Congress અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે BJP પર પ્રહાર કર્યા!ભાજપના કાર્યકર્તાઓ માટે ચિંતા જતાવી, BJP માટે કહ્યું કે અહંકારથી ચાલતી ભારતીય જનતા પાર્ટી...!


  • Published By :
  • Published Date : 2024-03-26 10:48:57

ભારતીય જનતા પાર્ટીમાં અનેક વખત ભરતી મેળો જોવા મળતો હોય છે. પોતાની પાર્ટીને છોડી ભારતીય જનતા પાર્ટીમાં નેતાઓ, કાર્યકર્તાઓ જોડાઈ રહ્યા છે. આપણી સમક્ષ અનેક ઉદાહરણો છે તાજેતરના જ. ભાજપમાં ચાલતા ભરતી મેળાને લઈ ભાજપના જ નેતાઓમાં, કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળતી હોય છે. અનેક કાર્યકર્તાઓની લાગણી છલકાઈ પણ જતી હોય છે. ત્યારે ભાજપમાં ચાલતા અસંતોષની લાગણી વચ્ચે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર પ્રહાર કર્યા છે. 

બે બેઠકો પર ભાજપે બદલ્યા ઉમેદવાર! 

લોકસભા ચૂંટણીને લઈ પાર્ટીઓ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે ભાજપે ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે જ્યારે કોંગ્રેસ દ્વારા અનેક બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત નથી કરવામાં આવી. અનેક બેઠકો માટે ઉમેદવારોને લઈ મનોમંથન પાર્ટીમાં ચાલી રહ્યું છે. ભાજપમાં પ્રથમ વખત કદાચ એવી ઘટના બની છે કે ઉમેદવાર ઘોષિત કરાયા બાદ તેને બદલવામાં આવ્યા હોય. વડોદરા તેમજ સાબરકાંઠામાં આવું થયું છે. 


શક્તિસિંહ ગોહિલે ભાજપ પર નિશાન સાધતા કહ્યું...

ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ભાજપમાં ભરતી મેળો શરૂ થઈ ગયો છે. અનેક નેતાઓએ, ધારાસભ્યોએ પક્ષપલટો કર્યો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે જે પક્ષપલટો કરીને ભાજપમાં આવ્યા છે તેમને પદની લાલચ આપવામાં આવી હોઈ શકે છે. કોંગ્રેસ યુક્ત ભાજપ થઈ જવાથી ભાજપના અનેક કાર્યકર્તાઓએ નારાજગી વ્યક્ત કરી છે. અનેક વખત ભાજપમાં ચાલતા આંતરિક ડખા ઉભરીને સામે આવતા હોય છે. ત્યારે ભાજપના કાર્યકર્તાઓ માટે શક્તિસિંહ ગોહિલે ચિંતા વ્યક્ત કરી છે. અરવલ્લીના એક ગામમાં યોજાયેલા એક કાર્યક્રમમાં શક્તિસિંહ ગોહિલ ગયા હતા ત્યાં તેમણે ભાજપ પર પ્રહાર કર્યા છે. ઉમેદવારોને બદલી લેવાાં આવ્યા તેને લઈ તેમણે ભાજપ પર નિશાન સાધ્યું છે. પોતાના નિવેદનમાં તેમણે ભાજપને અહંકારી પાર્ટી કહી હતી.  



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.