કોંગ્રેસને 24 વર્ષ બાદ આજે બિન-ગાંધી પ્રમુખ મળશે, પાર્ટી મુખ્યાલયમાં મતગણતરી શરૂ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-19 11:35:45

કોંગ્રેસના રાષ્ટ્રિય પ્રમુખની ચૂંટણી બાદ આજે 10 વાગ્યે મતગણતરી શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસને આજે 24 વર્ષ બાદ બિન-ગાંધી પ્રમુખ મળશે. સેન્ટ્રલ ઇલેક્શન ઓથોરિટીના ચેરમેન મત ગણતરી બાદ પરિણામ જાહેર કરશે. મત ગણતરી વખતે  પ્રમુખ પદના ઉમેદવાર શશિ થરૂરના પ્રસ્તાવક સાંસદ કાર્તિ ચિદંબરમ તથા અન્ય ચૂંટણી એજન્ટ પણ હાજર રહ્યા હતા. બીજા ઉમેદવાર મલ્લિકાર્જુન ખરગે તરફથી સાંસદ સૈયદ નાસિર હુસૈન અને અન્ય નેતા પણ ઉપસ્થિત રહ્યા હતા.


મતપેટીઓ સ્ટ્રોંગ રૂમમાં બંધ


દેશના વિવિધ ભાગોમાં બને કોંગ્રેસના તમામ મતદાન કેન્દ્રોમાંથી મત પેટીઓ મંગળવાર સાંજે કોંગ્રેસ હેડક્વાર્ટર લાવવામાં આવી હતી, તેને કોંગ્રેસ મુખ્યાલયની અંદર રહેલા સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવી હતી.


દિવાળી પછી નવા પ્રમુખ હોદ્દો સંભાળશે


કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું કે, મતગણતરી માટે સાત-આઠ ટેબલ તૈયાર કરવામાં આવશે અને દરેક ટેબલ પર બે વ્યક્તિ હશે. કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું હતું કે, ચૂંટાયેલા પ્રમુખ દિવાળી પછી કોંગ્રેસના મુખ્યાલય ખાતે યોજાનાર કાર્યક્રમમાં વરિષ્ઠ નેતાઓની હાજરીમાં ચાર્જ સંભાળશે. વિજેતા ઉમેદવારને બુધવારે પ્રમાણપત્ર આપવામાં આવશે કે પછી તે હજુ નક્કી નથી.


અત્રે ઉલ્લેખનિય છે કે, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ બુધવારે દિલ્હીમાં રહ્યા હતા. જો કે, રાહુલ ગાંધી કોંગ્રેસની 'ભારત જોડો યાત્રા' ચાલુ રાખી હતી એટલે કે મતગણતરી દરમિયાન તેઓ દિલ્હીમાં રહ્યા  ન હતાં.



કોંગ્રેસના 9500 ડેલીગેટએ મતદાન કર્યું હતું


કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ, ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને અન્ય ઘણા વરિષ્ઠ નેતાઓ સહિત લગભગ 9500 પ્રતિનિધિઓ (ઇલેક્ટોરલ કૉલેજના સભ્યો) એ સોમવારે (17 ઑક્ટોબર) પાર્ટીના નવા પ્રમુખને ચૂંટવા માટે મતદાન કર્યું હતું.




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.