Rajkot અગ્નિકાંડને લઈ Congressનો વિરોધ, Jignesh Mevani, Geniben Thakor સહિત કોંગ્રેસના કાર્યકર્તાઓ કરશે પોલીસ કમિશનર ઓફિસનો ઘેરાવો


  • Published By :
  • Published Date : 2024-06-15 11:47:18

રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં 28 જિંદગીઓ હોમાઈ ગઈ.. અનેક પરિવારોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે.. આ ઘટનાને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે એસઆઈટીની રચના કરવામાં આવી છે. પરંતુ એસઆઈટીને લઈને પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.. અનેક વર્ષો વીતિ જતા હોય છે પરંતુ મૃતક પરિવારને ન્યાય નથી મળતો.. ત્યારે રાજકોટ અગ્નિકાંડને લઈ કોંગ્રેસ મેદાને આવી છે.. કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, સાંસદ ગેનીબેન ઠાકોર, જેની ઠુમ્મર, લાલજી દેસાઈ, અમિત ચાવડા સહિતના નેતાઓ આજે રાજકોટ પોલીસ કમિશનર ઓફિસનો ઘેરાવો કરવાના છે.. રેલી યોજી વિરોધ પ્રદર્શન દર્શાવી રહ્યા છે..    


પીડિત પરિવારને ન્યાય નથી મળતો.. 

આપણે ત્યાં કહેવાય છે કે સિસ્ટમમાં બધુ મળી જશે માત્ર ન્યાય નથી મળતો.. આપણા ઉપર ના વીતિ હોય ત્યાં સુધી આપણે તેમની પીડા નથી સમજી શકતા. આપણી પર જ્યારે વીતે ત્યારે જ આપણે પીડા સમજી શકીએ છીએ..જ્યારે કોઈ દુર્ઘટના સર્જાય છે તે બાદ એસઆઈટીની રચના કરવામાં આવે છે અને તપાસ થાય છે. પીડિત પરિવારને ન્યાય નથી મળતો. જે કસૂરવાય હોય છે તેમના વિરૂદ્ધ કાર્યવાહી નથી થતી.. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન મામલે એસઆઈટીની રચના થઈ.. પરંતુ એસઆઈટીની ટીમ જે બની છે તેને બદલવામાં આવે તેવી માગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે.


કોંગ્રેસ દ્વારા કરવામાં આવી માગ 

કોંગ્રેસ દ્વારા આજે રાજકોટ પોલીસ કમિશનર ઓફિસનો ઘેરાવો કરવામાં આવી રહ્યો છે. તે સિવાય 25 તારીખે રાજકોટ બંધનું એલાન કરવામાં આવ્યું છે. કોંગ્રેસની માગ છે કે પીડિત પરિવારોને ચાર લાખની જગ્યાએ સહાય રૂપે એક કરોડ આપવામાં આવે. ચાર લાખનું નહીં એક કરોડ વળતર આપો.. તે સિવાય એવી પણ માગ કરવામાં આવી છે કે બાહોશ અને નોન કરપ્ટ અધિકારીઓની SIT ટીમ બનાવો, ફૂટેલી કારતૂસોની નહીં.. તે સિવાય સુભાષ ત્રિવેદીવાળી એસઆઈટી ના જોઈએ.. મહત્વનું છે કે આની પહેલા ધરણા કોંગ્રેસના નેતાઓ દ્વારા કરવામાં આવ્યા હતા. 



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .