કોંગ્રેસ પ્રમુખ પદની ચૂંટણી બની રસપ્રદ, દિગ્વિજય સિંહે દાવેદારી પાછી ખેંચી, ખડગેએ ઝંપલાવ્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-30 13:06:43

કોંગ્રેસ પ્રમુખ પદની ચૂંટણીને લઈને ચાલી રાજકારણ ગરમાયું છે, કોંગ્રસના અગ્રણી નેતા મલ્લિકાર્જુન ખડગે પણ આ રેસમાં કૂદી પડ્યા છે. આ દરમિયાન કોંગ્રેસના રાજ્યસભાના વરિષ્ઠ નેતા પ્રમોદ તિવારીએ કહ્યું હતું કે તેઓ થોડીવારમાં ઉમેદવારી પત્ર ભરશે. કોંગ્રેસ પ્રમુખ પદ માટેની આ સ્પર્ધા હવે રસપ્રદ બની રહી છે. આ દરમિયાન દિગ્વિજય સિંહે ચૂંટણી નહીં લડવાની વાત કરી છે. દિગ્વિજયે કહ્યું છે કે તેઓ ખડગેના સમર્થક બનશે. ખડગે પહેલા શશિ થરૂરે  પણ પ્રમુખ  પદ માટે ચૂંટણી લડવાની વાત કરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ પદ માટે નોમિનેશનનો આજે છેલ્લો દિવસ છે. તમામ સંભવિત ઉમેદવારો આજે તેમના પેપર ફાઇલ કરશે.


થરૂર આજે તેમની દાવેદારી નોંધાવશે!


કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે અત્યાર સુધી શશિ થરૂરનું નામ સામે આવ્યું છે. શશિ થરૂર આજે શુક્રવારે ઉમેદવારી નોંધાવશે. ઝારખંડમાં, ભૂતપૂર્વ પ્રધાન કેએન ત્રિપાઠીએ પણ પક્ષના ટોચના પદ માટે ઉમેદવારી પત્રોનો સમૂહ એકત્રિત કર્યો હતો. જણાવી દઈએ કે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે 17 ઓક્ટોબરે મતદાન થશે અને પરિણામ 19 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે.


ખડગેની એન્ટ્રીથી સ્પર્ધા તીવ્ર બની


મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડી શકે છે. મલ્લિકાર્જુન ખડગે આજે સોનિયાને મળશે. મલ્લિકાર્જુનના પ્રમુખ પદ માટે લડવા અંગે અંતિમ નિર્ણય લેવાનો બાકી છે. ખડગે 8 વખત ધારાસભ્ય, બે વખત લોકસભાના સાંસદ અને એક વખત રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા છે. તેઓ 2019માં જ લોકસભાની ચૂંટણી હારી ગયા છે. ખડગે દલિત નેતા છે. તેઓ કર્ણાટકના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે