Rajkot અગ્નિકાંડને લઈ Congressનો વિરોધ, Jignesh Mevani, Geniben Thakor સહિત કોંગ્રેસના કાર્યકર્તાઓ કરશે પોલીસ કમિશનર ઓફિસનો ઘેરાવો


  • Published By :
  • Published Date : 2024-06-15 11:47:18

રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં 28 જિંદગીઓ હોમાઈ ગઈ.. અનેક પરિવારોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે.. આ ઘટનાને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે એસઆઈટીની રચના કરવામાં આવી છે. પરંતુ એસઆઈટીને લઈને પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.. અનેક વર્ષો વીતિ જતા હોય છે પરંતુ મૃતક પરિવારને ન્યાય નથી મળતો.. ત્યારે રાજકોટ અગ્નિકાંડને લઈ કોંગ્રેસ મેદાને આવી છે.. કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, સાંસદ ગેનીબેન ઠાકોર, જેની ઠુમ્મર, લાલજી દેસાઈ, અમિત ચાવડા સહિતના નેતાઓ આજે રાજકોટ પોલીસ કમિશનર ઓફિસનો ઘેરાવો કરવાના છે.. રેલી યોજી વિરોધ પ્રદર્શન દર્શાવી રહ્યા છે..    


પીડિત પરિવારને ન્યાય નથી મળતો.. 

આપણે ત્યાં કહેવાય છે કે સિસ્ટમમાં બધુ મળી જશે માત્ર ન્યાય નથી મળતો.. આપણા ઉપર ના વીતિ હોય ત્યાં સુધી આપણે તેમની પીડા નથી સમજી શકતા. આપણી પર જ્યારે વીતે ત્યારે જ આપણે પીડા સમજી શકીએ છીએ..જ્યારે કોઈ દુર્ઘટના સર્જાય છે તે બાદ એસઆઈટીની રચના કરવામાં આવે છે અને તપાસ થાય છે. પીડિત પરિવારને ન્યાય નથી મળતો. જે કસૂરવાય હોય છે તેમના વિરૂદ્ધ કાર્યવાહી નથી થતી.. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન મામલે એસઆઈટીની રચના થઈ.. પરંતુ એસઆઈટીની ટીમ જે બની છે તેને બદલવામાં આવે તેવી માગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે.


કોંગ્રેસ દ્વારા કરવામાં આવી માગ 

કોંગ્રેસ દ્વારા આજે રાજકોટ પોલીસ કમિશનર ઓફિસનો ઘેરાવો કરવામાં આવી રહ્યો છે. તે સિવાય 25 તારીખે રાજકોટ બંધનું એલાન કરવામાં આવ્યું છે. કોંગ્રેસની માગ છે કે પીડિત પરિવારોને ચાર લાખની જગ્યાએ સહાય રૂપે એક કરોડ આપવામાં આવે. ચાર લાખનું નહીં એક કરોડ વળતર આપો.. તે સિવાય એવી પણ માગ કરવામાં આવી છે કે બાહોશ અને નોન કરપ્ટ અધિકારીઓની SIT ટીમ બનાવો, ફૂટેલી કારતૂસોની નહીં.. તે સિવાય સુભાષ ત્રિવેદીવાળી એસઆઈટી ના જોઈએ.. મહત્વનું છે કે આની પહેલા ધરણા કોંગ્રેસના નેતાઓ દ્વારા કરવામાં આવ્યા હતા. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.