Rajkot અગ્નિકાંડને લઈ કોંગ્રેસ મેદાને! પહેલા ધરણા, આવતી કાલે કમિશ્નર ઓફિસનો ઘેરાવો.... Jignesh Mevani સહિત આ નેતાઓ રહી શકે છે હાજર


  • Published By :
  • Published Date : 2024-06-14 13:47:28

થોડા સમય પહેલા રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડ સર્જાયો હતો. તે આગમાં અનેક પરિવારના ચિરાગો બૂઝાઈ ગયા. અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા.. 27 લોકોના આ ઘટનામાં મોત થઈ ગયા..આ મામલે તપાસ કરવા માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે.. એસઆઈટીની રચના કરવામાં આવી પરંતુ તેને લઈને પણ અનેક સવાલો થઈ રહ્યા છે. પરિવારને ન્યાય મળે તે માટે જીગ્નેશ મેવાણી મેદાને છે. આવતી કાલે રાજકોટ પોલીસ કમિશનર કચેરી બહાર દેખાવો કરવામાં આવશે.. તે ઉપરાંત 25 તારીખે રાજકોટ બંધનું એલાન કરવામાં આવ્યું છે...  જીગ્નેશ મેવાણી સહિત અનેક નેતાઓ આવતી કાલે આ કાર્યક્રમમાં હાજર રહી શકે છે. તે સિવાય એવી માહિતી પણ સામે આવી છે કે ગેનીબેન ઠાકોર પણ આવતી કાલે આ કાર્યક્રમમાં હાજરી આપી શકે છે. 

જ્યારે એસઆઈટીની રચના થાય છે ત્યારે...

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં 28 લોકોના મૃત્યુ થયા.. મૃતકોના પરિવારને ન્યાય નથી મળ્યો.. ન્યાયની ઝંખના મૃતકોના પરિવાર વાળા રાખી રહ્યા છે.. ઘટનાની તપાસ કરવા માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે. જ્યારે એસઆઈટીની રચના થાય છે ત્યારે ન્યાય મળશે તેવી આશા સામાન્ય રીતે રાખવામાં આવતી હોય છે.. પરંતુ અનેક આગળ બનેલી ઘટનાઓમાંથી જાણવા મળે છે કે એસઆઈટીની રચના તો થઈ જાય છે પરંતુ ન્યાય નથી મળતો.. 



અગ્નિકાંડને લઈ કોંગ્રેસે કર્યા હતા ધરણા 

વર્ષોના વર્ષો વિતી જાય છે પરંતુ પરિવાર ન્યાયની ઝંખના માટે તરસતો રહે છે. ત્યારે આ વખતે પરિવારને ન્યાય મળે તે માટે કોંગ્રેસ મેદાને આવી છે. થોડા દિવસ પહેલા કોંગ્રેસના નેતાઓ દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા. ઉપવાસ કરવામાં આવ્યો હતો. મૃતકના પરિવાર દ્વારા પણ ન્યાયની માગ કરવામાં આવી રહી છે. આવતી કાલે રાજકોટ પોલીસ કમિશનર કચેરી બહાર દેખાવો કરવામાં આવશે.. તે પછી 25 તારીખે રાજકોટ બંધનું એલાન કરવામાં આવ્યું છે..    

આવતી કાલે રાજકોટ પોલીસ કમિશનર કચેરી બહાર કોંગ્રેસ કરશે દેખાવો..

આવતી કાલે રાજકોટ પોલીસ કમિશનર કચેરી બહાર દેખાવો કરવામાં આવશે.. સાથે સાથે અનેક માંગો પણ કરવામાં આવી છે. જીગ્નેશ મેવાણી દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી છે જેમાં લખવામાં આવ્યું છે - સમગ્ર રાજકોટમાં એક જ વાત છે કે અગ્નિકાંડમાં પણ મોરબીકાંડ અને તક્ષશીલા કાંડની જેમ કુલડીમાં ગોળ ભગાશે! અમને રાજકોટવાસીઓને નથી લાગતું કે, અગ્નિકાંડના પીડિતોને ન્યાય મળે! બાહોશ અને નોન કરપ્ટ અધિકારીઓની SIT ટીમ બનાવો, ફૂટેલી કારતૂસોની નહીં.!


ગુજરાત હાઈકોર્ટ દ્વારા અપનાવવામાં આવ્યું છે કડક વલણ

તે સિવાય એવી માગ પણ કરવામાં આવી છે કે પીડિત પરિવારોની મશ્કરી કરતા હોય એવું 4 લાખનું નહીં, 1 કરોડ વળતર આપો.. તે ઉપરાંત લખવામાં આવ્યું છે કે અમને પીડિતોને સુભાષ ત્રિવેદી વાળી SIT ના જોઈએ એટલે ના જ જોઈએ! મહત્વનું છે કે આ વખતે આ મામલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે. તંત્રની ઝાટકણી કાઢવામાં આવી છે.. તે સિવાય ગઈકાલે મુખ્યમંત્રી દ્વારા પણ એક નિવેદન આપવામાં આવ્યું જેમાં રાજકોટ દુર્ઘટનાની વાત કરી છે. 



વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"

સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબો હડતાલ પર ઉતરી ગયા છે. તબીબોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો કેમ કે , ન્યુરો વિભાગના તબીબ પર જે હુમલો થયો તે હજુ પકડાયો નથી. તો હવે જુનિયર તબીબો ચાર મુખ્ય માંગણીઓ સાથે હડતાલ પર ઉતરી ચુક્યા છે. જેના કારણે , રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઇમર્જન્સી સિવાય તમામ સેવાઓ ઠપ થઇ ગઈ છે. આમ , ફરી એકવાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓ પર સંકટના વાદળો છવાયા છે.

સુપ્રીમ કોર્ટમાં આજે અરવલ્લી પર્વતમાળાને લઇને સુનાવણી હાથ ધરાઈ છે . જેમાં , સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળાની પરિભાષાને લઇને આજે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આજે સુપ્રીમ કોર્ટની વેકેશન બેન્ચ જેમાં , CJI સૂર્યકાન્ત , જસ્ટિસ જે કે મહેશ્વરી અને જસ્ટિસ એજી મસીહ છે તેમના દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે , સુઓમોટો સંજ્ઞાન લીધું હતું.