કોંગ્રેસ પ્રમુખ પદની ચૂંટણી બની રસપ્રદ, દિગ્વિજય સિંહે દાવેદારી પાછી ખેંચી, ખડગેએ ઝંપલાવ્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-30 13:06:43

કોંગ્રેસ પ્રમુખ પદની ચૂંટણીને લઈને ચાલી રાજકારણ ગરમાયું છે, કોંગ્રસના અગ્રણી નેતા મલ્લિકાર્જુન ખડગે પણ આ રેસમાં કૂદી પડ્યા છે. આ દરમિયાન કોંગ્રેસના રાજ્યસભાના વરિષ્ઠ નેતા પ્રમોદ તિવારીએ કહ્યું હતું કે તેઓ થોડીવારમાં ઉમેદવારી પત્ર ભરશે. કોંગ્રેસ પ્રમુખ પદ માટેની આ સ્પર્ધા હવે રસપ્રદ બની રહી છે. આ દરમિયાન દિગ્વિજય સિંહે ચૂંટણી નહીં લડવાની વાત કરી છે. દિગ્વિજયે કહ્યું છે કે તેઓ ખડગેના સમર્થક બનશે. ખડગે પહેલા શશિ થરૂરે  પણ પ્રમુખ  પદ માટે ચૂંટણી લડવાની વાત કરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ પદ માટે નોમિનેશનનો આજે છેલ્લો દિવસ છે. તમામ સંભવિત ઉમેદવારો આજે તેમના પેપર ફાઇલ કરશે.


થરૂર આજે તેમની દાવેદારી નોંધાવશે!


કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે અત્યાર સુધી શશિ થરૂરનું નામ સામે આવ્યું છે. શશિ થરૂર આજે શુક્રવારે ઉમેદવારી નોંધાવશે. ઝારખંડમાં, ભૂતપૂર્વ પ્રધાન કેએન ત્રિપાઠીએ પણ પક્ષના ટોચના પદ માટે ઉમેદવારી પત્રોનો સમૂહ એકત્રિત કર્યો હતો. જણાવી દઈએ કે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે 17 ઓક્ટોબરે મતદાન થશે અને પરિણામ 19 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે.


ખડગેની એન્ટ્રીથી સ્પર્ધા તીવ્ર બની


મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડી શકે છે. મલ્લિકાર્જુન ખડગે આજે સોનિયાને મળશે. મલ્લિકાર્જુનના પ્રમુખ પદ માટે લડવા અંગે અંતિમ નિર્ણય લેવાનો બાકી છે. ખડગે 8 વખત ધારાસભ્ય, બે વખત લોકસભાના સાંસદ અને એક વખત રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા છે. તેઓ 2019માં જ લોકસભાની ચૂંટણી હારી ગયા છે. ખડગે દલિત નેતા છે. તેઓ કર્ણાટકના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.