કોંગ્રેસને 24 વર્ષ બાદ આજે બિન-ગાંધી પ્રમુખ મળશે, પાર્ટી મુખ્યાલયમાં મતગણતરી શરૂ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-19 11:35:45

કોંગ્રેસના રાષ્ટ્રિય પ્રમુખની ચૂંટણી બાદ આજે 10 વાગ્યે મતગણતરી શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસને આજે 24 વર્ષ બાદ બિન-ગાંધી પ્રમુખ મળશે. સેન્ટ્રલ ઇલેક્શન ઓથોરિટીના ચેરમેન મત ગણતરી બાદ પરિણામ જાહેર કરશે. મત ગણતરી વખતે  પ્રમુખ પદના ઉમેદવાર શશિ થરૂરના પ્રસ્તાવક સાંસદ કાર્તિ ચિદંબરમ તથા અન્ય ચૂંટણી એજન્ટ પણ હાજર રહ્યા હતા. બીજા ઉમેદવાર મલ્લિકાર્જુન ખરગે તરફથી સાંસદ સૈયદ નાસિર હુસૈન અને અન્ય નેતા પણ ઉપસ્થિત રહ્યા હતા.


મતપેટીઓ સ્ટ્રોંગ રૂમમાં બંધ


દેશના વિવિધ ભાગોમાં બને કોંગ્રેસના તમામ મતદાન કેન્દ્રોમાંથી મત પેટીઓ મંગળવાર સાંજે કોંગ્રેસ હેડક્વાર્ટર લાવવામાં આવી હતી, તેને કોંગ્રેસ મુખ્યાલયની અંદર રહેલા સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવી હતી.


દિવાળી પછી નવા પ્રમુખ હોદ્દો સંભાળશે


કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું કે, મતગણતરી માટે સાત-આઠ ટેબલ તૈયાર કરવામાં આવશે અને દરેક ટેબલ પર બે વ્યક્તિ હશે. કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું હતું કે, ચૂંટાયેલા પ્રમુખ દિવાળી પછી કોંગ્રેસના મુખ્યાલય ખાતે યોજાનાર કાર્યક્રમમાં વરિષ્ઠ નેતાઓની હાજરીમાં ચાર્જ સંભાળશે. વિજેતા ઉમેદવારને બુધવારે પ્રમાણપત્ર આપવામાં આવશે કે પછી તે હજુ નક્કી નથી.


અત્રે ઉલ્લેખનિય છે કે, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ બુધવારે દિલ્હીમાં રહ્યા હતા. જો કે, રાહુલ ગાંધી કોંગ્રેસની 'ભારત જોડો યાત્રા' ચાલુ રાખી હતી એટલે કે મતગણતરી દરમિયાન તેઓ દિલ્હીમાં રહ્યા  ન હતાં.



કોંગ્રેસના 9500 ડેલીગેટએ મતદાન કર્યું હતું


કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ, ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને અન્ય ઘણા વરિષ્ઠ નેતાઓ સહિત લગભગ 9500 પ્રતિનિધિઓ (ઇલેક્ટોરલ કૉલેજના સભ્યો) એ સોમવારે (17 ઑક્ટોબર) પાર્ટીના નવા પ્રમુખને ચૂંટવા માટે મતદાન કર્યું હતું.




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.