Ahmedabadમાં Congressનો વિરોધ! એકાઉન્ટ ફ્રીઝ કરાતા કોંગ્રેસે રસ્તા પર બેસી નોંધાવ્યો વિરોધ, શક્તિસિંહ ગોહિલની પોલીસે કરી અટકાયત!


  • Published By :
  • Published Date : 2024-02-17 16:42:34

ગઈકાલે કોંગ્રેસ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો કે આઈટી વિભાગ દ્વારા કોંગ્રેસ પાર્ટીના એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને આ અંગેની જાણકારી આપવામાં આવી હતી. લોકશાહીને લઈ પણ કોંગ્રેસ દ્વારા વાત કરવામાં આવી હતી. એકાઉન્ટ ફ્રિઝ કરવામાં આવતા સમગ્ર દેશમાં આજે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ત્યારે અમદાવાદના ઈન્કમ ટેક્સ વિસ્તારમાં ગુજરાત કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ગુજરાત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની આગેવાનીમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. 

અમદાવાદમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ નોંધાવ્યો વિરોધ!

દેશના અનેક રાજ્યોમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદના ઈન્કમ ટેક્સ વિસ્તારમાં કોંગ્રેસના કાર્યકર્તાએ, નેતાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પણ આ વિરોધ પ્રદર્શનમાં ઉપસ્થિત હતા. આઈટી વિભાગ દ્વારા કોંગ્રેસ પાર્ટી તેમજ યુથ કોંગ્રેસના એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા હતા તેવો આરોપ કોંગ્રેસે લગાવ્યા હતા. આ ઘટનાને લઈ કોંગ્રેસ નેતાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વિવિધ કોંગ્રેસ નેતાઓએ આ અંગે પ્રતિક્રિયા આપી છે.ત્યારે અકાઉન્ટ ફ્રીઝ થયાનો વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવી હતી. રસ્તો રોકી રહેલા કાર્યકરોની અટકાયત ટીંગાટોળી કરી હતી. કોંગ્રેસના કાર્યકરો હાથમાં બેનર લઈને વિરોધ નોંધાવ્યો હતો.


પોલીસે કરી શક્તિસિંહ ગોહિલ સહિત અનેક નેતાઓની અટકાયત!  

આજે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલ સહિત આગેવાનો અને કાર્યકરોએ ઈન્કમ ટેક્સ વિસ્તારમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. આઇટી વિભાગે ફ્રીઝ કરેલાં એકાઉન્ટ બાબતે તેઓ વિરોધ નોંધાવી રહ્યા હતા. વિરોધ કરી રહેલા અનેક કાર્યકર્તાઓ રસ્તા પર બેસી ગઈ અને વિરોધ દર્શાવ્યો હતો. પોલીસે ટીંગાટોળી કરી અટકાયત કરી લીધી હતી. વિરોધ કરી રહેલા શક્તિસિંહ ગોહિલ, ઈમરાન ખેડાવાલા સહિતના નેતાઓને અટકાયત બાદ ગાડીમાં બેસાડ્યા હતા. ત્રણેય નેતાને જ્યારે ગાડીમાં બેસાડ્યા તે બાદ કાર્યકરો ગાડીની આગળ આવી ગયા અને ગાડીને આગળ વધવા ના દીધી. 


શક્તિસિંહ ગોહિલે કહ્યું કે... 

કાર્યકરોને હટાવવા માટે પોલીસે બળજબરીનો પ્રયોગ પણ કર્યો હતો. કાર્યકરોને ગાડી પાસેથી હટાવ્યા હતા. પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે  જનતાના આશીર્વાદ અને લોકોના સમર્થનમાં કોંગ્રેસ પાર્ટી વિરોધપક્ષની ભૂમિકા ભજવી રહી છે. આ ભૂમિકા પણ ના ભજવે એ માટે કોંગ્રેસપક્ષનાં એકાઉન્ટ પર તાળાબંધી કરવામાં આવી છે. આ તાળાબંધી લોકશાહી માટેની છે. જનતા આજે આ જાણે અને જનતાની અદાલતમાં નિર્ણય કરે. બેરોજગારી, મોંઘવારીથી લોકો અને ખેડૂતો દુઃખી છે, નાના ઉદ્યોગકારો મુશ્કેલીમાં છે.     

   



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.