Rajkot અગ્નિકાંડને લઈ કોંગ્રેસ મેદાને! પહેલા ધરણા, આવતી કાલે કમિશ્નર ઓફિસનો ઘેરાવો.... Jignesh Mevani સહિત આ નેતાઓ રહી શકે છે હાજર


  • Published By :
  • Published Date : 2024-06-14 13:47:28

થોડા સમય પહેલા રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડ સર્જાયો હતો. તે આગમાં અનેક પરિવારના ચિરાગો બૂઝાઈ ગયા. અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા.. 27 લોકોના આ ઘટનામાં મોત થઈ ગયા..આ મામલે તપાસ કરવા માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે.. એસઆઈટીની રચના કરવામાં આવી પરંતુ તેને લઈને પણ અનેક સવાલો થઈ રહ્યા છે. પરિવારને ન્યાય મળે તે માટે જીગ્નેશ મેવાણી મેદાને છે. આવતી કાલે રાજકોટ પોલીસ કમિશનર કચેરી બહાર દેખાવો કરવામાં આવશે.. તે ઉપરાંત 25 તારીખે રાજકોટ બંધનું એલાન કરવામાં આવ્યું છે...  જીગ્નેશ મેવાણી સહિત અનેક નેતાઓ આવતી કાલે આ કાર્યક્રમમાં હાજર રહી શકે છે. તે સિવાય એવી માહિતી પણ સામે આવી છે કે ગેનીબેન ઠાકોર પણ આવતી કાલે આ કાર્યક્રમમાં હાજરી આપી શકે છે. 

જ્યારે એસઆઈટીની રચના થાય છે ત્યારે...

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં 28 લોકોના મૃત્યુ થયા.. મૃતકોના પરિવારને ન્યાય નથી મળ્યો.. ન્યાયની ઝંખના મૃતકોના પરિવાર વાળા રાખી રહ્યા છે.. ઘટનાની તપાસ કરવા માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે. જ્યારે એસઆઈટીની રચના થાય છે ત્યારે ન્યાય મળશે તેવી આશા સામાન્ય રીતે રાખવામાં આવતી હોય છે.. પરંતુ અનેક આગળ બનેલી ઘટનાઓમાંથી જાણવા મળે છે કે એસઆઈટીની રચના તો થઈ જાય છે પરંતુ ન્યાય નથી મળતો.. 



અગ્નિકાંડને લઈ કોંગ્રેસે કર્યા હતા ધરણા 

વર્ષોના વર્ષો વિતી જાય છે પરંતુ પરિવાર ન્યાયની ઝંખના માટે તરસતો રહે છે. ત્યારે આ વખતે પરિવારને ન્યાય મળે તે માટે કોંગ્રેસ મેદાને આવી છે. થોડા દિવસ પહેલા કોંગ્રેસના નેતાઓ દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા. ઉપવાસ કરવામાં આવ્યો હતો. મૃતકના પરિવાર દ્વારા પણ ન્યાયની માગ કરવામાં આવી રહી છે. આવતી કાલે રાજકોટ પોલીસ કમિશનર કચેરી બહાર દેખાવો કરવામાં આવશે.. તે પછી 25 તારીખે રાજકોટ બંધનું એલાન કરવામાં આવ્યું છે..    

આવતી કાલે રાજકોટ પોલીસ કમિશનર કચેરી બહાર કોંગ્રેસ કરશે દેખાવો..

આવતી કાલે રાજકોટ પોલીસ કમિશનર કચેરી બહાર દેખાવો કરવામાં આવશે.. સાથે સાથે અનેક માંગો પણ કરવામાં આવી છે. જીગ્નેશ મેવાણી દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી છે જેમાં લખવામાં આવ્યું છે - સમગ્ર રાજકોટમાં એક જ વાત છે કે અગ્નિકાંડમાં પણ મોરબીકાંડ અને તક્ષશીલા કાંડની જેમ કુલડીમાં ગોળ ભગાશે! અમને રાજકોટવાસીઓને નથી લાગતું કે, અગ્નિકાંડના પીડિતોને ન્યાય મળે! બાહોશ અને નોન કરપ્ટ અધિકારીઓની SIT ટીમ બનાવો, ફૂટેલી કારતૂસોની નહીં.!


ગુજરાત હાઈકોર્ટ દ્વારા અપનાવવામાં આવ્યું છે કડક વલણ

તે સિવાય એવી માગ પણ કરવામાં આવી છે કે પીડિત પરિવારોની મશ્કરી કરતા હોય એવું 4 લાખનું નહીં, 1 કરોડ વળતર આપો.. તે ઉપરાંત લખવામાં આવ્યું છે કે અમને પીડિતોને સુભાષ ત્રિવેદી વાળી SIT ના જોઈએ એટલે ના જ જોઈએ! મહત્વનું છે કે આ વખતે આ મામલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે. તંત્રની ઝાટકણી કાઢવામાં આવી છે.. તે સિવાય ગઈકાલે મુખ્યમંત્રી દ્વારા પણ એક નિવેદન આપવામાં આવ્યું જેમાં રાજકોટ દુર્ઘટનાની વાત કરી છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.