Rajkot અગ્નિકાંડને લઈ કોંગ્રેસ મેદાને! પહેલા ધરણા, આવતી કાલે કમિશ્નર ઓફિસનો ઘેરાવો.... Jignesh Mevani સહિત આ નેતાઓ રહી શકે છે હાજર


  • Published By :
  • Published Date : 2024-06-14 13:47:28

થોડા સમય પહેલા રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડ સર્જાયો હતો. તે આગમાં અનેક પરિવારના ચિરાગો બૂઝાઈ ગયા. અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા.. 27 લોકોના આ ઘટનામાં મોત થઈ ગયા..આ મામલે તપાસ કરવા માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે.. એસઆઈટીની રચના કરવામાં આવી પરંતુ તેને લઈને પણ અનેક સવાલો થઈ રહ્યા છે. પરિવારને ન્યાય મળે તે માટે જીગ્નેશ મેવાણી મેદાને છે. આવતી કાલે રાજકોટ પોલીસ કમિશનર કચેરી બહાર દેખાવો કરવામાં આવશે.. તે ઉપરાંત 25 તારીખે રાજકોટ બંધનું એલાન કરવામાં આવ્યું છે...  જીગ્નેશ મેવાણી સહિત અનેક નેતાઓ આવતી કાલે આ કાર્યક્રમમાં હાજર રહી શકે છે. તે સિવાય એવી માહિતી પણ સામે આવી છે કે ગેનીબેન ઠાકોર પણ આવતી કાલે આ કાર્યક્રમમાં હાજરી આપી શકે છે. 

જ્યારે એસઆઈટીની રચના થાય છે ત્યારે...

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં 28 લોકોના મૃત્યુ થયા.. મૃતકોના પરિવારને ન્યાય નથી મળ્યો.. ન્યાયની ઝંખના મૃતકોના પરિવાર વાળા રાખી રહ્યા છે.. ઘટનાની તપાસ કરવા માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે. જ્યારે એસઆઈટીની રચના થાય છે ત્યારે ન્યાય મળશે તેવી આશા સામાન્ય રીતે રાખવામાં આવતી હોય છે.. પરંતુ અનેક આગળ બનેલી ઘટનાઓમાંથી જાણવા મળે છે કે એસઆઈટીની રચના તો થઈ જાય છે પરંતુ ન્યાય નથી મળતો.. 



અગ્નિકાંડને લઈ કોંગ્રેસે કર્યા હતા ધરણા 

વર્ષોના વર્ષો વિતી જાય છે પરંતુ પરિવાર ન્યાયની ઝંખના માટે તરસતો રહે છે. ત્યારે આ વખતે પરિવારને ન્યાય મળે તે માટે કોંગ્રેસ મેદાને આવી છે. થોડા દિવસ પહેલા કોંગ્રેસના નેતાઓ દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા. ઉપવાસ કરવામાં આવ્યો હતો. મૃતકના પરિવાર દ્વારા પણ ન્યાયની માગ કરવામાં આવી રહી છે. આવતી કાલે રાજકોટ પોલીસ કમિશનર કચેરી બહાર દેખાવો કરવામાં આવશે.. તે પછી 25 તારીખે રાજકોટ બંધનું એલાન કરવામાં આવ્યું છે..    

આવતી કાલે રાજકોટ પોલીસ કમિશનર કચેરી બહાર કોંગ્રેસ કરશે દેખાવો..

આવતી કાલે રાજકોટ પોલીસ કમિશનર કચેરી બહાર દેખાવો કરવામાં આવશે.. સાથે સાથે અનેક માંગો પણ કરવામાં આવી છે. જીગ્નેશ મેવાણી દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી છે જેમાં લખવામાં આવ્યું છે - સમગ્ર રાજકોટમાં એક જ વાત છે કે અગ્નિકાંડમાં પણ મોરબીકાંડ અને તક્ષશીલા કાંડની જેમ કુલડીમાં ગોળ ભગાશે! અમને રાજકોટવાસીઓને નથી લાગતું કે, અગ્નિકાંડના પીડિતોને ન્યાય મળે! બાહોશ અને નોન કરપ્ટ અધિકારીઓની SIT ટીમ બનાવો, ફૂટેલી કારતૂસોની નહીં.!


ગુજરાત હાઈકોર્ટ દ્વારા અપનાવવામાં આવ્યું છે કડક વલણ

તે સિવાય એવી માગ પણ કરવામાં આવી છે કે પીડિત પરિવારોની મશ્કરી કરતા હોય એવું 4 લાખનું નહીં, 1 કરોડ વળતર આપો.. તે ઉપરાંત લખવામાં આવ્યું છે કે અમને પીડિતોને સુભાષ ત્રિવેદી વાળી SIT ના જોઈએ એટલે ના જ જોઈએ! મહત્વનું છે કે આ વખતે આ મામલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે. તંત્રની ઝાટકણી કાઢવામાં આવી છે.. તે સિવાય ગઈકાલે મુખ્યમંત્રી દ્વારા પણ એક નિવેદન આપવામાં આવ્યું જેમાં રાજકોટ દુર્ઘટનાની વાત કરી છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.