લલિત વસોયા અને કિરીટ પટેલે કોંગ્રેસ સામે રોષ વ્યક્ત કર્યો, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે કરી આ ટકોર


  • Published By :
  • Published Date : 2023-03-12 16:29:36

ગુજરાત કોંગ્રેસમાં આંતરિક કલહ કોઈ નવી વાત નથી, કોંગ્રેસના નેતાઓ અવારનવાર પાર્ટીની નિતી રીતિ સામે સવાલો કરતા જ રહે છે. જેમ કે કોંગ્રેસના બે અગ્રણી નેતાઓ ધોરાજી બેઠકના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા અને પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે આ મુદ્દે મોન તોડતા મીડિયા સમક્ષ પાર્ટી સાથેની નારાજગીના મુદ્દા વ્યક્ત કર્યાં હતા. લલિત વસોયા અને  કિરીટ પટેલે ફરી પોતાની જ પાર્ટી સામે રોષ વ્યક્ત કરતા કોંગ્રેસ પાર્ટીમાં ચાલી રહેલો આંતરકલહ ફરી સપાટી પર આવ્યો છે.અત્રે ઉલ્લેખનિય છે કે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ સહિત સંગઠનમાં વિલંબથી ઘણાં કોંગ્રેસીઓ નારાજ છે. 


લલિત વસોયા અને કિરીટ પટેલે શું કહ્યું?


લલિત વસોયા અને કિરીટ પટેલ છેલ્લા ઘણા સમયથી પક્ષ વિરોધી કામગીરી કરનારા લોકો સામે કાર્યવાહી કરવાની માગ કરી રહ્યા છે. આ મુદ્દે લલિત વસાયોનું કહેવું છે કે "કેટલાક મુદ્દા છે, જે કોગ્રેસ હાઇકમાન્ડ સુધી પહોંચવા જોઇએ. આ મુદ્દે લલિત વસોયાએ જણાવ્યું હતું કે, સંગઠન મજબુત નથી, કાર્યકરોની વાત સંગઠન કે હાઇકમાન્ડ સુધી પહોંચતી નથી. કોઇ સાંભળતુ નથી અને લોકસભાની ચૂંટણીને લઇને  કોંગ્રેસે હવે સક્રિય થવાની જરુર છે."


પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે પક્ષ વિરોધી કામ કરતાં લોકો સામે પાર્ટીની નિષ્ક્રિયતા સામે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે "હાલનાં કોંગ્રેસના ધારાસભ્યોને પક્ષથી ઘણી નારાજગી છે. પક્ષ દ્વારા ઝડપી કોઈ નિર્ણય લેવાતા નથી અમે ત્રણ ધારાસભ્યોએ પક્ષ વિરોધી કામ કરનાર સામે અમે લખીને આપ્યું છે. તો પણ તેઓની સામે પક્ષ દ્વારા કોઈ પગલા લેવામાં આવ્યા નથી. પક્ષ વિરોધી કાર્યવાહી કરનાર સામે ઘણા લોકોએ લખીને આપ્યું છે તેમજ મૌખિક વાત પણ કરી છે. અમે લેખિતમાં જગદીશ ઠાકોરને આપ્યું છે. અને અમિત ચાવડાને પણ અને લખીને આપ્યું છે.  જો હજુ પણ તેઓની સામે પગલા લેવામાં નહીં આવે તો અને ઉચ્ચકક્ષાએ રજૂઆત કરીશું. જેમણે ધારાસભ્યોને હરાવવાની કામગીરી કરી છે, તેમજ પક્ષ વિરોધી કામગીરી કરી છે.પાર્ટીની કાર્ય પદ્ધતિ જો નહી સુધરે તો કોઇ નવો નિર્ણય મક્કમપણે લેવો પડશે."


જગદીશ ઠાકોરે શું જવાબ આપ્યો?


કોંગ્રેસમાં ચાલી રહેલી ખેંચતાણ મુદ્દે જગદીશ ઠાકોરે કહ્યું કે, "કોંગ્રેસમાં કેટલાક મિત્રોને મીડિયા સમક્ષ વાત કરવાની ટેવ પડી ગઈ છે. એવા મિત્રોને વિનંતી કરું છું કે કઈ પણ વાત હોય તો આવો સામે. આંતરિક પ્રશ્નોની ચર્ચા માટે પક્ષનું નેતૃત્વ હંમેશા તૈયાર જ છે. શિસ્તના મુદ્દે બાંધછોડ નહીં ચાલે. વધુમાં તેમણે કોંગ્રેસના નેતાઓને ટકોર કરતા કહ્યું કે, કોઈ કહે એ રીતે જ પક્ષ ચાલવો જોઈએ તેવી માનસિકતામાંથી પક્ષના લોકોએ બહાર આવવું જોઈએ.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.