ષ દ્વારા નથી ઉઠાવવામાં આવ્યા.. આ બધા વચ્ચે જીગ્નેશ મેવાણી સહિત કોંગ્રેસના અનેક કાર્યકર્તાઓ ધરણા પર  બેઠા છે. 

મહત્વનું છે કે જો વિપક્ષમાં ભાજપ હોત તો... 

ત્યારે રાજકોટ અગ્નિકાંડને લઈ કોંગ્રેસ મેદાને આવી છે.. કોંગ્રેસ દ્વારા 72 કલાકના ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અલગ અલગ પ્લેકાર્ડ દર્શાવવી વિરોધ કરાઈ રહ્યો છે... રાજકોટમાં થયેલા અગ્નિકાંડ મામલે કાર્યવાહી કરવામાં આવે તેવી માગ સાથે કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. મહત્વનું છે કે જો ભાજપ હમણાં વિપક્ષમાં હોત તો સરકાર પર એટલું પ્રેશર લઈ આવતા કે કાર્યવાહી કરવી પડતી.. ન્યાયની માગ સાથે ભાજપના નેતા રસ્તા પર આવી જતા અને કદાચ મૃતકના પરિવારને ન્યાય અપાવીને રહેતા.. વિપક્ષ હજી ગુજરાતમાં છે તે વાત સારી છે, તે વાત સાબિત થઈ..!



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.