લલિત વસોયા અને કિરીટ પટેલે કોંગ્રેસ સામે રોષ વ્યક્ત કર્યો, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે કરી આ ટકોર


  • Published By :
  • Published Date : 2023-03-12 16:29:36

ગુજરાત કોંગ્રેસમાં આંતરિક કલહ કોઈ નવી વાત નથી, કોંગ્રેસના નેતાઓ અવારનવાર પાર્ટીની નિતી રીતિ સામે સવાલો કરતા જ રહે છે. જેમ કે કોંગ્રેસના બે અગ્રણી નેતાઓ ધોરાજી બેઠકના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા અને પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે આ મુદ્દે મોન તોડતા મીડિયા સમક્ષ પાર્ટી સાથેની નારાજગીના મુદ્દા વ્યક્ત કર્યાં હતા. લલિત વસોયા અને  કિરીટ પટેલે ફરી પોતાની જ પાર્ટી સામે રોષ વ્યક્ત કરતા કોંગ્રેસ પાર્ટીમાં ચાલી રહેલો આંતરકલહ ફરી સપાટી પર આવ્યો છે.અત્રે ઉલ્લેખનિય છે કે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ સહિત સંગઠનમાં વિલંબથી ઘણાં કોંગ્રેસીઓ નારાજ છે. 


લલિત વસોયા અને કિરીટ પટેલે શું કહ્યું?


લલિત વસોયા અને કિરીટ પટેલ છેલ્લા ઘણા સમયથી પક્ષ વિરોધી કામગીરી કરનારા લોકો સામે કાર્યવાહી કરવાની માગ કરી રહ્યા છે. આ મુદ્દે લલિત વસાયોનું કહેવું છે કે "કેટલાક મુદ્દા છે, જે કોગ્રેસ હાઇકમાન્ડ સુધી પહોંચવા જોઇએ. આ મુદ્દે લલિત વસોયાએ જણાવ્યું હતું કે, સંગઠન મજબુત નથી, કાર્યકરોની વાત સંગઠન કે હાઇકમાન્ડ સુધી પહોંચતી નથી. કોઇ સાંભળતુ નથી અને લોકસભાની ચૂંટણીને લઇને  કોંગ્રેસે હવે સક્રિય થવાની જરુર છે."


પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે પક્ષ વિરોધી કામ કરતાં લોકો સામે પાર્ટીની નિષ્ક્રિયતા સામે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે "હાલનાં કોંગ્રેસના ધારાસભ્યોને પક્ષથી ઘણી નારાજગી છે. પક્ષ દ્વારા ઝડપી કોઈ નિર્ણય લેવાતા નથી અમે ત્રણ ધારાસભ્યોએ પક્ષ વિરોધી કામ કરનાર સામે અમે લખીને આપ્યું છે. તો પણ તેઓની સામે પક્ષ દ્વારા કોઈ પગલા લેવામાં આવ્યા નથી. પક્ષ વિરોધી કાર્યવાહી કરનાર સામે ઘણા લોકોએ લખીને આપ્યું છે તેમજ મૌખિક વાત પણ કરી છે. અમે લેખિતમાં જગદીશ ઠાકોરને આપ્યું છે. અને અમિત ચાવડાને પણ અને લખીને આપ્યું છે.  જો હજુ પણ તેઓની સામે પગલા લેવામાં નહીં આવે તો અને ઉચ્ચકક્ષાએ રજૂઆત કરીશું. જેમણે ધારાસભ્યોને હરાવવાની કામગીરી કરી છે, તેમજ પક્ષ વિરોધી કામગીરી કરી છે.પાર્ટીની કાર્ય પદ્ધતિ જો નહી સુધરે તો કોઇ નવો નિર્ણય મક્કમપણે લેવો પડશે."


જગદીશ ઠાકોરે શું જવાબ આપ્યો?


કોંગ્રેસમાં ચાલી રહેલી ખેંચતાણ મુદ્દે જગદીશ ઠાકોરે કહ્યું કે, "કોંગ્રેસમાં કેટલાક મિત્રોને મીડિયા સમક્ષ વાત કરવાની ટેવ પડી ગઈ છે. એવા મિત્રોને વિનંતી કરું છું કે કઈ પણ વાત હોય તો આવો સામે. આંતરિક પ્રશ્નોની ચર્ચા માટે પક્ષનું નેતૃત્વ હંમેશા તૈયાર જ છે. શિસ્તના મુદ્દે બાંધછોડ નહીં ચાલે. વધુમાં તેમણે કોંગ્રેસના નેતાઓને ટકોર કરતા કહ્યું કે, કોઈ કહે એ રીતે જ પક્ષ ચાલવો જોઈએ તેવી માનસિકતામાંથી પક્ષના લોકોએ બહાર આવવું જોઈએ.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.